૪.૧૩

કલકત્તા ઑબ્ઝર્વેટરીથી કલીમુદ્દીન અહમદ

કલકત્તા ઑબ્ઝર્વેટરી

કલકત્તા ઑબ્ઝર્વેટરી : તેની સ્થાપના ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ, તે કાળના ભારતના ‘સર્વેયર જનરલ’ વી. બ્લાકર(1778-1826)ની માગણીને ધ્યાનમાં લઈને 1825માં કરી હતી. વેધશાળાની સ્થાપનાનો આશય મોજણી(સર્વેક્ષણ)ના કાર્યમાં સ્થળના અક્ષાંશ વગેરે જાણી વધુ ચોકસાઈ આણવાનો હતો. આરંભમાં મુખ્યત્વે ત્રણેક ઉપકરણો વસાવવામાં આવ્યાં : પાંચ ફૂટની કેન્દ્રલંબાઈ (focal length) ધરાવતું યામ્યોત્તર યંત્ર કે…

વધુ વાંચો >

કલગારી (કંકાસણી)

કલગારી (કંકાસણી) : એકદળી વર્ગમાં આવેલા લિલિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Gloriosa superba Linn. (સં. કલિકારી, અગ્નિમુખી કલિહારી; મ. કળલાવી; હિં. કલિહારી, કલિયારી, કલહંસ; બં. વિષલાંગલા, ઇષલાંગલા; ગુ. દૂધિયો વછનાગ, કંકાસણી, વઢકણી, વઢવાડિયો; ક. રાડાગારી, લાંગલિકે; મલા. મેટોન્નિ; અં. મલબારગ્લોરી લીલી) છે. તેના સહસભ્યોમાં ધોળી-કાળી મૂસળી, જંગલી કાંદો,…

વધુ વાંચો >

કલચુરી સંવત : જુઓ સંવત

કલચુરી સંવત : જુઓ સંવત.

વધુ વાંચો >

કલન

કલન : ચામ સંસ્કૃતિનાં મંદિરોના સ્થાપત્યના સ્તંભો. પ્રણાલીગત શૈલીમાં આ મંદિરો ત્રણના સમૂહમાં બાંધવામાં આવતાં. તેમાં મુખ્ય મંદિર વચ્ચે અને આજુબાજુ બીજાં બે નાનાં મંદિરો બંધાતાં. આ મંદિરો ચતુષ્કોણ ઓટલા પર બંધાતાં અને તેની નજીકના કલન તરીકે ઓળખાતા સ્તંભો. ભારતીય મંદિરપ્રણાલીનાં શિખરોની સરખામણીમાં આ શૈલીનાં મુખ્ય અંગ ગણાતા; પરંતુ મંદિરોથી…

વધુ વાંચો >

કલનશાસ્ત્ર

કલનશાસ્ત્ર (calculus) : બદલાતી ચલરાશિ અનુસાર સતત વિધેયમાં થતા ફેરફારના દર સાથે સંકળાયેલી ગાણિતિક વિશ્લેષણની એક શાખા. કલનશાસ્ત્ર શોધવાનું બહુમાન સર આઇઝેક ન્યૂટન (ઇંગ્લૅન્ડ) અને જી. લાઇબ્નીત્ઝ(જર્મની)ને ફાળે જાય છે. લગભગ એક શતાબ્દી સુધી ‘આ બે ગણિતશાસ્ત્રીમાં પ્રથમ પ્રણેતા કોણ ?’ એ અંગે બંનેના સમર્થકો વચ્ચે વિવાદ થયો, જેને કારણે…

વધુ વાંચો >

કલનશાસ્ત્ર – ચલનનું

કલનશાસ્ત્ર – ચલનનું (calculus of variations) : વક્ર સાથે સંકળાયેલી કોઈ રાશિને લઘુતમ કે મહત્તમ બનાવે તેવો વક્ર શોધવાના પ્રશ્નનો અભ્યાસ, થોડાં ઉદાહરણો જોઈએ. (1) એક સમતલમાં બે બિંદુઓ આવેલાં છે. એ જ સમતલમાં બે બિંદુઓને જોડતા અનેક વક્રો દોરી શકાય. આ બધા વક્રોમાંથી લઘુતમ લંબાઈનો વક્ર શોધવો હોય તો…

