૭.૨૮

જીવાણુથી થતો ઝાળથી જુલિયન તિથિપત્ર (calendar)

જીવાણુથી થતો ઝાળ

જીવાણુથી થતો ઝાળ : ડાંગરના કે તેનાં પાનના સુકારા નામે પણ જાણીતો આ રોગ xanthomonas compestris pv.oryzae નામના જીવાણુથી થાય છે. ભારતમાં સૌપ્રથમ 1951માં જોવા મળ્યા પછી 1963થી ઘણાં રાજ્યોના ડાંગર ઉગાડતા વિસ્તારમાં વત્તાઓછા પ્રમાણમાં જોવા મળે છે. વધુમાં વધુ ફૂટના તેમજ કંટી આવવાના સમયે આ રોગનો હુમલો તીવ્ર થતો…

વધુ વાંચો >

જીવાણુનાશકો (bacteriophage)

જીવાણુનાશકો (bacteriophage) : જીવાણુઓ પર વાસ કરતા અને તેમનો ભોગ લેતા વિષાણુઓ (viruses)ની 1915થી 17ના અરસામાં ઇંગ્લૅન્ડમાં ટ્વોર્ટ અને ડી’ હેરેલે જીવાણુનાશકોની શોધ કરી. જુદા જુદા જીવાણુનાશકો વિશિષ્ટ જીવાણુઓને યજમાન તરીકે પસંદ કરી તેમના શરીરમાં વૃદ્ધિ પામે છે અને એમ નવા વિષાણુ પેદા કરે છે. T1થી T7; λ; ΦX 174…

વધુ વાંચો >

જીવાણુનિયંતા (bacteriolytes)

જીવાણુનિયંતા (bacteriolytes) : જીવાણુને ચેપ કરીને તેનો નાશ કે નિયંત્રણ કરતા વિષાણુઓ. 1915માં ટ્વોર્ટે દર્શાવ્યું કે નાશ પામતા જૂથકારી ગોલાણુઓ(staphylococci)ના સંવર્ધનદ્રાવણને ગાળીને જો અન્ય જીવાણુસંવર્ધનમાં ઉમેરવામાં આવે તો તેનો પણ નાશ થાય છે. ડી’ હેરેલે પણ આ પ્રકારનો નાશ મરડો કરતા દંડાણુ(bacilli)માં દર્શાવ્યો હતો (1917). ત્યારબાદ આ જીવાણુઓનો નાશ કરતો…

વધુ વાંચો >

જીવાણુમુક્ત પ્રાણી

જીવાણુમુક્ત પ્રાણી : માનવશરીરના વિવિધ ભાગોમાં વસતા સૂક્ષ્મજીવોની મનુષ્યશરીર પર થતી અસરો તપાસવા માટે પ્રયોગશાળામાં ઉપયોગમાં લેવાતાં પ્રાણીઓ. પ્રયોગશાળામાં પસંદ કરવામાં આવેલાં મરઘી, ઉંદર તેમજ ગિની-પિગ જેવાં પ્રાણીઓને સૌપ્રથમ જીવાણુમુક્ત પર્યાવરણમાં ઉછેરવામાં આવે છે. દાખલા તરીકે જીવાણુમુક્ત મરઘીના ઉછેર માટે 20 દિવસનાં ફલિત થયેલાં મરઘીનાં ઈંડાંને બહારથી જીવાણુનાશક રસાયણથી સાફ…

વધુ વાંચો >

જીવાણુરહિત રોગોનાં ઔષધો

જીવાણુરહિત રોગોનાં ઔષધો કોઈ જીવાણુને લીધે નહિ; પરંતુ અન્ય કારણોથી થતા રોગો. આ કારણોમાં શરીરનાં ચયાપચય(metabolism)માં ફેરફાર, જન્મજાત ખામી હોવી અગર પાછળથી ખામી ઉદભવવી, આનુવંશિક યા જનીનની ખામી, વાતાવરણની અસરથી ઉદભવતી ખામી વગેરે ગણાવી શકાય. માનવીમાં સામાન્ય ઍમિનોઍસિડ(દા. ત., ફિનાઇલ એલેનિન)માં વિઘટન માટે જરૂરી એવા ઉત્સેચકની ખામી ફિનાઇલ કીટોન્યુરિયા (PKU)…

