૫.૦૪

કુટિર-ઉદ્યોગથી કુનિસાડા, ઉતાગાવા

કુડ્ડાલોર

કુડ્ડાલોર : તામિલનાડુ રાજ્યના દક્ષિણ આર્કટ જિલ્લાનું વડું મથક તથા બંદર. બંગાળના ઉપસાગરના કોરોમંડલ કિનારે આ શહેર 11o 43’ ઉત્તર અક્ષાંશ અને 79o 46’ પૂર્વ રેખાંશ પર આવેલું છે. તમિલ શબ્દ ‘કુટ્ટલ ઊર’ એટલે નદીઓનો સંગમ જેના પરથી આ શહેરને નામ અપાયેલું છે. આ શહેર પોન્નાઇયાર અને ગાડીલમ નદીઓના સંગમસ્થાને…

વધુ વાંચો >

કુણાલ

કુણાલ : મૌર્ય સમ્રાટ અશોકનો પુત્ર. અશોકની યુવાન પત્ની તિષ્યરક્ષિતા આ સાવકા પુત્રના પ્રેમમાં પડી હતી. અનુશ્રુતિ અનુસાર રાણીએ રાજપુત્ર સાથે અનૈતિક સંબંધોની માગણી કરી, જેનો કુમારે અસ્વીકાર કરતાં રાણીએ બદલો લઈ એને અંધ કરાવ્યો. અંધ રાજપુત્રે બોધિગયામાં બૌદ્ધ અર્હત ઘોષની પ્રેરણાથી ધ્યાન કરીને ગયેલી દૃષ્ટિ પાછી મેળવેલી. યુઆન શ્વાંગે…

વધુ વાંચો >

કુતિયાણા

કુતિયાણા : ગુજરાત રાજ્યના પોરબંદર જિલ્લાનું શહેર. તે 21o 38′ ઉ. અ. અને 69o 59′ પૂ. રે. ઉપરનું તાલુકામથક પણ છે. કુતિયાણા તાલુકાનું કુલ ક્ષેત્રફળ 566.3 ચોકિમી. છે. ભાદર નદીના કાંઠે આવેલું આ તાલુકાનું આ એકમાત્ર મુખ્ય શહેર છે. તેનો વિસ્તાર 36.21 ચોકિમી. છે. આ શહેરમાં પ્રાથમિક અને માધ્યમિક કક્ષાના…

વધુ વાંચો >

કુતુબન

કુતુબન (ઈ. સ.ની 15મી શતાબ્દીનો અંત અને 16મી શતાબ્દીનો પ્રારંભ) :  સૂફી કવિ. મૃગાવતી તેમની પ્રસિદ્ધ રચના છે. એમાં પોતાના રચના-સમયના શાસકનું નામ હુસેનશાહ જણાવેલું છે. હુસેનશાહ જૌનપુરના શાસક હતા. કુતુબન શેખ બુઢનના શિષ્ય હતા. તેમણે મૃગાવતીની રચના 1503માં કરી હતી. આ રચનાનો જેટલો અંશ પ્રાપ્ત થયો છે તે પરથી જણાય…

વધુ વાંચો >

કુતુબ મસ્જિદ

કુતુબ મસ્જિદ : ગુલામવંશની સ્થાપના પછીનું મુસ્લિમ પ્રણાલીનું પહેલું અગત્યનું સ્થાપત્ય. કુતુબુદ્દીન ઐબકે તેનું બાંધકામ કરાવ્યું હતું. આ મસ્જિદમાં ઉત્તરોત્તર સુધારાવધારા થતા રહેલ. તેથી લગભગ 1200 અને 1206 સુધી તે ઇમારત બંધાતી રહેલી. પ્રથમ તબક્કામાં તત્કાલીન હિંદુ કિલ્લાની અંદરના તથા આસપાસનાં મંદિરોના ભાગોનો ઉપયોગ કરી મસ્જિદનું આયોજન થયેલું. આ પ્રમાણે…

વધુ વાંચો >

કુતુબ મિનાર

કુતુબ મિનાર : દિલ્હીથી આશરે 17 કિમી. દૂર આવેલો વિશ્વવિખ્યાત મિનાર. હિંદુ-મુસ્લિમ સ્થાપત્યશૈલીના સમન્વયનો તે ઉત્તમ નમૂનો છે. દિલ્હીના પ્રથમ સુલતાન કુતુબુદ્દીન ઐબકે 1199માં તેના બાંધકામની શરૂઆત કરી હતી. તે કુલ પાંચ માળનો છે અને તેની વર્તમાન ઊંચાઈ 72.56 મીટર જેટલી છે. તેના ભોંયતળિયાના વર્તુળાકાર ક્ષેત્રનો વ્યાસ 14.40 મીટર તથા…

