૪.૧૩
કલકત્તા ઑબ્ઝર્વેટરીથી કલીમુદ્દીન અહમદ
કલકત્તા ઑબ્ઝર્વેટરી
કલકત્તા ઑબ્ઝર્વેટરી : તેની સ્થાપના ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ, તે કાળના ભારતના ‘સર્વેયર જનરલ’ વી. બ્લાકર(1778-1826)ની માગણીને ધ્યાનમાં લઈને 1825માં કરી હતી. વેધશાળાની સ્થાપનાનો આશય મોજણી(સર્વેક્ષણ)ના કાર્યમાં સ્થળના અક્ષાંશ વગેરે જાણી વધુ ચોકસાઈ આણવાનો હતો. આરંભમાં મુખ્યત્વે ત્રણેક ઉપકરણો વસાવવામાં આવ્યાં : પાંચ ફૂટની કેન્દ્રલંબાઈ (focal length) ધરાવતું યામ્યોત્તર યંત્ર કે…
વધુ વાંચો >કલગારી (કંકાસણી)
કલગારી (કંકાસણી) : એકદળી વર્ગમાં આવેલા લિલિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Gloriosa superba Linn. (સં. કલિકારી, અગ્નિમુખી કલિહારી; મ. કળલાવી; હિં. કલિહારી, કલિયારી, કલહંસ; બં. વિષલાંગલા, ઇષલાંગલા; ગુ. દૂધિયો વછનાગ, કંકાસણી, વઢકણી, વઢવાડિયો; ક. રાડાગારી, લાંગલિકે; મલા. મેટોન્નિ; અં. મલબારગ્લોરી લીલી) છે. તેના સહસભ્યોમાં ધોળી-કાળી મૂસળી, જંગલી કાંદો,…
વધુ વાંચો >કલચુરી સંવત : જુઓ સંવત
કલચુરી સંવત : જુઓ સંવત.
વધુ વાંચો >કલન
કલન : ચામ સંસ્કૃતિનાં મંદિરોના સ્થાપત્યના સ્તંભો. પ્રણાલીગત શૈલીમાં આ મંદિરો ત્રણના સમૂહમાં બાંધવામાં આવતાં. તેમાં મુખ્ય મંદિર વચ્ચે અને આજુબાજુ બીજાં બે નાનાં મંદિરો બંધાતાં. આ મંદિરો ચતુષ્કોણ ઓટલા પર બંધાતાં અને તેની નજીકના કલન તરીકે ઓળખાતા સ્તંભો. ભારતીય મંદિરપ્રણાલીનાં શિખરોની સરખામણીમાં આ શૈલીનાં મુખ્ય અંગ ગણાતા; પરંતુ મંદિરોથી…
વધુ વાંચો >કલનશાસ્ત્ર
કલનશાસ્ત્ર (calculus) : બદલાતી ચલરાશિ અનુસાર સતત વિધેયમાં થતા ફેરફારના દર સાથે સંકળાયેલી ગાણિતિક વિશ્લેષણની એક શાખા. કલનશાસ્ત્ર શોધવાનું બહુમાન સર આઇઝેક ન્યૂટન (ઇંગ્લૅન્ડ) અને જી. લાઇબ્નીત્ઝ(જર્મની)ને ફાળે જાય છે. લગભગ એક શતાબ્દી સુધી ‘આ બે ગણિતશાસ્ત્રીમાં પ્રથમ પ્રણેતા કોણ ?’ એ અંગે બંનેના સમર્થકો વચ્ચે વિવાદ થયો, જેને કારણે…
વધુ વાંચો >કલનશાસ્ત્ર – ચલનનું
કલનશાસ્ત્ર – ચલનનું (calculus of variations) : વક્ર સાથે સંકળાયેલી કોઈ રાશિને લઘુતમ કે મહત્તમ બનાવે તેવો વક્ર શોધવાના પ્રશ્નનો અભ્યાસ, થોડાં ઉદાહરણો જોઈએ. (1) એક સમતલમાં બે બિંદુઓ આવેલાં છે. એ જ સમતલમાં બે બિંદુઓને જોડતા અનેક વક્રો દોરી શકાય. આ બધા વક્રોમાંથી લઘુતમ લંબાઈનો વક્ર શોધવો હોય તો…
વધુ વાંચો >કલબુર્ગિ – મલ્લપ્પા મડિવલપ્પા
