૭.૨૧

જલસંવર્ધન (જલઉછેર)થી જહાંગીરનામા (તૂઝુકે-જહાંગીરી)

જલસંવર્ધન (જલઉછેર) (Hydroponics)

જલસંવર્ધન (જલઉછેર) (Hydroponics) : જલમાં છોડ ઉછેરવાની પ્રવૃત્તિ. સામાન્ય રીતે છોડને જમીનમાં ઉછેરવામાં આવે છે. જમીન છોડને ઊગવા–ઊભા રહેવા માટેનું સાધન થઈ પડે છે; અને જમીનમાં તેમજ તેમાં ઉમેરવામાં આવતાં ખાતરોમાં રહેલાં દ્રવ્યો–ક્ષારો છોડને જીવવા–વધવા માટેનું કારણ બની રહે છે. જો આ દ્રવ્યો –ક્ષારો રસાયણો દ્વારા પૂરાં પાડવામાં આવે તો…

વધુ વાંચો >

જલસ્પર્ધા (aquatics)

જલસ્પર્ધા (aquatics) : પાણીની અંદર યા પાણીની સપાટી પર થતી રમતની સ્પર્ધા. આના મુખ્ય વિભાગ તરણ-ડૂબકી સ્પર્ધા તથા નૌકા(જલયાન) સ્પર્ધા છે. 1. તરણસ્પર્ધા : ‘તરણ’ યા ‘તરવું’ શબ્દ શરીરની પાણીની સપાટી પરની સામાન્ય સ્થિતિ-ગતિ દર્શાવે છે. માનવશરીરની વિશિષ્ટ ઘનતા (સ્પેસિફિક ગ્રેવિટી) એકંદરે 0.95થી 1 સુધીની ગણાય છે, તેથી માણસ માટે…

વધુ વાંચો >

જલંધર

જલંધર : પંજાબ રાજ્યનો જિલ્લો તથા ઔદ્યોગિક નગર. ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ – આબોહવા : તે આશરે 31 18´ ઉ.  અ. અને 75 34´ પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. આ જિલ્લાની વાયવ્યે અને પશ્ચિમે કપૂરથલા જિલ્લો તેમજ ફિરોઝપુર જિલ્લો, ઈશાને હોશિયારપુર જિલ્લો, પૂર્વે કપૂરથલા અને શહીદ ભગતસિંહ નગર જિલ્લા, દક્ષિણે લુધિયાણા જિલ્લો…

વધુ વાંચો >

જલાલી એહમદાબાદી

જલાલી એહમદાબાદી (જ. 1581; અ. 1637) : ગુજરાતના મુહરવરદિયા સંપ્રદાયના સંત હઝરત શાહેઆલમ બુખારી (ર. અ.). તેમનો રોજો ચંડોળા તળાવ નજીક રસૂલાબાદમાં આવેલો છે. અને જેમના નામ સાથે સંકળાયેલો વિસ્તાર આજે શાહેઆલમથી વધુ જાણીતો છે તેમના વંશજ, જલાલીનું મૂળ નામ મુહમ્મદ, નિઝામુદ્દીન લકબ, અબુલ ફતેહ કુનિયત અને મકબૂલે આલમ ખિતાબ.…

વધુ વાંચો >

જલાવરણ (ભૂસ્તરશાસ્ત્ર) :

જલાવરણ (ભૂસ્તરશાસ્ત્ર) : પૃથ્વીની સપાટી ઉપર અથવા તેને અડીને આવેલા પાણીનો તૂટક (discontinuous) સ્તર. અન્ય ત્રણ આવરણો તે શિલાવરણ (lithosphere), વાતાવરણ (atmosphere) અને જીવાવરણ (biosphere). જલાવરણમાં દરિયા, સરોવરો, નદીઓ અને હિમનદી સહિત પ્રવાહી અને ઘન પાણીનો તેમજ જમીન અને ખડકોમાંનાં ભૂગર્ભજળ તથા વાતાવરણમાં રહેલ પાણીની બાષ્પનો સમાવેશ થાય છે. કેટલાક…

વધુ વાંચો >

જલાવરણ (વનસ્પતિશાસ્ત્ર)

