૪.૧૯

કાચંડોથી કાનાઝાવા

કાત્જુ, કૈલાસનાથ

કાત્જુ, કૈલાસનાથ (જ. 1887, જાવરા; અ. 1968) : અગ્રગણ્ય કાયદાશાસ્ત્રી અને રાજનીતિજ્ઞ. હાલના મધ્યપ્રદેશના માળવા પ્રદેશમાં સ્થાયી થયેલા મધ્યમ વર્ગના કાશ્મીરી બ્રાહ્મણ કુટુંબમાં જન્મ થયો હતો. 1905માં લાહોર યુનિવર્સિટીની વિનયનની પદવી મેળવી. 1906માં મૂર સેન્ટ્રલ કૉલેજમાંથી તેમણે વકીલની સનદી પરીક્ષા પ્રથમ નંબરે પાસ કરી તેમાં સુવર્ણચંદ્રક મેળવ્યો. ઉત્તરોત્તર અભ્યાસ કરીને…

વધુ વાંચો >

કાત્યાયન

કાત્યાયન (ઈ. પૂ. 400થી ઈ. પૂ. 350) : પાણિનિ પછી વ્યાકરણશાસ્ત્રમાં બીજું મહત્વપૂર્ણ સ્થાન ધરાવનાર વાર્તિકકાર. અન્ય નામ વરરુચિ. જોકે તેમનાં જન્મ, જીવન અને કાર્યસ્થળ અંગે કોઈ પ્રમાણભૂત સામગ્રી મળતી નથી, છતાં તે અંગેની કેટલીક દન્તકથાઓ ‘કથાસરિત્સાગર’ જેવા ગ્રંથોમાં મળી આવે છે. કાત્યાયન એ ગોત્ર-નામ છે. દક્ષિણ ભારતના આ વિદ્વાને…

વધુ વાંચો >

કાત્યાયનની ઋક્સર્વાનુક્રમણી

કાત્યાયનની ઋક્સર્વાનુક્રમણી : કાત્યાયને સંકલિત કરેલી ઋગ્વેદની શાકલશાખીય સંહિતાની સર્વગ્રાહી અનુક્રમણી. આ સર્વાનુક્રમણીના બે વિભાગ છે. બાર કંડિકાના પ્રથમ વિભાગમાં ગ્રંથપ્રયોજન અને ઋષિ, દેવતા અને છંદ અંગેના પારિભાષિક નિયમો આપ્યા છે. સૂક્તપ્રતીક, ઋક્સંખ્યા, ઋષિ, દેવતા, છંદ આદિ વિગતો એકત્ર આપી હોઈ તેનું ‘સર્વાનુક્રમણી’ નામ યથાર્થ છે. ઐતરેયાદિ બ્રાહ્મણ અને આરણ્યકો,…

વધુ વાંચો >

કાત્યાયન શુલ્બસૂત્ર

કાત્યાયન શુલ્બસૂત્ર : ઘરમાં કે ઘર બહાર કરવાના યજ્ઞો માટે મંડપ, વિવિધ વેદિઓ, ચિતિઓ આદિના નિર્માણ માટેનું શાસ્ત્ર. વૈદિક ધર્માચરણ યજ્ઞપ્રધાન છેåå. શ્રૌત અને ગૃહ્ય કલ્પોમાં વિવિધ હવિર્યજ્ઞો અને પાકયજ્ઞોનાં નિરૂપણ છે. શુલ્બસૂત્ર કલ્પનું એક અંગ છે. કાત્યાયન શુલ્બસૂત્ર તેના શ્રૌતસૂત્ર સાથે સંબદ્ધ છે. તેમાં ભૂમિમાપન, તેનાં સાધનો અને તેમના…

વધુ વાંચો >

કાત્યાયન શ્રાદ્ધકલ્પ

કાત્યાયન શ્રાદ્ધકલ્પ : પારસ્કર ગૃહ્યસૂત્રના પરિશિષ્ટ રૂપે સંગૃહીત ગ્રંથ. કાત્યાયન શ્રાદ્ધકલ્પ, શૌચસૂત્ર, સ્નાનસૂત્ર અને ભોજનસૂત્ર એકત્રિત મળે છે. આ સૂત્રોની પુષ્પિકાઓમાં તેમને કાત્યાયનપ્રોક્ત કહ્યાં છે તેથી સમજાય છે કે તે સ્વયં કાત્યાયને રચ્યાં નથી પણ કાત્યાયનબોધિત પરંપરાનાં અને પાછળથી શબ્દબદ્ધ થયેલાં છે. શ્રાદ્ધકલ્પ ઉપર કર્કોપાધ્યાયની ટીકા છે તેથી વિક્રમની બારમી…

