૭.૨૪

જાની, અમૃત જટાશંકરથી જાલોન

જાપાની સાહિત્ય

જાપાની સાહિત્ય : પૂર્વભૂમિકા : જાપાનના સાહિત્યના ખેડાણનો પ્રારંભ ઈસુની સાતમી સદીમાં થયેલો જણાય છે. તે પહેલાં જાપાની ભાષાનું પોતીકું સાહિત્ય લિખિત સ્વરૂપમાં મળતું નથી. વસ્તુત: પાડોશના મોટા દેશ ચીનના સાંસ્કૃતિક પ્રભાવને કારણે, જાપાનમાં પ્રાચીન યુગમાં મુખ્યત્વે શાહી દરબાર અને અમીર-ઉમરાવો તથા ભદ્ર વર્ગના થોડાક લોકો પૂરતું ચીની સાહિત્ય પ્રચલિત…

વધુ વાંચો >

જાપાને (1959)

જાપાને (1959) : અન્નદાશંકર રાય(1904)રચિત બંગાળી પ્રવાસકથા. લેખકે 1957માં આંતરરાષ્ટ્રીય પી.ઈ.એન. કૉંગ્રેસના ડેલિગેટ તરીકે જાપાનની મુલાકાત લીધી હતી તેના પરિણામરૂપ આ પુસ્તક છે. તેને 1962નો સાહિત્ય અકાદેમીનો ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યો છે. તેમની પ્રથમ પ્રવાસવર્ણનની કૃતિ ‘પથે પ્રવાસે’(1939)માં એમની નિરીક્ષણશક્તિ, સૌંદર્યર્દષ્ટિ અને માનવી તેમજ સમાજ સાથેની ઊંડી નિસબત ખાસ ધ્યાન…

વધુ વાંચો >

જાપાલ-રંગાપુર વેધશાળા

જાપાલ-રંગાપુર વેધશાળા : હૈદરાબાદ નજીક જાપાલ અને રંગાપુર નામનાં ગામ પાસે, 76° 13’ 39’’ પૂર્વ રેખાંશ અને 17° 05’ 54’’ ઉત્તર અક્ષાંશે 695 મી. ઊંચાઈએ આવેલી વેધશાળા. 1968માં અહીં 1.2 મી. વ્યાસનું પરાવર્તક દૂરબીન ગોઠવવામાં આવ્યું અને ઓસમાનિયા યુનિવર્સિટીના ખગોળવિજ્ઞાન વિભાગનાં આધુનિક ઉપકરણો દ્વારા સંશોધનકાર્ય શરૂ કરવામાં આવ્યું. હાલ અહીં…

વધુ વાંચો >

જાપુરા

જાપુરા : દક્ષિણ અમેરિકામાં આવેલી મહાકાય નદી એમેઝૉનની એક મોટી શાખા-નદી (tributary). વાયવ્ય કોલંબિયાનો 3000 મી. ઊંચો કૉર્ડિલેરા ઓક્સિડેન્ટલ આ નદીનું ઉદગમસ્થાન છે. ત્યાંથી નીકળી તે સામાન્ય રીતે ઘણી લંબાઈ સુધી અગ્નિખૂણે વહે છે અને વાયવ્ય બ્રાઝિલ ખાતે આવેલ, એમેઝૉનાસ રાજ્યની આરપાર વહીને તે એમેઝૉનને મળે છે. નદીનો ઉપરવાસનો ભાગ…

વધુ વાંચો >

જાફરાબાદ

જાફરાબાદ : ગુજરાત રાજ્યમાં અમરેલી જિલ્લાનો મહાલ, તેનું મથક અને મધ્યમ કક્ષાનું બંદર. મહાલનું ક્ષેત્રફળ 365.6 ચોકિમી. અને વસ્તી 90,726 (2001) છે. અહીં 524.4 મિમી. વરસાદ પડે છે અને બાજરો, ઘઉં, કપાસ અને મગફળી મુખ્ય પાક છે. દરિયાકિનારાથી અંદરના ભાગમાં ચૂનાખડકોની ખાણો આવેલી છે. લોકોનો મુખ્ય ધંધો ખેતી અને મચ્છીમારી…

