૭.૨૮

જીવાણુથી થતો ઝાળથી જુલિયન તિથિપત્ર (calendar)

જીવાણુથી થતો ઝાળ

જીવાણુથી થતો ઝાળ : ડાંગરના કે તેનાં પાનના સુકારા નામે પણ જાણીતો આ રોગ xanthomonas compestris pv.oryzae નામના જીવાણુથી થાય છે. ભારતમાં સૌપ્રથમ 1951માં જોવા મળ્યા પછી 1963થી ઘણાં રાજ્યોના ડાંગર ઉગાડતા વિસ્તારમાં વત્તાઓછા પ્રમાણમાં જોવા મળે છે. વધુમાં વધુ ફૂટના તેમજ કંટી આવવાના સમયે આ રોગનો હુમલો તીવ્ર થતો…

વધુ વાંચો >

જીવાણુનાશકો (bacteriophage)

જીવાણુનાશકો (bacteriophage) : જીવાણુઓ પર વાસ કરતા અને તેમનો ભોગ લેતા વિષાણુઓ (viruses)ની 1915થી 17ના અરસામાં ઇંગ્લૅન્ડમાં ટ્વોર્ટ અને ડી’ હેરેલે જીવાણુનાશકોની શોધ કરી. જુદા જુદા જીવાણુનાશકો વિશિષ્ટ જીવાણુઓને યજમાન તરીકે પસંદ કરી તેમના શરીરમાં વૃદ્ધિ પામે છે અને એમ નવા વિષાણુ પેદા કરે છે. T1થી T7; λ; ΦX 174…

વધુ વાંચો >

જીવાણુનિયંતા (bacteriolytes)

જીવાણુનિયંતા (bacteriolytes) : જીવાણુને ચેપ કરીને તેનો નાશ કે નિયંત્રણ કરતા વિષાણુઓ. 1915માં ટ્વોર્ટે દર્શાવ્યું કે નાશ પામતા જૂથકારી ગોલાણુઓ(staphylococci)ના સંવર્ધનદ્રાવણને ગાળીને જો અન્ય જીવાણુસંવર્ધનમાં ઉમેરવામાં આવે તો તેનો પણ નાશ થાય છે. ડી’ હેરેલે પણ આ પ્રકારનો નાશ મરડો કરતા દંડાણુ(bacilli)માં દર્શાવ્યો હતો (1917). ત્યારબાદ આ જીવાણુઓનો નાશ કરતો…

વધુ વાંચો >

જીવાણુમુક્ત પ્રાણી

જીવાણુમુક્ત પ્રાણી : માનવશરીરના વિવિધ ભાગોમાં વસતા સૂક્ષ્મજીવોની મનુષ્યશરીર પર થતી અસરો તપાસવા માટે પ્રયોગશાળામાં ઉપયોગમાં લેવાતાં પ્રાણીઓ. પ્રયોગશાળામાં પસંદ કરવામાં આવેલાં મરઘી, ઉંદર તેમજ ગિની-પિગ જેવાં પ્રાણીઓને સૌપ્રથમ જીવાણુમુક્ત પર્યાવરણમાં ઉછેરવામાં આવે છે. દાખલા તરીકે જીવાણુમુક્ત મરઘીના ઉછેર માટે 20 દિવસનાં ફલિત થયેલાં મરઘીનાં ઈંડાંને બહારથી જીવાણુનાશક રસાયણથી સાફ…

વધુ વાંચો >

જીવાણુરહિત રોગોનાં ઔષધો

જીવાણુરહિત રોગોનાં ઔષધો કોઈ જીવાણુને લીધે નહિ; પરંતુ અન્ય કારણોથી થતા રોગો. આ કારણોમાં શરીરનાં ચયાપચય(metabolism)માં ફેરફાર, જન્મજાત ખામી હોવી અગર પાછળથી ખામી ઉદભવવી, આનુવંશિક યા જનીનની ખામી, વાતાવરણની અસરથી ઉદભવતી ખામી વગેરે ગણાવી શકાય. માનવીમાં સામાન્ય ઍમિનોઍસિડ(દા. ત., ફિનાઇલ એલેનિન)માં વિઘટન માટે જરૂરી એવા ઉત્સેચકની ખામી ફિનાઇલ કીટોન્યુરિયા (PKU)…

