૮.૦૪

જ્યૉર્જિયોથી ઝવેરી બહેનો

જ્યૉર્જિયો

જ્યૉર્જિયો : સોવિયેત સંઘના વિઘટન પછી સ્થપાયેલ ‘કૉમનવેલ્થ ઑવ્ ઇન્ડિપેન્ડન્ટ સ્ટેટ્સ’ પૈકીનું એક રાજ્ય. ભૌગોલિક સ્થાન 42° ઉ. અ. અને 44° પૂ. રે. તેણે 1991માં પોતાને સ્વતંત્ર જાહેર કર્યું હતું. તે કાળા સમુદ્રની પૂર્વ તરફ આવેલ છે. આ રાજ્યનું જ્યૉર્જિયા નામ અરબી અને ઈરાની ગુર્જી તેમજ રશિયન ગુર્ઝીઆ કે ગ્રુઝીઆ…

વધુ વાંચો >

જ્વર (આયુર્વિજ્ઞાન)

જ્વર (આયુર્વિજ્ઞાન) : તાવ આવવો તે શરીરના રોજના સામાન્ય તાપમાનમાં થતા ફેરફારોથી તાપમાનના પ્રમાણમાં વધારો થવો તે. દર્દીઓની સૌથી વધુ તકલીફોમાંની તે એક છે. મોટા ભાગના દર્દીઓમાં તે કોઈ ચેપ(infection)ને કારણે હોય છે અને તેમાં પણ વિષાણુજન્ય (viral) ચેપ સૌથી મોખરે હોય છે અને તેથી ઘણા કિસ્સાઓમાં તે જાતે શમી…

વધુ વાંચો >

જ્વર (આયુર્વેદ)

જ્વર : (આયુર્વેદ) (તાવ) શરીરનું તાપમાન (temperature) વધવા સાથે શરીરમાં બેચેની, અંગતૂટ, ગ્લાનિ, પરસેવો ન થવો, આખું અંગ જકડાઈ જવું, કોઈ વાતમાં મન ન લાગવું અને શરીરનાં અંગો પોતાનાં નિયત કાર્યો ક્ષમતાપૂર્વક ન કરી શકે, આવાં લક્ષણો દેખાય તેવી શરીરની સ્થિતિ. શરીરનું તાપમાન 37° સે.થી વધારે હોય ત્યારે તાવ આવ્યો…

વધુ વાંચો >

જ્વર, અજ્ઞાતમૂલ

જ્વર, અજ્ઞાતમૂલ : જુઓ, જ્વર (આયુર્વિજ્ઞાન).

વધુ વાંચો >

જ્વર-ઉગ્ર રુમેટિક

જ્વર-ઉગ્ર રુમેટિક (acute rheumatic fever) : સ્ટ્રેપ્ટોકોકસ પાયોજીન્સ નામના જીવાણુની ચોક્કસ જાતના ચેપ દ્વારા ઉત્તેજિત થયેલી પોતાની જ પેશીની સામેની ઍલર્જીથી થતો રોગ, પોતાના કોષો સામેની ઍલર્જીને પ્રતિ-સ્વઍલર્જી (autoallergy) કહે છે. બીટા હીમોલાયટિક સ્ટ્રેપ્ટોકોકાઈ નામના જીવાણુથી જ્યારે ચેપ લાગે ત્યારે તેની સામે પ્રતિદ્રવ્યો (antibodies) બને છે. આ પ્રતિદ્રવ્યો વ્યક્તિની પોતાની…

વધુ વાંચો >

જ્વરઘ્ની વટી

જ્વરઘ્ની વટી : આયુર્વેદિક ઔષધ. શુદ્ધ પારદ, શૈલેય, લીંડીપીપર, હીમજ, અક્કલકરો, સરસિયા તેલમાં શુદ્ધ કરેલ ગંધક અને ઇંદ્રવારુણીનાં ફળને ખરલમાં એકત્ર કરી ઇંદ્રવારુણીના રસમાં ઘૂંટીને અડદના દાણાના માપની ગોળીઓ બનાવાય છે. તાવમાં 1થી 2 ગોળી ગળોના રસ અથવા ક્વાથ સાથે લેવાથી લાભ થાય છે. મધુકાન્ત ભગવાનજી પંડ્યા

