૭.૨૫
જાલોરથી જિપ્સોફાઇલા
જાહેરાત
જાહેરાત : જનસમુદાયના માનસ પર કોઈ પણ પ્રકારનો પ્રભાવ જન્માવવા માટેનું અગત્યનું સાધન. એ માહિતીસંચારનું બિન-વ્યક્તિગત સ્વરૂપ ધરાવતું સાધન છે. એટલે કે જેના તરફથી માહિતી આપવામાં આવે છે અને જેને ઉદ્દેશીને માહિતી આપવામાં આવે છે તેમની વચ્ચે કોઈ વ્યક્તિગત સંબંધ હોતો નથી. છતાં માહિતી કોના તરફથી પ્રસારિત કરવામાં આવે છે…
વધુ વાંચો >જાળાં બનાવનારી ઇયળ
જાળાં બનાવનારી ઇયળ : જુવારનાં ડૂંડાં પર જાળાં બનાવી કણસલાંને નુકસાન કરતી વિવિધ ઇયળો. તેનો ક્રિપ્ટોબ્લબસ અગ્યુસ્ટિપૅનેલાના રોમપક્ષ શ્રેણીના પાયરેલીડી કુળમાં સમાવેશ થાય છે. જુવાર ઉપરાંત કોઈક વખત આ ઇયળો મકાઈ અને રાગીને પણ નુકસાન કરે છે. પુખ્ત ફૂદું પાંખોની પહોળાઈ સાથે આશરે 15 મિમી. પહોળાઈનું હોય છે. તેની આગળની…
વધુ વાંચો >જાળી
જાળી : પથ્થરને કોતરીને જુદી જુદી ભાતથી જાળીઓની રચના કરવામાં આવે છે. આવી જ રચના લાકડામાંથી પણ કરાય છે. જાળીઓનો મુખ્ય ઉપયોગ બારીઓ તથા અલગ અલગ જાતના ગાળાઓમાં પ્રકાશ તથા હવાની આવજાની અનુકૂળ માત્રા નિર્ધારિત કરવામાં રહેલો છે જેની કલાત્મકતાથી બહારના દેખાવમાં તથા અંદરના પ્રકાશની વહેંચણીમાં અનોખું કૌશલ જોઈ શકાય…
વધુ વાંચો >જાંબ ચાંપો
જાંબ ચાંપો : વનરાજનો મંત્રી અને ચાંપાનેરનો વસાવનાર. ‘પ્રબંધ ચિંતામણિ’ અને ‘પુરાતન પ્રબંધસંગ્રહ’ જેવા જૈન પ્રબંધોમાં વનરાજની પ્રારંભિક કારકિર્દીને લગતા રસપ્રદ પ્રસંગોના નિરૂપણમાં વનરાજના સાથીદારને જેણે જંગલમાં આંતરેલા તે જાંબ નામે ધનુર્વિદ્યાવિશારદ વણિકને વનરાજ પાસે લાવ્યા. વનરાજે એની યુદ્ધકલાથી પ્રસન્ન થઈ, પોતાનો રાજ્યાભિષેક થતાં એને મહામાત્ય નીમવાનું વચન આપ્યું. અણહિલવાડ…
વધુ વાંચો >જાંબુ
જાંબુ : સં. जम्बू; હિં. जामून; મ. जांभूम; અં. બ્લૅક પ્લમ; લૅ. Syzygium cuminii Eugenia Jambolanay. મીઠું મોસમી ફળ. ઉત્પત્તિસ્થાન ભારત. મુખ્યત્વે બૌદ્ધ સાધુઓના પ્રવાસ સાથે દુનિયાના અન્ય ભાગોમાં ફેલાયેલ છે. ફળના કદ પ્રમાણે મોટા રાવણા, મધ્યમ અને ક્ષુદ્ર એમ 3 પ્રકારનાં જાંબુ થાય છે. જાંબુનાં ઝાડ ભારતમાં લગભગ મોટા…
વધુ વાંચો >જાંભેકર, હરિ ગોવિંદ
જાંભેકર, હરિ ગોવિંદ (જ. 2 ડિસેમ્બર 1914, ગણદેવી, જિલ્લો સૂરત. અ. 17 ઑગસ્ટ 2011 અમદાવાદ) : ગુજરાત અને ખાસ કરી અમદાવાદના અગ્રણી સામાજિક કાર્યકર અને સેવાભાવી મેડિકલ પ્રૅક્ટિશનર. 1941માં અમદાવાદની બી. જે. મેડિકલ કૉલેજમાંથી એલ. સી. પી. ઍન્ડ એસ. (મુંબઈ) તથા 1976માં ડિપ્લોમા ઇન સ્પૉર્ટ્સ-મેડિસિનની પરીક્ષાઓ પસાર કરી. 1942થી અમદાવાદમાં…
વધુ વાંચો >જિઆપ, વૉ-ગ્યુએન (1912)
