૩.૦૯

ઉમદા વાયુઓનાં સંયોજનોથી ઉવએસમાલા (ઉપદેશમાલા પ્રકરણ)

ઉમેશ કવિ

ઉમેશ કવિ (જ. 31 જાન્યુઆરી 1909, ગોમટા, તા. ગોંડલ, જિ. રાજકોટ) : ગુજરાતી કવિ અને નાટ્યકાર. મૂળ નામ : ઉમેશ ગૌરીશંકર મહેતા. ઉછેર અને પ્રાથમિક શિક્ષણ ગોંડલ રાજ્યના ગોમટા ગામમાં. માધ્યમિક શિક્ષણ ભાવનગરમાં લીધું. શિક્ષણ પૂરું કરી આજીવિકા માટે ગોંડલ રાજ્યની રેલવેમાં જોડાયા. તે પછી થોડો સમય ભાવનગર બંદર કાર્યાલયમાં…

વધુ વાંચો >

ઉમૈય્યા (બનુ)

ઉમૈય્યા (બનુ) (ઈ. સ. છઠ્ઠી સદી) : કુરૈશના ખ્યાતનામ અને ધનવાન અરબ કબીલાના સરદાર. તેઓ કુરૈશનું સેનાપતિપદ ધરાવતા હતા. ઉમૈય્યાના  પૌત્ર અબૂ સુફયાનના પુત્ર અમીર મુઆવિયાએ ઉમૈય્યા વંશની સ્થાપના કરી. તે વંશે ઈ. સ. 661થી 749 સુધી મુસ્લિમ જગત પર અને ઈ. સ. 756થી 1031 સુધી સ્પેન ઉપર રાજ્ય કર્યું.…

વધુ વાંચો >

ઉમ્માચુ (1952)

ઉમ્માચુ (1952) : પ્રસિદ્ધ મલયાળમ નવલકથા. લેખક ઉરૂબ (જ. 1915). તેનું કથાનક એક મધ્યમ વર્ગની મુસ્લિમ ગૃહિણી ઉમ્માચુના સંઘર્ષમય જીવન પર કેંદ્રિત છે. ઉમ્માચુનું લગ્ન તેણે પસંદ કરેલા પુરુષ માયનની સાથે નહિ, પણ અન્ય પુરુષ સાથે થાય છે. માનવમનની ઊંડી સમજ અને સહાનુભૂતિ આ નવલકથામાં લેખકે દર્શાવી છે. વિવિધ જાતિ…

વધુ વાંચો >

ઉમ્મીદ કિઝિલબાશખાન

ઉમ્મીદ કિઝિલબાશખાન : ફારસી-ઉર્દૂના કવિ. મિર્ઝા મોહંમદ રઝા નામ. ઉમ્મીદ તખલ્લુસ અને કિઝિલબાશખાન ખિતાબ. તુર્કી ભાષામાં કિઝિલ એટલે લાલ, બાશ એટલે માથું. લાલ માથાવાળા. મૉંગોલ સિપાઈઓ લાલ રંગની ટોપી પહેરતા. ઈરાની લશ્કરમાં સર્વોત્તમ લડવૈયા તરીકે તેમની ખ્યાતિ હતી. ઉમ્મીદ કિઝિલબાશખાન તેમના વંશજ હતા. તે ઈરાનના પ્રખ્યાત શહેર હમદાનના મૂળ વતની…

વધુ વાંચો >

ઉયિરોવિયમ (1948)

ઉયિરોવિયમ (1948) : તમિળ નાટક. ‘ઉયિરોવિયમ’નો અર્થ થાય સજીવ ચિત્ર. એ વિશિષ્ટ પ્રકારનું સામાજિક નાટક છે. લેખક નારણ દુરૈ કૃષ્ણને આ કૃતિની રચના અગાઉ નવલકથાના રૂપમાં કરી હતી. 1948માં એ નવલકથાને એમણે નાટ્યરૂપ આપ્યું. પ્રાચીન તમિળ સાહિત્યમાં વર્ણવેલા નરનારીના સ્વૈચ્છિક પ્રેમની વર્તમાન સમયને અનુરૂપ ફેરફાર કરીને રજૂઆત કરી છે. નાયિકા…

