૭.૧૬

છંદોલયથી જટામાંસી

જગન્નાથપુરી

જગન્નાથપુરી : ભારતના પૂર્વભાગમાં ઓડિસા રાજ્યમાં 20° ઉ. અક્ષાંશ અને 86° પૂ. રેખાંશ પર બંગાળના ઉપસાગરને કિનારે આવેલું સુપ્રસિદ્ધ નગર. કૉલકાતાથી 500 કિમી. દક્ષિણે, ચેન્નાઈથી 1000 કિમી. ઉત્તરે રેલવે માર્ગથી જોડાયેલું આ નગર કટક શહેરથી દક્ષિણ-પશ્ચિમે 40 કિમી.ના અંતરે છે. ભારતના પૂર્વ-પશ્ચિમ છેડાઓને જોડતો ઓખાપુરી રેલમાર્ગ શરૂ થયો છે. ઈ.…

વધુ વાંચો >

જગન્નાથ બુવા પુરોહિત

જગન્નાથ બુવા પુરોહિત (જ. હૈદરાબાદ; અ. 11 ઑક્ટોબર 1968, ડોંબિવલી, મુંબઈ) : જાણીતા ભારતીય શાસ્ત્રીય સંગીતકાર. જન્મ પુરોહિત કુટુંબમાં. બાળપણમાં માતાપિતાની છત્રછાયાથી વંચિત, અત્યંત દરિદ્રતામાં તેમણે બાળપણ વિતાવેલું. પરિણામે તેઓ શાળાકીય અભ્યાસથી વંચિત રહેલા. બાળપણથી જ સંગીત પ્રત્યેની લગનના કારણે ગુરુની શોધમાં તેઓ રઝળપાટ કરતા. સંગીતની સર્વપ્રથમ શિક્ષા તેમણે ઘણી…

વધુ વાંચો >

જગન્નાથ સમ્રાટ (અઢારમી સદી)

જગન્નાથ સમ્રાટ (અઢારમી સદી) : ‘સિદ્ધાંત સમ્રાટ’ નામે ખગોળ-શાસ્ત્રીય ગ્રંથના રચયિતા, વિખ્યાત જ્યોતિર્વિદ. જયપુર નગર વસાવનાર મહારાજા સવાઈ જયસિંહ(રાજ્યારોહણ ઈ. સ. 1693)ની સભાના પ્રસિદ્ધ ખગોળશાસ્ત્રી હતા. મહારાજા સવાઈ જયસિંહ પોતે ખગોળ જ્યોતિષના સંશોધક હતા. ગ્રહગણિતની સુધારણામાં તેમનું સ્થાન અગ્રિમ હતું. તેમની સભામાં અનેક ગણિતવિદો તથા જ્યોતિષશાસ્ત્રીઓ હતા. સમ્રાટ જગન્નાથ તે…

વધુ વાંચો >

જગમલ મેહર

જગમલ મેહર : ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ટિમ્બાણક (હાલનું ટિમાણા) ગામનો શાસક. એણે ઈ. સ. 1208 (વિ.સં. 1264)માં તળાજા તીર્થમાં બે શિવાલય બંધાવીને એના નિભાવ માટે જમીન આપી હતી એવી વિગત એક તામ્રપત્રમાંથી જાણવા મળે છે. એ તામ્રપત્રમાં એનો ઉલ્લેખ ‘મેહરરાજ’ તરીકે કરવામાં આવ્યો છે. ભીમદેવ 2જાનો મહાઅમાત્ય રાણક ચાચિંગદેવ…

વધુ વાંચો >

જગમોહન, ‘સૂરસાગર’ ‘ગીતિરત્ન’

જગમોહન, ‘સૂરસાગર’ ‘ગીતિરત્ન’ (જ. 6 સપ્ટેમ્બર 1918, કૉલકાતા; અ. 3 સપ્ટેમ્બર, 2003, મુંબઈ) : હિંદી સુગમ સંગીતના વિખ્યાત ગાયક તથા સ્વરરચનાકાર. પિતા જતીન્દ્રનાથ મિત્રના પચીસ વરસની વયે થયેલા અવસાન પછી એક મહિને જન્મેલા જગમોહનનું મૂળ વતન માલાગ્રામ. મૂળ નામ જગન્મય. બંગાળના રાજકુટુંબના દિગંબર મિત્રના પારિવારિક વંશજ એવા જગમોહનની નિસર્ગદત્ત સંગીતપ્રતિભા…

