જ્વરઘ્ની વટી : આયુર્વેદિક ઔષધ. શુદ્ધ પારદ, શૈલેય, લીંડીપીપર, હીમજ, અક્કલકરો, સરસિયા તેલમાં શુદ્ધ કરેલ ગંધક અને ઇંદ્રવારુણીનાં ફળને ખરલમાં એકત્ર કરી ઇંદ્રવારુણીના રસમાં ઘૂંટીને અડદના દાણાના માપની ગોળીઓ બનાવાય છે. તાવમાં 1થી 2 ગોળી ગળોના રસ અથવા ક્વાથ સાથે લેવાથી લાભ થાય છે.

મધુકાન્ત ભગવાનજી પંડ્યા