કલબુર્ગિ, મલ્લપ્પા મડિવલપ્પા (જ. 28 નવેમ્બર 1938, ગુબ્બેવાડ, જિ. બીજાપુર, કર્ણાટક; અ. 30 ઑગસ્ટ 2015, ધારવાડ, કર્ણાટક) : કન્નડ વિદ્વાન અને સંશોધક. તેમણે સિન્દગી ખાતે પ્રાથમિક, બીજાપુર અને ધારવાડ ખાતે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું. તેમણે કર્ણાટક યુનિવર્સિટીમાંથી એમ.એ. અને પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી. પછી તેઓ કર્ણાટક યુનિવર્સિટી, ધારવાડમાંથી કન્નડના પ્રાધ્યાપકપદેથી…
વધુ વાંચો >કલમ્બકમ્
કલમ્બકમ્ : તમિળ સાહિત્યપ્રકાર. ‘કલમ્બકમ્’નો શાબ્દિક અર્થ છે જાતજાતનાં ફૂલોથી ગૂંથેલી માળા. ‘કલમ્બકમ્’માં સાહિત્યિક તથા લોકગીતોની શૈલીનું મિશ્રણ છે. એ શૈલીમાં રચાયેલી પ્રસિદ્ધ રચનાઓ છે. ‘નંદિકલમ્બકમ્’, ‘તિરુક્કલમ્બકમ્’, ‘તિલ્લૈક્કલમ્બકમ્’, ‘મદુરૈ કલમ્બકમ્’, ‘નાકૈક્કલમ્બકમ્’, ‘સિરુવરંગકલમ્બકમ્’ વગેરે. એનો વધુ અને વધુ પ્રચાર થતાં ભક્તોએ પોતાના ઇષ્ટદેવની સ્તુતિ માટે આ કાવ્યપ્રકારનો ઉપયોગ કર્યો. આ પ્રકારમાં…
વધુ વાંચો >કલરીમિતિ
કલરીમિતિ (colorimetry) : જ્ઞાત રંગોની સાથે સરખામણી કરી અજ્ઞાત રંગની મૂલ્યાંકન કરવાની તકનીક. આ તકનીકમાં સરખામણી માટે આંખનો ઉપયોગ વધારે ચોકસાઈ માટે ફોટોઇલેક્ટ્રિક કોષનો ઉપયોગ અથવા સ્પેક્ટ્રોફોટોમિટર જેવી આડકતરી રીતો પણ ઉપયોગમાં લઈ શકાય છે. આ માટેના સાદા ઉપકરણને કલરીમિટર તરીકે ઓળખવામાં આવે છે. આ તક્નીક વૈજ્ઞાનિક અભ્યાસમાં વ્યાપક રીતે…
વધુ વાંચો >કલશ (આમલસારક)
કલશ (આમલસારક) : નાગર પ્રકારનાં મંદિરોનો કલગી સમાન ભાગ. શિખરના ટોચના ભાગ ઉપર કલશ કરવામાં આવે છે. આમલકને દાંતાવાળી કિનારી હોય છે. તેનો નક્કર ભાગ તે ગોળ પથ્થર હોય છે. આમલક મુખ્ય શિખરનો સૌથી ઊંચો – મુગટ સમાન ભાગ હોય છે, પણ તેથી વિશેષ તેના શૃંગ કે મંજરી એકબીજાને ટેકવીને…
વધુ વાંચો >કલહદાસ (બારમી સદી)
કલહદાસ (બારમી સદી) : ભાગલપુર પાસેના કલહગ્રામ અથવા વિક્રમશીલા વિશ્વવિદ્યાલયના વતની. ‘કલહ (કોલહ) સંહિતા’ના કર્તા. શોભન વસાણી
વધુ વાંચો >કલહરીનું રણ
કલહરીનું રણ : દક્ષિણ આફ્રિકામાં આવેલો વિશાળ રણપ્રદેશ. આશરે 2,60,000 ચોકિમી. ક્ષેત્રફળ ધરાવતું આ રણ ઝિમ્બાબ્વે, બોટ્સવાના અને નામિબિયા જેવા દેશોમાં વિસ્તરેલું છે. દ. ગોળાર્ધમાં વિષુવવૃત્તથી દક્ષિણે દ. અક્ષાંશ (મકરવૃત્ત) ઉપર આ રણપ્રદેશ આવેલ છે. આ રણપ્રદેશની ઉત્તરે ઝાંબેઝી નદી, પૂર્વમાં ટ્રાન્સવાલ અને ઝિમ્બાબ્વેનો ઉચ્ચપ્રદેશ જ્યારે દક્ષિણમાં ઑરેંજ નદી આવેલી…
વધુ વાંચો >કલા (દૈવી)
