૩.૦૯

ઉમદા વાયુઓનાં સંયોજનોથી ઉવએસમાલા (ઉપદેશમાલા પ્રકરણ)

ઉમદા વાયુઓનાં સંયોજનો

ઉમદા વાયુઓનાં સંયોજનો : હીલિયમ (He), નીઑન (Ne), આર્ગોન (Ar), ક્રિપ્ટોન (Kr), ઝીનૉન (Xe) અને રેડોન (Rn) વાયુઓનાં રાસાયણિક સંયોજનો. રાસાયણિક ર્દષ્ટિએ આ છ વાયુઓ તદ્દન નિષ્ક્રિય છે તેમ માનવામાં આવતું, તેથી તેમને નિષ્ક્રિય વાયુઓ તરીકે ઓળખવામાં આવતા હતા અને તેમને આવર્ત કોષ્ટકમાં શૂન્ય સમૂહમાં મૂકવામાં આવ્યા છે. આ વાયુઓના…

વધુ વાંચો >

ઉમર અલીશા

ઉમર અલીશા (જ. 28 ફેબ્રુઆરી 1885 પેથાપુરમ્; અ. 23 ફેબ્રુઆરી 1945 નરસાપુરમ્) : તેલુગુ લેખક. મોહિઉદ્દીન અને ચાંદબીબીના પુત્ર. તેમની માતૃભાષા ઉર્દૂ હોવા છતાં તેમણે તેલુગુમાં લગભગ પચાસ પુસ્તકો લખ્યાં છે. સોળ વર્ષની ઉંમરથી જ તેમણે લેખનની શરૂઆત કરેલી અને અઢાર વર્ષની વયે તેમનું ‘મણિમાલા’ નાટક પ્રગટ થયું હતું. તે…

વધુ વાંચો >

ઉમર ખય્યામ

ઉમર ખય્યામ (જ. 18 મે 1048, નીશાપુર (ઈરાન); અ. 4 ડિસેમ્બર 1122, નીશાપુર) : અરબી ભાષાના વિશ્વવિખ્યાત કવિ તેમજ પ્રખર ફિલસૂફ, તર્કશાસ્ત્રી, ખગોળવિજ્ઞાની અને ગણિતશાસ્ત્રી. આખું નામ અબુ અલ-ફતહ બિન ઇબ્રાહીમ અલ ખય્યામ. કૌટુંબિક વ્યવસાયને લઈને જ ખય્યામ એટલે કે તંબૂ બનાવનાર કહેવાયા. ખગોળ અને અંકશાસ્ત્રના વિશારદ અબૂલ હસન અલ…

વધુ વાંચો >

ઉમરવાડિયા બટુભાઈ લાલભાઈ

ઉમરવાડિયા, બટુભાઈ લાલભાઈ (જ. 13 જુલાઈ 1899, વેડછી (જિ. સૂરત); અ. 18 જાન્યુઆરી 1950, અમદાવાદ) : ગુજરાતી નાટ્યકાર. મુંબઈમાંથી બી.એ. 1920, એલએલ.બી. 1927. વકીલાત તેમજ સરકારી અને અન્ય નોકરીઓ કરી, જેમાં અમદાવાદ મિલમાલિક મંડળના મંત્રી (1936-1949) તરીકેની સેવાઓ નોંધપાત્ર. સૂરતમાં વકીલાત વેળા સામાજિક પ્રવૃત્તિઓમાં સક્રિય રસ લીધો અને ક. મા.…

વધુ વાંચો >

ઉમરાવજાન

ઉમરાવજાન : મુઘલ શાસન દરમિયાન ભારતમાં વિકસેલી અને ફેલાયેલી મુઘલ સંસ્કૃતિના ઓગણીસમી સદીના સમયગાળાનું ચિત્રણ આપતું મહત્વનું હિંદી કથાચલચિત્ર. નિર્માણ વર્ષ : 1981; અવધિ : 150 મિનિટ; કથા : મિર્ઝા હાદી રુસ્વાની ઉર્દૂ નવલકથા ‘ઉમરાવજાન અદા’ પર આધારિત; પટકથા, દિગ્દર્શન અને નિર્માણ : મુઝફ્ફરઅલી; છબીકલા : પ્રવીણ ભટ્ટ; સંકલન :…