વધુ વાંચો >

કાત્યાયન શ્રૌતસૂત્ર

કાત્યાયન શ્રૌતસૂત્ર : શ્રૌતકલ્પનું નિરૂપણ કરનારું શુક્લ યજુર્વેદનું સૂત્ર. તેમાં અગ્ન્યાધાનથી આરંભી અશ્વમેધ, પુરુષમેધ અને સોમયાગ પર્યન્તના યાગોનું વિગતે નિરૂપણ છે. યજુર્વેદ અધ્વર્યુવેદ છે તેથી આ શ્રૌતસૂત્રમાં અધ્વર્યુકર્મોનું વિશેષે નિરૂપણ છે. સામવેદીય કલ્પોમાં નિરૂપિત કેટલાંક કર્મોનો નિર્દેશ યત્રતત્ર છે. વિગતોની ર્દષ્ટિએ આ શ્રૌતસૂત્ર અન્ય વેદોનાં સૂત્રો કરતાં વિસ્તૃત છે. કાત્યાયન…

વધુ વાંચો >

કાત્રક, સોરાબજી મહેરવાનજી

કાત્રક, સોરાબજી મહેરવાનજી (જ. 1870; અ. 1929 ?) : ગુજરાતી રંગભૂમિના નટ અને દિગ્દર્શક. તેમના પિતા પારસી ધર્મગુરુ હતા અને તેમની ઇચ્છા સોરાબજીને મોબેદ (ધર્મગુરુ) બનાવવાની હતી. સોરાબજી અભ્યાસમાં મૅટ્રિક સુધી પહોંચી શક્યા નહિ પણ વાચનના ખૂબ શોખીન હતા. શેક્સપિયરનું ‘હૅમ્લેટ’ નાટક તેમણે મોડી રાતે ઘર બહાર ગલીના ફાનસના અજવાળે…

વધુ વાંચો >

કાથી(coir fibre)-ઉદ્યોગ

કાથી(coir fibre)-ઉદ્યોગ : નારિયેળ(Cocos nucifera)નાં છોડાં-રેસામાંથી બનાવાતી પેદાશને લગતો ઉદ્યોગ. જોકે ઉષ્ણ (tropic) અને ઉપોષ્ણ (subtropic) કટિબંધ પ્રદેશોમાં કોપરા માટે નારિયેળી ઉગાડવામાં આવે છે. કાથી અને તેની નીપજોની 95 % ઉપરાંત નિકાસ ભારત અને શ્રીલંકામાંથી થાય છે. થાઇલૅન્ડ, ટાન્ઝાનિયા, મેક્સિકો, ફિલિપાઇન્સ, મલેશિયા, કેન્યા, ટ્રિનિડાડ અને ટોબાગો પણ કાથી અને તેની…

વધુ વાંચો >

કાદમ્બરી (ઈસુની સાતમી સદી)

કાદમ્બરી (ઈસુની સાતમી સદી) : ભારતવર્ષના છેલ્લા ચક્રવર્તી સમ્રાટ હર્ષવર્ધન(606-647)ના રાજકવિ બાણે રચેલી કથા. સંસ્કૃત લલિત ગદ્યસાહિત્યની તે શિરમોર કૃતિ છે. સંસ્કૃત લલિત ગદ્યના બે મુખ્ય પ્રકારો  કલ્પિત વૃત્તાન્તાત્મક ‘કથા’ અને સત્ય વૃત્તાન્તાત્મક ‘આખ્યાયિકા’ – માં બાણરચિત ‘કાદમ્બરી’ને આદર્શ કથા તરીકેની અને તેણે રચેલ ‘હર્ષચરિત’ને આદર્શ આખ્યાયિકા તરીકેની પ્રતિષ્ઠા પ્રાપ્ત…