જિઆપ, વૉ-ગ્યુએન (1912) : સૈનિક તથા (ઉત્તર) વિયેટનામના લોકશાહી પ્રજાસત્તાકના સરકારી અધિકારી તથા રાષ્ટ્રવાદી. 1930ના દાયકાના આરંભે વિયેટનામી સામ્યવાદી પક્ષમાં જોડાયા. 1939માં તે ચીન નાસી છૂટ્યા અને ત્યાં હો ચી મિન સાથે લશ્કરી મદદનીશ તરીકે જોડાયા. જિઆપે વિયેટનિમ દળોને સંગઠિત કર્યાં અને તેમનો ઉપયોગ બીજા વિશ્વયુદ્ધ વખતે જાપાનીઓને હાંકી કાઢવા…
વધુ વાંચો >જિગર અને અમી [પૂર્વાર્ધ (1943), ઉત્તરાર્ધ
જિગર અને અમી [પૂર્વાર્ધ (1943), ઉત્તરાર્ધ : દ્વિતીય તથા તૃતીય દર્શન (1944)] : ચુનીલાલ વર્ધમાન શાહ(1887–1966)ની ગુજરાતી નવલકથા. લેખકના કહેવા પ્રમાણે અમદાવાદમાં પંડિત વિશ્વંભર મોક્ષાકરને નામે જાણીતા થયેલા કથાનાયક વિશ્વંભરની નોંધ પરથી, તેમની અનુમતિથી આત્મકથન સ્વરૂપમાં લખાયેલી આ સત્યઘટનાત્મક નવલકથા છે. પ્રથમ તે ગુજરાતી પાક્ષિક ‘પ્રજાબંધુ’માં પ્રગટ થઈ હતી. પૂર્વાર્ધની…
વધુ વાંચો >જિજાબાઈ
જિજાબાઈ (જ. 1595, સિંદખેડરાજા, વિદર્ભ; અ. 1674) : છત્રપતિ શિવાજીનાં માતા. પિતા નિઝામશાહીના અગ્રણી સરદાર. રામાયણ, મહાભારત તથા પુરાણોની કથાઓ નાનપણમાં રસપૂર્વક સાંભળતાં, જેનાથી ભારતીય સંસ્કૃતિ તથા ધર્મ પ્રત્યેની નિષ્ઠાનાં બીજ રોપાયાં. 1605માં શાહજી ભોંસલે સાથે લગ્ન થયાં. તેમનાં 6 સંતાનોમાંથી 4 કાચી ઉંમરે મૃત્યુ પામ્યાં. જીવ્યા તે સંભાજી અને…
વધુ વાંચો >જિનદત્તસૂરિ
જિનદત્તસૂરિ (જ. 1076; અ. 1155) : જૈન ધર્મના ખરતરગચ્છના આદ્યસ્થાપક આચાર્ય. જૈન ધર્મના પ્રભાવી આચાર્યોમાં જિનદત્તસૂરિનું નામ પણ આદર સાથે લેવાય છે. તે ખરતરગચ્છના પ્રથમ આચાર્ય મનાય છે. ઈ. સ. 1168માં તેમણે સ્વતંત્ર ખરતરગચ્છની સ્થાપના કરી હતી. તે સુવિહિત માર્ગી જિનવલ્લભસૂરિના પટ્ટધર શિષ્ય હતા. જિનદત્તસૂરિનો જન્મ વૈશ્યવંશના હુંબડ ગોત્રમાં ઈ.સ.…
વધુ વાંચો >જાલોર
જાલોર : રાજસ્થાનના 33 જિલ્લાઓ પૈકીનો એક જિલ્લો અને જિલ્લા મથક. ભૌગોલિક સ્થાન 25° 21’ ઉ. અ. 72° 37’ પૂ. રે.. આઝાદી પૂર્વે તે જોધપુર રાજ્યનો ભાગ હતો. આ જિલ્લામાં જાળનાં વૃક્ષો, અન્ય વૃક્ષો કરતાં વધારે હોવાથી શહેરનું નામ જાલોર પડ્યું છે. જિલ્લો ગુજરાતની ઉત્તર સરહદે આવેલો છે. તેની પશ્ચિમે…
વધુ વાંચો >જાવડેકર, શંકર દત્તાત્રેય
જાવડેકર, શંકર દત્તાત્રેય (જ. 26 સપ્ટેમ્બર 1894, મલકાપુર; અ. 10 ડિસેમ્બર 1955, ઇસ્લામપુર) : મહારાષ્ટ્રના દાર્શનિક વિદ્વાન તથા પ્રખર ગાંધીવાદી. પુણેની ન્યૂ ઇંગ્લિશ સ્કૂલમાંથી 1912માં મૅટ્રિકની પરીક્ષા તથા મુંબઈની વિલ્સન કૉલેજમાંથી 1917માં બી.એ.ની પરીક્ષા તત્વજ્ઞાન વિષય સાથે પાસ કરી. એમ.એ.નો અભ્યાસ પડતો મૂકીને 1920માં રાષ્ટ્રીય આંદોલનમાં જોડાયા. 1930, 1932–33 તથા…
