૪.૧૨

કર્ણાસ્થિકાઠિન્યથી કલકત્તા (કોલકાતા)

કર્મ

કર્મ : વૈદિક ક્રિયાકર્મ. કર્મ એટલે ક્રિયાવ્યાપાર, ચેષ્ટા. ધાતુના તિઙન્ત કે કૃદન્તનો અર્થ. ‘દેવદત્ત ફળ ખાય છે’ : એ વાક્યમાં ‘ખાય છે’ એટલે ખોરાક મુખમાંથી ગળે ઉતારવારૂપ વ્યાપાર કરે છે, તે કર્મ કહેવાય. ‘કર્મ’ એ નામશબ્દ છે અને કારક સંબંધે તે ક્રિયા સાથે જોડાયેલો હોય છે. ઉપરના વાક્યમાં ‘ફળ’ એ…

વધુ વાંચો >

કર્મ (ચિત્રપટ)

કર્મ (ચિત્રપટ) : એકસાથે હિન્દી અને અંગ્રેજી બંને ભાષામાં ઉતારેલું પ્રથમ બોલપટ. હિમાંશુ રાય ઇંડો-ઇંટરનેશનલ ટૉકીઝ, બૉમ્બેના ઉપક્રમે બનેલું વેશભૂષાપ્રધાન બોલપટ. તે ઇંગ્લૅન્ડના સહયોગમાં બનેલું પ્રથમ ચલચિત્ર હતું. અંગ્રેજી અને હિન્દી એમ બંને ભાષાઓમાં બનેલા આ બોલપટનું અંગ્રેજી નામ ‘ફેઈટ’ અને હિંદીમાં એનું બીજું નામ ‘નાગિન કી રાગિની’ હતું. બે…

વધુ વાંચો >

કર્મ અને પુનર્જન્મ

કર્મ અને પુનર્જન્મ વ્યાકરણમાં ‘કર્મ’ શબ્દનો શું અર્થ છે તે સુવિદિત છે. સાત વિભક્તિઓમાંની એક કર્મવિભક્તિ છે. ક્રિયાપદો સકર્મક કે અકર્મક હોય છે. પરિભાષામાં ઊંડા ઊતરવું જરૂરી નથી. દાર્શનિક ક્ષેત્રમાં ‘કર્મ’નો અર્થ ક્રિયા થાય છે. ક્રિયાના મુખ્ય બે વિભાગ છે – પરિણમનક્રિયા અને ગતિક્રિયા. સાંખ્ય-યોગમાં અને જૈનદર્શનમાં પરિણમનક્રિયા(પરિણામ)નું વિસ્તૃત અને…

વધુ વાંચો >

કર્મકાંડ (પૂર્વમીમાંસા)

કર્મકાંડ (પૂર્વમીમાંસા) : યજ્ઞયાગના વિધિ અને અનુષ્ઠાન સાથે સંબંધ ધરાવતો વેદનો ભાગ. આમાં મંત્ર અને બ્રાહ્મણ એ બંનેનો સમાવેશ થાય છે, પરંતુ ખરા અર્થમાં યજ્ઞવિધિઓનું મુખ્યત્વે નિરૂપણ કરતા બ્રાહ્મણગ્રંથોને જ કર્મકાંડ કહેવાનું ઉચિત લાગે છે. જ્ઞાનકાંડ તરીકે જાણીતાં ઉપનિષદોથી વિષયર્દષ્ટિએ ભિન્ન એવો વેદનો આ ભાગ ક્રમમાં પહેલો આવતો હોવાથી તેને…

વધુ વાંચો >

કર્મચારી સંચાલન-વ્યવસ્થા

કર્મચારી સંચાલન-વ્યવસ્થા : યોગ્ય માર્ગદર્શન અને પ્રોત્સાહક વેતન દ્વારા કર્મચારીઓ પાસેથી અસરકારક પરિણામ મેળવવાની તંત્રવ્યવસ્થા. કામનાં સ્વરૂપ અને ગુણવત્તાના સંદર્ભમાં યોગ્ય કર્મચારીઓની ભરતી કર્યા પછી તેમની વચ્ચે કાર્યની વહેંચણી કરવી, તેમને સંતોષ થાય તેવી કામની શરતો નિર્ધારિત કરવી, તેમને જરૂરી તાલીમ આપવી, તેમની બઢતીનાં ધોરણો નિર્ધારિત કરવાં, સંતુષ્ટ કર્મચારીઓ ટકી…

