૬(૧).૧૬

ખેરથી ગજ્જર અર્જુનકુમાર પ્રાગજીભાઈ

ખ્રેનિકૉવ, તિખૉન નિકૉલાયેવિચ

ખ્રેનિકૉવ, તિખૉન નિકૉલાયેવિચ (Khrennikov, Tikhon Nikolayevich) (જ. 10 જૂન 1913, યેલેટ્સ, ઓર્લોવ જિલ્લો, રશિયા; અ. 14 ઑગસ્ટ 2007) : રશિયન સંગીતકાર અને સંગીતનિયોજક. સોવિયેત શાસન દરમિયાન સામ્યવાદી સોવિયેત શાસકોના હાથારૂપ બનવા માટે તે હંમેશાં વિવાદાસ્પદ રહ્યા છે. બાળપણથી જ ખ્રેનિકૉવે પિયાનોવાદન શીખવું શરૂ કરેલું. પંદર વરસની વયે મૉસ્કો જઈ ગ્નેસિન…

વધુ વાંચો >

ખ્વાજા અહમદ નિઝામુદ્દીન બખ્શી

ખ્વાજા અહમદ નિઝામુદ્દીન બખ્શી (ઈ. સ. 1549 – ઈ. સ.1594) : મુઘલ શહેનશાહ અકબરના સમયના ઇતિહાસકાર. હિંદના ઇતિહાસોમાં પ્રખ્યાત એવા ઇતિહાસ-પુસ્તક ‘તબકાતે અકબરી’ના કર્તા. તેમના પિતા ખ્વાજા મુકીય હરવી મુઘલ શાહ બાબરના અંગત કારભારી હતા. ગુજરાતના હાકેમ મીરજા અસકરીના વજીર તરીકેની પણ તેમણે સેવાઓ આપેલી. નિઝામુદ્દીન બખ્શીને શાહી સેવાનો લાભ…

વધુ વાંચો >

ખ્વાજા ગુલામુસ્સૈયદેન

ખ્વાજા ગુલામુસ્સૈયદેન (જ. 12 ઑક્ટોબર, 1904, પાણીપત; અ. 1971) : ભારતના ગણનાપાત્ર શિક્ષણશાસ્ત્રી અને ભારત સરકારના શૈક્ષણિક સલાહકાર. પિતા ખ્વાજા ગુલામુસ્સક્લિની જાણીતા શિક્ષણશાસ્ત્રી અને સાહિત્યકાર હતા. તેમણે પ્રાથમિક શિક્ષણ પિતાની સીધી દેખરેખ નીચે શરૂ કરી કુરાને શરીફ વગેરેનો નાની વયમાં અભ્યાસ કર્યો હતો. 1919માં પંજાબ યુનિવર્સિટીમાંથી મૅટ્રિક્યુલેશન પરીક્ષા ઉત્તીર્ણ કરી.…

વધુ વાંચો >

ખ્વાજા દાના સાહેબ

ખ્વાજા દાના સાહેબ (જ. -; અ. 1607, સૂરત) : સોળમી સદીના સૂરતના મુસ્લિમ વિદ્વાન, સંત અને શિક્ષક. તેઓ એમના કેટલાક શિષ્યો સાથે બુખારાથી અજમેર થઈને આશરે ઈ. સ. 1549(હી. સં. 956)માં સૂરત આવ્યા અને ત્યાં જ વસ્યા. તેઓ ગરીબ, અપંગ, નિરાધાર અને હાજી લોકોની સેવા કરતા. પોતે પણ હાજી હતા.…

વધુ વાંચો >

ખ્વાજા નઝિમુદ્દીન

ખ્વાજા નઝિમુદ્દીન (જ. 19 જુલાઈ 1894, ઢાકા; અ. 22 ઑક્ટોબર 1964, ઢાકા) : અગ્રણી રાજનીતિજ્ઞ તથા પાકિસ્તાનના ભૂતપૂર્વ ગવર્નર જનરલ. અમીર કુટુંબમાં જન્મ. પિતા ખ્વાજા નિઝામુદ્દીન ધનિક જમીનદાર હતા. શરૂઆતનું શિક્ષણ ઢાકા ખાતે લીધા પછી ઉચ્ચ શિક્ષણ અલીગઢ તથા ઇંગ્લૅન્ડ ખાતે લીધું. મુસ્લિમ સમાજના પ્રશ્નોમાં શરૂઆતથી જ રુચિ ધરાવતા. મહમદઅલી…