વધુ વાંચો >

જીવાત

જીવાત : મનુષ્યને વિવિધ ક્ષેત્રે નુકસાન પહોંચાડતા મુખ્યત્વે સંધિપાદ સમુદાયના કીટક વર્ગનાં ઉપદ્રવી પ્રાણીઓ. તે સમગ્ર જીવન દરમિયાન કે જીવનચક્રની અમુક અવસ્થામાં માનવીને ઉપયોગી વસ્તુઓ, ઊભા પાક, બાગબગીચા, અનાજ કે ધાન્ય પદાર્થને નુકસાન પહોંચાડે છે. તેના નિકંદન માટે વિવિધ પદ્ધતિઓ હોવા છતાં આ જીવો તેની સામે પ્રતિકારક શક્તિ મેળવી ટકી…

વધુ વાંચો >

જીવાવરણ

જીવાવરણ : તમામ પ્રકારના જીવનનું અસ્તિત્વ જ્યાં જોવા મળે છે એવો, પૃથ્વીની સપાટી સાથે સંકળાયેલો આવરણરૂપ વિભાગ. પૃથ્વીના શિલાવરણ, જલાવરણ અને વાતાવરણમાં જીવંત સ્થિતિમાં રહેલાં પ્રાણી કે વનસ્પતિ જીવનસ્વરૂપોથી બનેલા આવરણને જીવાવરણ તરીકે ઓળખાવી શકાય. આ ત્રણે આવરણો અને જીવાવરણ વચ્ચે ભૌતિક અને રાસાયણિક આંતરસંબંધો રહેલા છે. જીવાવરણ ખાસ કરીને…

વધુ વાંચો >

જીવાવરણ (biosphere)

જીવાવરણ (biosphere) : પૃથ્વી પર આવેલા શિલાવરણ (lithosphere), જલાવરણ (hydrosphere) અને વાતાવરણ- (atmosphere)થી બનેલા સજીવોના આવાસ. પૃથ્વી પર આ આવરણો અત્યંત પાતળા પડ રૂપે આવેલાં છે. જો પૃથ્વીના પરિઘનું નિરીક્ષણ કરવામાં આવે તો ક્ષૈતિજ કક્ષાએ વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ વિશેષ પ્રમાણમાં પ્રસરેલી છે. આમ તો, વિષુવવૃત્ત પાસે પૃથ્વીનો વ્યાસ 12,753 કિમી.…

વધુ વાંચો >

જીવાવશેષ

જીવાવશેષ : ભૂસ્તરીય અતીતમાં અસ્તિત્વ ધરાવતાં પ્રાણી કે વનસ્પતિ જીવનસ્વરૂપોના અનુકૂળ કુદરતી સંજોગો હેઠળ નિક્ષેપોમાં જળવાઈ રહેલા મળી આવતા અવશેષો કે અવશેષઅંશો. જીવનસ્વરૂપોના આ પ્રકારના અવશેષોને જીવાવશેષ કે જીવાશ્મ તરીકે ઓળખવામાં આવે છે. જીવાવશેષ પર્યાય મૂળભૂત રીતે ખડકોમાં મળી આવતી વિરલ વસ્તુ માટે વપરાયેલો; પરંતુ સત્તરમી સદીના અંત સુધીમાં તો…

વધુ વાંચો >

જીવાવશેષશાસ્ત્ર (palaeontology)

જીવાવશેષશાસ્ત્ર (palaeontology) : જીવાવશેષોના અભ્યાસ સાથે સંકળાયેલી વિજ્ઞાનશાખા. તેમાં ભૂસ્તરીય અતીતમાં અસ્તિત્વ ધરાવતાં પ્રાણીઓ અને વનસ્પતિનાં જીવનસ્વરૂપોના ઇતિહાસનો એટલે કે તેમના પ્રકારો, ઉત્ક્રાંતિ, વિલોપ, વિસ્તરણ, વિતરણ, સ્થળાંતર, સ્થળકાળ મુજબના પ્રવર્તમાન સંજોગો વગેરેનો સમાવેશ થાય છે. આજે ખડકોમાં જોવા મળતાં સૂક્ષ્મ બૅક્ટેરિયાનાં 3 × 109 = 300 કરોડ વર્ષ જૂનાં બીબાં(moulds)થી…