વધુ વાંચો >જાવા
જાવા : જુઓ ઇન્ડોનેશિયા
વધુ વાંચો >જાવા ફિગ ટ્રી
જાવા ફિગ ટ્રી : લૅ. Ficus benjamina. કુળ : Urticaceae. સહસભ્યો : વડ, પીપળો, પીપળ વગેરે. નાનાં નાનાં પણ ઘટ્ટ રીતે લાગેલાં ચળકતાં પાનથી આ ઝાડ ખૂબ જ ઘટાદાર લાગે છે. આનું ઝાડ ઠીક ઠીક ઝડપથી વધે છે, ઘણું વિશાળ થાય છે અને લાંબા આયુષ્યવાળું થાય છે. બેંગાલુરુમાં લાલ બાગને…
વધુ વાંચો >જાવા માનવ
જાવા માનવ : પ્રાચીન કાળમાં અસ્તિત્વ ધરાવતી હોમો ઇરેક્ટસ પ્રજાતિનો આદિમાનવ. આ માનવીના જીવાવશેષો સૌપ્રથમ 1891–93માં યુવાન ડચ શરીરરચનાવિજ્ઞાની (anatomist) યુજેન દુબ્વાએ જાવા દ્વીપમાં સોલો નદીના કાંઠે આવેલ ટ્રિનિલ ખાતેથી શોધી કાઢ્યા હતા. દુબ્વાને મળેલાં હાડકાંમાં નીચા ઘાટની, જાડાં હાડકાંવાળી, ભ્રમર ઉપર આગળ પડતી ધાર ધરાવતી ખોપરી તથા વિકસિત જાંઘનાં…
વધુ વાંચો >જાવા સમુદ્ર
જાવા સમુદ્ર : ઇન્ડોનેશિયાના કુલ 3000 ટાપુઓમાંના ઘણા ટાપુઓને આવરી લેતો સમુદ્ર. તેનો કુલ વિસ્તાર આશરે 20 લાખ ચોકિમી. જેટલો છે. તે 5° ઉત્તર અક્ષાંશથી 7° દક્ષિણ અક્ષાંશ અને 102°થી 118° પૂર્વ રેખાંશ વચ્ચે વિષુવવૃત્તની આજુબાજુ આવેલો છે. તેની પશ્ચિમ બાજુએ સુમાત્રા, દક્ષિણમાં જાવા અને બાલી, ઉત્તરમાં બોર્નિયો અને પૂર્વમાં…
વધુ વાંચો >જાસૂદ (જાસવંતી)
જાસૂદ (જાસવંતી) : સં. जपाकुसुम, હિં. गुडहर, મ. जासवंद. લૅ. Hibiscus mulabilis; H. rosa sinensis, H. collinus વગેરે. કુળ : Malvaceae. સહસભ્યો : ભીંડા, અંબાડી, કપાસ, પારસ ભીંડી વગેરે. મુખ્યત્વે લાલ કે ગુલાબી રંગનાં જ ફૂલ જાસૂદને આવે એવો સૌને અનુભવ છે; પરંતુ હવે H. rosa. sinensisમાં સંકરણ કરીને નવી…
વધુ વાંચો >જાસૂસી
જાસૂસી : જુઓ ગુપ્તચર તંત્ર
વધુ વાંચો >જાસોર (જેસોર)
જાસોર (જેસોર) : ગુજરાતના ઈશાન ખૂણે પાલનપુર તાલુકાના ઇકબાલગઢથી 8 કિમી. દૂર આવેલી ડુંગરમાળા. આ ડુંગરોનાં 7 પડો કે હાર હોવાથી તે સાતપુડા તરીકે ઓળખાય છે. ઊંચાઈ 1066 મી. છે. ડુંગરો નાઈસ અને ગ્રૅનાઇટ ખડકો ધરાવે છે. ઢોળાવો તથા તળેટીમાં વાંસ, બાવળ, અર્જુન, ટીમરુ, ખાખરો, અરડૂસો વગેરે પર્ણપાતી વૃક્ષોનું જંગલ…
વધુ વાંચો >જાસ્પર
જાસ્પર : દળદાર, સૂક્ષ્મ દાણાદાર ક્વાર્ટ્ઝનો અશુદ્ધ, અપારદર્શક પ્રકાર, જે સામાન્ય રીતે નળિયા જેવા રાતા, ઘેરા કથ્થાઈ રાતા કે પીળાશ પડતા કથ્થાઈ રંગમાં મળે છે. રાતા રંગવાળું જાસ્પર તેમાં સૂક્ષ્મ રીતે ફેલાયેલા હેમેટાઇટના સંમિશ્રણને કારણે, જ્યારે કથ્થાઈ જાસ્પર સૂક્ષ્મ રીતે ફેલાયેલા ગોઇથાઇટને કારણે તૈયાર થતું હોય છે. પ્રાચીન કાળથી અલંકારોમાં…
વધુ વાંચો >