૬(૧).૧૬

ખેરથી ગજ્જર અર્જુનકુમાર પ્રાગજીભાઈ

ખેર

ખેર : દ્વિદળી વર્ગમાં આવેલા માઇમોઝેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Acacia catechu Wild. (સં. ખદિર; મ. હિં. ક. ખૈર; તે. ખાસુ, ખદિરમુ; મલા. કરનિલિ; ત. વોડાલે; અં. કચ ટ્રી) છે. તે મધ્યમ કદનું પીંછાકાર પર્ણમુકુટ (crown) ધરાવતું પર્ણપાતી (deciduous) વૃક્ષ છે અને મિશ્ર વનોના શુષ્ક પ્રકારોમાં વિવિધ પ્રકારની…

વધુ વાંચો >

ખેર, અનુપમ

ખેર, અનુપમ (જ. 7 માર્ચ 1955, સિમલા) : ભારતના ચલચિત્રજગતના પ્રતિભાસંપન્ન ચરિત્ર-અભિનેતા. તેઓ ભણ્યા ચંડીગઢમાં, અભિનયના શિક્ષક બન્યા દિલ્હીમાં અને અભિનયની પરમ સિદ્ધિ પર પહોંચ્યા મુંબઈમાં. તદ્દન મધ્યમ વર્ગના પરિવારના હોવા છતાં કોઈ ચીજનો અભાવ તેમણે જોયો નથી. અભ્યાસ દરમિયાન શાળાનાં નાટકોમાં ભૂમિકા કરતા અને ઇનામો જીતતા. નાટ્યવિદ્યાનો અભ્યાસ તેમણે…

વધુ વાંચો >

ખેર, બાળ ગંગાધર

ખેર, બાળ ગંગાધર (જ. 24 ઑગસ્ટ 1888, રત્નાગિરિ; અ. 8 માર્ચ 1957, મુંબઈ) : મુંબઈ રાજ્યના અગ્રણી રાજકીય નેતા અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી. પિતાની ઇચ્છાને માન આપી અંગ્રેજી શિક્ષણ લેવા માટે પુણેની ન્યૂ ઇંગ્લિશ સ્કૂલમાં દાખલ થયા અને ત્યાંથી 1902માં મૅટ્રિકની પરીક્ષા પાસ કરી. મુંબઈની વિલ્સન કૉલેજમાંથી 1906માં બી.એ.ની પરીક્ષામાં સંસ્કૃત…

વધુ વાંચો >

ખેરસન (ચેરસન)

ખેરસન (ચેરસન) : દક્ષિણ-મધ્ય યુક્રેનનો એક જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લાનું મુખ્ય શહેર અને વહીવટી કેન્દ્ર. ભૌ. સ્થાન : 46o 38′ ઉ. અ. અને 32o 35′ પૂ. રે. યુક્રેનમાં આવેલી નીપર નદીના મુખથી ઉપરવાસ 30 કિમી. દૂર તે આવેલું છે. તે પ્રાચીન ગ્રીક વસાહતને સ્થાને વસ્યા બાદ તેનો…

વધુ વાંચો >

ખેરાળુ

ખેરાળુ : મહેસાણા જિલ્લાનો તાલુકો અને તે જ નામનું તાલુકામથક અને નગર. તાલુકાની પૂર્વ સરહદે સાબરમતી નદી અને સાબરકાંઠા જિલ્લો, ઉત્તરે બનાસકાંઠા, પશ્ચિમે સિદ્ધપુર અને વિસનગર તાલુકાઓ અને દક્ષિણે વિજાપુર તાલુકો આવેલા છે. તાલુકાનું ક્ષેત્રફળ 954.8 ચોકિમી. છે અને તેમાં વડનગર અને ખેરાળુ બે શહેરો અને 167 ગામડાં છે. તાલુકાનો…

વધુ વાંચો >

ખેરી (લખીમપુર ખેરી)