વધુ વાંચો >

ખ્વાજા, મહમૂદ ગાવાન

ખ્વાજા, મહમૂદ ગાવાન (જ. 1405) : ફારસી કવિ અને લેખક. મુહમ્મદ ગીલાની ઉર્ફે મહમૂદ ગાવાન. પિતા ઇમાદુદ્દીન મહમૂદ. તેમના પૂર્વજો ગીલાન રાજ્યમાં મંત્રીપદ પર હતા. ખ્વાજા મહમૂદ ગાવાન ગણિતશાસ્ત્ર અને વિજ્ઞાનક્ષેત્રમાં પણ પ્રવીણ હતા. યુવાનીમાં રાજકીય સ્પર્ધાને કારણે કેટલાક દ્વેષીઓના કાવતરાને લીધે ગીલાન છોડવાની ફરજ પડેલી. તેમણે વ્યાપારનો વ્યવસાય લીધો…

વધુ વાંચો >

ખ્વાજા મોહંમદ માસૂમ સરહિન્દી

ખ્વાજા મોહંમદ માસૂમ સરહિન્દી (જ. 7 મે 1599; અ. 17 ઑગસ્ટ 1668) : ભારતમાં ખ્યાતિ પામેલ સૂફી સિલસિલામાંના એક સુપ્રસિદ્ધ સૂફી વિદ્વાન. તેઓ મુજદ્દદ અલ્ફસાની શેખ અહમદ સરહિન્દીના પુત્ર હતા. 14 વર્ષની ઉંમરે જરૂરી શિક્ષણ મેળવીને તેઓ અધ્યાત્મ તરફ વળ્યા. પ્રભુ પ્રત્યેની તેમની શ્રદ્ધા અને ઊંડી ભક્તિભાવનાના કારણે તેઓ કેટલીક…

વધુ વાંચો >

ખ્વાજા હાફિઝ શિરાઝી

ખ્વાજા હાફિઝ શિરાઝી (જ : હિ. સ. 726, શિરાઝ, ઈરાન; અ. હિ. સ. 791, શિરાઝ, ઈરાન) : પ્રસિદ્ધ ઈરાની કવિ. નામ શમ્સુદ્દીન. પિતાનું નામ બહાઉદ્દીન અથવા કમાલુદ્દીન. ઈરાનના અતાબિકોના સમયમાં હાફિઝના પિતા અસ્ફહાનથી શિરાઝ આવીને વસ્યા હતા અને વેપાર કરતા હતા. બાળપણમાં જ તેમના પિતાનું અવસાન થતાં હાફિઝને આજીવિકા માટે…

વધુ વાંચો >

ગઉડવહો (ગૌડવધ)

ગઉડવહો (ગૌડવધ) (આઠમી સદી) : જાણીતું પ્રાકૃત મહાકાવ્ય. તે વાકપતિરાજે પોતાના આશ્રયદાતા કનોજના રાજા યશોવર્માની પ્રશંસા અર્થે આર્યા છંદમાં રચેલું. આ કાવ્ય તેમણે આઠમી સદીની શરૂઆતમાં રચ્યું છે એમ વિદ્વાનો માને છે. તે સર્ગોને બદલે કુલકોમાં વહેંચાયેલું છે. (એક વિગતનું વર્ણન કરતાં પાંચથી પંદર પદ્યોનો સમૂહ તે કુલક.) તેમાં કુલ…

વધુ વાંચો >

ગગનચુંબી મકાનો

ગગનચુંબી મકાનો : આકાશને જાણે અડતી હોય તેવો ભાસ કરાવતી ખૂબ ઊંચી બહુમાળી ઇમારતો. આજકાલના ઔદ્યોગિકીકરણના યુગમાં વિકસિત અને વિકાસ પામતા દેશોમાં રહેઠાણની સમસ્યા હલ કરવાના હેતુથી અને ઓછી જમીનની ઉપલબ્ધિમાં ઔદ્યોગિક ગૃહોનાં વ્યાપારી સંકુલોની જરૂરિયાતો સંતોષવા માટે પાંચ કરતાં વધુ મજલાવાળાં બહુમાળી મકાનો અસ્તિત્વમાં આવ્યાં છે, જેમને કેટલાક ગગનચુંબી…

