૭.૧૬

છંદોલયથી જટામાંસી

છંદોલય

છંદોલય (1949) : ગુજરાતી કવિ નિરંજન ભગતનો પ્રથમ કાવ્યસંગ્રહ. ગીત, સૉનેટ, મુક્તક અને અન્ય છાંદસ મળી કુલ 52 કૃતિઓના આ સંગ્રહમાં છંદ અને લય પરનું કવિનું પ્રભુત્વ, રોમૅન્ટિક આવેગ અને પ્રશિષ્ટ કલા-ઇબારત; પ્રકૃતિ, મનુષ્ય, દેશપ્રેમ જેવા વિષયો; બાનીની સુઘડતા અને પ્રાસયોજનાની આકર્ષક ચુસ્તી ધ્યાન ખેંચે છે. અંગત પ્રેમની, અને તેમાંય…

વધુ વાંચો >

છાઉ

છાઉ : ભારતની વિશિષ્ટ નૃત્યશૈલી. ભારતનાં પૂર્વીય રાજ્યો બંગાળ, બિહાર અને ઓરિસામાં થતાં છાઉ નૃત્યો ભારતીય તેમજ દુનિયાની નૃત્યપરંપરાઓમાં આગવું સ્થાન ધરાવે છે. નૃત્યમાં થતો મહોરાંનો ઉપયોગ અને અનોખી દેહક્રિયા આ શૈલીની વિશિષ્ટતા છે. છાઉના મુખ્ય 3 પ્રકાર છે, જે તે વિસ્તારના નામથી ઓળખાય છે : બંગાળના પુરુલિયા જિલ્લાનું પુરુલિયા…

વધુ વાંચો >

છાગલાદ્ય ઘૃત

છાગલાદ્ય ઘૃત : ક્ષયરોગ તથા તેનાથી થયેલ ધાતુક્ષીણતા તેમજ ખાંસીમાં વપરાતું આયુર્વેદીય ઔષધ. તેમાં અરણી, અરલુ, પાટલા છાલ, શાલિપર્ણી, પૃષ્નીપર્ણી, ભોંયરીંગણી, ગોખરુ, શીવણમૂળ, બીલીમૂળ, અશ્વગંધા, શતાવરી, બલા, બકરાનું માંસ, જેઠીમધ, દ્રાક્ષ, અષ્ટવર્ગ, નીલોફર, નાગરમોથ, ચંદન, રાસ્ના, જીરું, સારિવા, વાવડિંગ, ચમેલી, ધાણા, હરડે, બહેડાં, મજીઠ, દાડમની છાલ, દેવદાર, કઠ, પ્રિયંગુ, કચૂરો,…

વધુ વાંચો >

છાતીનો દુખાવો

છાતીનો દુખાવો : છાતીમાં દુખવું તે. છાતીમાં દુખાવાનાં વિવિધ કારણો છે. છાતીની દીવાલમાં આવેલી પાંસળીઓ, સ્નાયુઓ, કરોડના મણકા તથા છાતીની અંદર આવેલા અવયવો (હૃદય, ફેફસાં, અન્નનળી) અને તેમનાં આવરણોના વિકારો અને રોગોમાં છાતીમાં દુખાવો થાય છે. સારણી 1 : છાતીના દુખાવાનાં કેટલાંક મહત્વનાં કારણો અવયવ વિકાર વિશિષ્ટતા હૃદય હૃદ્પીડ (angina…

વધુ વાંચો >

છાત્રપીડન (Ragging)

છાત્રપીડન (Ragging) : ઉચ્ચશિક્ષણની સંસ્થાઓમાં પ્રથમ વાર પ્રવેશ મેળવનારા વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને ‘આવકારવાના ઉદ્દેશ’થી તેમની સાથે જૂના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવતા અશોભનીય વ્યવહારનું કૃત્ય. ભારતની સર્વોચ્ચ અદાલતે આવાં કૃત્યોને માનવઅધિકારોનું હનન કહીને વખોડી કાઢ્યાં છે અને તેની નાબૂદી માટે કડક આદેશ આપ્યા છે. ઉપરાંત, વર્ષ 2005માં રાજ્યસભામાં આ બદી પર પ્રતિબંધ મૂકવા…