વધુ વાંચો >

કાદરખાન, અબ્દુલ

કાદરખાન, અબ્દુલ (જ. 27 એપ્રિલ 1936, ભોપાલ, મધ્યપ્રદેશ) : ઇસ્લામી અણુબાબના જનક ગણાતા પાકિસ્તાની વૈજ્ઞાનિક. શિક્ષકના પરિવારમાં જન્મ. ભારતના ભાગલા પડ્યા પછી સમગ્ર પરિવારે 1952માં પાકિસ્તાનમાં કાયમી સ્થળાંતર કર્યું ત્યારે અબ્દુલ કાદરખાન 17 વર્ષના હતા. યુવા-અવસ્થાથી જ તેઓ કટ્ટર ઇસ્લામવાદી વિચારસરણીને વરેલા. કરાંચી યુનિવર્સિટીમાંથી ભૌતિકશાસ્ત્રમાં પદવી પ્રાપ્ત કર્યા પછી તેઓ…

વધુ વાંચો >

કાચંડો

Jan 19, 1992

કાચંડો (Garden lizard) : ચલનપગોની બે જોડ, ફરતાં પોપચાં, બાહ્યસ્થ કર્ણછિદ્રો અને ચામડી પર શલ્કો (scales) ધરાવતું સરીસૃપ વર્ગનું, વિવિધ કદનું પૃષ્ઠવંશી પ્રાણી. તે સાપની નિકટનું સંબંધી ગણાય છે. કાચંડા અને સાપને એક જ શ્રેણી સ્ક્વેમાટામાં મૂકવામાં આવે છે. કાચંડાને સૉરિયા અથવા લૅસર્ટીલિયા ઉપશ્રેણીમાં વર્ગીકૃત કરાય છે. કાચંડા સમૂહનાં પ્રાણીઓમાં…

વધુ વાંચો >

કાજલ

Jan 19, 1992

કાજલ (સં. कज्जलम्, હિં. આંજણ.) : આંખને તેજસ્વી બનાવવા વપરાતો પદાર્થ. તેનો બીજો અર્થ ‘મેશ’ પણ થાય છે.  દીવા ઉપર કોડિયું ધરતાં જે કાળો પદાર્થ એકત્ર થાય તેને મેશ કહેવામાં આવે છે. આ મેશને કસ્તૂરી વગેરેની સાથે મિશ્ર કરીને ઘીમાં કાલવીને આંખ માટેનું આંજણ તૈયાર કરવામાં આવે છે. આયુર્વેદ પ્રમાણે…

વધુ વાંચો >

કાજલમય

Jan 19, 1992

કાજલમય (1972) : મરાઠી સર્જક જી. એ. કુલકર્ણીનો નવલિકાસંગ્રહ. કર્તાનો આ સાતમો નવલિકાસંગ્રહ છે. એને માટે લેખકને 1973નો સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો છે. એમાંની વાર્તાઓમાં લેખકે આધુનિક જીવનની અર્થહીનતા, અસંબદ્ધતા તથા વિધાતા દ્વારા થતા માનવના ઉપહાસનું વિવિધ પાત્રોના ચિત્રણ દ્વારા સુપેરે આલેખન કર્યું છે. સંગ્રહની ચૌદ વાર્તાઓમાં જીવનના ખાબડામાં જુદા…

વધુ વાંચો >

કાજી અલીની મસ્જિદ

Jan 19, 1992

કાજી અલીની મસ્જિદ : અમદાવાદમાં જૂની સિવિલ હૉસ્પિટલની સામે ઘીકાંટા રોડને પૂર્વકિનારે છોટા એદ્રૂસ અને શાહ અબ્દુર્રઝ્ઝાકના રોજાવાળા વાડામાં આવેલી પથ્થરની નાની પણ સુંદર મસ્જિદ. ગયા શતકના મધ્યાહન સુધી તે અલીખાન કાજી અથવા કાજીની મસ્જિદ કહેવાતી હતી. છેલ્લાં દોઢસો વર્ષથી તેની પાસે આવેલા છોટા એદ્રૂસના મકબરા પરથી છોટા એદ્રૂસની મસ્જિદ…

વધુ વાંચો >

કાજુ

Jan 19, 1992

કાજુ : દ્વિદળી વર્ગમાં આવેલા એનાકાર્ડિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Anacardium occidentale Linn. (સં. કાજૂતક, અગ્નિકૃત; ગુ., હિં. કાજુ; બં. હિગલી-બદામ; ક. ગેરૂ; મલા. ચુમાક; તે. જીડિમામિ; તા. મુદિરિકૈ; અં. કૅશૂનટ) છે. તેના સહસભ્યોમાં અમાની, આંબો, કામઠી, ચારોળી, સમેટ, ભિલામા, પિસ્તાં વગેરેનો સમાવેશ થાય છે. તે એક નાનું,…