વધુ વાંચો >

જ્વર, ડેન્ગ્યૂ

જ્વર, ડેન્ગ્યૂ (Dengue fever) : ટોગા વિષાણુ(ડેન્ગ્યૂ-પ્રકાર1-4)થી થતો તાવ અને લોહી વહેવાનો વિકાર. તેના વિષાણુનો મુખ્ય આશ્રયદાતા માણસ છે. તે એડીઝ ઇજિપ્તી નામના મચ્છરથી ફેલાય છે. ખાસ કરીને તે ઉષ્ણકટિબંધીય અને સમશીતોષ્ણકટિબંધીય વિસ્તારોમાં જોવા મળે છે. વિવિધ અભ્યાસોમાં તેનાથી થતું મૃત્યુનું પ્રમાણ 0 %થી 10 % છે. ગરમીની ઋતુમાં મચ્છરનો…

વધુ વાંચો >

જ્વરમુરારિરસ

જ્વરમુરારિરસ : આયુર્વેદનું ઔષધ. શુદ્ધ પારદ, શુદ્ધ ગંધક, શુદ્ધ વછનાગ, શુદ્ધ હિંગળોક, લવિંગ, મરી, ધતૂરાનાં શુદ્ધ બીજ તથા નસોતરના ચૂર્ણને દંતીમૂળના ક્વાથની 7 ભાવના આપી, એક એક રતીના માપની ગોળીઓ રૂપે તૈયાર કરવામાં આવે છે. તમામ પ્રકારના તાવ, શરીરની અક્કડતા, ગોળો, અમ્લપિત્ત, ખાંસી, ઉધરસ, ગૃધ્રસી, શોથ, જીર્ણજ્વર તથા ચામડીના રોગોમાં…

વધુ વાંચો >

જ્વાલામંદકો

જ્વાલામંદકો (flame retarders) : દહનશીલ પદાર્થોના જ્વલનનો દર ઓછો કરવા માટે ઉપયોગમાં લેવાતા રાસાયણિક પદાર્થો. કાગળ, ફાઇબરબોર્ડ, કાપડ, લાકડું વગેરે પદાર્થો દહનશીલ છે પણ તેમના ઉપર ચોક્કસ પ્રકારની પ્રક્રિયા કરવાથી આગમાં તે લાંબા સમય સુધી ટકી શકે છે. આવી પ્રક્રિયા દ્વારા આગ પ્રસરતી રોકાય છે અને આગ લગાડનાર સંજોગો (igniting…

વધુ વાંચો >

જ્વાળામુખી

જ્વાળામુખી : પૃથ્વીના પોપડાની આરપાર ઊંડાઈથી સપાટી સુધી ખુલ્લા થયેલા નાળ આકારના કે ફાટ આકારના ભાગમાંથી મૅગ્મા કે મૅગ્માજન્ય વાયુઓ કે બંને બહાર આવવાની પ્રક્રિયા. મૅગ્મા બહાર નીકળવાની ક્રિયા એટલે લાવા-પ્રસ્ફુટન અથવા વાયુ-પ્રસ્ફુટન. પ્રસ્ફુટન આમ બે પ્રકારે થઈ શકે. નળી દ્વારા થાય તે શંકુ-પ્રસ્ફુટન, તેનાથી જ્વાળામુખી પર્વતરચના થાય; ફાટ દ્વારા…

વધુ વાંચો >

જ્વાળામુખી ખડકો

Jan 4, 1997

જ્વાળામુખી ખડકો (volcanic rocks) : પ્રસ્ફુટન દ્વારા બહાર નીકળી આવતા લાવાની ઠરવાની ક્રિયાથી તૈયાર થતા બહિર્ભૂત ખડકો. એચ. એચ. રીડ દ્વારા વર્ગીકૃત કરાયેલા અગ્નિકૃત ખડકોના 3 પ્રકારો પૈકીનો બહિર્ભૂત અથવા પ્રસ્ફુટિત ખડકોનો પ્રકાર. લાવાનું પ્રસરણ મોટે ભાગે શંકુ-પ્રસ્ફુટન પ્રકારનું હોય છે, તેમ છતાં ક્યારેક તે ફાટ-પ્રસ્ફુટનથી પણ થતું હોય છે.…