વધુ વાંચો >

કુતુલ

કુતુલ (downy mildew) : વનસ્પતિને પૅરોનોસ્પોરેસી કુળની એક ફૂગ દ્વારા થતો રોગ. તે રાખોડી ભૂખરા રંગની હોય છે. તેનો ઉગાવો પાનની નીચેની સપાટીએ મહદ્ અંશે ઘણા પાકોમાં જોવા મળે છે. વિવિધ પાકોમાં પાન, ફૂલ, ફળ, ટોચ, ડૂંડાં વગેરેમાં જુદા જુદા પ્રકારનાં લક્ષણો પેદા કરે છે. રોગથી થતું નુકસાન કોઈક વખતે…

વધુ વાંચો >

કુતૂહલ

કુતૂહલ (curiosity) : પ્રાણીઓ અને માનવીઓમાં વસ્તુઓ ક્યાં છે, તે શું કાર્ય કરે છે અને કેવી રીતે કરે છે તે માટેની જિજ્ઞાસા અને તેનું અન્વેષણ, તપાસ કરવાની મૂળભૂત જરૂરત, જન્મજાત વૃત્તિ. નવીન ઉદ્દીપકોમાં રસ પડવો, આકર્ષણ થવું તે જિજ્ઞાસા. પ્રાણીઓ, બાળકો, પુખ્ત વ્યક્તિઓ દરેકની સમક્ષ નવીન પદાર્થ, નવીન પરિસ્થિતિ ઉપસ્થિત…

વધુ વાંચો >

કૂત્તુ

કૂત્તુ : નૃત્યવર્ણન માટેનો તમિળ પારિભાષિક શબ્દ. કૂત્તુનો શાબ્દિક અર્થ છે નૃત્ય. પ્રાચીન તમિળ મહાકાવ્ય ‘શિલપ્પદિકારમ્’ના પુહારક્કાણ્ડમમાં તત્કાલીન તમિળ સમાજમાં પ્રચલિત અગિયાર પ્રકારનાં નૃત્યોનાં વર્ણનો આવે છે. એમાં ઉલ્લેખિત નૃત્યો છે કોડુકોટ્ટિઆડલ, પાંડ, રંગકકૂત્તુ, અલ્લિય તોકુદિ, મલ્લાડલ, તુડિકકૂત્તુ, કુડૈકકૂત્તુ, કૂડકકૂત્તુ, પેડિકકૂત્તુ, મરક્કાલકૂત્તુ, પાવૈકકૂત્તુ તથા કડૈયકકૂત્તુ. જુદા જુદા સમયમાં દેવતાઓએ અસુરસંહારને…

વધુ વાંચો >

કુત્બુદ્દીન મુહમ્મદખાનનો મકબરો

કુત્બુદ્દીન મુહમ્મદખાનનો મકબરો : ગુજરાતના એક મુસ્લિમ સંતની દરગાહ. ગુજરાતના છેલ્લા સુલતાન મુજફ્ફરશાહે મીરઝા અજીજ કોકાના કાકા કુત્બુદ્દીન મુહમ્મદખાનનો 1583માં વધ કરાવેલો. એ સંતપુરુષની કબર પર કરેલો ઈંટેરી મકબરો વડોદરામાં મકરપુરા પૅલેસ તરફ જવાના રસ્તે આવેલો છે. ઊંચી પીઠ પર બાંધેલ આ અષ્ટકોણ ઇમારત દિલ્હીના તત્કાલીન મકબરાને મળતી આવે છે.…