વધુ વાંચો >

કર્મપ્રકૃતિ

કર્મપ્રકૃતિ : જૈન મત અનુસાર કર્મનું સ્વરૂપ. જૈન કર્મશાસ્ત્રમાં ‘કર્મ’ એટલે કે મનુષ્યની પ્રવૃત્તિના આઠ પ્રકારો છે : 1. જ્ઞાનાવરણ, 2. દર્શનાવરણ, 3. વેદનીય, 4. મોહનીય, 5. આયુ, 6. નામ, 7. ગોત્ર અને 8. અંતરાય. જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાય એ ચાર ઘાતી કર્મો છે. એમને લીધે આત્માના ચાર મૂલ…

વધુ વાંચો >

કર્મયોગ (ભગવદગીતા)

કર્મયોગ (ભગવદગીતા) : સ્વધર્મને નક્કી કરવાની અને તેને બજાવતાં બંધનમુક્ત રહેવાની યુક્તિ કે કુશળતા. સ્વજનોનો નાશ કરવાનો હોવાથી ભયંકર લાગતા યુદ્ધકર્મથી નિવૃત્ત થવા ઇચ્છતા અર્જુનને ભગવદગીતામાં શ્રીકૃષ્ણે યુદ્ધકર્મમાં પ્રવૃત્ત થવાનો ઉપદેશ આપ્યો અને કહ્યું કે ‘તું યોગમાં રહીને કર્મ કર.’ યોગની સમજૂતી આપતાં ત્યાં જણાવ્યું કે સિદ્ધિ અને અસિદ્ધિ –…

વધુ વાંચો >

કર્મસિદ્ધાન્ત

કર્મસિદ્ધાન્ત : કર્મનું ફળ ભોગવવું જ પડે છે એ તથ્યને આધારે નિષ્પન્ન થયેલો સિદ્ધાન્ત. કર્મ અને તેનું ફળ એ કાર્યકારણ-સંબંધ અટલ છે. આ કાર્યકારણ-સંબંધ તર્કાશ્રિત છે. ચાર્વાક સિવાયનાં સર્વ ભારતીય દર્શનો – અનાત્મવાદી બૌદ્ધદર્શન સુધ્ધાં – કર્મસિદ્ધાન્તને પોતપોતાની રીતે સ્વીકારે છે. અહીં કર્મ એટલે ‘ફલની આકાંક્ષાથી થતી ધર્માધર્માત્મક પ્રવૃત્તિ’. વિભિન્ન…

વધુ વાંચો >

કર્મસિદ્ધાન્ત અને કર્મના પ્રકારો (જૈન)

કર્મસિદ્ધાન્ત અને કર્મના પ્રકારો (જૈન) : સાધકના આત્મવિકાસમાં જે શક્તિને કારણે વિઘ્ન ઉપસ્થિત થાય છે તે. સંસારી આત્માઓની સુખ, દુ:ખ, સંપત્તિ, આપત્તિ અને ઊંચનીચ આદિ જે કોઈ વિભિન્ન અવસ્થાઓ ર્દષ્ટિગોચર થાય છે તે સર્વમાં કાલ તેમજ સ્વભાવ આદિની જેમ કર્મ પણ એક પ્રબલ કારણ છે. જૈનદર્શન જીવોની આ વિભિન્ન પરિણતિઓમાં…

વધુ વાંચો >

કર્લ રૉબર્ટ ફલોયડ જુનિ.

કર્લ, રૉબર્ટ ફલોયડ, જુનિ. (જ. 23 ઑગસ્ટ 1933, એલિસ, ટૅક્સાસ, યુ.એસ.) : ફુલેરીનના સહશોધક અને 1996ના વર્ષના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારના સહવિજેતા અમેરિકન રસાયણવિદ. તેમણે હ્યુસ્ટન(ટૅક્સાસ)ની રાઇસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી 1954માં બી.એ.ની પદવી મેળવી હતી. ત્યારબાદ 1957માં યુનિવર્સિટી ઑવ્ કૅલિફૉર્નિયા ઍટ બર્કલીમાંથી રસાયણશાસ્ત્રમાં ડૉક્ટરેટની પદવી પ્રાપ્ત કરી હતી. 1958માં તેઓ…