વધુ વાંચો >

જગાધરી

જગાધરી : હરિયાણા રાજ્યના યમુનાનગર જિલ્લામાં આવેલું શહેર. તે 33° 10’ ‘ઉત્તર અક્ષાંશ, 77° 18’ પૂર્વ રેખાંશ પર આવેલું છે. તેના નિર્માણમાં ગંગા નદીનો ફાળો અધિક હોવાથી તેને પહેલાં ગંગાધરી તરીકે ઓળખતા, પ્રાચીન સમયમાં પરંતુ અપભ્રંશ થતાં તે આજે જગાધરી તરીકે ઓળખાય છે. જગાધરી નજીક સુધ ગામ આવેલ છે. ઈ.…

વધુ વાંચો >

જગૂડી, લીલાધર

જગૂડી, લીલાધર (જ. 1 જુલાઈ 1944, ઢાંગણ ગામ, ટેહરી, ગઢવાલ, ઉત્તરપ્રદેશ) : ઉત્તરપ્રદેશના જાણીતા કવિ, પ્રાધ્યાપક અને સંપાદક. તેમને તેમના હિંદી કાવ્યસંગ્રહ ‘અનુભવ કે આકાશ મેં ચાંદ’ માટે 1997ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે હિંદીમાં એમ.એ.ની પદવી મેળવી છે. તેમણે 1961-62માં ગઢવાસ રેજિમેન્ટમાં સૈનિક તરીકે અને…

વધુ વાંચો >

જગ્ગુ, વકુલભૂષણ

જગ્ગુ, વકુલભૂષણ (જ. 1902, છત્રઘોષ, જિ. માંડય કર્ણાટક; અ. 1992) : સંસ્કૃત અને કન્નડ ભાષાના પ્રકાંડ પંડિત. તેમને તેમના અઢાર વર્ષની વયે રચેલા ગદ્યકાવ્ય ‘જયન્તિકા’ ગ્રંથ માટે 1993ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેમનું મૂળ નામ જગ્ગુ આલવાર આયંગર હતું. તેમણે ‘જગ્ગુ વકુલભૂષણ’ના નામથી વિવિધ શૈલીઓમાં લગભગ 90…

વધુ વાંચો >

જટામાંસી (Nardus root)

જટામાંસી (Nardus root) : હિમાલયમાં કુમાઉંથી પૂર્વ સિક્કિમ સુધીના વિસ્તારમાં 3000થી 5000 મી.ની ઊંચાઈએ ઊગતા Spikenard અથવા Indian Nard(Nardostachys jatamansi, કુટુંબ Valerianaceae)ના સૂકા પ્રકંદ (rhizomes). તે વૅલેરિયનને બદલે વપરાય છે. આ પ્રકંદ 1થી 5 સેમી. લાંબા અને 0.5થી 3 સેમી. વ્યાસવાળા, નળાકાર, બદામીથી ભૂખરા રંગના હોય છે. તેના ઉપર લાલથી…

વધુ વાંચો >

છંદોલય

Jan 16, 1996

છંદોલય (1949) : ગુજરાતી કવિ નિરંજન ભગતનો પ્રથમ કાવ્યસંગ્રહ. ગીત, સૉનેટ, મુક્તક અને અન્ય છાંદસ મળી કુલ 52 કૃતિઓના આ સંગ્રહમાં છંદ અને લય પરનું કવિનું પ્રભુત્વ, રોમૅન્ટિક આવેગ અને પ્રશિષ્ટ કલા-ઇબારત; પ્રકૃતિ, મનુષ્ય, દેશપ્રેમ જેવા વિષયો; બાનીની સુઘડતા અને પ્રાસયોજનાની આકર્ષક ચુસ્તી ધ્યાન ખેંચે છે. અંગત પ્રેમની, અને તેમાંય…

