૫.૦૪

કુટિર-ઉદ્યોગથી કુનિસાડા, ઉતાગાવા

કુત્બે આલમ

કુત્બે આલમ (જ. 1384; અ. 1452, અમદાવાદ) : સૂફી મતના પ્રચાર માટે અમદાવાદ આવેલા સંત. આખું નામ સૈયદ બુરહાનુદ્દીન અબૂ મુહમ્મદ બુખારી સુહરવર્દી. દસ વરસની ઉંમરે તેમના પિતાનું મૃત્યુ થવાથી તેમના કાકાએ ઉછેર્યા અને ધાર્મિક જ્ઞાન આપ્યું. સુલતાન અહમદશાહને ‘અહમદાબાદ અબ્દુલ આબાદ’ (પરમેશ્વરની કૃપાથી અમદાવાદ હમેશાં આબાદ રહેશે.) એવો આશીર્વાદ…

વધુ વાંચો >

કુદરતી કમાન

કુદરતી કમાન : ગતિશીલ કુદરતી બળોના ઘસારાના કાર્યથી કમાન આકારે રચાયેલું ભેખડનું સ્વરૂપ. સમુદ્રમાં પ્રક્ષિપ્ત થતી ભેખડવાળા ભૂમિભાગો પર સમુદ્રનાં મોજાંના સતત મારાથી બંને બાજુઓમાં બખોલો પડે છે. કાળક્રમે બખોલો પહોળી અને ઊંડી બની ગુફાઓનું રૂપ ધારણ કરે છે. બન્ને ગુફાઓ આખરે પરસ્પર ભળી જાય છે, જેથી મોજાંનું પાણી તેમાંથી…

વધુ વાંચો >

કુદરતી તટબંધ

કુદરતી તટબંધ : નદીના બન્ને કાંઠે મોટા પ્રમાણમાં કાંપ-માટીના નિક્ષેપ અથવા સંચયથી રચાતા ઓછી ઊંચાઈના લાંબા અવરોધી ઢગ. નદીના આ કુદરતી તટબંધથી સામાન્ય પૂર સામે આસપાસના પ્રદેશને રક્ષણ મળે છે. પરંતુ નદીમાં વધુ પૂરની પરિસ્થિતિમાં કિનારા પર રચાયેલ આવા બંધ તૂટી જવાથી પાણી દૂર ફેલાઈ વિનાશ સર્જે છે. દા.ત., ચીનની…

વધુ વાંચો >

કુદરતી ન્યાયનો સિદ્ધાંત

કુદરતી ન્યાયનો સિદ્ધાંત : ન્યાયની પ્રક્રિયાને તલસ્પર્શી, ઔચિત્યપૂર્ણ અને વ્યાપક બનાવતો મૂળભૂત સિદ્ધાંત. ન્યાયિક વ્યવહારની સર્વમાન્ય કસોટીઓ પરથી તે ઊપસી આવ્યો છે. ન્યાયમાં તટસ્થતાનું લક્ષણ સૂચિત (implied) હોય છે. પરંતુ તેનો વ્યવહારમાં અમલ થાય તે માટે બે બાબતો અનિવાર્ય ગણાય છે : (1) દરેક પક્ષકારને તેના વિરુદ્ધનો હુકમ થતાં અગાઉ…

વધુ વાંચો >

કુદરતી વાયુ

કુદરતી વાયુ (natural gas) : પોપડાના છિદ્રાળુ ખડકોમાંથી મળી આવતો દહનશીલ વાયુ. તે ખનિજ તેલની સાથે ઉપલા થર તરીકે અથવા તેની નજીકના ભંડારમાં મળી આવે છે. ખનિજ તેલથી સ્વતંત્ર વાયુક્ષેત્ર (gas field) પણ હોઈ શકે છે. સામાન્ય રીતે તે મથાળા (ટોપી) રૂપે (gas cap), જથ્થા રૂપે (mass of gas) અને…