વધુ વાંચો >

ઉમરાવસભા

ઉમરાવસભા : ઇંગ્લૅન્ડની દ્વિગૃહી સંસદવ્યવસ્થાનું ઉપલું ગૃહ. ઇંગ્લૅન્ડમાં લોકશાહી પર આધારિત સંસદીય વ્યવસ્થા અમલમાં આવી તે પૂર્વે નિરંકુશ રાજ્યસત્તા ભોગવતા રાજાઓ પોતાની મરજી મુજબ કેટલાક ઉમરાવોને સલાહસૂચન કે ચર્ચાવિચારણા માટે આમંત્રિત કરતા હતા. કાળક્રમે આ વ્યવસ્થા ઔપચારિક સ્વરૂપ પામી. તેરમા અને ચૌદમા શતકમાં તે સંસદના નક્કર અને વિશિષ્ટ અંગભૂત તત્વ…

વધુ વાંચો >

ઉમરીગર, પાહલનજી (પોલી) રતનજી

ઉમરીગર, પાહલનજી (પોલી) રતનજી (જ. 28 માર્ચ 1926, સોલાપુર, મહારાષ્ટ્ર, અ. 7 નવેમ્બર, 2006 મુંબઈ) : ક્રિકેટ ખેલાડી. જમોડી બૅટ્સમૅન, મધ્યમ ઝડપી અને ઑફસ્પિન-બૉલર. મહારાષ્ટ્રના સોલાપુર ગામમાં પ્રાથમિક અભ્યાસ કર્યા બાદ પોલી ઉમરીગર મુંબઈ આવ્યા અને ત્યાં ભરડા ન્યૂ હાઈસ્કૂલમાં અને પછી સેંટ ઝેવિયર્સ કૉલેજમાં અભ્યાસ કરી બી.એસસી. થયા. અભ્યાસ…

વધુ વાંચો >

ઉમરેઠ

ઉમરેઠ : આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાનું નગર. તે 22o 42′ ઉ. રે. અને 73o 07′ પૂ. રે. પર આવેલું છે. મિરાતે અહમદીમાં અમદાવાદની જમણી બાજુએ આવેલી સોનાની પાંખ તરીકે તેનું વર્ણન કરેલું છે. વસ્તી : આશરે 40 હજાર (2011 મુજબ), વિસ્તાર : 20.2 ચોકિમી. આણંદ-ગોધરા રેલમાર્ગ પર આણંદથી 23 કિમી.…

વધુ વાંચો >

ઉમાકેરળમ્ (1913)

ઉમાકેરળમ્ (1913) : મલયાળમ ભાષાનું પ્રથમ મહાકાવ્ય. ઉળ્ળૂર એસ. પરમેશ્વરે (1877-1949) રચેલું આધુનિક યુગનું મહાકાવ્ય. કાવ્યનું વસ્તુ કેરળ-ત્રાવણકોરના ઇતિહાસ પર આધારિત છે. સંસ્કૃત મહાકાવ્યના સ્વરૂપને લક્ષમાં રાખીને તે લખાયેલું છે. તે ઓગણીસ સર્ગોમાં વિભાજિત છે અને તેમાં 2,022 કડીઓ છે. મલયાળમની વિશિષ્ટ મણિપ્રવાલશૈલીમાં એ રચાયું છે. વન, નગર, યુદ્ધ, સ્ત્રીપુરુષના…

વધુ વાંચો >

ઉમાશશી

ઉમાશશી (જ. 1915 કોલકાતા, પશ્ચિમબંગાળ; અ. 6 ડિસેમ્બર, 2000, કોલકાતા) : ભારતના સવાક્ સિનેયુગનાં પ્રારંભનાં વર્ષોનાં ગાયિકા, તેમજ અભિનેત્રી. કુંદનલાલ સાયગલનાં તે વર્ષોનાં જોડીદાર ગાયિકા. અભિનેત્રી ઉમાશશીનું તેમની સાથેનું દ્વંદ્વગીત ‘પ્રેમનગર મેં બસાઊંગી મૈં ઘર’, સ્વ. સાયગલ તેમજ સ્વ. પંકજ મલ્લિક સાથેનું તેમનું ત્રિપુટી ગીત ‘દુનિયા રંગરંગીલી બાબા’ અને તેમના…

વધુ વાંચો >

ઉર્જીનિયા

Jan 9, 1991

ઉર્જીનિયા : જુઓ પાણકંદો (કોળકંદ).