વધુ વાંચો >

કલબુર્ગિ – મલ્લપ્પા મડિવલપ્પા

કલબુર્ગિ, મલ્લપ્પા મડિવલપ્પા (જ. 28 નવેમ્બર 1938, ગુબ્બેવાડ, જિ. બીજાપુર, કર્ણાટક; અ. 30 ઑગસ્ટ 2015, ધારવાડ, કર્ણાટક) : કન્નડ વિદ્વાન અને સંશોધક. તેમણે સિન્દગી ખાતે પ્રાથમિક, બીજાપુર અને ધારવાડ ખાતે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું. તેમણે કર્ણાટક યુનિવર્સિટીમાંથી એમ.એ. અને પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી. પછી તેઓ કર્ણાટક યુનિવર્સિટી, ધારવાડમાંથી કન્નડના પ્રાધ્યાપકપદેથી…

વધુ વાંચો >

કલમ્બકમ્

કલમ્બકમ્ : તમિળ સાહિત્યપ્રકાર. ‘કલમ્બકમ્’નો શાબ્દિક અર્થ છે જાતજાતનાં ફૂલોથી ગૂંથેલી માળા. ‘કલમ્બકમ્’માં સાહિત્યિક તથા લોકગીતોની શૈલીનું મિશ્રણ છે. એ શૈલીમાં રચાયેલી પ્રસિદ્ધ રચનાઓ છે. ‘નંદિકલમ્બકમ્’, ‘તિરુક્કલમ્બકમ્’, ‘તિલ્લૈક્કલમ્બકમ્’, ‘મદુરૈ કલમ્બકમ્’, ‘નાકૈક્કલમ્બકમ્’, ‘સિરુવરંગકલમ્બકમ્’ વગેરે. એનો વધુ અને વધુ પ્રચાર થતાં ભક્તોએ પોતાના ઇષ્ટદેવની સ્તુતિ માટે આ કાવ્યપ્રકારનો ઉપયોગ કર્યો. આ પ્રકારમાં…

વધુ વાંચો >

કલરીમિતિ

કલરીમિતિ (colorimetry) : જ્ઞાત રંગોની સાથે સરખામણી કરી અજ્ઞાત રંગની મૂલ્યાંકન કરવાની તકનીક. આ તકનીકમાં સરખામણી માટે આંખનો ઉપયોગ વધારે ચોકસાઈ માટે ફોટોઇલેક્ટ્રિક કોષનો ઉપયોગ અથવા સ્પેક્ટ્રોફોટોમિટર જેવી આડકતરી રીતો પણ ઉપયોગમાં લઈ શકાય છે. આ માટેના સાદા ઉપકરણને કલરીમિટર તરીકે ઓળખવામાં આવે છે. આ તક્નીક વૈજ્ઞાનિક અભ્યાસમાં વ્યાપક રીતે…

વધુ વાંચો >

કલશ (આમલસારક)

કલશ (આમલસારક) : નાગર પ્રકારનાં મંદિરોનો કલગી સમાન ભાગ. શિખરના ટોચના ભાગ ઉપર કલશ કરવામાં આવે છે. આમલકને દાંતાવાળી કિનારી હોય છે. તેનો નક્કર ભાગ તે ગોળ પથ્થર હોય છે. આમલક મુખ્ય શિખરનો સૌથી ઊંચો – મુગટ સમાન ભાગ હોય છે, પણ તેથી વિશેષ તેના શૃંગ કે મંજરી એકબીજાને ટેકવીને…