વધુ વાંચો >

કુદરતી સાધનસંપત્તિની ભૂગોળ

કુદરતી સાધનસંપત્તિની ભૂગોળ (resource geography) : કુદરતી સંપત્તિનું વિવરણ, વિતરણ અને માનવી પર તેની અસરો તપાસતી ભૂગોળ. પૃથ્વી માનવીની વત્સલ માતા છે. માનવી પર અસર કરતાં અન્ય પરિબળોની સાથે કુદરતી સાધનસંપત્તિ પણ એક મહત્વનું પરિબળ છે. પૃથ્વીનું પર્યાવરણ કુદરતી સાધનસંપત્તિનો વિશાળ ભંડાર છે. પૃથ્વીના શીલાવરણ, જલાવરણ, વાતાવરણ, જીવાવરણ અને નૃવંશઆવરણમાંથી…

વધુ વાંચો >

કુદરતી સાધનસંપત્તિનું સંરક્ષણ

કુદરતી સાધનસંપત્તિનું સંરક્ષણ (protection of natural resources) : કુદરતે બક્ષેલી સાધનસંપત્તિની પ્રાપ્તિ, વપરાશ, વૃદ્ધિ અને જાળવણી માટેના પ્રયાસો. કુદરતે બક્ષેલી સાધનસંપત્તિનું નિયમન અને જતન કરી તેની વૃદ્ધિ અથવા પુનરુપયોગ કરવા માટેના તર્કબદ્ધ પ્રયાસ. કુદરતી સાધનસંપત્તિનો ઉપયોગ કરવો અને તેને પુન:પ્રાપ્ય કરવો તે માનવસમાજનો પ્રયાસ રહ્યો છે. આ માટે માનવસમાજ અને…

વધુ વાંચો >

‘કુદસી’ હાજી મુહંમદજાન

‘કુદસી’, હાજી મુહંમદજાન (જ. ?; અ. 1646, મશહદ, ઈરાન, લાહોર) : મુઘલ સમ્રાટ શાહજહાંના સમયનો ફારસી ભાષાનો સમર્થ કવિ. મૂળ વતન શિયાપંથી મુસ્લિમોનું પવિત્ર સ્થળ મશહદ, જ્યાં તેમના આઠમા ઇમામ અલીબિન રિઝાનો મહાન રોજો છે. કુદસી તે ઇમામના વંશજ હતા. તે ઈ. સ. 1631માં શાહજહાંના સમયમાં ભારત આવ્યા અને તેમના…

વધુ વાંચો >

કુનિસાડા ઉતાગાવા

કુનિસાડા, ઉતાગાવા (જ. 1786, જાપાન; અ. 1864, જાપાન ) : જાપાનની પ્રસિદ્ધ કાષ્ઠછાપચિત્રકલા (woodcut printing) ઉકિયો-ઈ(Ukio-E)નો ચિત્રકાર. પ્રસિદ્ધ જાપાની ચિત્રકાર ઉતાગાવા ટોયોકુની હેઠળ શાગિર્દ બનીને તેણે તાલીમ મેળવી. કુનિસાડાએ વિવિધ વિષયો ચિત્રમાં આલેખ્યા છે; જેમાં મનોહર જાપાની નિસર્ગ, નયનરમ્ય જાપાની મહિલાઓ (ઘરગથ્થુ ગેઇશા યુવતીઓ અને વેશ્યાઓ), ભૂતાવળ, સુમો કુસ્તીબાજ, પશુપંખીઓ,…

વધુ વાંચો >

કુટિર-ઉદ્યોગ

Jan 4, 1993

કુટિર-ઉદ્યોગ કુટિર-ઉદ્યોગ એટલે મહદ્અંશે કુટુંબના જ સભ્યો દ્વારા ઓછામાં ઓછા મૂડીરોકાણથી સ્થપાયેલ ઉદ્યોગ. પૂરા સમયના ગ્રામીણ કુટિર-ઉદ્યોગોમાં કુંભારી, સુથારી, લુહારીકામ; ચર્મોદ્યોગ, હાથસાળ, ઘાણીઓ અને હાથીદાંતનું કામ જેવા ઉદ્યોગોનો સમાવેશ થાય છે; જ્યારે શહેરી વિસ્તારના કુટિર-ઉદ્યોગોમાં ચર્મકામ; સોનાચાંદીના દાગીના, કાષ્ઠ તથા હાથીદાંતની બનાવટો, ધાતુનાં વાસણો તથા કોતરણીકામ; રમકડાં રેશમી તથા સુતરાઉ…