વધુ વાંચો >

છાયાજ્યોતિષ

છાયાજ્યોતિષ : સૂર્યપ્રકાશમાં લીધેલી માણસની છાયા ઉપરથી કુંડળી કાઢી તે દ્વારા ફલકથન કરી આપતું ફલજ્યોતિષનું એક અંગ. સૂર્યસિદ્ધાંતના ત્રિપ્રશ્નાધિકારમાં સમય નક્કી કરવા સારુ છાયા લેવાની વાત ઉલ્લેખાયેલી છે અને તેના ભૂગોલાધ્યાયમાં છાયા લેવા સારુ ઉપયોગમાં લેવાતાં જલયંત્ર, નરયંત્ર અને શંકુયંત્રનું વર્ણન છે. નરયંત્ર એટલે કે પ્રશ્નકર્તાની પોતાની જ છાયા અને…

વધુ વાંચો >

છાયાનાટ્ય

છાયાનાટ્ય : સંસ્કૃત નાટ્યશાસ્ત્ર અનુસાર રૂપકનો એક પ્રકાર. સંસ્કૃત નાટ્યશાસ્ત્રમાં રૂપકોના 10 પ્રકારો પૈકી ‘નાટક’ ગણાવ્યું છે, તેમાં ‘છાયાનાટ્ય’ કે ‘છાયાનાટક’ની ચર્ચાનો સમાવેશ થયેલો છે. તેરમી સદીના ગુજરાતના કવિ સોમેશ્વરે ‘છાયાનાટ્ય’ અને ‘છાયાનાટક’ના પ્રયોગો પોતાના ‘ઉલ્લાઘરાઘવ’માં કરી બતાવ્યા છે. આ બંને પ્રયોગો નાટ્યકલાનાં વિભિન્ન સ્વરૂપો છે. તે વિશે છાયાનાટ્યકલા અંગે…

વધુ વાંચો >

છાયા, રતિલાલ કાશીલાલ

છાયા, રતિલાલ કાશીલાલ (જ. 20 નવેમ્બર 1908, ભડ, જિ. જૂનાગઢ; અ. 16 ઑક્ટોબર, 1995, પોરબંદર) : સાગરકવિ તરીકે જાણીતા. મુંબઈ યુનિવર્સિટીમાંથી મૅટ્રિક્યુલેશન (1939) અને એસ.ટી.સી.(1944)માં પાસ. ભાવસિંહજી હાઈસ્કૂલમાં (1929–1967) ગુજરાતી-અંગ્રેજીના શિક્ષક. ‘ઝાકળનાં મોતી’ (1933), ‘સોહિણી’ (1951) તથા ‘હિંડોલ’ (1962) એ ત્રણ કાવ્યસંગ્રહો પૈકી ‘હિંડોલ’ને 1961–62ના વર્ષનું ગુજરાત રાજ્યનું પ્રથમ પારિતોષિક…

વધુ વાંચો >

છાયાવાદ

છાયાવાદ : આધુનિક હિન્દી કવિતાની 1918ની આસપાસ પ્રવર્તેલી કાવ્યધારા. દ્વિવેદીયુગની નીરસ, ઉપદેશપ્રધાન, વર્ણનાત્મક અને સ્થૂલ આદર્શવાદી રીતિકાલીન કાવ્યપ્રવૃત્તિઓના વિરોધમાં વિદ્રોહ રૂપે આ કાવ્યધારા પ્રવૃત્ત થઈ. આ કાવ્યધારા પર અંગ્રેજી રંગપ્રધાન (romantic) કવિઓ અને બંગાળના કવિ રવીન્દ્રનાથનો પ્રભાવ હતો. મુકુટધર પાંડેયે તેને નામ આપ્યું ‘છાયાવાદ’ અને આ જ નામ પ્રચલિત થઈ…