વધુ વાંચો >

ઉર્દૂ ભાષા અને સાહિત્ય

Jan 9, 1991

ઉર્દૂ ભાષા અને સાહિત્ય ભારતીય ઉપખંડની એક આધુનિક ભાષા અને તેમાં ખેડાયેલું સાહિત્ય. ઉર્દૂને ભારતના સંવિધાનમાં સમાવિષ્ટ કરવામાં આવી છે; જે ઉત્તરપ્રદેશ, દિલ્હી, બિહાર તથા જમ્મુ-કાશ્મીર જેવાં રાજ્યોમાં બીજી સરકારી ભાષાનું સ્થાન ધરાવે છે. ભારતનાં અન્ય રાજ્યોમાં પણ તે ઉપયોગમાં લેવામાં આવે છે. ઉર્દૂ એક લોકપ્રિય ભાષા છે. સરકારી આંકડાઓ…

વધુ વાંચો >

ઉર્ફી શીરાઝી

Jan 9, 1991

ઉર્ફી શીરાઝી (જ. 1555, શીરાઝ, ઇરાન; અ. ઓગસ્ટ 1591, લાહોર) : ફારસી કવિ. મૂળ નામ મુહમ્મદ, બિરુદ જમાલુદ્દીન, તખલ્લુસ ‘ઉર્ફી’. તેમના પિતા ઝેનુદ્દીન બલવી શીરાઝમાં ધાર્મિક રૂઢિના કેસોનો ચુકાદો આપનાર ઉચ્ચ પદાધિકારી હતા, જે ‘અરફ’ કહેવાતા; તેથી તેમણે ‘ઉર્ફી’ તખલ્લુસ રાખ્યું હતું. તેમણે શીરાઝમાં અરબી વ્યાકરણશાસ્ત્ર, ફારસી છંદશાસ્ત્ર, તર્કશાસ્ત્ર અને…

વધુ વાંચો >

ઉર્વશી(1)

Jan 9, 1991

ઉર્વશી(1) : પુરાણપ્રસિદ્ધ અપ્સરા. પૌરાણિક ઉલ્લેખો અનુસાર નારાયણનો તપોભંગ કરવા સારુ ઇન્દ્રે મોકલેલી અપ્સરાઓને પોતાનો પ્રભાવ બતાવવા નારાયણે પોતાના ઊરુસ્થલમાંથી ઉર્વશી આદિ અપ્સરાઓ ઉત્પન્ન કરી હતી. ‘ઊરુમાંથી જન્મેલી તે ઉર્વશી’ એવી વ્યુત્પત્તિ દૂરાન્વયયુક્ત લાગે છે. ઋક્સંહિતાના દસમા મંડળનું પંચાણુંમું સૂક્ત ઉર્વશી-પુરુરવાનું સંવાદસૂક્ત છે. ચંદ્રવંશી બુધનો પુત્ર પુરુરવા ઐલ દેવાસુરસંગ્રામમાં દેવપક્ષે…

વધુ વાંચો >

ઉર્વશી(2) (1934)

Jan 9, 1991

ઉર્વશી(2) (1934) : ગુજરાતી પદ્યનાટિકા. લેખક દુર્ગેશ શુક્લ. અવનવી નાટ્ય-અભિવ્યક્તિ શોધવાના સાહિત્ય અને રંગભૂમિના તત્કાલીન પ્રયત્નોમાં કવિ દુર્ગેશ શુક્લના આ ઊર્મિનાટકમાં પૃથ્વી છંદ પ્રયોજાયો છે. જાણીતી પુરાણકથા અને કવિકુલગુરુ કાલિદાસની ‘વિક્રમોર્વશીય’ની નાટ્યકથામાં ગ્રીક પ્રોસરપિની(Proserpine)ની રૂપકથા તથા નૉર્વેજિયન નાટ્યકાર ઇબ્સનના ‘લેડી ફ્રૉમ ધ સી’ નાટકનાં ઊર્મિતત્વો સંમાર્જી, રાજા વિક્રમ અને ઉર્વશીના…