વધુ વાંચો >

કર્ણાસ્થિકાઠિન્ય

Jan 12, 1992

કર્ણાસ્થિકાઠિન્ય (otosclerosis, otospongiosis) : મધ્યકર્ણના ‘પેંગડું’ નામના હાડકાની પાદપટ્ટી(foot-plate)ના ચોંટી જવાથી આવતી બહેરાશ. વાદળી (sponge) જેવું પોચું હાડકું અથવા મૃદુ અસ્થિનું બનેલું પેંગડું ચોંટી જવાથી બહારથી આવતા અવાજના તરંગો મધ્યકર્ણમાંથી અંત:કર્ણમાં જઈ શકતા નથી. અવાજના તરંગોના વહનમાં ક્ષતિ આવે ત્યારે વહન-ક્ષતિ(conduction defect)જન્ય બહેરાશ ઉદભવે છે. તે વારસાગત વિકાર હોવાને કારણે…

વધુ વાંચો >

કર્ણીસિંહ શાર્દૂલસિંહ

Jan 12, 1992

કર્ણીસિંહ શાર્દૂલસિંહ (જ. 21 એપ્રિલ 1924, બિકાનેર; અ. 6 સપ્ટેમ્બર 1988, દિલ્હી) : નિશાનબાજીમાં ટ્રૅપ-શૂટિંગની સ્પર્ધાના ભારતના શ્રેષ્ઠ ખેલાડી. 28 વર્ષની વયે નૅશનલ શૂટિંગ સ્પર્ધામાં ભાગ લીધો. એ પછી અમેરિકામાં કુશળ પ્રશિક્ષક પાસે તાલીમ લઈને ભારત આવ્યા. પાંચમી રાષ્ટ્રીય શૂટિંગ સ્પર્ધામાં સોમાંથી 93 નિશાન વીંધીને રાષ્ટ્રીય વિક્રમ સ્થાપ્યો અને એ…

વધુ વાંચો >

કર્તા-ભિષક

Jan 12, 1992

કર્તા-ભિષક : રોગનિવારણ કરનાર વૈદ્ય. આયુર્વેદ વિજ્ઞાનમાં ચિકિત્સાક્રિયાના ચાર પાદ (પાયા – મુખ્ય અંગો) બતાવ્યા છે : 1. ભિષક્, વૈદ્ય; 2. દ્રવ્ય, ઔષધો; 3. પરિચારક, સેવાકર્તા અને 4. રોગી. આ ચારેયમાં ભિષક્(ભિષગ્ – વૈદ્ય)ને પ્રધાનકર્તા કે મુખ્ય પાદ કહે છે. તેના વિના અન્ય ત્રણ પાદોનું ખાસ મહત્વ રહેતું નથી. ‘ભિષક્’…

વધુ વાંચો >

કર્તિઝ આન્દ્રે 

Jan 12, 1992

કર્તિઝ, આન્દ્રે  (જ. 2 જુલાઈ 1894, બુડાપેસ્ટ, હંગેરી; અ. 1985, ન્યૂયૉર્ક નગર, અમેરિકા) : રોજરોજની સ્વાભાવિક જિંદગીને કૅમેરા દ્વારા દસ્તાવેજી રૂપ આપનાર વિશ્વવિખ્યાત ફોટોગ્રાફર. 1912માં બુડાપેસ્ટ સ્ટૉક એક્સ્ચેન્જમાં કારકુનની નોકરી કરી રહેલા કર્તિઝને ફોટોગ્રાફીનો નાદ લાગ્યો. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન હંગેરિયન લશ્કરમાં કર્તિઝે સૈનિક તરીકે સેવા આપી. યુદ્ધની અમાનવીય યાતનાઓ જોઈ…

વધુ વાંચો >

કર્દમ

Jan 12, 1992

કર્દમ : એક પ્રજાપતિ. પિતાનું નામ કીર્તિભાનુ અને પુત્રનું નામ અનેગ હતું. બ્રહ્મની છાયામાંથી કર્દમની ઉત્પત્તિ મનાય છે. કર્દમનાં લગ્ન સ્વાયંભુવ મનુની પુત્રી દેવહૂતિ સાથે થયાં હતાં, દેવહૂતિએ કપિલમુનિને જન્મ આપેલો. આ કપિલમુનિ સાંખ્યદર્શનના રચયિતા હતા. કહેવાય છે કે આવો સમર્થ પુત્ર પ્રાપ્ત કરવા માટે કર્દમ ઋષિએ વર્ષો સુધી વિકટ…