કલા (દૈવી) : કલાશક્તિ કે વિભૂતિનું વ્યક્ત સ્વરૂપ. કોઈ પણ દેવતાની શક્તિ સોળ કળાઓમાં વિભાજિત હોય છે. જે દેવતામાં બધી કળાઓ વિદ્યામાન હોય તેમને ‘પૂર્ણકલા-મૂર્તિ’ કહેવામાં આવે છે. જે દેવતામાં 16 કરતાં એક-બે કળા ઓછી હોય તેમને ‘કલામૂર્તિ’ કહે છે, જ્યારે કલામૂર્તિ કરતાં પણ ઓછી કલા ધરાવનાર દેવતા ‘અંશમૂર્તિ’ અને…
વધુ વાંચો >કલા (ભારતીય વિભાવના)
કલા (ભારતીય વિભાવના) : ભારતીય સંસ્કૃતિ ધર્મપ્રધાન સંસ્કૃતિ છે. એમાં પ્રાચીન અને મધ્યકાલમાં કલાને ધર્મસાધનાના મહત્વના અંગ તરીકે સ્વીકારવામાં આવી હતી. આને લઈને ભારતીય કલામાં સૌંદર્યભાવનાની સાથોસાથ એક પ્રકારનું આધ્યાત્મિક બળ પણ વરતાય છે. ભારતીય કલા ધર્મપરાયણ હોવાથી ધર્માલયોમાં એ સોળે કળાએ ખીલેલી દૃષ્ટિગોચર થાય છે. કલાનું સર્જન બહુજન સમાજ…
વધુ વાંચો >કલા અને કલાતત્વ
કલા અને કલાતત્વ માનવનિર્મિત સુંદર રચના અને તેનું હાર્દ. માનવીના કૌશલ્યનું તે નિર્માણ છે અને એ રીતે તે કુદરતી – કુદરતસર્જિત પદાર્થથી તદ્દન જુદી છે. સૂર્યોદય સુંદર હોય પણ એ કલાકૃતિ નથી કારણ કે એનું નિર્માણ માનવે નથી કર્યું. કલા એ કુદરતની નહિ પણ માનવની નિર્માણપ્રવૃત્તિ છે એ વ્યાખ્યાની વ્યાપકતાને…
વધુ વાંચો >કલંદરબખ્શ ‘જુરઅત’ ઉર્દૂ કવિ
કલંદરબખ્શ ‘જુરઅત’ ઉર્દૂ કવિ (જ. ?, દિલ્હી; અ. ઈ. સ. સાતમી સદી) : ‘જુરઅત’નું મૂળ નામ યાહ્યા અમાન. નાની વયમાં જ પરિવાર ફૈઝાબાદમાં જઈ વસ્યો હોઈ તેમના જીવન અને તેમની કાવ્યશૈલી ઉપર ફૈઝાબાદ-લખનઉનો પ્રભાવ જોવા મળે છે. તેમનો સ્વભાવ ખૂબ ચંચળ હતો. તેમને સંગીતનો પણ શોખ હતો. બાળપણથી જ તેઓ…
વધુ વાંચો >કલાકેન્દ્ર – સૂરત
કલાકેન્દ્ર, સૂરત (સ્થાપના 1955) : નાટ્ય, નૃત્ય, સંગીત, સાહિત્ય અને ચિત્રકલાના ક્ષેત્રે નવતર વૈવિધ્યભર્યું કામ કરતી સૂરતની સંસ્થા. તેની સાથે જાણીતા નાટ્યકાર અને અનુવાદક વજુભાઈ ટાંક, જાણીતા પત્રકાર ચન્દ્રકાન્ત પુરોહિત અને પોપટલાલ વ્યાસ સંકળાયેલા રહ્યા છે. આ સંસ્થા દ્વારા થયેલા મહત્વના નાટ્યપ્રયોગોમાં ‘ભાભી’, ‘બ્રહ્મા – વિષ્ણુ – મહેશ’, ‘વળામણાં’, ‘કંથારનાં…
વધુ વાંચો >કલા ખાતર કલા
કલા ખાતર કલા : કલાનું સંપૂર્ણ, સ્વતંત્ર અને સ્વાયત્ત વિશ્વ છે અને કલાનું પ્રયોજન કલામાં જ રહેલું છે એવો સિદ્ધાન્ત. કલાનું સર્જન આનંદ માટે થાય છે એ સાચું હોવા છતાં કલાકાર આ દુનિયાનો માણસ હોવાને કારણે કલાની સામાજિક ઉપયોગિતાનો વિચાર પણ થાય છે. ગ્રીક ચિંતક, ફિલસૂફ પ્લૅટોએ કલાને અનુકરણાત્મક, અસત્ય,…
વધુ વાંચો >