જલાવરણ (વનસ્પતિશાસ્ત્ર) : સમગ્ર પૃથ્વીના તલના 73 % ભાગમાં વિવિધ રૂપે આવેલાં પૃથ્વી ઉપરનાં જલ ધારણ કરતાં માધ્યમો. જલાવરણમાં મુખ્યત્વે સમુદ્ર, નદી, સરોવર, તળાવ વગેરેનો સમાવેશ થાય છે. આવા વિસ્તારમાં ખાસ કરીને અકાર્બનિક પદાર્થો સજીવોને મળે છે; જેનો ઉપયોગ કરીને સજીવો પોતાની રોજબરોજની જૈવિક ક્રિયાઓ કરે છે. સજીવોના જીવનમાં એક…

વધુ વાંચો >

જલિયાંવાલા બાગ હત્યાકાંડ

જલિયાંવાલા બાગ હત્યાકાંડ : ભારતમાં સ્વાતંત્ર્યસંગ્રામનો શરૂઆતનો સૌથી ગોઝારો અને ઘાતક બનાવ જેમાં 1200નાં મૃત્યુ થયાં તથા 3600 જેટલા ઘવાયા. આ ઘટના અમૃતસરમાં 1919માં બની. પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થયા બાદ બ્રિટિશ સરકાર ભારતને નક્કર સુધારા આપશે તેવી આશાથી ગાંધીજીએ બ્રિટિશ સરકારને પ્રથમ વિશ્વયુદ્ધમાં પ્રત્યેક પ્રકારની સહાય કરી; પરંતુ યુદ્ધ પૂરું…

વધુ વાંચો >

જલોટા, અનુપ પુરુષોત્તમદાસ

જલોટા, અનુપ પુરુષોત્તમદાસ (જ. 29 જુલાઈ 1953, નૈનિતાલ) : ભક્તિગીતો અને ગઝલના પ્રસિદ્ધ ગાયક. ભારતીય ગીત-સંગીતના પવિત્ર ચરણોમાં પોતાના જીવનનું સર્વસ્વ અર્પણ કરનાર અનુપ જલોટા એક સક્ષમ અભિનેતા પણ છે, જેમણે ભજન અને ગઝલ ગાયકીના ક્ષેત્રે અવ્વલ સ્થાન પ્રાપ્ત કર્યું છે. ‘ભજનસમ્રાટ’ના નામે લોકપ્રિય એવા અનુપનો જન્મ નૈતિતાલ ખાતે પંજાબી…

વધુ વાંચો >

જલોત્સર્ગી (hydathode)

જલોત્સર્ગી (hydathode) : પાણીનું પ્રવાહી સ્વરૂપે ઉત્સર્જન કરતી પર્ણની કિનારી કે ટોચ પર આવેલી રચના. કેટલીક પ્રિમ્યુલા, ટ્રોપિયોલમ, ટમેટાં, સેક્સિફ્રેગા જેવી આવૃત બીજધારી વનસ્પતિ તેમજ હંસરાજ જેવી ત્રિઅંગી વનસ્પતિમાં જલોત્સર્ગી કે જલરન્ધ્ર જેવી વિશિષ્ટ રચના જોવા મળે છે; તેની દ્વારા બિંદૂત્સ્વેદન (પ્રવાહી સ્થિતિમાં પાણીનું ઉત્સર્જન) થાય છે. ખાસ કરીને અત્યંત…

વધુ વાંચો >

જલોદરારિ રસ

જલોદરારિ રસ : જળોદર રોગમાં વિરેચન (જુલાબ) માટે વપરાતું આયુર્વેદિક ઔષધ. લીંડીપીપર, કાળાં મરી, તામ્રભસ્મ, હળદર 1-1 ભાગ અને શુદ્ધ જમાલગોટા (નેપાળાનાં બીજ) 3 ભાગના સૂક્ષ્મ ચૂર્ણને થોરના દૂધમાં ખરલ કરીને બે રતીના માપની ગોળીઓ બનાવી સૂકવી તૈયાર કરવામાં આવે છે. વિરેચન થઈ જાય પછી દર્દીને સાંજે ખાટું દહીં અને…