વધુ વાંચો >

જાફરી, અલી સરદાર

જાફરી, અલી સરદાર (જ. 29 નવેમ્બર 1913, બલરામપુર, જિ. ગોંડા, ઉત્તરપ્રદેશ; અ. 1 ઑગસ્ટ 2000) : ઉર્દૂ ભાષાના પ્રગતિશીલ લેખક. બલરામપુર અને અલીગઢમાં પ્રાથમિક, માધ્યમિક શિક્ષણ લીધા બાદ કૌટુંબિક નામને કારણે સાહિત્યિક વર્તુળોમાં સરદાર જાફરી નામે જાણીતા થયા. સરદાર જાફરી તેમનું ઉપનામ છે. તેઓ દિલ્હી યુનિવર્સિટીમાંથી સ્નાતક થઈ ઉચ્ચ શિક્ષણ…

વધુ વાંચો >

જાબાલિપુર (જાલોર)

જાબાલિપુર (જાલોર) : રાજસ્થાનમાં જોધપુરથી લગભગ 120 કિમી. દક્ષિણે આવેલું જાલોર જિલ્લાનું વડું મથક. શક વર્ષ 700 (ઈ. સ. 778)માં ઉદ્યોતનસૂરિએ જાબાલિપુરમાં ‘કુવલયમાલા’ રચી ત્યારે ત્યાં પ્રતીહાર રાજા વત્સરાજનું શાસન પ્રવર્તતું હતું. 10મી સદીમાં ત્યાં માળવાના પરમાર વંશની સત્તા સ્થપાઈ હતી. પરમાર રાજાઓએ બંધાવેલો ટેકરા પર આવેલો જાલોરનો ગઢ 720…

વધુ વાંચો >

જાબિર હુસેન

જાબિર હુસેન (જ. 1945, રાજગીર, નાલંદા, બિહાર) : ઉર્દૂ લેખક. તેમને તેમની પુરસ્કૃત કૃતિ ‘રેત પર ખેમા’ બદલ 2005ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે અંગ્રેજી ભાષા અને સાહિત્યમાં એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. તેઓ અંગ્રેજી, હિંદી અને ફારસી ભાષાનું જ્ઞાન ધરાવે છે. તેઓ પટણાની મગધ યુનિવર્સિટીની…

વધુ વાંચો >

જામજોધપુર

જામજોધપુર : જામનગર જિલ્લાના ખંભાળિયા સબડિવિઝનમાં આવેલ તાલુકો અને તાલુકામથક. આ તાલુકાની દક્ષિણે પોરબંદર જિલ્લો, પૂર્વ અને અગ્નિખૂણે રાજકોટ જિલ્લો, ઉત્તરે જામનગર જિલ્લાનો લાલપુર તાલુકો અને પશ્ચિમે ભાણવડ તાલુકો આવેલો છે. આ તાલુકામાં જામજોધપુર શહેર અને 79 ગામો આવેલાં છે. તાલુકાનું ક્ષેત્રફળ 1091.3 ચોકિમી. છે. તાલુકાની કુલ વસ્તી 1,17,435 (2001)…

વધુ વાંચો >

‘જામન’ (જમનાદાસ મોરારજી સંપટ)

‘જામન’ (જમનાદાસ મોરારજી સંપટ) (જ. 9 નવેમ્બર 1888, વરવાડા, જિ. જામનગર; અ. 22 ડિસેમ્બર 1955, મુંબઈ) : ગુજરાતી નાટ્યકાર. નાની વયે માબાપ મૃત્યુ પામતાં મોટાં ભાભીને ત્યાં ઊછર્યા. નાટકના શોખીન બનેવી મથુરાદાસ જમનાદાસને નાટક જોવા સાથે લઈ જાય. જામને સૌપ્રથમ ‘કૃષ્ણસુદામા’ નાટક રચ્યું હોવાનું મનાય છે. 16 વર્ષની ઉંમરે લખેલ…

