૭.૨૫

જાલોરથી જિપ્સોફાઇલા

જિનદત્તાખ્યાન (जिणदत्तक्खाण)

જિનદત્તાખ્યાન (जिणदत्तक्खाण) : 1953માં સિંઘી જૈન ગ્રંથમાળામાં પ્રકાશિત થયેલી વિશિષ્ટ પ્રાકૃત રચના. તેના કર્તા સુમતિસૂરિ પાડિચ્છયગચ્છીય આચાર્ય સર્વદેવસૂરિના શિષ્ય હતા. ગ્રંથનો સમય નિશ્ચિત નથી. એક પ્રાચીન પ્રતમાં તે અણહિલવાડ પાટણમાં સં. 1246માં લખાઈ હોવાનો ઉલ્લેખ મળે છે. એટલે આની રચના તે પહેલાં થઈ હોવી જોઈએ. તેમાં જિનદત્તનાં બે આખ્યાનો છે.…

વધુ વાંચો >

જિન દ થેવેનો

જિન દ થેવેનો (જ. 1633, પૅરિસ; અ. 28 નવેમ્બર 1667, નૈના, તબરીઝ) : જગતનો નામાંકિત પ્રવાસી. ગુજરાતમાં એ 1666માં આવ્યો હતો. તેણે કરેલું સૂરત અને અમદાવાદનું વર્ણન ઘણું બારીક અને ઐતિહાસિક મહત્વ ધરાવે છે. 18 વર્ષે પૅરિસ યુનિવર્સિટીની નવારે કૉલેજમાંથી ભણી ઊતરેલો થેવેનો જગતપ્રવાસનાં સ્વપ્નાં સેવતો હતો. આ ઉપક્રમમાં એણે…

વધુ વાંચો >

જિનદાસ મહત્તર (આશરે આઠમી સદીનો પૂર્વાર્ધ)

જિનદાસ મહત્તર (આશરે આઠમી સદીનો પૂર્વાર્ધ) : જૈન આગમના એક વ્યાખ્યાકાર. જૈન આગમના વ્યાખ્યાકારોમાં વિશિષ્ટ સ્થાન ધરાવતા જિનદાસ મહત્તર સંસ્કૃત અને પ્રાકૃત ભાષાના વિદ્વાન હતા. ચૂર્ણિ સાહિત્ય અનુસાર પિતાનું નામ નાગ અને માતાનું નામ ગોપા. વજ્રશાખીય મહાન વિદ્વાન આચાર્ય ગોપાલગણિ મહત્તર તેમના ધર્મગુરુ અને પ્રદ્યુમ્ન ક્ષમાશ્રમણ તેમના વિદ્યાગુરુ હતા. ગુરુ…

વધુ વાંચો >

જિનપ્રભસૂરિ

જિનપ્રભસૂરિ : જિનપ્રભ નામના ઘણા આચાર્યો થયા છે. પ્રસ્તુત જિનપ્રભ ‘વિવિધ તીર્થકલ્પ’ નામક પ્રસિદ્ધ ઐતિહાસિક કૃતિના રચનાકાર છે અને સ્તોત્રસાહિત્યના વિશિષ્ટ નિર્માતા છે. જિનપ્રભસૂરિ જિનેશ્વરસૂરિના પ્રશિષ્ય અને લઘુ ખરતરગચ્છ—અપર નામ શ્રીમાલગચ્છના સંસ્થાપક આચાર્ય જિનસિંહસૂરિના શિષ્ય હતા. જિનપ્રભસૂરિ વૈશ્ય વંશના હતા. એમનું ગોત્ર તામ્બી હતું. તે હિલવાડીનિવાસી શ્રેષ્ઠી મહિધરના પૌત્ર અને…

વધુ વાંચો >

જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ (વિક્રમની સાતમી સદી)

જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ (વિક્રમની સાતમી સદી) : નિવૃત્તિ કુળના મહાન આચાર્ય. તેમના બે ભાષ્યગ્રંથ હાલ ઉપલબ્ધ છે : (1) જિતકલ્પ ભાષ્ય તથા (2) વિશેષાવશ્યક ભાષ્ય. ‘જિતકલ્પ ભાષ્ય’માં જ્ઞાનપંચક, પ્રાયશ્ચિત્ત વગેરે અનેક આવશ્યક વિષયોનું વર્ણન છે. આવશ્યક સૂત્ર ઉપર 3 ભાષ્ય છે. તેમાં ‘વિશેષાવશ્યક ભાષ્ય’ આવશ્યક સૂત્રના પ્રથમ અધ્યયન સામાયિક સૂત્ર ઉપર…

વધુ વાંચો >

જિનવિજયજી

જિનવિજયજી (જ. 27 જાન્યુઆરી 1888, ઉદેપુર-મેવાડ જિલ્લાનું હેલી ગામ; અ. 3 જૂન 1976) : પ્રાકૃત અને સંસ્કૃતના પ્રકાંડ જૈન પંડિત અને જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સાધુ. માતા રાજકુમારી તથા પિતા વૃદ્ધિસિંહ. મૂળ નામ કિશનસિંહ. પરમાર જાતિના રજપૂત. નાનપણમાં જ માતાપિતાનું છત્ર ગુમાવ્યા બાદ તેઓ દેવીહંસ મુનિના લાંબા સહવાસથી જૈન ધર્મ તરફ…