વધુ વાંચો >

ઉર

ઉર : સુમેરનું પૂર્વકાલીન નગરરાજ્ય. તે ઇરાકમાં ફરાત નદીની દક્ષિણે દશ કિલોમિટર દૂર ખંડેર રૂપે આવેલું છે. બાઇબલમાં એને ઇબ્રાહીમનું મૂલસ્થાન ગણાવ્યું છે. ઉરમાં થયેલા ઉત્ખનનથી હજારો કબરો હાથ લાગી છે. આ કબરોમાંથી પ્રાપ્ત ચીજવસ્તુઓમાં સોનાની ચીજો મોટા પ્રમાણમાં મળી છે. આ ઉપરાંત કંગન, કુંડલ, હાર જેવા ધાતુના અલંકારો મળ્યા…

વધુ વાંચો >

ઉરવાર પાર (1975)

ઉરવાર પાર (1975) : ગુરુમુખસિંગ મુસાફિર લિખિત પંજાબી વાર્તાસંગ્રહ. આ કૃતિ માટે લેખકને ભારતીય સાહિત્ય અકાદમી તરફથી 1978ના વર્ષનો એવૉર્ડ અપાયો હતો. ‘ઉવાર પાર’ 24 ટૂંકી વાર્તાઓનો સંગ્રહ છે. આ વાર્તાઓનું ઉષ્માપૂર્ણ અને માનવીય પાત્રચિત્રણ, સામાજિક તથા નૈતિક સંબંધોનું સમભાવભર્યું નિરૂપણ તથા તેમાં ગૂંથાયેલ સૌમ્ય કટાક્ષ તથા હાસ્યવૃત્તિને કારણે આ…

વધુ વાંચો >

ઉરાંગઉટાંગ (orangutan)

ઉરાંગઉટાંગ (orangutan) મેરુદંડી સમુદાયનું પૃષ્ઠવંશી વર્ગનું સસ્તન પ્રાણી વંશ : અંગુષ્ઠધારી; અને કુળ : પાગિડેના. આ પ્રાણીનું શાસ્ત્રીય નામ Pongo pygmius છે. ઉરાંગઉટાંગ કદમાં ગોરીલા કરતાં સહેજ નાનું હોય છે. આજે તેનો વાસ સુમાત્રા અને બૉર્નિયોના વાયવ્ય પ્રદેશમાં આવેલાં અરણ્યો પૂરતો મર્યાદિત છે. નરની ઊંચાઈ આશરે 1.40 મીટર જેટલી અને…

વધુ વાંચો >

ઉરુગ્વે

ઉરુગ્વે : દક્ષિણ અમેરિકા ભૂમિખંડના પૂર્વ (ઍટલૅંટિક) કિનારે આશરે 30o 0¢થી 35o 0′ દ. અક્ષાંશવૃત્તો અને 53o 0¢થી 58o 25′ પ. રેખાંશવૃત્તો વચ્ચે આવેલું રાજ્ય. સુસંબદ્ધ (compact) આકારનો આ દેશ 1,77,508 ચોકિમી. ક્ષેત્રફળ ધરાવે છે. દેશને ઉત્તરમાં બ્રાઝિલ અને દક્ષિણમાં આર્જેન્ટિનાની સરહદો સ્પર્શે છે, તેથી અંતરિયાળ રાજ્ય (buffer state) તરીકેનું…

વધુ વાંચો >

ઉરુબ

ઉરુબ (જ. 8 જૂન 1915 કેરાલા; અ. 11 જુલાઈ 1979 કોટ્ટાયમ, કેરાલા) : ઉત્કૃષ્ટ કોટિના મલયાળમ નવલકથાકાર અને નવલિકાકાર. મૂળ નામ પી. સી. કુટ્ટીકૃષ્ણ. એમણે સાહિત્યલેખનની શરૂઆત કાવ્યરચનાથી કરેલી. તે નાનપણમાં જાણીતા મલયાળમ કવિ વલ્લાથોલના સંપર્કમાં આવ્યા હતા. એમની પ્રેરણાથી તેમણે લખવાનું શરૂ કરેલું. તેમની કવિતા વલ્લાથોલ જોઈ જતા અને…