વધુ વાંચો >

કુટિર-ઉદ્યોગ

Jan 4, 1993

કુટિર-ઉદ્યોગ કુટિર-ઉદ્યોગ એટલે મહદ્અંશે કુટુંબના જ સભ્યો દ્વારા ઓછામાં ઓછા મૂડીરોકાણથી સ્થપાયેલ ઉદ્યોગ. પૂરા સમયના ગ્રામીણ કુટિર-ઉદ્યોગોમાં કુંભારી, સુથારી, લુહારીકામ; ચર્મોદ્યોગ, હાથસાળ, ઘાણીઓ અને હાથીદાંતનું કામ જેવા ઉદ્યોગોનો સમાવેશ થાય છે; જ્યારે શહેરી વિસ્તારના કુટિર-ઉદ્યોગોમાં ચર્મકામ; સોનાચાંદીના દાગીના, કાષ્ઠ તથા હાથીદાંતની બનાવટો, ધાતુનાં વાસણો તથા કોતરણીકામ; રમકડાં રેશમી તથા સુતરાઉ…

વધુ વાંચો >

કુટુંબ

Jan 4, 1993

કુટુંબ : લગ્ન, રક્ત સંબંધ કે દત્તક સંબંધ પર આધારિત પરસ્પર હકો અને ફરજો ધરાવતાં સ્ત્રી-પુરુષ-બાળકોનું જૂથ. સમાજમાં કેન્દ્રગત સ્થાન ધરાવતી, બધા જ સમાજોમાં દૃષ્ટિગોચર થતી સાર્વત્રિક છતાં અનેકવિધ સ્વરૂપે જોવા મળતી આ સામાજિક સંસ્થા છે. વ્યક્તિ કુટુંબના પ્રવેશદ્વાર દ્વારા જ સમાજમાં પ્રવેશે છે. મોટાભાગની વ્યક્તિઓનાં કુટુંબ તરફની વફાદારી ને…

વધુ વાંચો >

કુટુંબકલ્યાણ કાર્યક્રમ

Jan 4, 1993

કુટુંબકલ્યાણ કાર્યક્રમ : વસ્તીનિયંત્રણ તથા સમગ્ર કુટુંબના કલ્યાણને લક્ષમાં રાખીને રાષ્ટ્રીય કક્ષાએ યોજાયેલો ભારત સરકારનો કાર્યક્રમ. ભારતમાં આઝાદીની પ્રાપ્તિ બાદ લોકકલ્યાણ માટે પંચવર્ષીય યોજનાઓ દ્વારા વિવિધ વિકાસ કાર્યક્રમો હાથ ધરાયા છે. 1952થી વિકાસ કાર્યક્રમોમાં સરકારે રાષ્ટ્રીય સ્તરે કુટુંબનિયોજન કાર્યક્રમ હાથ ધર્યો હતો. આ સમયે દેશમાં વ્યાપક નિરક્ષરતા, વહેમ, અંધશ્રદ્ધા, કુરિવાજો…

વધુ વાંચો >

કુટુંબનિયોજન

Jan 4, 1993

કુટુંબનિયોજન : સુયોજિત સીમિત કુટુંબની રચના. પ્રાપ્ત સંજોગોમાં દંપતી જેટલાં સંતાનોનું યોગ્ય રીતે ભરણપોષણ તથા ઉછેર કરી શકે તેટલાં સંતાનોની સમયબદ્ધ પ્રજોત્પત્તિ દ્વારા સ્વૈચ્છિક રીતે અને સભાનતાપૂર્વક ઇષ્ટ કદની કુટુંબરચના એટલે કુટુંબનિયોજન. કુટુંબનું કદ સીમિત રાખવું એ તેનો મર્યાદિત (નકારાત્મક) હેતુ ખરો, પરંતુ વ્યાપક અર્થમાં પોતાના કુટુંબને સુખ, શાંતિ અને…

વધુ વાંચો >

કુટ્ટનીમત

Jan 4, 1993

કુટ્ટનીમત (આઠમી સદી) : જયાપીડના કુંવર લલિતાપીડના શાસનકાળ દરમિયાન વારાણસીની કુટ્ટણીઓમાં પ્રચલિત આચારવિચારનું આર્યા છંદોબદ્ધ (1058) પદ્યોમાં સચોટ આલેખન ધરાવતો ગ્રંથ. તેનું બીજું નામ શંભલીમત કે કામિનીમત. રચયિતા દામોદર ગુપ્ત. તે કાશ્મીરનરેશ જયાપીડના રાજ્યાશ્રિત હતા. માલતી નામે સૌંદર્યવતી ગણિકાને વિકરાલા નામની કૂટણી ધનિક યુવાનોને ફસાવવાની દુષ્ટ યુક્તિઓ સમજાવે છે તેવી…