વધુ વાંચો >

જિનસેંગ

જિનસેંગ : તે દ્વિબીજલાના કુળ Araliaceaeનો 50 સેમી. ઊંચો છોડ છે. તેના સહસભ્યોમાં Schefflera, Oreopanax, Polyscias, Hedera વગેરે છે. તેને ભારતમાં ઉગાડવામાં આવે છે. જિનસેંગનાં લૅટિન નામ Panax ginseng C. A. Mey અને P. quinquefolium Linn છે. હિમાલયનાં ઊંચાં શિખરો પર P. pseudoginsengL મળે છે. જિનસેંગ તે Panaxનાં મૂળ છે.…

વધુ વાંચો >

જિનાન

જિનાન : ચીનના શાડોંગ પ્રાંતનું પાટનગર. વૅન્ગ હો નદીની દક્ષિણે બેજિંગથી 370 કિમી. દક્ષિણે આવેલું આ શહેર 36° 40’ ઉ. અ. અને 116° 57’ પૂ. રે. પર આવેલું છે. શાડોંગ પ્રાંતના મહત્વના ઉદ્યોગ-વ્યાપાર કેન્દ્રમાં તેની ગણના થાય છે. ત્યાં ખાદ્ય પદાર્થોની પ્રક્રિયા, રસાયણો, લોખંડ અને પોલાદ, મશીન ટૂલ્સ, વીજળીનાં ઉપકરણો,…

વધુ વાંચો >

જિનીવા

જિનીવા : સ્વિટ્ઝર્લૅન્ડના જિનીવા પરગણાનું પાટનગર, દેશનું ત્રીજા ક્રમનું શહેર તથા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું કેન્દ્ર. ભૌગોલિક સ્થાન 46° 12’ ઉ. અ. અને 6° 09’ પૂ. રે. તે સ્વિટ્ઝર્લૅન્ડની નૈર્ઋત્યે જિનીવા સરોવરના ખૂણા પર, હ્રોન નદીની ખીણમાં વસેલું છે. આ નદી નગરને બે ભાગમાં વહેંચી નાખે છે. મૂળ નગરનો વિસ્તાર 18…

વધુ વાંચો >

જિનીવા ઘોષણા

જિનીવા ઘોષણા : તબીબી આચારસંહિતા(code of medical ethics)ને આવરી લેતી જાહેરાત. તે સારણી 1માં દર્શાવી છે. ઈ. પૂ. 460માં જન્મેલા હિપૉક્રટીઝે રચેલી આ પ્રતિજ્ઞા દરેક તબીબને તેના વ્યવસાયમાં નીતિ જાળવવા માટેની આચારસંહિતા (code) બની રહેલ છે. ભારતમાં મેડિકલ કાઉન્સિલે પણ એક તબીબી આચારસંહિતા બનાવેલી છે. 1975માં સુધારેલી હેલસિન્કી જાહેરાતમાં જૈવ-તબીબી…

વધુ વાંચો >

જાલોર

Jan 25, 1996

જાલોર : રાજસ્થાનના 33 જિલ્લાઓ પૈકીનો એક જિલ્લો અને જિલ્લા મથક. ભૌગોલિક સ્થાન 25° 21’ ઉ. અ. 72° 37’ પૂ. રે.. આઝાદી પૂર્વે તે જોધપુર રાજ્યનો ભાગ હતો. આ જિલ્લામાં જાળનાં વૃક્ષો, અન્ય વૃક્ષો કરતાં વધારે હોવાથી શહેરનું નામ જાલોર પડ્યું છે. જિલ્લો ગુજરાતની ઉત્તર સરહદે આવેલો છે. તેની પશ્ચિમે…

વધુ વાંચો >

જાવડેકર, શંકર દત્તાત્રેય

Jan 25, 1996

જાવડેકર, શંકર દત્તાત્રેય (જ. 26 સપ્ટેમ્બર 1894, મલકાપુર; અ. 10 ડિસેમ્બર 1955, ઇસ્લામપુર) : મહારાષ્ટ્રના દાર્શનિક વિદ્વાન તથા પ્રખર ગાંધીવાદી. પુણેની ન્યૂ ઇંગ્લિશ સ્કૂલમાંથી 1912માં મૅટ્રિકની પરીક્ષા તથા મુંબઈની વિલ્સન કૉલેજમાંથી 1917માં બી.એ.ની પરીક્ષા તત્વજ્ઞાન વિષય સાથે પાસ કરી. એમ.એ.નો અભ્યાસ પડતો મૂકીને 1920માં રાષ્ટ્રીય આંદોલનમાં જોડાયા. 1930, 1932–33 તથા…