વધુ વાંચો >

કુટુંબ

Jan 4, 1993

કુટુંબ : લગ્ન, રક્ત સંબંધ કે દત્તક સંબંધ પર આધારિત પરસ્પર હકો અને ફરજો ધરાવતાં સ્ત્રી-પુરુષ-બાળકોનું જૂથ. સમાજમાં કેન્દ્રગત સ્થાન ધરાવતી, બધા જ સમાજોમાં દૃષ્ટિગોચર થતી સાર્વત્રિક છતાં અનેકવિધ સ્વરૂપે જોવા મળતી આ સામાજિક સંસ્થા છે. વ્યક્તિ કુટુંબના પ્રવેશદ્વાર દ્વારા જ સમાજમાં પ્રવેશે છે. મોટાભાગની વ્યક્તિઓનાં કુટુંબ તરફની વફાદારી ને…

વધુ વાંચો >

કુટુંબકલ્યાણ કાર્યક્રમ

Jan 4, 1993

કુટુંબકલ્યાણ કાર્યક્રમ : વસ્તીનિયંત્રણ તથા સમગ્ર કુટુંબના કલ્યાણને લક્ષમાં રાખીને રાષ્ટ્રીય કક્ષાએ યોજાયેલો ભારત સરકારનો કાર્યક્રમ. ભારતમાં આઝાદીની પ્રાપ્તિ બાદ લોકકલ્યાણ માટે પંચવર્ષીય યોજનાઓ દ્વારા વિવિધ વિકાસ કાર્યક્રમો હાથ ધરાયા છે. 1952થી વિકાસ કાર્યક્રમોમાં સરકારે રાષ્ટ્રીય સ્તરે કુટુંબનિયોજન કાર્યક્રમ હાથ ધર્યો હતો. આ સમયે દેશમાં વ્યાપક નિરક્ષરતા, વહેમ, અંધશ્રદ્ધા, કુરિવાજો…

વધુ વાંચો >

કુટુંબનિયોજન

Jan 4, 1993

કુટુંબનિયોજન : સુયોજિત સીમિત કુટુંબની રચના. પ્રાપ્ત સંજોગોમાં દંપતી જેટલાં સંતાનોનું યોગ્ય રીતે ભરણપોષણ તથા ઉછેર કરી શકે તેટલાં સંતાનોની સમયબદ્ધ પ્રજોત્પત્તિ દ્વારા સ્વૈચ્છિક રીતે અને સભાનતાપૂર્વક ઇષ્ટ કદની કુટુંબરચના એટલે કુટુંબનિયોજન. કુટુંબનું કદ સીમિત રાખવું એ તેનો મર્યાદિત (નકારાત્મક) હેતુ ખરો, પરંતુ વ્યાપક અર્થમાં પોતાના કુટુંબને સુખ, શાંતિ અને…

વધુ વાંચો >

કુટ્ટનીમત

Jan 4, 1993

કુટ્ટનીમત (આઠમી સદી) : જયાપીડના કુંવર લલિતાપીડના શાસનકાળ દરમિયાન વારાણસીની કુટ્ટણીઓમાં પ્રચલિત આચારવિચારનું આર્યા છંદોબદ્ધ (1058) પદ્યોમાં સચોટ આલેખન ધરાવતો ગ્રંથ. તેનું બીજું નામ શંભલીમત કે કામિનીમત. રચયિતા દામોદર ગુપ્ત. તે કાશ્મીરનરેશ જયાપીડના રાજ્યાશ્રિત હતા. માલતી નામે સૌંદર્યવતી ગણિકાને વિકરાલા નામની કૂટણી ધનિક યુવાનોને ફસાવવાની દુષ્ટ યુક્તિઓ સમજાવે છે તેવી…