વધુ વાંચો >

જીવાશ્મ (fossil)

Jan 28, 1996

જીવાશ્મ (fossil) : કરોડો વર્ષ પૂર્વે અસ્તિત્વ ધરાવતા સજીવોના પાષણવત્ અવશેષો. આ અવશેષો મુખ્યત્વે જળકૃત (sedimentary) ખડકોમાં જોવા મળે છે. પૃથ્વીના પડને અગ્નિજ કે આગ્નેય (igneous) ખડકો અને જળકૃત અથવા અવસાદી ખડકોમાં વિભાજિત કરી શકાય. અગ્નિજ ખડકો જ્વાળામુખીને લીધે પ્રસરેલ દ્રાવ્ય પદાર્થના ઘનીકરણ અને સ્ફટિકીકરણથી થયેલા હોય છે. આવા  ખડકો…

વધુ વાંચો >

જીવિતગુપ્ત 1લો

Jan 28, 1996

જીવિતગુપ્ત 1લો : ઉત્તરકાલીન ગુપ્ત રાજવી. ઉત્તરકાલીન ગુપ્તોના રાજવંશમાં કૃષ્ણગુપ્ત પછી એનો પુત્ર હર્ષગુપ્ત અને હર્ષગુપ્ત પછી એનો પુત્ર જીવિતગુપ્ત ગાદીએ આવ્યો. એ પ્રાય: માળવાના પ્રતાપી રાજવી યશોવર્મા વિષ્ણુવર્ધન(533-34)નો સમકાલીન હતો. જીવિતગુપ્ત પરાક્રમી હતો. એણે સમુદ્રતટ પર આવેલા પ્રખર શત્રુઓનો પરાભવ કરેલો. આ શત્રુઓ પ્રાય: ગૌડો હતા. આદિત્યવર્માના અફસડ અભિલેખમાં…

વધુ વાંચો >

જીવિતગુપ્ત 2જો

Jan 28, 1996

જીવિતગુપ્ત 2જો : ગુપ્તોનો છેલ્લો રાજવી. કનોજના ચક્રવર્તી હર્ષની હયાતી બાદ ઉત્તરકાલીન ગુપ્તો મગધમાં રાજ્ય કરતા હતા. માધવગુપ્તના પુત્ર આદિત્યસેને ‘મહારાજાધિરાજ’ પદવી ધારણ કરી હતી. એના ઉત્તરાધિકારીઓએ આ પદવી ચાલુ રાખી. તેઓમાં છેલ્લો હતો જીવિતગુપ્ત 2જો. એણે પ્રાય: પોતાની સત્તા ગોમતીતટ સુધી પ્રસારી. કનોજના પ્રતાપી રાજા યશોવર્માએ મગધાધિપનો પરાજય કરી…

વધુ વાંચો >

જીવોત્પત્તિ

Jan 28, 1996

જીવોત્પત્તિ : જુઓ : ઉત્ક્રાંતિ, સજીવોની (organic evolution)

વધુ વાંચો >

જી-6-પી-ડી ઊણપ

Jan 28, 1996

જી-6-પી-ડી ઊણપ : રક્તકોષોમાં ગ્લુકોઝ-6 ફૉસ્ફેટ–ડીહાઇડ્રોજીનેઝ (G6PD) નામના ઉત્સેચક(enzyme)ની ઊણપને કારણે રક્તકોષો તૂટી જવાનો વિકાર. ગ્લુકોઝના ચયાપચયના એમ્બ્ડેન-મેયરહૉફ ગ્લાયકોજનલયી ચયાપચયી માર્ગમાં આવેલા હેક્ઝોસ મૉનોફૉસ્ફેટ શન્ટ(HMS)માં જી-6-પી-ડી નામનો ઉત્સેચક કાર્યરત હોય છે. તેની મદદથી રક્તકોષને ઊર્જા (શક્તિ) મળે છે. ગ્લુટેથિઑન રીડક્ટેઝ અને ગ્લુટેથિયોન પેરૉક્સિડેઝ નામના રક્તકોષને ઑક્સિડેશનની સામે અખંડિત રાખતા ઉત્સેચકો…