વધુ વાંચો >

જીવાત

જીવાત : મનુષ્યને વિવિધ ક્ષેત્રે નુકસાન પહોંચાડતા મુખ્યત્વે સંધિપાદ સમુદાયના કીટક વર્ગનાં ઉપદ્રવી પ્રાણીઓ. તે સમગ્ર જીવન દરમિયાન કે જીવનચક્રની અમુક અવસ્થામાં માનવીને ઉપયોગી વસ્તુઓ, ઊભા પાક, બાગબગીચા, અનાજ કે ધાન્ય પદાર્થને નુકસાન પહોંચાડે છે. તેના નિકંદન માટે વિવિધ પદ્ધતિઓ હોવા છતાં આ જીવો તેની સામે પ્રતિકારક શક્તિ મેળવી ટકી…

વધુ વાંચો >

જીવાવરણ

જીવાવરણ : તમામ પ્રકારના જીવનનું અસ્તિત્વ જ્યાં જોવા મળે છે એવો, પૃથ્વીની સપાટી સાથે સંકળાયેલો આવરણરૂપ વિભાગ. પૃથ્વીના શિલાવરણ, જલાવરણ અને વાતાવરણમાં જીવંત સ્થિતિમાં રહેલાં પ્રાણી કે વનસ્પતિ જીવનસ્વરૂપોથી બનેલા આવરણને જીવાવરણ તરીકે ઓળખાવી શકાય. આ ત્રણે આવરણો અને જીવાવરણ વચ્ચે ભૌતિક અને રાસાયણિક આંતરસંબંધો રહેલા છે. જીવાવરણ ખાસ કરીને…

વધુ વાંચો >

જીવાવરણ (biosphere)

જીવાવરણ (biosphere) : પૃથ્વી પર આવેલા શિલાવરણ (lithosphere), જલાવરણ (hydrosphere) અને વાતાવરણ- (atmosphere)થી બનેલા સજીવોના આવાસ. પૃથ્વી પર આ આવરણો અત્યંત પાતળા પડ રૂપે આવેલાં છે. જો પૃથ્વીના પરિઘનું નિરીક્ષણ કરવામાં આવે તો ક્ષૈતિજ કક્ષાએ વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ વિશેષ પ્રમાણમાં પ્રસરેલી છે. આમ તો, વિષુવવૃત્ત પાસે પૃથ્વીનો વ્યાસ 12,753 કિમી.…

વધુ વાંચો >

જીવાવશેષ

જીવાવશેષ : ભૂસ્તરીય અતીતમાં અસ્તિત્વ ધરાવતાં પ્રાણી કે વનસ્પતિ જીવનસ્વરૂપોના અનુકૂળ કુદરતી સંજોગો હેઠળ નિક્ષેપોમાં જળવાઈ રહેલા મળી આવતા અવશેષો કે અવશેષઅંશો. જીવનસ્વરૂપોના આ પ્રકારના અવશેષોને જીવાવશેષ કે જીવાશ્મ તરીકે ઓળખવામાં આવે છે. જીવાવશેષ પર્યાય મૂળભૂત રીતે ખડકોમાં મળી આવતી વિરલ વસ્તુ માટે વપરાયેલો; પરંતુ સત્તરમી સદીના અંત સુધીમાં તો…

વધુ વાંચો >

જીવાવશેષશાસ્ત્ર (palaeontology)

જીવાવશેષશાસ્ત્ર (palaeontology) : જીવાવશેષોના અભ્યાસ સાથે સંકળાયેલી વિજ્ઞાનશાખા. તેમાં ભૂસ્તરીય અતીતમાં અસ્તિત્વ ધરાવતાં પ્રાણીઓ અને વનસ્પતિનાં જીવનસ્વરૂપોના ઇતિહાસનો એટલે કે તેમના પ્રકારો, ઉત્ક્રાંતિ, વિલોપ, વિસ્તરણ, વિતરણ, સ્થળાંતર, સ્થળકાળ મુજબના પ્રવર્તમાન સંજોગો વગેરેનો સમાવેશ થાય છે. આજે ખડકોમાં જોવા મળતાં સૂક્ષ્મ બૅક્ટેરિયાનાં 3 × 109 = 300 કરોડ વર્ષ જૂનાં બીબાં(moulds)થી…

વધુ વાંચો >

જુનેજો, મોહંમદખાન

Jan 28, 1996

જુનેજો, મોહંમદખાન (જ. 18 ઑગસ્ટ 1932, સિન્ધરી, સન્ધાર જિલ્લો; અ. 17 માર્ચ 1993, બાલ્ટિમોર, અમેરિકા) : પાકિસ્તાનના  વડાપ્રધાન અને રાજકારણી. દીનમોહમ્મદ જુનેજોના પુત્ર. પ્રાથમિક શિક્ષણ વતનમાં મેળવ્યું. માધ્યમિક શિક્ષણ સેંટ પેટ્રિક સ્કૂલ, કરાંચી ખાતે લીધું અને સ્નાતકની પદવી હૅસ્ટિંગ્ઝ ઍગ્રિકલ્ચરલ ઇન્સ્ટિટ્યૂટ, સસેક્સ, ઇંગ્લૅન્ડ ખાતેથી મેળવી. રાજકીય કારકિર્દીની શરૂઆત ધારાસભાના સભ્ય…