વધુ વાંચો >

કુટ્ટિ કૃષ્ણ મારાર

Jan 4, 1993

કુટ્ટિ કૃષ્ણ મારાર (જ. 1900; અ. 1973) : મલયાળમ વિવેચક. નવોત્થાનકાળના મલયાળી વિવેચકોમાં મારાર સૌથી વધુ મૌલિક છે. મદ્રાસ યુનિ.માંથી તેમણે 1923માં સંસ્કૃતમાં સાહિત્યશિરોમણિની પદવી મેળવી. તેમની તીક્ષ્ણ બુદ્ધિશક્તિ, સૂક્ષ્મ અવલોકનશક્તિ અને સ્વતંત્ર વિચારસંપત્તિ તેમના સમકાલીનોમાં ઈર્ષ્યાપાત્ર બનેલ છે. સંસ્કૃત ભાષાના તે વિદ્વાન છે. તેમણે સાહિત્યિક કારકિર્દી કવિ તરીકે શરૂ…

વધુ વાંચો >

કુડાલ્લુર અચ્યુતમ્

Jan 4, 1993

કુડાલ્લુર, અચ્યુતમ્ (જ. 1945, ચેન્નાઈ, તમિળનાડુ) : આધુનિક ભારતીય ચિત્રકાર. તેમનાં ચિત્રોનાં પ્રદર્શનો દેશવિદેશમાં અનેક સ્થળોએ યોજાયાં છે. પ્રણાલીગત હિંદુ ધાર્મિક અને રોજબરોજના જીવનનાં પ્રતીકોને શણગારાત્મક/સુશોભનાત્મક શૈલીએ એકમેક સાથે સંયોજિત કરીને આલેખવા માટે તેઓ જાણીતા છે. નાગ, સાથિયા, કોડિયાં, ત્રિશૂળ, ઓમ્, બીજચંદ્ર, હાથ અને પગની છાપ, શ્રીયંત્ર જેવાં પ્રતીકો તેમનાં…

વધુ વાંચો >

કુડી કાહની કરદી ગઈ

Jan 4, 1993

કુડી કાહની કરદી ગઈ (1943) : પંજાબી લેખક કરતારસિંહ દુગ્ગલની ટૂંકી વાર્તાઓનો સંગ્રહ. તેમાંના વસ્તુનિરૂપણની નવ્યતાને કારણે એ પુસ્તકના પ્રકાશને ઊહાપોહ મચાવેલો. પંજાબી સાહિત્યમાં આ પુસ્તક દ્વારા પહેલી જ વાર પ્રકૃતિવાદ અને જાતીય સંબંધોનું મુક્ત નિરૂપણ દાખલ થયું. પછી અનેક લેખકોએ તેનું અનુસરણ કર્યું. થોડા સમય પછી દુગ્ગલે સ્વીકાર્યું કે…

વધુ વાંચો >

કુડુ

Jan 4, 1993

કુડુ : મંદિર-સ્થાપત્યમાં દેખાતી સામાન્ય રીતે ઘોડાની નાળના જેવા આકારની બારી. કાળક્રમે તે ક્ષીણ થતાં માત્ર સુશોભન તરીકે રહેલ. ‘કુડુ’ની ડિઝાઇન પલ્લવોના સમયમાં (ઈ. 300થી 800) દક્ષિણ ભારતમાં દાખલ થયેલી. બધે બને છે તેમ તેની ડિઝાઇનમાં ક્રમશ: ફેરફાર થતો ગયો. આ ડિઝાઇન અને તેમાં થતા ફેરફાર ઉપરથી સ્થાપત્ય અર્થાત્ મકાન…

વધુ વાંચો >

કુડુમ્બ વિળક્કુ

Jan 4, 1993

કુડુમ્બ વિળક્કુ (રચનાસાલ – 1942) : ગૃહસ્થ જીવન અંગેનું તમિળ કાવ્ય. રચયિતા ભારતીદાસન. તે પાંચ ખંડોમાં વિભાજિત થયેલું છે. પ્રથમ ખંડમાં ગૃહસ્થ જીવનમાં બનતી ઘટનાઓનું વર્ણન છે અને તે દ્વારા આદર્શ ગૃહિણીનું ચિત્ર રજૂ થયેલું છે. બીજા ખંડમાં ગૃહિણી દ્વારા થતા અતિથિસત્કારનું વર્ણન છે. આ ખંડમાં કવિએ નારીશિક્ષણ તથા ભોજન…

વધુ વાંચો >