વધુ વાંચો >

ઉમદા વાયુઓનાં સંયોજનો

Jan 9, 1991

ઉમદા વાયુઓનાં સંયોજનો : હીલિયમ (He), નીઑન (Ne), આર્ગોન (Ar), ક્રિપ્ટોન (Kr), ઝીનૉન (Xe) અને રેડોન (Rn) વાયુઓનાં રાસાયણિક સંયોજનો. રાસાયણિક ર્દષ્ટિએ આ છ વાયુઓ તદ્દન નિષ્ક્રિય છે તેમ માનવામાં આવતું, તેથી તેમને નિષ્ક્રિય વાયુઓ તરીકે ઓળખવામાં આવતા હતા અને તેમને આવર્ત કોષ્ટકમાં શૂન્ય સમૂહમાં મૂકવામાં આવ્યા છે. આ વાયુઓના…

વધુ વાંચો >

ઉમર અલીશા

Jan 9, 1991

ઉમર અલીશા (જ. 28 ફેબ્રુઆરી 1885 પેથાપુરમ્; અ. 23 ફેબ્રુઆરી 1945 નરસાપુરમ્) : તેલુગુ લેખક. મોહિઉદ્દીન અને ચાંદબીબીના પુત્ર. તેમની માતૃભાષા ઉર્દૂ હોવા છતાં તેમણે તેલુગુમાં લગભગ પચાસ પુસ્તકો લખ્યાં છે. સોળ વર્ષની ઉંમરથી જ તેમણે લેખનની શરૂઆત કરેલી અને અઢાર વર્ષની વયે તેમનું ‘મણિમાલા’ નાટક પ્રગટ થયું હતું. તે…

વધુ વાંચો >

ઉમર ખય્યામ

Jan 9, 1991

ઉમર ખય્યામ (જ. 18 મે 1048, નીશાપુર (ઈરાન); અ. 4 ડિસેમ્બર 1122, નીશાપુર) : અરબી ભાષાના વિશ્વવિખ્યાત કવિ તેમજ પ્રખર ફિલસૂફ, તર્કશાસ્ત્રી, ખગોળવિજ્ઞાની અને ગણિતશાસ્ત્રી. આખું નામ અબુ અલ-ફતહ બિન ઇબ્રાહીમ અલ ખય્યામ. કૌટુંબિક વ્યવસાયને લઈને જ ખય્યામ એટલે કે તંબૂ બનાવનાર કહેવાયા. ખગોળ અને અંકશાસ્ત્રના વિશારદ અબૂલ હસન અલ…

વધુ વાંચો >

ઉમરવાડિયા બટુભાઈ લાલભાઈ

Jan 9, 1991

ઉમરવાડિયા, બટુભાઈ લાલભાઈ (જ. 13 જુલાઈ 1899, વેડછી (જિ. સૂરત); અ. 18 જાન્યુઆરી 1950, અમદાવાદ) : ગુજરાતી નાટ્યકાર. મુંબઈમાંથી બી.એ. 1920, એલએલ.બી. 1927. વકીલાત તેમજ સરકારી અને અન્ય નોકરીઓ કરી, જેમાં અમદાવાદ મિલમાલિક મંડળના મંત્રી (1936-1949) તરીકેની સેવાઓ નોંધપાત્ર. સૂરતમાં વકીલાત વેળા સામાજિક પ્રવૃત્તિઓમાં સક્રિય રસ લીધો અને ક. મા.…

વધુ વાંચો >

ઉમરાવજાન

Jan 9, 1991

ઉમરાવજાન : મુઘલ શાસન દરમિયાન ભારતમાં વિકસેલી અને ફેલાયેલી મુઘલ સંસ્કૃતિના ઓગણીસમી સદીના સમયગાળાનું ચિત્રણ આપતું મહત્વનું હિંદી કથાચલચિત્ર. નિર્માણ વર્ષ : 1981; અવધિ : 150 મિનિટ; કથા : મિર્ઝા હાદી રુસ્વાની ઉર્દૂ નવલકથા ‘ઉમરાવજાન અદા’ પર આધારિત; પટકથા, દિગ્દર્શન અને નિર્માણ : મુઝફ્ફરઅલી; છબીકલા : પ્રવીણ ભટ્ટ; સંકલન :…