વધુ વાંચો >

જીંડવાંનો કોહવારો

Jan 28, 1996

જીંડવાંનો કોહવારો : કપાસમાં જીવાણુથી થતો ખૂણિયાં ટપકાંનો રોગ. શરૂઆતની અવસ્થામાં તે પાન પર આક્રમણ કરે છે. આ જ જીવાણુઓ કપાસમાં જીંડવાં બેસવાની શરૂઆત થતાં જીંડવાં પર આક્રમણ કરે છે. તેથી જીંડવાં પર પ્રથમ પાણીપોચાં વર્તુળ આકારનાં ચાઠાં પેદા થાય છે. પાછળથી તે બદામી અથવા કાળા રંગનાં, અનિયમિત આકારનાં અને…

વધુ વાંચો >

જુગાર

Jan 28, 1996

જુગાર : માત્ર પ્રારબ્ધ અજમાવીને લાભ પ્રાપ્ત કરવા માટે મારવામાં આવતી શરતો. આવો લાભ મેળવવા માટે નુકસાન વેઠવાનું જોખમ ખેડવું એ જુગારનું લાક્ષણિક અંગ ગણવામાં આવે છે. માનવજાતિના ઉદગમકાળથી માનવસંસ્કૃતિના ભાગ તરીકે તે અત્યાર સુધી એક યા બીજા સ્વરૂપે જળવાઈ રહ્યું છે તથા સમગ્ર વિશ્વમાં વ્યાપેલું છે. તાત્કાલિક લાભની લોલુપતા…

વધુ વાંચો >

જુડા

Jan 28, 1996

જુડા : ખ્રિસ્તી ધર્મગ્રંથ બાઇબલના જૂના કરારમાં ઉલ્લેખ્યા પ્રમાણે જૅકબ અને લીહના ચોથા પુત્ર. તેમનો જીવનવૃત્તાંત બાઇબલના પ્રથમ ગ્રંથ ઉત્પત્તિખંડ(Genesis)માં છે. બાઇબલમાંની ઘટનાઓના વિવરણની શરૂઆત ઉત્પત્તિખંડથી થાય છે અને પશ્ચિમના ધર્મો તેને ઈશ્વરના વચન તરીકે સ્વીકારે છે. ઇઝરાયલના 12 પૈકીના એક કબીલાના પિતામહ તરીકે જુડાની ગણના થાય છે અને તેથી…

વધુ વાંચો >

જુનીપેરેસી

Jan 28, 1996

જુનીપેરેસી : અનાવૃત બીજધારી વર્ગના (gymnosperm) શંકુદ્રુમ (conifer) સમૂહનું એક કુળ. આ કુળમાં 75 જેટલી પ્રજાતિઓનો સમાવેશ થાય છે. અમેરિકામાં આ કુળની પ્રજાતિઓ વધુમાં વધુ પ્રમાણમાં મળી આવે છે. વૃક્ષો અથવા ક્ષુપો, પર્ણો ચિરલગ્ની, સન્મુખ અથવા ભ્રમીરૂપ, મોટે ભાગે નાનાં અને શલ્ક જેવાં, કેટલીક વાર દ્વિરૂપી; વનસ્પતિ એકગૃહી. નર શંકુ…

વધુ વાંચો >

જુનૂન

Jan 28, 1996

જુનૂન : 1857ના પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામની પાર્શ્વભૂમિ પર આધારિત કલ્પનારમ્ય હિન્દી ચલચિત્ર. નિર્માણવર્ષ : 1978; દિગ્દર્શન તથા પટકથા : શ્યામ બેનેગલ; નિર્માતા : શશી કપૂર; સંવાદ : સત્યદેવ દૂબે, ઇસ્મત ચુગતાઈ; ગીતરચના સંત કબીર, અમીર ખુસરો, જિગર મુરાદાબાદી, યોગેશ પ્રવીણ; છબીકલા ગોવિંદ નિહલાની; સંગીત : વનરાજ ભાટિયા, કૌશિક; મુખ્ય કલાકાર :…

વધુ વાંચો >