વધુ વાંચો >

ખેર

Jan 16, 1994

ખેર : દ્વિદળી વર્ગમાં આવેલા માઇમોઝેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Acacia catechu Wild. (સં. ખદિર; મ. હિં. ક. ખૈર; તે. ખાસુ, ખદિરમુ; મલા. કરનિલિ; ત. વોડાલે; અં. કચ ટ્રી) છે. તે મધ્યમ કદનું પીંછાકાર પર્ણમુકુટ (crown) ધરાવતું પર્ણપાતી (deciduous) વૃક્ષ છે અને મિશ્ર વનોના શુષ્ક પ્રકારોમાં વિવિધ પ્રકારની…

વધુ વાંચો >

ખેર, અનુપમ

Jan 16, 1994

ખેર, અનુપમ (જ. 7 માર્ચ 1955, સિમલા) : ભારતના ચલચિત્રજગતના પ્રતિભાસંપન્ન ચરિત્ર-અભિનેતા. તેઓ ભણ્યા ચંડીગઢમાં, અભિનયના શિક્ષક બન્યા દિલ્હીમાં અને અભિનયની પરમ સિદ્ધિ પર પહોંચ્યા મુંબઈમાં. તદ્દન મધ્યમ વર્ગના પરિવારના હોવા છતાં કોઈ ચીજનો અભાવ તેમણે જોયો નથી. અભ્યાસ દરમિયાન શાળાનાં નાટકોમાં ભૂમિકા કરતા અને ઇનામો જીતતા. નાટ્યવિદ્યાનો અભ્યાસ તેમણે…

વધુ વાંચો >

ખેર, બાળ ગંગાધર

Jan 16, 1994

ખેર, બાળ ગંગાધર (જ. 24 ઑગસ્ટ 1888, રત્નાગિરિ; અ. 8 માર્ચ 1957, મુંબઈ) : મુંબઈ રાજ્યના અગ્રણી રાજકીય નેતા અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી. પિતાની ઇચ્છાને માન આપી અંગ્રેજી શિક્ષણ લેવા માટે પુણેની ન્યૂ ઇંગ્લિશ સ્કૂલમાં દાખલ થયા અને ત્યાંથી 1902માં મૅટ્રિકની પરીક્ષા પાસ કરી. મુંબઈની વિલ્સન કૉલેજમાંથી 1906માં બી.એ.ની પરીક્ષામાં સંસ્કૃત…

વધુ વાંચો >

ખેરસન (ચેરસન)

Jan 16, 1994

ખેરસન (ચેરસન) : દક્ષિણ-મધ્ય યુક્રેનનો એક જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લાનું મુખ્ય શહેર અને વહીવટી કેન્દ્ર. ભૌ. સ્થાન : 46o 38′ ઉ. અ. અને 32o 35′ પૂ. રે. યુક્રેનમાં આવેલી નીપર નદીના મુખથી ઉપરવાસ 30 કિમી. દૂર તે આવેલું છે. તે પ્રાચીન ગ્રીક વસાહતને સ્થાને વસ્યા બાદ તેનો…

વધુ વાંચો >

ખેરાળુ

Jan 16, 1994

ખેરાળુ : મહેસાણા જિલ્લાનો તાલુકો અને તે જ નામનું તાલુકામથક અને નગર. તાલુકાની પૂર્વ સરહદે સાબરમતી નદી અને સાબરકાંઠા જિલ્લો, ઉત્તરે બનાસકાંઠા, પશ્ચિમે સિદ્ધપુર અને વિસનગર તાલુકાઓ અને દક્ષિણે વિજાપુર તાલુકો આવેલા છે. તાલુકાનું ક્ષેત્રફળ 954.8 ચોકિમી. છે અને તેમાં વડનગર અને ખેરાળુ બે શહેરો અને 167 ગામડાં છે. તાલુકાનો…