વધુ વાંચો >

જાની, અમૃત જટાશંકર

Jan 24, 1996

જાની, અમૃત જટાશંકર (જ. 7 જુલાઈ 1912, ટંકારા, જિ. રાજકોટ  મોરબી; અ. 9 ઑગસ્ટ 1997) : ગુજરાતની જૂની વ્યવસાયી રંગભૂમિના જાણીતા નટ. જન્મ સૌરાષ્ટ્રના નાનકડા ગામ મોરબી-ટંકારામાં મધ્યમ વર્ગના કુટુંબમાં થયો. બાલ્યકાળમાં જ એમણે માતાનું સુખ ગુમાવ્યું. રાજકોટ આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં અભ્યાસ કરેલો. પિતાની સાથે 7-8 વર્ષની વયે કરાંચીમાં ગુજરાતી નાટકો…

વધુ વાંચો >

જાની, અંબાલાલ બુલાખીરામ

Jan 24, 1996

જાની, અંબાલાલ બુલાખીરામ (જ. 18 ઑક્ટોબર 1880, નડિયાદ; અ. 28 માર્ચ 1942, મુંબઈ) : વડનગરા નાગર બ્રાહ્મણ અને નડિયાદના વતની. પ્રાથમિક શિક્ષણ નડિયાદમાં, માધ્યમિક નડિયાદ-અમદાવાદમાં. ગ્રૅજ્યુએશન જૂનાગઢની બહાઉદ્દીન કૉલેજમાં વિજ્ઞાન વિષયે. 1907માં મુંબઈની પન્નાલાલ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે સેવા આપી. 1909માં મુંબઈના ‘ગુજરાતી’ સાપ્તાહિકમાં સહતંત્રી તરીકે જીવનપર્યંત સેવા આપી. 1914–21નાં વર્ષોમાં…

વધુ વાંચો >

જાની, ચિન્મય

Jan 24, 1996

જાની, ચિન્મય (જ. 4 જાન્યુઆરી 1933) : ગુજરાતી નવલકથાકાર  અને ગુજરાતની વડી અદાલતના નિવૃત્ત ન્યાયમૂર્તિ. મૂળ નામ ચિનુપ્રસાદ.  પિતાનું નામ વૈકુંઠરામ. માતા લક્ષ્મીબહેન. જન્મસ્થળ પુણે (મહારાષ્ટ્ર). વતન ટીંટોદણ (ઉ.ગુ.). મૅટ્રિક સુધીનો અભ્યાસ પુણેમાં. ફર્ગ્યુસન અને અન્ય કૉલેજોમાં અભ્યાસ કરી તત્વજ્ઞાન અને મનોવિજ્ઞાન વિષયો સાથે સ્નાતક થયા. ડિસેમ્બર 1953માં અન્નપૂર્ણાબહેન સાથે…

વધુ વાંચો >

જાની, જ્યોતિષ જગન્નાથ

Jan 24, 1996

જાની, જ્યોતિષ જગન્નાથ (9 નવેમ્બર 1928, પીજ, તા. પેટલાદ, વતન ભાલેજ; અ. 2005) : ગુજરાતી કવિ, વાર્તાકાર, નવલકથાકાર, પત્રકાર. 1945માં મૅટ્રિક્યુલેશન, 1951માં બી.એસસી., 1963માં પત્રકારત્વનો ડિપ્લોમા, 1962 થી 1966 ગુજરાતી દૈનિક ‘સંદેશ’ના ઉપતંત્રી, 1966 થી 1967 દરમિયાન જ્યોતિ લિ. વડોદરામાં આસિસ્ટંટ પબ્લિસિટી ઑફિસર. 1971થી ત્રણેક વર્ષ પ્રગટ થયેલા સાહિત્યિક ત્રૈમાસિક…

વધુ વાંચો >

જાની, વિશ્વનાથ (17મી સદી)

Jan 24, 1996

જાની, વિશ્વનાથ (17મી સદી) : થોડી પણ પોતીકી મુદ્રાથી અંકિત કૃતિઓ આપી જનાર મધ્યકાળના આખ્યાનકાર અને પદકવિ. જ્ઞાતિએ ઔદીચ્ય બ્રાહ્મણ. પાટણ કે એની આજુબાજુના પ્રદેશના વતની. વિશ્વનાથ કનોડિયા (પાટણની બાજુના કનોડાના) જાની હોય એવી સંભાવના પણ છે. કુલધર્મે કદાચ શૈવ હોય. એમના ‘સગાળચરિત્ર’માં શિવભક્તિ જોવા મળે છે. પણ એમની કૃતિઓમાં…