વધુ વાંચો >

જુનૈદ (સાતમી-આઠમી સદી)

Jan 28, 1996

જુનૈદ (સાતમી-આઠમી સદી) : સિંધમાં અરબોની સત્તા ર્દઢ કરનાર તથા તેને પશ્ચિમ ભારતમાં ફેલાવનાર સેનાપતિ. સિંધમાં અરબોની સત્તા મુહમ્મદ બિન કાસિમે 711ના અરસામાં સ્થાપી. ત્યાંના સ્થાનિક હિંદુ રાજ્યને ઉખાડીને આ સત્તા ર્દઢ કરવાનું કાર્ય જુનૈદે કર્યું. તત્કાલીન ખલીફા હિશામ (724–743) દ્વારા હિ. સં. 107(725)માં જુનૈદની સિંધના હાકેમ તરીકે નિયુક્તિ થઈ…

વધુ વાંચો >

જુમ્મા મસ્જિદ

Jan 28, 1996

જુમ્મા મસ્જિદ : ઇસ્લામના અનુયાયીઓ માટે શુક્રવારે સામૂહિક નમાજ પઢવાનું સ્થળ. ઇસ્લામના ફેલાવા સાથે મુસલમાન વસ્તી વધી, તેવાં સ્થળોએ મુખ્યત્વે મુસલમાન બાદશાહોએ આ મસ્જિદો બંધાવી. આવી જુમ્મા મસ્જિદોમાં અમદાવાદ, દિલ્હી, આગ્રા, દોલતાબાદ, શ્રીનગર, ગુલબર્ગ આદિની મસ્જિદો નોંધપાત્ર છે. અમદાવાદમાં 1424માં જુમ્મા મસ્જિદનું બાંધકામ પૂરું થયું. તેનું બાંધકામ સુલતાન અહમદશાહે કરાવ્યું…

વધુ વાંચો >

જુરાસિક રચના

Jan 28, 1996

જુરાસિક રચના : મેસોઝોઇક યુગની મધ્યકાલીન રચના. ભૂસ્તરીય કાળગણનાક્રમમાં મેસોઝોઇક યુગ પૈકીનો દ્વિતીય કાળગાળો જુરાસિક કાળ નામથી ઓળખાય છે. તે કાળગાળા દરમિયાન જમાવટ પામેલી સ્તરસમૂહશ્રેણીથી બનેલી રચના એટલે જુરાસિક રચના. તેની નીચે ટ્રાયાસિક અને ઉપર ક્રિટેશિયસ રચનાઓ આવેલી છે. આ રચનાના ખડકો મહદ્અંશે સમુદ્રજન્ય છે. ભૂસ્તરીય, ઇતિહાસમાં આ રચનાની જમાવટ…

વધુ વાંચો >

જુલિયન કાલાવધિ

Jan 28, 1996

જુલિયન કાલાવધિ : રોમન ગણરાજ્યના જુલિયન અને ગ્રેગરિયન તિથિપત્ર અનુસારના ત્રણે વર્ષમાનના લઘુતમ સમાન ગુણક (least common multiple) મુજબ 7980 વર્ષની અવધિ. રોમન ગણરાજ્યના તિથિપત્રમાં સામાન્ય વર્ષ 355 સૌરદિનનું ગણાતું અને દર ત્રીજા વર્ષે એક અધિક માસ 23 ફેબ્રુઆરી પછી ઉમેરવાનો રિવાજ હતો. એટલે તેની સરેરાશ વર્ષમાન 365 સૌર દિનની…

વધુ વાંચો >

જુલિયન તિથિપત્ર (calendar)

Jan 28, 1996

જુલિયન તિથિપત્ર (calendar) : રોમન ગણરાજ્ય-તિથિપત્રનું સુધારેલું અને ગ્રેગરિયન તિથિપત્રનું પુરોગામી સ્વરૂપ. રોમન તિથિપત્રમાં 2થી 4 વર્ષને સમયગાળે એક અધિક માસ ઉમેરવાની પ્રથા હતી; પરંતુ અધિક માસ કયે વર્ષે ઉમેરવો તે નિર્ણય કરવા માટેના સુનિશ્ચિત નિયમને અભાવે, જેમને હસ્તક આ કામગીરી સોંપવામાં આવી હતી તેવા સ્થાનિક ધર્મગુરુઓ પોતાને મન ફાવે…

વધુ વાંચો >