વધુ વાંચો >

છાઉ

Jan 16, 1996

છાઉ : ભારતની વિશિષ્ટ નૃત્યશૈલી. ભારતનાં પૂર્વીય રાજ્યો બંગાળ, બિહાર અને ઓરિસામાં થતાં છાઉ નૃત્યો ભારતીય તેમજ દુનિયાની નૃત્યપરંપરાઓમાં આગવું સ્થાન ધરાવે છે. નૃત્યમાં થતો મહોરાંનો ઉપયોગ અને અનોખી દેહક્રિયા આ શૈલીની વિશિષ્ટતા છે. છાઉના મુખ્ય 3 પ્રકાર છે, જે તે વિસ્તારના નામથી ઓળખાય છે : બંગાળના પુરુલિયા જિલ્લાનું પુરુલિયા…

વધુ વાંચો >

છાગલાદ્ય ઘૃત

Jan 16, 1996

છાગલાદ્ય ઘૃત : ક્ષયરોગ તથા તેનાથી થયેલ ધાતુક્ષીણતા તેમજ ખાંસીમાં વપરાતું આયુર્વેદીય ઔષધ. તેમાં અરણી, અરલુ, પાટલા છાલ, શાલિપર્ણી, પૃષ્નીપર્ણી, ભોંયરીંગણી, ગોખરુ, શીવણમૂળ, બીલીમૂળ, અશ્વગંધા, શતાવરી, બલા, બકરાનું માંસ, જેઠીમધ, દ્રાક્ષ, અષ્ટવર્ગ, નીલોફર, નાગરમોથ, ચંદન, રાસ્ના, જીરું, સારિવા, વાવડિંગ, ચમેલી, ધાણા, હરડે, બહેડાં, મજીઠ, દાડમની છાલ, દેવદાર, કઠ, પ્રિયંગુ, કચૂરો,…

વધુ વાંચો >

છાતીનો દુખાવો

Jan 16, 1996

છાતીનો દુખાવો : છાતીમાં દુખવું તે. છાતીમાં દુખાવાનાં વિવિધ કારણો છે. છાતીની દીવાલમાં આવેલી પાંસળીઓ, સ્નાયુઓ, કરોડના મણકા તથા છાતીની અંદર આવેલા અવયવો (હૃદય, ફેફસાં, અન્નનળી) અને તેમનાં આવરણોના વિકારો અને રોગોમાં છાતીમાં દુખાવો થાય છે. સારણી 1 : છાતીના દુખાવાનાં કેટલાંક મહત્વનાં કારણો અવયવ વિકાર વિશિષ્ટતા હૃદય હૃદ્પીડ (angina…

વધુ વાંચો >

છાત્રપીડન (Ragging)

Jan 16, 1996

છાત્રપીડન (Ragging) : ઉચ્ચશિક્ષણની સંસ્થાઓમાં પ્રથમ વાર પ્રવેશ મેળવનારા વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને ‘આવકારવાના ઉદ્દેશ’થી તેમની સાથે જૂના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવતા અશોભનીય વ્યવહારનું કૃત્ય. ભારતની સર્વોચ્ચ અદાલતે આવાં કૃત્યોને માનવઅધિકારોનું હનન કહીને વખોડી કાઢ્યાં છે અને તેની નાબૂદી માટે કડક આદેશ આપ્યા છે. ઉપરાંત, વર્ષ 2005માં રાજ્યસભામાં આ બદી પર પ્રતિબંધ મૂકવા…

વધુ વાંચો >

છાયાજ્યોતિષ

Jan 16, 1996

છાયાજ્યોતિષ : સૂર્યપ્રકાશમાં લીધેલી માણસની છાયા ઉપરથી કુંડળી કાઢી તે દ્વારા ફલકથન કરી આપતું ફલજ્યોતિષનું એક અંગ. સૂર્યસિદ્ધાંતના ત્રિપ્રશ્નાધિકારમાં સમય નક્કી કરવા સારુ છાયા લેવાની વાત ઉલ્લેખાયેલી છે અને તેના ભૂગોલાધ્યાયમાં છાયા લેવા સારુ ઉપયોગમાં લેવાતાં જલયંત્ર, નરયંત્ર અને શંકુયંત્રનું વર્ણન છે. નરયંત્ર એટલે કે પ્રશ્નકર્તાની પોતાની જ છાયા અને…