વધુ વાંચો >

કલાનું મનોવિજ્ઞાન

Jan 13, 1992

કલાનું મનોવિજ્ઞાન : મનોવિજ્ઞાનની વિવિધ પદ્ધતિઓ દ્વારા કલાને સમજવાનો, તેનું રસદર્શન કરવાનો પ્રયાસ. તેની વ્યાવહારિકતા આજકાલ વધતી જાય છે. અનેક ક્ષેત્રોમાં તેના સિદ્ધાંતો ઉપયોગી જણાયા છે; પછી તે શિક્ષણનું ક્ષેત્ર હોય, તબીબી ક્ષેત્ર હોય, સામાજિક ક્ષેત્ર કે અહીં પ્રસ્તુત છે તે કલાનું ક્ષેત્ર હોય. કલા આમ જોઈએ તો સાંસ્કૃતિક-સામાજિક ઘટના…

વધુ વાંચો >

કલાપી

Jan 13, 1992

કલાપી (જ. 26 જાન્યુઆરી 1874, લાઠી; અ. 9 જૂન 1900) : મૂળ નામ ગોહિલ સુરસિંહજી તખ્તસિંહજી. પિતા તથા મોટાભાઈના અવસાનથી સગીર વયે જ ગાદીવારસ ઠરેલા. 1885માં એમને રાજ્ય સંભાળવું પડેલું. માતાનું નામ રાજબા. 1882થી 1890 સુધી રાજકોટની કૉલેજમાં અધ્યયન. આંખોની તકલીફ અને લગ્ન વગેરેને કારણે કલાપીએ અંગ્રેજી પાંચમા ધોરણ સુધીનું…

વધુ વાંચો >

કલા પ્રકાશ

Jan 13, 1992

કલા પ્રકાશ (જ. 1934, કરાંચી, હાલ પાકિસ્તાન) : પ્રખ્યાત સિંધી નવલકથાકાર તથા વાર્તાકાર. તેમને તેમની શ્રેષ્ઠ નવલકથા ‘આરસી યા આડો’ માટે 1994ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે હિસાબ તપાસનીસ તરીકે કેન્દ્ર સરકારના કાર્યાલયમાં 17 વર્ષ સુધી કામગીરી કરી. તે ઉપરાંત વિશ્વવિદ્યાલયમાં એમ.એ.ના વર્ગનાં પ્રાધ્યાપિકા તરીકે તેમણે કાર્ય…

વધુ વાંચો >

કલા(phase)-ભૌતિકી

Jan 13, 1992

કલા(phase)-ભૌતિકી : સરળ આવર્ત ગતિ (Simple Harmonic Motion – SHM) કરતા કણ કે દોલક(oscillator)નું કોઈ પણ ક્ષણે, તેના ગતિપથ પર સ્થાન જાણવા માટે ઉપયોગમાં લેવાતી ભૌતિક રાશિ (physical quantity). આવી ગતિની ભૌમિતિક રજૂઆત કરતાં તેને કોઈ નિયમિત વર્તુળમય ગતિની, વર્તુળના વ્યાસ ઉપરની પ્રક્ષિપ્ત ગતિ (projected motion) તરીકે વર્ણવી શકાય. તેથી…

વધુ વાંચો >

કલાશિક્ષણ

Jan 13, 1992

કલાશિક્ષણ : લલિત કલાઓનું શિક્ષણ. કલાના વ્યવસ્થિત શિક્ષણ માટે તત્કાલીન મુંબઈ રાજ્યમાં 1857માં જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટ, વડોદરામાં 1890માં કલાભવન અને કચ્છમાં 1877માં કલાશાળા ખોલવામાં આવેલ. પ્રથમ બે કલાશાળાઓ ચિત્રકલા, પેઇન્ટિંગ, મૉડેલિંગ, ઍપ્લાઇડ આર્ટ વગેરે વિષયો શીખવતી હતી. સંગીત વ્યક્તિગત સંગીતકાર પાસેથી ગુરુ પરંપરાનુસાર શીખવાતું હતું. 1935માં વ્યાવસાયિક કલાને…