ખેરી (લખીમપુર ખેરી) : ઉત્તરપ્રદેશમાં આવેલો જિલ્લો તથા જિલ્લામથક. ભૌ. સ્થાન : તે 28o 10′ ઉ. અ. અને 80o 40′ પૂ. રે. 7,680 ચોકિમી. વિસ્તાર. તેની ઉત્તરે નેપાળની સીમા, પૂર્વ તરફ ઘાઘરા નદીથી અલગ પડતો બહરાઈચ જિલ્લો, દક્ષિણ તરફ સીતાપુર અને હરદોઈ જિલ્લા તથા પશ્ચિમ તરફ શાહજહાનપુર અને પીલીભીત જિલ્લા…

વધુ વાંચો >

ખેલકૂદ

ખેલકૂદ : શારીરિક તથા માનસિક સ્ફૂર્તિ માટેની જન્મજાત પ્રવૃત્તિ. મૂળ હિન્દી ભાષામાંથી ગુજરાતી ભાષામાં ઊતરી આવેલા ‘ખેલકૂદ’ શબ્દનો વિશાળ અર્થ થાય છે રમતગમત અથવા શરીરને સ્વાસ્થ્ય તથા મનને આનંદ આપનારી સાહજિક રમત. સજીવ સૃષ્ટિમાં રમતગમત યા ખેલકૂદપ્રવૃત્તિ સર્વત્ર જોવામાં આવે છે. પક્ષીઓ વૃક્ષની ડાળીઓ પર ઊડાઊડ કરે છે અને ગાય…

વધુ વાંચો >

ખેલ-સિદ્ધાંત

ખેલ-સિદ્ધાંત (game theory) : ક્રિયાત્મક સંશોધનની વિવિધ પદ્ધતિઓમાંની એક. ધંધામાં હરીફને ધ્યાનમાં રાખીને વ્યૂહાત્મક નિર્ણયો લેવાના હોય ત્યારે ખેલ-સિદ્ધાંતનો ઉપયોગ કરવામાં આવે છે. ક્રિયાત્મક સંશોધન (operation research) એ સમસ્યાના ઉકેલ માટેનો વૈજ્ઞાનિક અભિગમ છે, જેમાં વિવિધ પ્રકારના ગણિતીય મૉડલોનો ઉપયોગ કરી વૈકલ્પિક માર્ગોનું વિશ્લેષણ કરી નિર્ણય લેવાય છે. આ મૉડલોનો…

વધુ વાંચો >

ખૈબરઘાટ

ખૈબરઘાટ : અફઘાનિસ્તાન અને પાકિસ્તાનને જોડતા બોલન, ગોમલ અને ખૈબરઘાટ પૈકી લશ્કરી અને વેપારી ર્દષ્ટિએ મહત્વનો ઘાટ તથા તે જ નામ ધરાવતો પ્રાંત. ભૌગોલિક સ્થાન 34o 05´ ઉ. અ. અને 71o 10´ પૂ. રે. આ ઘાટ પેશાવરથી 17 કિમી. દૂર સફેદ કોહ ગિરિમાળાને વીંધીને પસાર થાય છે. તેની બંને બાજુની…

વધુ વાંચો >

ખૈરપુર

ખૈરપુર : પાકિસ્તાનના સિંધ પ્રાન્તનો એક જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌ. સ્થાન 27o 32´ ઉ. અ. અને 68o 46´ પૂ. રે. ભૂતકાળમાં તે ખૈરપુર રાજ્યની રાજધાની હતું. કરાંચી-લાહોર રેલવે ઉપર આવેલું તે કરાંચીથી ઈશાને 448 કિમી. દૂર છે. લાહોરકરાંચી ધોરી માર્ગ ખૈરપુર થઈને જાય છે. 1783માં તાલપુરના…

વધુ વાંચો >

ખોરમ શહેર

Jan 16, 1994

ખોરમ શહેર (Khorram Shar) : ઈરાનના નૈર્ઋત્ય ખૂણે ઈરાની અખાતના મથાળાથી શત-અલ્-અરબ નદીથી ઉપરવાસમાં 72 કિમી. દૂર કરુન કે કારૂન નદીના ઉત્તર કાંઠે આવેલું બંદર. ભૌ. સ્થાન 30o 25′ ઉ. અ. અને 48o 11′ પૂ.રે. 1926 સુધી આ શહેર મોહમ્મેરાહ તરીકે ઓળખાતું હતું અને સ્થાનિક શેખના તાબે હતું. વાર્ષિક વરસાદ…