વધુ વાંચો >

જશવંતસિંહ મહારાજા

Jan 21, 1996

જશવંતસિંહ મહારાજા (જ. ?  અ. ડિસેમ્બર 1678) : રાજસ્થાનના મારવાડ રાજ્યના રાઠોડ વંશના રાજવી તથા ગુજરાતના મુઘલ સૂબા. તેમના પિતા ગજસિંહને અમરસિંહ, જશવંતસિંહ અને અચલસિંહ એમ ત્રણ પુત્રો હતા. પિતાના મૃત્યુ પછી ભાયાતો તથા સરદારોએ સૌથી મોટા પુત્ર અમરસિંહને ગાદી માટે અયોગ્ય ઠરાવીને જશવંતસિંહને જોધપુરની ગાદી ઉપર બેસાડ્યા (મે, 1638).…

વધુ વાંચો >

જશુમતી કંકુવતી

Jan 21, 1996

જશુમતી કંકુવતી : ગુજરાતી નાટ્યસંગ્રહ. ‘બારાડીનાં બે નાટકો’ (1984) અંતર્ગત પ્રગટ થયેલું, 1980માં લખાયેલું ને 1982માં ભજવાયેલું દ્વિઅંકી નાટક. તેની રચના વનવેલી છંદમાં થયેલી છે. તે શોષણલક્ષી સામાજિક જીવનરીતિને પ્રતીકાત્મક રીતે નિરૂપે છે. મુગ્ધ કિશોરી જશુમતીને વય પ્રાપ્ત થતાં પરણાવી દેવાય છે ત્યાંથી શરૂ થતું શોષણ મુખ્યત્વે એને, ગૌણ ભાવે…

વધુ વાંચો >

જસતીકરણ

Jan 21, 1996

જસતીકરણ : લોખંડ કે સ્ટીલના પતરા કે દાગીના (work-piece) ઉપર જસતનો ઢોળ ચડાવવો તે. દુનિયાના જસતના ઉત્પાદનનો સારો એવો જથ્થો આ ક્રિયામાં વપરાય છે. આ માટે બે પદ્ધતિઓ છે : (અ) તપ્ત નિમજ્જી (hot dip) અને (બ) વિદ્યુત-ઢોળ પદ્ધતિ. તપ્ત નિમજ્જી પદ્ધતિમાં સ્ટીલને પિગાળેલા દ્રવ જસતમાં બોળવામાં આવે છે. આ…

વધુ વાંચો >

જસદણ

Jan 21, 1996

જસદણ : રાજકોટ જિલ્લાના રાજકોટ સબડિવિઝનમાં આવેલ તાલુકો અને તે જ નામનું તાલુકા – મથક. આ તાલુકામાં જસદણ અને વીંછિયા બે શહેરો અને 100 ગામો છે. જસદણ નામ ક્ષત્રપ રાજા ચષ્ટનના નામ ઉપરથી પડ્યું હોવાનું અનુમાન છે. આ તાલુકાની દક્ષિણે અમરેલી જિલ્લો, પશ્ચિમે રાજકોટ જિલ્લાના ગોંડળ, કોટડાસાંગાણી અને રાજકોટ તાલુકાઓ,…

વધુ વાંચો >

જસરાજજી

Jan 21, 1996

જસરાજજી (જ. 28 જાન્યુઆરી 1930, હિસાર, હરિયાણા) : ઉત્તર ભારતીય શાસ્ત્રીય સંગીતના મેરાતી ઘરાનાના વિખ્યાત ગાયક. પિતા મોતીરામજી શ્રેષ્ઠ કોટિના ગાયક હતા. તેમણે સંગીતની સાધના સર્વપ્રથમ તબલાની તાલીમથી શરૂ કરેલી. તેમના વડીલબંધુ મણિરામજીને જાહેર કાર્યક્રમોમાં તબલાની સંગત પૂરી પાડતી વખતે તેમણે અનુભવ્યું કે ગાયકનું સ્થાન તબલાવાદક કરતાં શ્રેષ્ઠ ગણાય છે.…

વધુ વાંચો >

જસહરચરિઉ (યશોધરચરિત)