વધુ વાંચો >

છાયાનાટ્ય

Jan 16, 1996

છાયાનાટ્ય : સંસ્કૃત નાટ્યશાસ્ત્ર અનુસાર રૂપકનો એક પ્રકાર. સંસ્કૃત નાટ્યશાસ્ત્રમાં રૂપકોના 10 પ્રકારો પૈકી ‘નાટક’ ગણાવ્યું છે, તેમાં ‘છાયાનાટ્ય’ કે ‘છાયાનાટક’ની ચર્ચાનો સમાવેશ થયેલો છે. તેરમી સદીના ગુજરાતના કવિ સોમેશ્વરે ‘છાયાનાટ્ય’ અને ‘છાયાનાટક’ના પ્રયોગો પોતાના ‘ઉલ્લાઘરાઘવ’માં કરી બતાવ્યા છે. આ બંને પ્રયોગો નાટ્યકલાનાં વિભિન્ન સ્વરૂપો છે. તે વિશે છાયાનાટ્યકલા અંગે…

વધુ વાંચો >

છાયા, રતિલાલ કાશીલાલ

Jan 16, 1996

છાયા, રતિલાલ કાશીલાલ (જ. 20 નવેમ્બર 1908, ભડ, જિ. જૂનાગઢ; અ. 16 ઑક્ટોબર, 1995, પોરબંદર) : સાગરકવિ તરીકે જાણીતા. મુંબઈ યુનિવર્સિટીમાંથી મૅટ્રિક્યુલેશન (1939) અને એસ.ટી.સી.(1944)માં પાસ. ભાવસિંહજી હાઈસ્કૂલમાં (1929–1967) ગુજરાતી-અંગ્રેજીના શિક્ષક. ‘ઝાકળનાં મોતી’ (1933), ‘સોહિણી’ (1951) તથા ‘હિંડોલ’ (1962) એ ત્રણ કાવ્યસંગ્રહો પૈકી ‘હિંડોલ’ને 1961–62ના વર્ષનું ગુજરાત રાજ્યનું પ્રથમ પારિતોષિક…

વધુ વાંચો >

છાયાવાદ

Jan 16, 1996

છાયાવાદ : આધુનિક હિન્દી કવિતાની 1918ની આસપાસ પ્રવર્તેલી કાવ્યધારા. દ્વિવેદીયુગની નીરસ, ઉપદેશપ્રધાન, વર્ણનાત્મક અને સ્થૂલ આદર્શવાદી રીતિકાલીન કાવ્યપ્રવૃત્તિઓના વિરોધમાં વિદ્રોહ રૂપે આ કાવ્યધારા પ્રવૃત્ત થઈ. આ કાવ્યધારા પર અંગ્રેજી રંગપ્રધાન (romantic) કવિઓ અને બંગાળના કવિ રવીન્દ્રનાથનો પ્રભાવ હતો. મુકુટધર પાંડેયે તેને નામ આપ્યું ‘છાયાવાદ’ અને આ જ નામ પ્રચલિત થઈ…

વધુ વાંચો >

છારી ઢંઢ (કચ્છ)

Jan 16, 1996

છારી ઢંઢ (કચ્છ) : પક્ષીઓનું સ્વર્ગ (રામસર સાઇટ). કચ્છ જિલ્લામાં કચ્છના રણના શુષ્ક બન્ની ઘાસનાં મેદાનો અને કળણવાળા મીઠાનાં મેદાનોની ધાર પર સ્થિત, છારી ઢંઢ વેટલૅન્ડ કન્ઝર્વેશન રિઝર્વ ભારતમાં એક સંરક્ષિત જળપ્લાવિત ક્ષેત્ર છે. સ્થાનિક કચ્છી ભાષામાં, છારીનો અર્થ “ખારી” અને ઢંઢનો અર્થ “છીછરી ભીની જમીન” થાય છે. આ મોસમી…

વધુ વાંચો >