વધુ વાંચો >

ખોરાના, હરગોવિંદ

Jan 16, 1994

ખોરાના, હરગોવિંદ (જ. 9 જાન્યુઆરી 1922, રાયપુર, પંજાબ – હાલ પાકિસ્તાનમાં; અ. 9 નવેમ્બર 2011 કોનકોર્ડ, મેસેચ્યુસેટસ, યુ. એસ.) : આણ્વિક જીવવિજ્ઞાન(molecular biology)ના ક્ષેત્રે સંશોધન બદલ 1968નું દેહધર્મવિદ્યા (physiology) – ઔષધવિજ્ઞાન (medicine) માટેનું નોબેલ પારિતોષિક પ્રાપ્ત કરનાર અવિભાજિત ભારતમાં જન્મેલા અમેરિકન જીવરસાયણવિદ. તેમણે શરૂઆતનું શિક્ષણ મુલતાનની ડી.એ.વી. સ્કૂલમાં લીધું અને…

વધુ વાંચો >

ખોરાસાન

Jan 16, 1994

ખોરાસાન : ઈરાનના ઈશાન ખૂણે આવેલો મોટામાં મોટો પ્રાંત. તેની ઉત્તરે તુર્કમેનિસ્તાન, પૂર્વ તરફ અફઘાનિસ્તાન, વાયવ્યે ઈરાનનો માઝાંડરાન પ્રાંત, પશ્ચિમ અને વાયવ્ય ખૂણે સેમનાન પ્રાંત, પશ્ચિમ દિશાએ ઇસ્ફહાન અને યઝદ પ્રાંતો, દક્ષિણ દિશાએ કેરમાન શાહ પ્રાંત છે. સીસ્તાનને અડકીને આવેલ બલૂચિસ્તાન દક્ષિણ-અગ્નિ ખૂણે આવેલ છે. પ્રાચીન સમયમાં ખોરાસાન ‘ઊગતા સૂર્યના…

વધુ વાંચો >

ખોસલા, એ. (અયોધ્યાનાથ) એન.

Jan 16, 1994

ખોસલા, એ. (અયોધ્યાનાથ) એન. (જ. 18 ડિસેમ્બર 1892, જલંધર, પંજાબ; અ. 29 મે 1984) : ભારતના ઉચ્ચ કોટિના સિવિલ એન્જિનિયર. સિંચાઈ ઇજનેરીના તેઓ પ્રખર તજ્જ્ઞ હતા. તેમણે ખોસલા થિયરી તરીકે ઓળખાતા સિંચાઈ ઇજનેરીના સિદ્ધાંત માટે વિશ્વભરમાં ખ્યાતિ મેળવેલી. મહાવિદ્યાલયનો શરૂઆતનો અભ્યાસ તેમણે લાહોરના ડી.એ.વી. મહાવિદ્યાલયમાં તથા ઇજનેરી વિદ્યાનો ઉચ્ચ અભ્યાસ…

વધુ વાંચો >

ખોસા કે.

Jan 16, 1994

ખોસા કે. (જ. 1 ફેબ્રુઆરી 1940, ભારત) : હિમાલયનાં નિસર્ગર્દશ્યો આલેખવા માટે જાણીતા આધુનિક ભારતીય ચિત્રકાર. તેમનાં ચિત્રોમાં હિમાલયની કાળમીંઢ શિલાઓ અને ખળખળ વહેતાં ઝરણાં વારંવાર નજરે પડે છે. 1972થી 1982 સુધી તેમને ભારતની કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઑવ્ કલ્ચરની સિનિયર ફૅલોશિપ પ્રાપ્ત થઈ હતી. તેમનાં ચિત્રોનાં વૈયક્તિક પ્રદર્શનો મુંબઈ, દિલ્હી,…