વધુ વાંચો >

કાઝાન્ઝાકિસ, નિકોસ

Jan 19, 1992

કાઝાન્ઝાકિસ, નિકોસ (જ. 2 ડિસેમ્બર 1885, ઇરાક્લિયોન, ક્રીટ; અ. 26 ઑક્ટોબર 1957, ફ્રીર્બાર્ગમ, બ્રીસ્ગૉ, પશ્ચિમ જર્મની) : ગ્રીક લેખક. વિપુલ સાહિત્યના રચયિતા. આધુનિક ગ્રીક સાહિત્યમાં તેમનું નામ નોંધપાત્ર છે. તુર્કોના ઑટૉમન સામ્રાજ્યની ધુરામાંથી મુક્ત થવા માટેના સ્વાતંત્ર્ય-સંગ્રામની વેળાએ તેમનો જન્મ થયેલો. તેમના પરિવારને થોડા સમય માટે ગ્રીક ટાપુ નિક્સૉસમાં આશરો…

વધુ વાંચો >

કાઝી અબ્દુલ વહ્હાબ

Jan 19, 1992

કાઝી અબ્દુલ વહ્હાબ : પાટણ(ગુજરાત)ના ખ્યાતનામ મુસ્લિમ વિદ્વાન શેખ મોહમ્મદ તાહિરના પૌત્ર. મુઘલ સમ્રાટ શાહજહાનના સમયમાં પાટણના મુફતી તરીકે તેમની નિયુક્તિ થઈ હતી. ઔરંગઝેબે તેમને પોતાના સૈન્યના કાઝી અને પાછળથી કાઝી-ઉલ-કઝાત (મુખ્ય ન્યાયાધીશ) બનાવ્યા હતા. તે મુસ્લિમ કાયદા ‘ફિક્હ’ના નિષ્ણાત હતા અને પોતાની ફરજો પ્રામાણિકતાથી બજાવતા. કાયદાપાલનની બાબતમાં તેમની સખ્તાઈને…

વધુ વાંચો >

કાઝી અહમદ જોધ

Jan 19, 1992

કાઝી અહમદ જોધ (જ ?; અ. 1445) : અમદાવાદ શહેરનો પાયો નાખનાર ચાર અહમદો પૈકીના એક. તેમનું નામ અહમદ અને લકબ કુત્બુદ્દીન. તે સુલતાન હાજી હૂદના વંશના હતા. સરખેજના સંત ગંજે અહમદ સાહેબના મુરીદ ને ખલીફા હતા. તેમની કબર પાટણના ખાન સરોવર પાસે છે. તેમના પુત્ર શાહ હસન ફકીહ ગૌસુલ્પરા…

વધુ વાંચો >

કાઝી, એહમદમિયાં અખ્તર જૂનાગઢી

Jan 19, 1992

કાઝી, એહમદમિયાં અખ્તર જૂનાગઢી (જ. ?, ઉના; અ. 6 ઑગસ્ટ 1955) : ઉર્દૂ કવિ અને વિદ્વાન. પિતાનું નામ કાઝી અબ્દુલ્લાહ. તેમની જમીનજાગીર જૂનાગઢના નવાબી રાજ્યમાં કણઝરી ગામમાં હતી અને તે જૂનાગઢના કાઝીવાડા મહોલ્લામાં ‘અખ્તર મંઝિલ’માં રહેતા હતા. તે 1947 પહેલાં જૂનાગઢમાં પુરાતત્વ વિભાગના નાયબ નિયામક તથા નગરપાલિકાના પ્રમુખ પણ રહ્યા…

વધુ વાંચો >

કાઝી કાઝન

Jan 19, 1992

કાઝી કાઝન (જ. 1463; અ. 1551) : મધ્યકાલીન સિંધી કવિ. કાઝી કાઝને જીવનનો અધિક સમય સિંધના બખર નગરમાં વિતાવ્યો હતો અને તે એ નગરના પ્રસિદ્ધ કાઝી હતા. ઉપલબ્ધ મધ્યકાલીન સિંધી સાહિત્યના તે આદિ કવિ ગણાય છે. તે વારાણસીના પ્રસિદ્ધ સૂફી દરવેશ સૈયદ મુહમ્મદના શિષ્ય હતા અને મુસ્લિમ સૂફીઓ ઉપરાંત યોગીઓના…

વધુ વાંચો >