વધુ વાંચો >

જ્વાળામુખી-દાટો

Jan 4, 1997

જ્વાળામુખી-દાટો (volcanic plug) : વિસંવાદી અંતર્ભેદકનો એક પ્રકાર. (જુઓ, ‘અંતર્ભેદકો’ પૈકી વર્ગીકરણ.) શંકુ આકારના જ્વાળામુખી પર્વતો રચાવા માટે મૅગ્મા દ્રવ્ય પસાર થવા નળાકાર પોલાણ હોય છે. પ્રસ્ફુટનના અંતિમ ચરણમાં આ નળાકાર પોલાણ મૅગ્મા દ્રવ્યથી ભરાઈને જામી જવાથી પુરાઈ જાય ત્યારે તે જ્વાળામુખી-દાટા તરીકે ઓળખાય છે. આવાં નળાકાર પોલાણ જ્યારે લાવા…

વધુ વાંચો >

જ્વાળામુખી શક્તિપીઠ

Jan 4, 1997

જ્વાળામુખી શક્તિપીઠ : ઉત્તર ભારતનું પ્રસિદ્ધ શક્તિપીઠ તીર્થ. હિમાચલ પ્રદેશમાં કાંગડા જિલ્લામાં 574 મી. ઊંચાઈ પર હિમાલયની પ્રારંભિક માળાની ખીણમાં આવેલું છે. નિકટમાં 960 મી. ઊંચું જ્વાળામુખી શિખર છે. જમ્મુ, કટરા આદિ સ્થળોથી બસ માર્ગે જવાય છે. લગભગ 400 કિમી. લાંબો માર્ગ વચ્ચે 775 મી. ઊંચાઈ પરથી જાય છે. જ્વાળામુખી…

વધુ વાંચો >

ઝકાઉલ્લાહ મૌલવી

Jan 4, 1997

ઝકાઉલ્લાહ મૌલવી (જ. 1822, દિલ્હી) : બહુમુખી પ્રતિભા ધરાવતા ઇતિહાસવિદ. તેમના વિદ્વાન પિતાએ પુત્રની કેળવણી પાછળ ભારે જહેમત લીધી. 12 વરસની ઉંમરે જ દિલ્હી કૉલેજમાં દાખલ થયા. પાછળથી ઉર્દૂના ખ્યાતનામ લેખકો બનેલા નઝીરઅહમદ અને મોહંમદ હુસેન આઝાદ ત્યાં તેમના સહાધ્યાયીઓ હતા. ભૂમિતિમાં વિશેષ રસ હોઈ, ભૂમિતિમાં તેઓ પારંગત થયા અને…

વધુ વાંચો >

ઝકારિયા, પૉલ

Jan 4, 1997

ઝકારિયા, પૉલ (જ. 5 જૂન 1945, ઉરુલિકુન્નમ્, જિ. કોટ્ટયમ્, કેરળ) : મલયાળમ વાર્તાકાર. તેમને તેમના વાર્તાસંગ્રહ ‘ઝકારિયાયુટે કથકળ’ માટે 2004ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે બૅંગલોર યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સાહિત્યમાં એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેમણે 35 વર્ષ સુધી અધ્યાપન, પુસ્તકપ્રકાશન અને મીડિયા-ક્ષેત્રે સક્રિય કામગીરી કરી; સાથોસાથ કૃષિકાર્ય…

વધુ વાંચો >

ઝદાનફ, આંદ્રેઈ ઍલેક્સાન્દ્રોવિચ

Jan 4, 1997

ઝદાનફ, આંદ્રેઈ ઍલેક્સાન્દ્રોવિચ (જ. 26 ફેબ્રુઆરી 1896, મારિયુપોલ, યુક્રેન; અ. 1948) : સોવિયેત સરકાર અને સામ્યવાદી પક્ષના અગ્રણી હોદ્દેદાર વહીવટકર્તા. 1915માં રશિયાના બૉલ્શેવિક પક્ષમાં જોડાયા તથા પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન રશિયન સેનામાં પ્રચારનું સંચાલન કર્યું. યુદ્ધ પછી પક્ષના માળખામાં આગળ વધતાં વધતાં 1930માં પક્ષની કેન્દ્રીય સમિતિમાં સભ્ય બન્યા. 1934માં લેનિનગ્રાદના શક્તિશાળી…