Jan 21, 1996

જસહરચરિઉ (યશોધરચરિત) : મહાકવિ પુષ્પદન્ત (દશમી સદી) વિરચિત 4 સંધિમાં બદ્ધ અપભ્રંશ કાવ્ય. યશોધરની કથા જૈન સાહિત્યમાં ઘણી પ્રસિદ્ધ છે. જસહરચરિઉ પૂર્વે અને પછી અનેક કથાઓ અને કાવ્યો આ વિષય ઉપર રચાયેલાં મળે છે. સોમદેવરચિત પ્રસિદ્ધ યશસ્તિલકચમ્પૂ(સંસ્કૃત)નો વિષય પણ આ જ છે. પુષ્પદન્તે જસહરચરિઉની રચના રાષ્ટ્રકૂટ વંશના કૃષ્ણરાજ તૃતીયના મંત્રી…

વધુ વાંચો >

જસ્ટિનિયન–1

Jan 21, 1996

જસ્ટિનિયન–1 (જ. 483 ટોરેસિયસ, મેસિડોનિયા; અ. 14 નવેમ્બર, 565 કૉન્સ્ટૅન્ટિનોપલ) : વિખ્યાત બિઝેન્ટાઇન રોમન સમ્રાટ (527–565) અને રોમન ધારા સંહિતાનો રચયિતા. પૂર્ણ નામ : ફ્લેવિઅસ નીસ્ટનિયેનસ. મૂળ નામ : પેટ્રસ સેબેટિયસ હતું. તેના કાકા રોમન સમ્રાટ જસ્ટિને-1(518–527) તેને દત્તક લીધો હતો. જસ્ટિન-1ના મૃત્યુના થોડા મહિના પહેલાં જ તેણે સત્તાનાં સૂત્રો…

વધુ વાંચો >

જસ્ટિસિયા

Jan 21, 1996

જસ્ટિસિયા : દ્વિદળી વર્ગમાં આવેલા ઍકૅન્થેસી કુળની શાકીય કે ક્ષુપીય પ્રજાતિ. તેનું વિતરણ દુનિયાના ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં થયેલું છે. ભારતમાં તેની 50 જેટલી જાતિઓ નોંધાઈ છે. તેના સહસભ્યોમાં Thunbergia grandiflora (મોહન), પીળો કાંટાશેળિયો, અરડૂસી, રસેલિયા વગેરેનો સમાવેશ થાય છે. તેની જાણીતી જાતિઓમાં Justicia betorica Linn. (તે. તેલ્લારંટુ, તમ, વેલિમુંગિલ, મલા. વેલ્લાકુરુંજી,…

વધુ વાંચો >

જહાજગીરો અને માલગીરો ખત

Jan 21, 1996

જહાજગીરો અને માલગીરો ખત : જહાજની મરામત કરાવવા જેવી કે તેમાં ઉપકરણો બેસાડવા જેવી આવશ્યકતા સમુદ્રયાત્રા દરમિયાન ઓચિંતી ઊભી થાય અને કપ્તાન સમક્ષ નાણાં ઊભાં કરવાના અન્ય ઉપાયો રહ્યા ન હોય તથા જહાજમાલિકનો સંપર્ક સાધવાનું શક્ય ન હોય તો સમુદ્રયાત્રા સાંગોપાંગ પૂરી કરવામાં અંતરાયરૂપ બનેલી નાણાંની તીવ્ર કટોકટીને પહોંચી વળવા…

વધુ વાંચો >

જહાજવહન પત્ર (bill of lading; B/L)

Jan 21, 1996

જહાજવહન પત્ર (bill of lading; B/L) : માલ નિકાસ કરતી વખતે માલ જહાજ પર ચડાવ્યા અંગેનો દસ્તાવેજ. એમાં જહાજનું નામ, જહાજી કંપનીનું નામ, જ્યાં માલ મોકલવાનો હોય તે બંદરનું નામ, જહાજનો માર્ગ, માલનું વજન, માલથી રોકાયેલી જગ્યાનો નિર્દેશ, પાર્સલ પરની નિશાની વગેરે બાબતો દર્શાવવામાં આવે છે. આ ઉપરાંત એમાં જહાજી…

વધુ વાંચો >