વધુ વાંચો >

કુટ્ટિ કૃષ્ણ મારાર

Jan 4, 1993

કુટ્ટિ કૃષ્ણ મારાર (જ. 1900; અ. 1973) : મલયાળમ વિવેચક. નવોત્થાનકાળના મલયાળી વિવેચકોમાં મારાર સૌથી વધુ મૌલિક છે. મદ્રાસ યુનિ.માંથી તેમણે 1923માં સંસ્કૃતમાં સાહિત્યશિરોમણિની પદવી મેળવી. તેમની તીક્ષ્ણ બુદ્ધિશક્તિ, સૂક્ષ્મ અવલોકનશક્તિ અને સ્વતંત્ર વિચારસંપત્તિ તેમના સમકાલીનોમાં ઈર્ષ્યાપાત્ર બનેલ છે. સંસ્કૃત ભાષાના તે વિદ્વાન છે. તેમણે સાહિત્યિક કારકિર્દી કવિ તરીકે શરૂ…

વધુ વાંચો >

કુડાલ્લુર અચ્યુતમ્

Jan 4, 1993

કુડાલ્લુર, અચ્યુતમ્ (જ. 1945, ચેન્નાઈ, તમિળનાડુ) : આધુનિક ભારતીય ચિત્રકાર. તેમનાં ચિત્રોનાં પ્રદર્શનો દેશવિદેશમાં અનેક સ્થળોએ યોજાયાં છે. પ્રણાલીગત હિંદુ ધાર્મિક અને રોજબરોજના જીવનનાં પ્રતીકોને શણગારાત્મક/સુશોભનાત્મક શૈલીએ એકમેક સાથે સંયોજિત કરીને આલેખવા માટે તેઓ જાણીતા છે. નાગ, સાથિયા, કોડિયાં, ત્રિશૂળ, ઓમ્, બીજચંદ્ર, હાથ અને પગની છાપ, શ્રીયંત્ર જેવાં પ્રતીકો તેમનાં…

વધુ વાંચો >

કુડી કાહની કરદી ગઈ

Jan 4, 1993

કુડી કાહની કરદી ગઈ (1943) : પંજાબી લેખક કરતારસિંહ દુગ્ગલની ટૂંકી વાર્તાઓનો સંગ્રહ. તેમાંના વસ્તુનિરૂપણની નવ્યતાને કારણે એ પુસ્તકના પ્રકાશને ઊહાપોહ મચાવેલો. પંજાબી સાહિત્યમાં આ પુસ્તક દ્વારા પહેલી જ વાર પ્રકૃતિવાદ અને જાતીય સંબંધોનું મુક્ત નિરૂપણ દાખલ થયું. પછી અનેક લેખકોએ તેનું અનુસરણ કર્યું. થોડા સમય પછી દુગ્ગલે સ્વીકાર્યું કે…

વધુ વાંચો >

કુડુ

Jan 4, 1993

કુડુ : મંદિર-સ્થાપત્યમાં દેખાતી સામાન્ય રીતે ઘોડાની નાળના જેવા આકારની બારી. કાળક્રમે તે ક્ષીણ થતાં માત્ર સુશોભન તરીકે રહેલ. ‘કુડુ’ની ડિઝાઇન પલ્લવોના સમયમાં (ઈ. 300થી 800) દક્ષિણ ભારતમાં દાખલ થયેલી. બધે બને છે તેમ તેની ડિઝાઇનમાં ક્રમશ: ફેરફાર થતો ગયો. આ ડિઝાઇન અને તેમાં થતા ફેરફાર ઉપરથી સ્થાપત્ય અર્થાત્ મકાન…

વધુ વાંચો >

કુડુમ્બ વિળક્કુ

Jan 4, 1993

કુડુમ્બ વિળક્કુ (રચનાસાલ – 1942) : ગૃહસ્થ જીવન અંગેનું તમિળ કાવ્ય. રચયિતા ભારતીદાસન. તે પાંચ ખંડોમાં વિભાજિત થયેલું છે. પ્રથમ ખંડમાં ગૃહસ્થ જીવનમાં બનતી ઘટનાઓનું વર્ણન છે અને તે દ્વારા આદર્શ ગૃહિણીનું ચિત્ર રજૂ થયેલું છે. બીજા ખંડમાં ગૃહિણી દ્વારા થતા અતિથિસત્કારનું વર્ણન છે. આ ખંડમાં કવિએ નારીશિક્ષણ તથા ભોજન…

વધુ વાંચો >