વધુ વાંચો >

ખેરી (લખીમપુર ખેરી)

Jan 16, 1994

ખેરી (લખીમપુર ખેરી) : ઉત્તરપ્રદેશમાં આવેલો જિલ્લો તથા જિલ્લામથક. ભૌ. સ્થાન : તે 28o 10′ ઉ. અ. અને 80o 40′ પૂ. રે. 7,680 ચોકિમી. વિસ્તાર. તેની ઉત્તરે નેપાળની સીમા, પૂર્વ તરફ ઘાઘરા નદીથી અલગ પડતો બહરાઈચ જિલ્લો, દક્ષિણ તરફ સીતાપુર અને હરદોઈ જિલ્લા તથા પશ્ચિમ તરફ શાહજહાનપુર અને પીલીભીત જિલ્લા…

વધુ વાંચો >

ખેલકૂદ

Jan 16, 1994

ખેલકૂદ : શારીરિક તથા માનસિક સ્ફૂર્તિ માટેની જન્મજાત પ્રવૃત્તિ. મૂળ હિન્દી ભાષામાંથી ગુજરાતી ભાષામાં ઊતરી આવેલા ‘ખેલકૂદ’ શબ્દનો વિશાળ અર્થ થાય છે રમતગમત અથવા શરીરને સ્વાસ્થ્ય તથા મનને આનંદ આપનારી સાહજિક રમત. સજીવ સૃષ્ટિમાં રમતગમત યા ખેલકૂદપ્રવૃત્તિ સર્વત્ર જોવામાં આવે છે. પક્ષીઓ વૃક્ષની ડાળીઓ પર ઊડાઊડ કરે છે અને ગાય…

વધુ વાંચો >

ખેલ-સિદ્ધાંત

Jan 16, 1994

ખેલ-સિદ્ધાંત (game theory) : ક્રિયાત્મક સંશોધનની વિવિધ પદ્ધતિઓમાંની એક. ધંધામાં હરીફને ધ્યાનમાં રાખીને વ્યૂહાત્મક નિર્ણયો લેવાના હોય ત્યારે ખેલ-સિદ્ધાંતનો ઉપયોગ કરવામાં આવે છે. ક્રિયાત્મક સંશોધન (operation research) એ સમસ્યાના ઉકેલ માટેનો વૈજ્ઞાનિક અભિગમ છે, જેમાં વિવિધ પ્રકારના ગણિતીય મૉડલોનો ઉપયોગ કરી વૈકલ્પિક માર્ગોનું વિશ્લેષણ કરી નિર્ણય લેવાય છે. આ મૉડલોનો…

વધુ વાંચો >

ખૈબરઘાટ

Jan 16, 1994

ખૈબરઘાટ : અફઘાનિસ્તાન અને પાકિસ્તાનને જોડતા બોલન, ગોમલ અને ખૈબરઘાટ પૈકી લશ્કરી અને વેપારી ર્દષ્ટિએ મહત્વનો ઘાટ તથા તે જ નામ ધરાવતો પ્રાંત. ભૌગોલિક સ્થાન 34o 05´ ઉ. અ. અને 71o 10´ પૂ. રે. આ ઘાટ પેશાવરથી 17 કિમી. દૂર સફેદ કોહ ગિરિમાળાને વીંધીને પસાર થાય છે. તેની બંને બાજુની…

વધુ વાંચો >

ખૈરપુર

Jan 16, 1994

ખૈરપુર : પાકિસ્તાનના સિંધ પ્રાન્તનો એક જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌ. સ્થાન 27o 32´ ઉ. અ. અને 68o 46´ પૂ. રે. ભૂતકાળમાં તે ખૈરપુર રાજ્યની રાજધાની હતું. કરાંચી-લાહોર રેલવે ઉપર આવેલું તે કરાંચીથી ઈશાને 448 કિમી. દૂર છે. લાહોરકરાંચી ધોરી માર્ગ ખૈરપુર થઈને જાય છે. 1783માં તાલપુરના…

વધુ વાંચો >