વધુ વાંચો >

કર્નાડ ગિરીશ રઘુનાથ

Jan 12, 1992

કર્નાડ, ગિરીશ રઘુનાથ (જ. 19 મે 1938, માથેરાન, મહારાષ્ટ્ર, અ. 10 જૂન 2019, બેંગાલુરુ, કર્ણાટક) : કન્નડભાષી નાટ્યલેખક તથા ફિલ્મ અભિનેતા અને દિગ્દર્શક. જન્મ મહારાષ્ટ્રમાં પણ ઉછેર કર્ણાટકમાં અને માતૃભાષા પણ કન્નડ. ધારવાડની કર્ણાટક કૉલેજમાંથી 1958માં ગણિત અને આંકડાશાસ્ત્રના વિષય સાથે બી.એ. થયા. રોડ્સ શિષ્યવૃત્તિ મળતાં ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં ઉચ્ચ અભ્યાસ…

વધુ વાંચો >

કર્નાલ

Jan 12, 1992

કર્નાલ (Karnal) : હરિયાણા રાજ્યમાં આવેલો જિલ્લો, તાલુકો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક-તાલુકામથક. ભૌગોલિક સ્થાન : તે 29o 09′ 50”થી 29o 59′ ઉ. અ. અને 76o 31′ 15”થી 77o 12′ 45” પૂ. રે. વચ્ચેનો 2,538 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે અને વાયવ્યમાં કુરુક્ષેત્ર જિલ્લો, પશ્ચિમ તરફ…

વધુ વાંચો >

કર્પૂરરસ

Jan 12, 1992

કર્પૂરરસ : આયુર્વેદિક રસૌષધિ. (ભૈષજ્ય રત્નાવલિ; ર. તં. સા. અને સિ. પ્ર. સં.) કપૂર, શુદ્ધ હિંગળોક, શુદ્ધ અફીણ, નાગરમોથ, ઇંદ્રજવ અને જાયફળને સરખે ભાગે લઈ, તેનું ચૂર્ણ કરી, ખરલમાં નાંખી, તેના આદુંનો રસ નાંખી, 3 કલાક ખરલ કરીને, તેની 1-1 રતી(121 મિગ્રા.)ની ગોળીઓ વાળી લેવામાં આવે છે. નાનાં બાળકોને અર્ધીથી…

વધુ વાંચો >

કર્બજનીકરણ

Jan 12, 1992

કર્બજનીકરણ (carbonisation) : જીવાવશેષીકરણ(fossili-sation)નો એક પ્રકાર. કાર્બનિક પેશીજાળ(organic tissues)નું કાર્બન અવશેષના સ્વરૂપમાં અપચયન (reduction) દ્વારા થતું રૂપાંતર. આ પ્રક્રિયામાં પેશીજાળ (tissues) કાર્બનના પાતળા પડરૂપે શેલ જેવા નરમ ખડકોમાં જળવાઈ રહી શકે છે. ભૂતકાળમાં થઈ ગયેલી વનસ્પતિની જાળવણી જીવાવશેષના આ પ્રકાર દ્વારા શક્ય બની રહે છે, જ્યારે મૃદુશરીરી પ્રાણીઓ ભાગ્યે જ…

વધુ વાંચો >

કર્બી ઍંગલૉંગ

Jan 12, 1992

કર્બી ઍંગલૉંગ (Karbi Anglong) : આસામ રાજ્યનો પહાડી જિલ્લો. તે 25o 50′ ઉ. અ. અને 93o 30′ પૂ. રે.ની આજુબાજુનો 10,434 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. ક્ષેત્રફળની ર્દષ્ટિએ તે આસામનો સૌથી મોટો જિલ્લો છે. તેની ઉત્તરે મારિયાગાંવ, નાગાંવ અને ગોલાઘાટ જિલ્લા; પૂર્વ તરફ ગોલાઘાટ જિલ્લો અને નાગાલૅન્ડ રાજ્યની સીમા; …

વધુ વાંચો >