વધુ વાંચો >

ઝનક ઝનક પાયલ બાજે

Jan 4, 1997

ઝનક ઝનક પાયલ બાજે : નૃત્ય અને સંગીતપ્રધાન હિંદી ચલચિત્ર. નિર્માણવર્ષ : 1955; કથા અને સંવાદ : દીવાન શરર; દિગ્દર્શન : વી. શાંતારામ; સંગીતદિગ્દર્શન : વસંત દેસાઈ; ગીતરચના : હસરત જયપુરી; નૃત્યદિગ્દર્શન : ગોપીકૃષ્ણ; કલાનિર્દેશન : કનુ દેસાઈ; છબીકલા : જી. બાળકૃષ્ણ; મુખ્ય કલાકારો : ગોપીકૃષ્ણ, સંધ્યા, કેશવરાવ દાતે, મદનપુરી,…

વધુ વાંચો >

ઝફરખાન અહસન

Jan 4, 1997

ઝફરખાન અહસન (જ. આશરે 1605; અ. આશરે 1662) : મોગલકાળના હિંદુસ્તાનના એક મહત્વના ફારસી કવિ. તેમના પિતા ખ્વાજા અબુલહસન તુર્બતી અકબરના સમયમાં ઈરાનથી ભારત આવીને ઉમરાવપદ પામ્યા હતા. ઝફરખાને કાશ્મીરના સૂબેદાર તરીકે વિશિષ્ટ સેવાઓ આપી હતી અને કાશ્મીરમાં કવિઓને એકત્ર કરીને મુશાયરાઓનો રિવાજ શરૂ કર્યો હતો. તે પ્રથમ પંક્તિના ગઝલકાર…

વધુ વાંચો >

ઝફરનામા (ઝફરનામાએ તિમુરી)

Jan 4, 1997

ઝફરનામા (ઝફરનામાએ તિમુરી) (1424) : ફારસી ભાષાનો ઐતિહાસિક ગ્રંથ. તેમાં બે વિભાગમાં મુઘલ સમ્રાટ બાબરના છઠ્ઠા પૂર્વજ સમ્રાટ તિમુર વિશેનો સંપૂર્ણ ઇતિહાસ છે. તેનો કર્તા ઇતિહાસકાર શરફુદ્દીન અલી યઝદી, આરંભિક તિમુરી યુગનો વિદ્વાન સાહિત્યકાર, લેખક અને કવિ હતો. તિમુરના પાલ્યપુત્ર સમ્રાટ શાહરૂખના શાસનકાળ(1408થી 1447)માં તેને ખૂબ ખ્યાતિ પ્રાપ્ત થઈ હતી.…

વધુ વાંચો >

ઝફરુલ્લાખાન, મહંમદ

Jan 4, 1997

ઝફરુલ્લાખાન, મહંમદ (જ. 6 ફેબ્રુઆરી 1893, સિયાલકોટ; અ. 1986, કરાંચી) : પાકિસ્તાનના અગ્રણી રાજપુરુષ, વિદેશમંત્રી અને અગ્રણી ધારાશાસ્ત્રી. કાદિયાની (અહેમદિયા) સંપ્રદાયના અને સિયાલકોટ, પંજાબના અગ્રણી વકીલ નસરુલ્લાખાન ચૌધરીના પુત્ર. લાહોરની સરકારી કૉલેજમાંથી સ્નાતક થયા બાદ લંડનની કિંગ્ઝ કૉલેજમાં કાયદાનું શિક્ષણ મેળવ્યું અને લિંકન્સ ઇનમાંથી બૅરિસ્ટર થયા. 1914થી 1916 સુધી સિયાલકોટ…

વધુ વાંચો >