વધુ વાંચો >

ખોળ

Jan 16, 1994

ખોળ : મગફળી, તલ, એરંડા જેવાં તેલીબિયાં ઉપરાંત કેટલાંક વૃક્ષો જેવાં કે મહુડો, પીલુડી, કણજી અને લીમડાનાં ફળોને ઘાણીમાં પીલીને તેલ કાઢી લીધા બાદ બાકી રહેલ જથ્થાનાં પડ કે પાપડી અને ભૂકાને ખોળ કહેવામાં આવે છે. ખોળમાં તેલ ઉપરાંત નાઇટ્રોજન, ફૉસ્ફરસ, પોટાશ અને અન્ય તત્વો રહેલાં હોય છે તેથી તેનો…

વધુ વાંચો >

ખ્યાતિ

Jan 16, 1994

ખ્યાતિ : ખ્યાતિ એટલે જ્ઞાન. તેના પ્રસિદ્ધિ, પ્રશંસા, કથન, અભિવ્યક્તિ આદિ અન્ય અર્થો છે. તેમાંના પ્રશંસા આદિ અર્થો વ્યવહારમાં પ્રસિદ્ધ છે. દર્શનોમાં ખ્યાતિ શબ્દ જ્ઞાનના અર્થમાં પ્રસિદ્ધ છે. દર્શનોમાં આ શબ્દની જે વિવિધ અર્થચ્છાયાઓ છે તેમાં સૂક્ષ્મ તર્ક દ્વારા વિવિધ પાસાંઓનું દર્શન સૂચવાયું છે. દર્શનોમાં મુખ્યત્વે પાંચ પ્રકારની ખ્યાતિઓ ગણાવી…

વધુ વાંચો >

ખ્યાલ

Jan 16, 1994

ખ્યાલ : ઉત્તર હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતમાંની ગાયનશૈલીનો એક લોકપ્રિય પ્રકાર. અરબી ભાષાના શબ્દ ‘ખયાલ’નો અર્થ થાય છે ‘કલ્પના’. વર્તમાન ગાયનપદ્ધતિમાં ખ્યાલગાયનના વગર રાગદારી સંગીતનો વિચાર ભાગ્યે જ થાય છે. માત્ર કંઠ્ય સંગીતમાં જ નહિ, વાદ્યો પર પણ ખ્યાલશૈલીમાં શાસ્ત્રીય સંગીતની રજૂઆત કરવામાં આવે છે. ગીતરચના અને ગાયનશૈલી આ બંનેની ર્દષ્ટિએ…

વધુ વાંચો >

ખ્રિસ્તીઓનો કાયદો

Jan 16, 1994

ખ્રિસ્તીઓનો કાયદો : ખ્રિસ્તીઓના વૈયક્તિક જીવનને સ્પર્શતા કાયદાઓનો સમૂહ. અલબત્ત ભારતના ખ્રિસ્તીઓ ભારતના નાગરિકો તો છે જ; તેથી ભારતના નાગરિકોને લાગુ પડતા મોટા ભાગના કાયદા તેમને પણ લાગુ પડે છે. ભારતના બંધારણ ઉપરાંત ભારતનો કરારનો કાયદો, મિલકત હસ્તાંતરનો કાયદો, શ્રમજીવીઓ અને કરવેરાને લગતા કાયદા, ફોજદારી કાયદા, ચૂંટણીઓને લગતો કાયદો, ગ્રાહક…

વધુ વાંચો >

ખ્રિસ્તી ધર્મ

Jan 16, 1994

ખ્રિસ્તી ધર્મ સેમેટિક ધર્મો પૈકીનો એક ધર્મ. આ ધર્મની સ્થાપના ઈસુ ખ્રિસ્તે કરી હતી. ખ્રિસ્તી ધર્મ યહૂદી ધર્મમાંથી પ્રગટ્યો હતો. એટલે કહેવાય છે કે, Christianity was a child of Judaism. શરૂઆતમાં રોમન સામ્રાજ્ય તરફથી ખ્રિસ્તી ધર્મને ઘણી કનડગત સહેવી પડી; પરંતુ ઈ.સ. 314માં સમ્રાટ કૉન્સ્ટન્ટાઇને ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો ત્યારથી તે…

વધુ વાંચો >