વધુ વાંચો >

ઉમરાવસભા

Jan 9, 1991

ઉમરાવસભા : ઇંગ્લૅન્ડની દ્વિગૃહી સંસદવ્યવસ્થાનું ઉપલું ગૃહ. ઇંગ્લૅન્ડમાં લોકશાહી પર આધારિત સંસદીય વ્યવસ્થા અમલમાં આવી તે પૂર્વે નિરંકુશ રાજ્યસત્તા ભોગવતા રાજાઓ પોતાની મરજી મુજબ કેટલાક ઉમરાવોને સલાહસૂચન કે ચર્ચાવિચારણા માટે આમંત્રિત કરતા હતા. કાળક્રમે આ વ્યવસ્થા ઔપચારિક સ્વરૂપ પામી. તેરમા અને ચૌદમા શતકમાં તે સંસદના નક્કર અને વિશિષ્ટ અંગભૂત તત્વ…

વધુ વાંચો >

ઉમરીગર, પાહલનજી (પોલી) રતનજી

Jan 9, 1991

ઉમરીગર, પાહલનજી (પોલી) રતનજી (જ. 28 માર્ચ 1926, સોલાપુર, મહારાષ્ટ્ર, અ. 7 નવેમ્બર, 2006 મુંબઈ) : ક્રિકેટ ખેલાડી. જમોડી બૅટ્સમૅન, મધ્યમ ઝડપી અને ઑફસ્પિન-બૉલર. મહારાષ્ટ્રના સોલાપુર ગામમાં પ્રાથમિક અભ્યાસ કર્યા બાદ પોલી ઉમરીગર મુંબઈ આવ્યા અને ત્યાં ભરડા ન્યૂ હાઈસ્કૂલમાં અને પછી સેંટ ઝેવિયર્સ કૉલેજમાં અભ્યાસ કરી બી.એસસી. થયા. અભ્યાસ…

વધુ વાંચો >

ઉમરેઠ

Jan 9, 1991

ઉમરેઠ : આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાનું નગર. તે 22o 42′ ઉ. રે. અને 73o 07′ પૂ. રે. પર આવેલું છે. મિરાતે અહમદીમાં અમદાવાદની જમણી બાજુએ આવેલી સોનાની પાંખ તરીકે તેનું વર્ણન કરેલું છે. વસ્તી : આશરે 40 હજાર (2011 મુજબ), વિસ્તાર : 20.2 ચોકિમી. આણંદ-ગોધરા રેલમાર્ગ પર આણંદથી 23 કિમી.…

વધુ વાંચો >

ઉમાકેરળમ્ (1913)

Jan 9, 1991

ઉમાકેરળમ્ (1913) : મલયાળમ ભાષાનું પ્રથમ મહાકાવ્ય. ઉળ્ળૂર એસ. પરમેશ્વરે (1877-1949) રચેલું આધુનિક યુગનું મહાકાવ્ય. કાવ્યનું વસ્તુ કેરળ-ત્રાવણકોરના ઇતિહાસ પર આધારિત છે. સંસ્કૃત મહાકાવ્યના સ્વરૂપને લક્ષમાં રાખીને તે લખાયેલું છે. તે ઓગણીસ સર્ગોમાં વિભાજિત છે અને તેમાં 2,022 કડીઓ છે. મલયાળમની વિશિષ્ટ મણિપ્રવાલશૈલીમાં એ રચાયું છે. વન, નગર, યુદ્ધ, સ્ત્રીપુરુષના…

વધુ વાંચો >

ઉમાશશી

Jan 9, 1991

ઉમાશશી (જ. 1915 કોલકાતા, પશ્ચિમબંગાળ; અ. 6 ડિસેમ્બર, 2000, કોલકાતા) : ભારતના સવાક્ સિનેયુગનાં પ્રારંભનાં વર્ષોનાં ગાયિકા, તેમજ અભિનેત્રી. કુંદનલાલ સાયગલનાં તે વર્ષોનાં જોડીદાર ગાયિકા. અભિનેત્રી ઉમાશશીનું તેમની સાથેનું દ્વંદ્વગીત ‘પ્રેમનગર મેં બસાઊંગી મૈં ઘર’, સ્વ. સાયગલ તેમજ સ્વ. પંકજ મલ્લિક સાથેનું તેમનું ત્રિપુટી ગીત ‘દુનિયા રંગરંગીલી બાબા’ અને તેમના…

વધુ વાંચો >