વધુ વાંચો >

જાની, હિંમતરામ મહાશંકર

Jan 24, 1996

જાની, હિંમતરામ મહાશંકર (જ. 22 ઑક્ટોબર 1913, ઘડકણ, જિ. સાબરકાંઠા; અ. 6 જાન્યુઆરી 1996, અમદાવાદ) : જ્યોતિષના પ્રસિદ્ધ વિદ્વાન. પિતા સારા ઉપાસક અને શિક્ષક. ગુજરાતી શાળાંત પરીક્ષા ઉત્તીર્ણ કર્યા પછી તેમણે ગુજરાતી શાળામાં થોડોક વખત અધ્યાપન કર્યું. પણ ઉત્કટ વિદ્યાભિલાષાને લીધે નોકરી છોડી તે 1932માં કાશી ગયા. ત્યાં બાર વર્ષ…

વધુ વાંચો >

જાપાન

Jan 24, 1996

જાપાન જાપાન એટલે કે ‘ઊગતા સૂર્યના દેશ’ની ઉપમા પામેલો પૂર્વ એશિયાના તળપ્રદેશને અડીને આવેલો દેશ. પૅસિફિક મહાસાગરમાં લગભગ 2100 કિમી. લાંબી ચાપાકાર દ્વીપશૃંખલા બનાવતો આ દેશ આશરે 26° 59’થી 45° 31’ ઉ. અ. અને 128° 06’થી 145° 49’ પૂ. રે. વચ્ચે વિસ્તરેલો છે. 4 મુખ્ય ટાપુઓ ઉપરાંત લગભગ 3000 જેટલા…

વધુ વાંચો >

જાપાનની ચિત્રકલા

Jan 24, 1996

જાપાનની ચિત્રકલા : કલા અને સંસ્કૃતિના વારસાની બાબતમાં જાપાન ચીનનું ઋણી છે. જાપાનની ચિત્રકલાના વિકાસમાં તેની ભૌગોલિક પરિસ્થિતિએ અગત્યનો ભાગ ભજવ્યો છે. જાપાન એટલે પર્વતો, ઝરણાં, વૃક્ષો, લતાઓ અને ફૂલોનો દેશ. જાપાનની પ્રજા દુનિયાની બીજી પ્રજાની સરખામણીમાં પ્રકૃતિ અને કલાની સવિશેષ ચાહક છે. જાપાનની ચિત્રકલામાં પ્રજાની આ ચાહના ભારોભાર વ્યક્ત…

વધુ વાંચો >

જાપાનનો સમુદ્ર

Jan 24, 1996

જાપાનનો સમુદ્ર : જાપાનના પશ્ચિમ કિનારાને અડીને આવેલો સમુદ્ર. વિશાળ પૅસિફિક મહાસાગરનો તે ભાગ છે. સમુદ્રની પૂર્વમાં જાપાનના હોકાઇડો અને હોન્શુ ટાપુઓ તેમજ રશિયાના સખાલીન ટાપુઓ આવેલા છે. પશ્ચિમે એશિયા ભૂખંડની તળભૂમિ(રશિયા અને કોરિયા)ના પ્રદેશો આવેલા છે. આ સમુદ્ર આશરે 40° ઉ. અ. અને 135° પૂ. રે. 50° તથા 35°…

વધુ વાંચો >

જાપાની ભાષા

Jan 24, 1996

જાપાની ભાષા : જાપાનમાં તથા દુનિયાના અન્ય ભાગોમાં લગભગ બાર કરોડ લોકો દ્વારા બોલાતી જાપાની ભાષા કોરિયાની ભાષા સાથે ઘણો નજીકનો સંબંધ ધરાવે છે અને વિદ્વાનોના મત મુજબ તે મોંગોલિયન, મંચુ અને તુર્કી ભાષાઓ સાથે પણ સંબંધ ધરાવે છે. દેખીતી રીતે ચીનની ભાષા જેવી દેખાતી જાપાની ભાષા ચીની ભાષા કરતાં…

વધુ વાંચો >