વધુ વાંચો >

છારો (mildew)

છારો (mildew) : વનસ્પતિમાં થતો એક ફૂગજન્ય રોગ. યજમાન વનસ્પતિનાં પાન, દાંડી કે ફળ પર સફેદ, ભૂખરા, બદામી કે અન્ય રંગની ભૂકી સ્વરૂપે ફૂગના અસંખ્ય બીજાણુઓ પ્રસરેલા હોય છે. વાસી બ્રેડ, કપડાં અને પડદા જેવી વસ્તુઓ પર આ ફૂગ પ્રસરતી હોય છે. આશરે 7181 જેટલી ફૂગની પ્રજાતિઓ વિશિષ્ટ યજમાન પર…

વધુ વાંચો >

જગતશેઠ

Jan 16, 1996

જગતશેઠ : અઢારમી સદીમાં થઈ ગયેલા ધનકુબેર શરાફ હીરાનંદના વંશજ ફતેહચંદને મુઘલ બાદશાહ મુહમ્મદશાહે આપેલું બિરુદ. મરકત મણિ ઉપર ‘જગતશેઠ’ કોતરાવી તે ભેટ આપેલો. મુઘલકાળ અને તે પૂર્વે મુસ્લિમ બાદશાહો તથા અન્ય રજપૂત, મરાઠા વગેરે રાજવીઓને નાણાભીડના પ્રસંગે આવા શરાફો અંગ ઉધાર કે મહેસૂલ, જકાત વગેરે ઉઘરાવવાનો ઇજારો મેળવી નાણાં…

વધુ વાંચો >

જગતારસિંગ, ડૉ.

Jan 16, 1996

જગતારસિંગ, ડૉ. (જ. 6 જૂન, 1935, રાજગોમલ, જિ. જલંધર, પંજાબ; અ. 31 માર્ચ, 2010) : પંજાબી કવિ. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘જુગનૂ દીવા તે દરિયા’ બદલ 1995ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર  મળ્યો છે. તેમણે પંજાબ યુનિવર્સિટીમાંથી પંજાબી, ઉર્દૂ તથા પર્શિયન ભાષામાં એમ.એ.ની ડિગ્રી પ્રથમ વર્ગમાં પ્રથમ નંબરે પ્રાપ્ત કરી. 1942થી…

વધુ વાંચો >

જગતી

Jan 16, 1996

જગતી : જુઓ છંદ

વધુ વાંચો >

જગત્તુંગ

Jan 16, 1996

જગત્તુંગ : જુઓ ગોવિંદ 3જો

વધુ વાંચો >

જગદાલપુર

Jan 16, 1996

જગદાલપુર : ભારતના છત્તીસગઢ રાજ્યના બસ્તર જિલ્લામાં આવેલું શહેર. 19° 04’ ઉત્તર અક્ષાંશ, 82° 02’ પૂર્વ રેખાંશ ઉપર આવેલું છે. બસ્તરના મહારાજાએ આ શહેરની સ્થાપના કરી હતી. આ શહેર ઇન્દ્રાવતી નદીની દક્ષિણે આવેલું છે. આ શહેર ચારે બાજુ ગીચ જંગલોથી ઘેરાયેલ છે. આ શહેરથી 104 કિમી. દૂર સિંગભૂમનાં લોહઅયસ્ક ક્ષેત્રો…

વધુ વાંચો >

જગદીશ ફિલ્મ કંપની (1928)

Jan 16, 1996

જગદીશ ફિલ્મ કંપની (1928) : મૂક ચલચિત્રોના ગાળામાં ગુજરાતીઓએ સ્થાપેલી મુંબઈ ચલચિત્ર ઉદ્યોગની એક મહત્વની નિર્માણ કંપની. તેના સ્થાપકો અને સંચાલકો હતા માધવદાસ પાસ્તા અને ચંદુલાલ શાહ. પટકથાલેખન અને દિગ્દર્શનક્ષેત્રે સ્વતંત્ર પ્રતિભા ધરાવતા ચંદુલાલ શાહને ભાગીદાર બનાવી રૂ બજારના વેપારી માધવદાસ પાસ્તાએ આ ફિલ્મ કંપનીની સ્થાપના કરી હતી. મિસ ગોહર…