વધુ વાંચો >

ઉર્વશી(3) (1961)

Jan 9, 1991

ઉર્વશી(3) (1961) : હિન્દી કાવ્યનાટક. લેખક રામધારીસિંહ દિનકર (1908-1974). આ કૃતિને જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. એમાં શૈલીનો નવીન પ્રયોગ છે, તેથી એ કૃતિ બહુચર્ચિત રહી છે. ઋગ્વેદના દશમા મંડળમાં ઉર્વશી-પુરુરવા-સંવાદ નિરૂપાયો છે. કાલિદાસ તથા રવીન્દ્રનાથ ટાગોરે પણ એને આધારે પોતાની લાક્ષણિક શૈલીમાં કૃતિઓ રચી છે. આ કથાનકને દિનકરજીએ નવીન…

વધુ વાંચો >

ઉલટકંબલ (ઓલટકંબલ)

Jan 9, 1991

ઉલટકંબલ (ઓલટકંબલ) : દ્વિદળી વર્ગમાં આવેલા સ્ટર્ક્યુલિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Ambroma augusta Linn. f. (હિં. ઉલટકંબલ; બં. સનુકપાસી, ઓલટકંબલ; અં. કેવિલ્સકૉટન, પેરીનિયલ ઇંડિયન હેમ્પ) છે. કડાયો, સુંદરી, મરડાશિંગી અને મુચકુંદ આ વનસ્પતિનાં સહસભ્યો છે. તે મોટો, ઝડપથી વિસ્તરતો રોમિલ ક્ષુપ કે નાનું વૃક્ષ છે. તે પંજાબ અને…

વધુ વાંચો >

ઉલન બટોર (ઉલામ્બતાર)

Jan 9, 1991

ઉલન બટોર (ઉલામ્બતાર) : મૉંગોલિયાનું પાટનગર તથા મોટામાં મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 47o 55′ ઉ. અ. અને 106o 53′ પૂ. રે.. આ શહેર દેશના ઈશાન ભાગમાં, ગોબીના રણની ઉત્તરે, ટોલા નદીને કાંઠે વસેલું છે. તે તુલ ગોલ નદી લોએસના મેદાનમાં આશરે 1330 મીટરની ઊંચાઈએ આવેલું છે. તે બેજિંગ(ચીન)થી વાયવ્યમાં…

વધુ વાંચો >

ઉલંગ રાજા (1971)

Jan 9, 1991

ઉલંગ રાજા (1971) : બંગાળી કવિ નીરેન્દ્રનાથ ચક્રવર્તી(જ. 1924)નો કાવ્યસંગ્રહ. આ કૃતિને ભારતીય સાહિત્ય અકાદમીનો 1974ના વર્ષનો એવૉર્ડ મળ્યો હતો. આ કાવ્યસંગ્રહથી તેમની કાવ્ય-કારકિર્દીમાં નવો વળાંક આવે છે. તેમની કવિતામાં સૌપ્રથમ વાર સામાજિક જાગરૂકતાનો સૂર સંભળાય છે. શીર્ષકદા કૃતિમાં પૌરાણિક વિષય-માળખું છે, પણ તેનો અર્થસંકેત આધુનિક છે. આધુનિક જગતનો અજંપો…

વધુ વાંચો >

ઉલા

Jan 9, 1991

ઉલા : તમિળના 96 કાવ્યપ્રકારોમાંનો એક. ઉલા પ્રેમકાવ્યનો પ્રકાર છે. એ પ્રકારમાં કવિ નગરની વીથિઓમાં ફરતાં ફરતાં રાજા અથવા ઈશ્વરની પ્રતિ જુદી જુદી વયના કન્યાના પ્રેમનું વિવિધ પ્રકારે નિરૂપણ કરતો હોય છે. પ્રારંભિક ઉલાકૃતિઓમાં જીવાત્માના પરમાત્મા પ્રત્યેના પ્રેમનું વર્ણન હતું. એમાં ભક્તિની સાત સ્થિતિઓનું વર્ણન કરવા કવિઓએ સાત જુદી જુદી…

વધુ વાંચો >