વધુ વાંચો >

જાવા

Jan 25, 1996

જાવા : જુઓ ઇન્ડોનેશિયા

વધુ વાંચો >

જાવા ફિગ ટ્રી

Jan 25, 1996

જાવા ફિગ ટ્રી : લૅ. Ficus benjamina. કુળ : Urticaceae. સહસભ્યો : વડ, પીપળો, પીપળ વગેરે. નાનાં નાનાં પણ ઘટ્ટ રીતે લાગેલાં ચળકતાં પાનથી આ ઝાડ ખૂબ જ ઘટાદાર લાગે છે. આનું ઝાડ ઠીક ઠીક ઝડપથી વધે છે, ઘણું વિશાળ થાય છે અને લાંબા આયુષ્યવાળું થાય છે. બેંગાલુરુમાં લાલ બાગને…

વધુ વાંચો >

જાવા માનવ

Jan 25, 1996

જાવા માનવ : પ્રાચીન કાળમાં અસ્તિત્વ ધરાવતી હોમો ઇરેક્ટસ પ્રજાતિનો આદિમાનવ. આ માનવીના જીવાવશેષો સૌપ્રથમ 1891–93માં યુવાન ડચ શરીરરચનાવિજ્ઞાની (anatomist) યુજેન દુબ્વાએ જાવા દ્વીપમાં સોલો નદીના કાંઠે આવેલ ટ્રિનિલ ખાતેથી શોધી કાઢ્યા હતા. દુબ્વાને મળેલાં હાડકાંમાં નીચા ઘાટની, જાડાં હાડકાંવાળી, ભ્રમર ઉપર આગળ પડતી ધાર ધરાવતી ખોપરી તથા વિકસિત જાંઘનાં…

વધુ વાંચો >

જાવા સમુદ્ર

Jan 25, 1996

જાવા સમુદ્ર : ઇન્ડોનેશિયાના કુલ 3000 ટાપુઓમાંના ઘણા ટાપુઓને આવરી લેતો સમુદ્ર. તેનો કુલ વિસ્તાર આશરે 20 લાખ ચોકિમી. જેટલો છે. તે 5° ઉત્તર અક્ષાંશથી 7° દક્ષિણ અક્ષાંશ અને 102°થી 118° પૂર્વ રેખાંશ વચ્ચે વિષુવવૃત્તની આજુબાજુ આવેલો છે. તેની પશ્ચિમ બાજુએ સુમાત્રા, દક્ષિણમાં જાવા અને બાલી, ઉત્તરમાં બોર્નિયો અને પૂર્વમાં…

વધુ વાંચો >

જાસૂદ (જાસવંતી)

Jan 25, 1996

જાસૂદ (જાસવંતી) : સં. जपाकुसुम, હિં. गुडहर, મ. जासवंद. લૅ. Hibiscus mulabilis; H. rosa sinensis, H. collinus  વગેરે. કુળ : Malvaceae. સહસભ્યો : ભીંડા, અંબાડી, કપાસ, પારસ ભીંડી વગેરે. મુખ્યત્વે લાલ કે ગુલાબી રંગનાં જ ફૂલ જાસૂદને આવે એવો સૌને અનુભવ છે; પરંતુ હવે H. rosa. sinensisમાં સંકરણ કરીને નવી…

વધુ વાંચો >

જાસૂસી

Jan 25, 1996

જાસૂસી : જુઓ ગુપ્તચર તંત્ર

વધુ વાંચો >

જાસોર (જેસોર)

Jan 25, 1996

જાસોર (જેસોર) : ગુજરાતના ઈશાન ખૂણે પાલનપુર તાલુકાના ઇકબાલગઢથી 8 કિમી. દૂર આવેલી ડુંગરમાળા. આ ડુંગરોનાં 7 પડો કે હાર હોવાથી તે સાતપુડા તરીકે ઓળખાય છે. ઊંચાઈ 1066 મી. છે. ડુંગરો નાઈસ અને ગ્રૅનાઇટ ખડકો ધરાવે છે. ઢોળાવો તથા તળેટીમાં વાંસ, બાવળ, અર્જુન, ટીમરુ, ખાખરો, અરડૂસો વગેરે પર્ણપાતી વૃક્ષોનું જંગલ…

વધુ વાંચો >

જાસ્પર

Jan 25, 1996

જાસ્પર : દળદાર, સૂક્ષ્મ દાણાદાર ક્વાર્ટ્ઝનો અશુદ્ધ, અપારદર્શક પ્રકાર, જે સામાન્ય રીતે નળિયા જેવા રાતા, ઘેરા કથ્થાઈ રાતા કે પીળાશ પડતા કથ્થાઈ રંગમાં મળે છે. રાતા રંગવાળું જાસ્પર તેમાં સૂક્ષ્મ રીતે ફેલાયેલા હેમેટાઇટના સંમિશ્રણને કારણે, જ્યારે કથ્થાઈ જાસ્પર સૂક્ષ્મ રીતે ફેલાયેલા ગોઇથાઇટને કારણે તૈયાર થતું હોય છે. પ્રાચીન કાળથી અલંકારોમાં…

વધુ વાંચો >