વધુ વાંચો >

કલિકા

Jan 13, 1992

કલિકા (bud) : પ્રકાંડ (stem) અને શાખા(branch)ની ટોચ ઉપર વસેલું, સતત વિકાસ અને વૃદ્ધિ દર્શાવતું સંકુચિત અને અવિકસિત પ્રરોહ (shoot). કલિકાના બંધારણમાં તેની ટોચ ઉપર વર્ધનશીલ પેશી (meristem) અને ખૂબ જ પાસે પાસે ગોઠવાયેલાં કુમળાં પર્ણો હોય છે. પ્રકાંડની ટોચ ઉપર ઉદભવતી અગ્રકલિકા (terminal bud) અને પર્ણના કક્ષમાં આવેલી કક્ષકલિકા…

વધુ વાંચો >

કલિકાતા દર્પણ

Jan 13, 1992

કલિકાતા દર્પણ (1980) : કોલકાતાનાં ઇતિહાસ અને સંસ્કૃતિ વિશેનો બે ભાગમાં રચાયેલ બંગાળી ગ્રંથ. લેખક રાધારમણ મિત્ર. આ ગ્રંથને 1981નો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. એમાં કોલકાતા શહેરની સ્થાપના અને એનો ક્રમબદ્ધ વિકાસ દર્શાવ્યાં છે. એમાં માત્ર ઐતિહાસિક વિગતો જ નથી, પરંતુ કોલકાતાના સ્વરૂપનું વારંવાર પરિવર્તન કરનાર પરિબળો…

વધુ વાંચો >

કલિકાત્તાર કાછે

Jan 13, 1992

કલિકાત્તાર કાછે (1957) : નાયક વિનાની બંગાળી નવલકથા. સ્વાતંત્ર્યોત્તર-કાળના પ્રસિદ્ધ બંગાળી નવલકથાકાર ગજેન્દ્રકુમાર મિત્રને આ નવલકથા માટે 1959ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. દેશના વિભાજન પછી પશ્ચિમ બંગાળમાં આવેલા નિર્વાસિતોના જીવનને તેમણે આ નવલકથામાં નિરૂપ્યું છે. ઝૂંપડાવાસીઓની દુર્દશા, એમની અનેકવિધ સમસ્યાઓ, એમની સમાજવિરોધી પ્રવૃત્તિઓ, એ બધાંનું તે…

વધુ વાંચો >

કલિકાન્તરવિન્યાસ

Jan 13, 1992

કલિકાન્તરવિન્યાસ : વજ્રપત્રો, દલપત્રો કે પરિદલપત્રોની પુષ્પીય કલિકામાંની ગોઠવણી. આવૃતબીજધારી વનસ્પતિઓના વર્ગીકરણમાં કલિકાન્તરવિન્યાસનું ખૂબ મહત્વ છે. તેના પ્રકારો નીચે પ્રમાણે છે : (1) ધારાસ્પર્શી – આ પ્રકારમાં પુષ્પીય પત્રોની ધાર એકબીજા પર આચ્છાદિત થયા વિના એકબીજાને માત્ર સ્પર્શતી હોય છે. આ વિશિષ્ટતા એનોનેસી કુળ અને માઇમોઝી ઉપકુળમાં જોવા મળે છે.…

વધુ વાંચો >

કલિતા, દંડિનાથ

Jan 13, 1992

કલિતા, દંડિનાથ (જ. 1890, તેજપુર, અ. 1950) : સુવિખ્યાત અસમિયા સાહિત્યકાર. વ્યવસાયે શિક્ષક. સાહિત્યસાધના ખાસ શોખનો વિષય. કવિતામાં સવિશેષ રુચિ. તેમની કવિતાઓ મુખ્યત્વે હાસ્યરસ તથા વ્યંગપ્રધાન. ‘રાહગરા’ (1916), ‘રાગર’ (1916), ‘દીપ્તિ’ (1925), ‘બહુરૂપી’ (1926), ‘બિનાર ઝંકાર’ (1951) તેમના કાવ્યસંગ્રહો છે. ‘આસામ-સંધ્યા’ (1949) બ્લેંક વર્સમાં લખેલું એ તેમના ઐતિહાસિક કાવ્યમાં બ્રહ્મદેશની…

વધુ વાંચો >