વધુ વાંચો >

જગન, ચેડ્ડી

Jan 16, 1996

જગન, ચેડ્ડી (જ. 22 માર્ચ 1918, જ્યૉર્જટાઉન, ગુયાના; અ. 6 માર્ચ 1997, વૉશિંગ્ટન ડી. સી., યુનાઇટેડ સ્ટેટ્સ) : દક્ષિણ અમેરિકાના ઈશાન કિનારે આવેલા ગુએના(બ્રિટિશ ગિયાના)ના 1992માં ચૂંટાઈ આવેલા પ્રમુખ અને રાષ્ટ્રવાદી નેતા. ચેડ્ડી જગન મૂળ હિન્દી કુળના છે. તેમણે યુ.એસ.એ.ની હાર્વર્ડ અને નૉર્થ વેસ્ટર્ન યુનિવર્સિટીઓમાં અભ્યાસ કર્યો. ડાબેરી વલણોવાળી પીપલ્સ…

વધુ વાંચો >

જગન્નાથન, કે. વી.

Jan 16, 1996

જગન્નાથન, કે. વી. (જ. 11 એપ્રિલ 1906, કૃષ્ણનારાયણપુરા, તમિળનાડુ, અ. 4 નવેમ્બર 1988) : પ્રશિષ્ટ તમિળ સાહિત્યના અને શૈવ ભક્તિસાહિત્યના સર્જક અને વિદ્વાન. તેમણે ટૂંકી વાર્તા, ભ્રમણવૃત્ત અને કવિતાના સર્જન ઉપરાંત ભક્તિસાહિત્ય વિશે નિબંધો લખ્યા છે. તેમના પ્રશિષ્ટ સાહિત્ય પરના નિબંધો અને પ્રાચીન વીરોનાં રેખાચિત્રોનો સંગ્રહ ‘વિરાર ઉલગમ્’(1965)ને 1967નો સાહિત્ય…

વધુ વાંચો >

જગન્નાથ પંડિતરાજ

Jan 16, 1996

જગન્નાથ પંડિતરાજ (જ. 1590; અ. 1665) : સંસ્કૃત સાહિત્યના ઉત્તરમધ્ય કાલના પ્રતિભાવાન કવિ, કાવ્યશાસ્ત્રકાર અને બહુશ્રુત વિદ્વાન. આંધ્રના વેંગી નાડી કુલના તૈલંગ બ્રાહ્મણ. ગોદાવરી જિલ્લાનું મુંગુડુ કે મુંગુજ ગામ તેમનું વતન. પિતા પેરમ કે પેરુભટ્ટ અને માતા લક્ષ્મી. જગન્નાથના પિતા કાશીમાં નિવાસ કરતા હતા તેથી તેમનું બાલ્ય કાશીમાં વીત્યું. પિતાને…

વધુ વાંચો >

જગન્નાથપુરી

Jan 16, 1996

જગન્નાથપુરી : ભારતના પૂર્વભાગમાં ઓડિસા રાજ્યમાં 20° ઉ. અક્ષાંશ અને 86° પૂ. રેખાંશ પર બંગાળના ઉપસાગરને કિનારે આવેલું સુપ્રસિદ્ધ નગર. કૉલકાતાથી 500 કિમી. દક્ષિણે, ચેન્નાઈથી 1000 કિમી. ઉત્તરે રેલવે માર્ગથી જોડાયેલું આ નગર કટક શહેરથી દક્ષિણ-પશ્ચિમે 40 કિમી.ના અંતરે છે. ભારતના પૂર્વ-પશ્ચિમ છેડાઓને જોડતો ઓખાપુરી રેલમાર્ગ શરૂ થયો છે. ઈ.…

વધુ વાંચો >