૩.૦૯

ઉમદા વાયુઓનાં સંયોજનોથી ઉવએસમાલા (ઉપદેશમાલા પ્રકરણ)

ઉમદા વાયુઓનાં સંયોજનો

ઉમદા વાયુઓનાં સંયોજનો : હીલિયમ (He), નીઑન (Ne), આર્ગોન (Ar), ક્રિપ્ટોન (Kr), ઝીનૉન (Xe) અને રેડોન (Rn) વાયુઓનાં રાસાયણિક સંયોજનો. રાસાયણિક ર્દષ્ટિએ આ છ વાયુઓ તદ્દન નિષ્ક્રિય છે તેમ માનવામાં આવતું, તેથી તેમને નિષ્ક્રિય વાયુઓ તરીકે ઓળખવામાં આવતા હતા અને તેમને આવર્ત કોષ્ટકમાં શૂન્ય સમૂહમાં મૂકવામાં આવ્યા છે. આ વાયુઓના…

વધુ વાંચો >

ઉમર અલીશા

ઉમર અલીશા (જ. 28 ફેબ્રુઆરી 1885 પેથાપુરમ્; અ. 23 ફેબ્રુઆરી 1945 નરસાપુરમ્) : તેલુગુ લેખક. મોહિઉદ્દીન અને ચાંદબીબીના પુત્ર. તેમની માતૃભાષા ઉર્દૂ હોવા છતાં તેમણે તેલુગુમાં લગભગ પચાસ પુસ્તકો લખ્યાં છે. સોળ વર્ષની ઉંમરથી જ તેમણે લેખનની શરૂઆત કરેલી અને અઢાર વર્ષની વયે તેમનું ‘મણિમાલા’ નાટક પ્રગટ થયું હતું. તે…

વધુ વાંચો >

ઉમર ખય્યામ

ઉમર ખય્યામ (જ. 18 મે 1048, નીશાપુર (ઈરાન); અ. 4 ડિસેમ્બર 1122, નીશાપુર) : અરબી ભાષાના વિશ્વવિખ્યાત કવિ તેમજ પ્રખર ફિલસૂફ, તર્કશાસ્ત્રી, ખગોળવિજ્ઞાની અને ગણિતશાસ્ત્રી. આખું નામ અબુ અલ-ફતહ બિન ઇબ્રાહીમ અલ ખય્યામ. કૌટુંબિક વ્યવસાયને લઈને જ ખય્યામ એટલે કે તંબૂ બનાવનાર કહેવાયા. ખગોળ અને અંકશાસ્ત્રના વિશારદ અબૂલ હસન અલ…

વધુ વાંચો >

ઉમરવાડિયા બટુભાઈ લાલભાઈ

ઉમરવાડિયા, બટુભાઈ લાલભાઈ (જ. 13 જુલાઈ 1899, વેડછી (જિ. સૂરત); અ. 18 જાન્યુઆરી 1950, અમદાવાદ) : ગુજરાતી નાટ્યકાર. મુંબઈમાંથી બી.એ. 1920, એલએલ.બી. 1927. વકીલાત તેમજ સરકારી અને અન્ય નોકરીઓ કરી, જેમાં અમદાવાદ મિલમાલિક મંડળના મંત્રી (1936-1949) તરીકેની સેવાઓ નોંધપાત્ર. સૂરતમાં વકીલાત વેળા સામાજિક પ્રવૃત્તિઓમાં સક્રિય રસ લીધો અને ક. મા.…

વધુ વાંચો >

ઉમરાવજાન

ઉમરાવજાન : મુઘલ શાસન દરમિયાન ભારતમાં વિકસેલી અને ફેલાયેલી મુઘલ સંસ્કૃતિના ઓગણીસમી સદીના સમયગાળાનું ચિત્રણ આપતું મહત્વનું હિંદી કથાચલચિત્ર. નિર્માણ વર્ષ : 1981; અવધિ : 150 મિનિટ; કથા : મિર્ઝા હાદી રુસ્વાની ઉર્દૂ નવલકથા ‘ઉમરાવજાન અદા’ પર આધારિત; પટકથા, દિગ્દર્શન અને નિર્માણ : મુઝફ્ફરઅલી; છબીકલા : પ્રવીણ ભટ્ટ; સંકલન :…

વધુ વાંચો >

ઉમરાવસભા

ઉમરાવસભા : ઇંગ્લૅન્ડની દ્વિગૃહી સંસદવ્યવસ્થાનું ઉપલું ગૃહ. ઇંગ્લૅન્ડમાં લોકશાહી પર આધારિત સંસદીય વ્યવસ્થા અમલમાં આવી તે પૂર્વે નિરંકુશ રાજ્યસત્તા ભોગવતા રાજાઓ પોતાની મરજી મુજબ કેટલાક ઉમરાવોને સલાહસૂચન કે ચર્ચાવિચારણા માટે આમંત્રિત કરતા હતા. કાળક્રમે આ વ્યવસ્થા ઔપચારિક સ્વરૂપ પામી. તેરમા અને ચૌદમા શતકમાં તે સંસદના નક્કર અને વિશિષ્ટ અંગભૂત તત્વ…

વધુ વાંચો >

ઉમરીગર, પાહલનજી (પોલી) રતનજી

ઉમરીગર, પાહલનજી (પોલી) રતનજી (જ. 28 માર્ચ 1926, સોલાપુર, મહારાષ્ટ્ર, અ. 7 નવેમ્બર, 2006 મુંબઈ) : ક્રિકેટ ખેલાડી. જમોડી બૅટ્સમૅન, મધ્યમ ઝડપી અને ઑફસ્પિન-બૉલર. મહારાષ્ટ્રના સોલાપુર ગામમાં પ્રાથમિક અભ્યાસ કર્યા બાદ પોલી ઉમરીગર મુંબઈ આવ્યા અને ત્યાં ભરડા ન્યૂ હાઈસ્કૂલમાં અને પછી સેંટ ઝેવિયર્સ કૉલેજમાં અભ્યાસ કરી બી.એસસી. થયા. અભ્યાસ…

વધુ વાંચો >

ઉમરેઠ

ઉમરેઠ : આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાનું નગર. તે 22o 42′ ઉ. રે. અને 73o 07′ પૂ. રે. પર આવેલું છે. મિરાતે અહમદીમાં અમદાવાદની જમણી બાજુએ આવેલી સોનાની પાંખ તરીકે તેનું વર્ણન કરેલું છે. વસ્તી : આશરે 40 હજાર (2011 મુજબ), વિસ્તાર : 20.2 ચોકિમી. આણંદ-ગોધરા રેલમાર્ગ પર આણંદથી 23 કિમી.…

વધુ વાંચો >

ઉમાકેરળમ્ (1913)

ઉમાકેરળમ્ (1913) : મલયાળમ ભાષાનું પ્રથમ મહાકાવ્ય. ઉળ્ળૂર એસ. પરમેશ્વરે (1877-1949) રચેલું આધુનિક યુગનું મહાકાવ્ય. કાવ્યનું વસ્તુ કેરળ-ત્રાવણકોરના ઇતિહાસ પર આધારિત છે. સંસ્કૃત મહાકાવ્યના સ્વરૂપને લક્ષમાં રાખીને તે લખાયેલું છે. તે ઓગણીસ સર્ગોમાં વિભાજિત છે અને તેમાં 2,022 કડીઓ છે. મલયાળમની વિશિષ્ટ મણિપ્રવાલશૈલીમાં એ રચાયું છે. વન, નગર, યુદ્ધ, સ્ત્રીપુરુષના…

વધુ વાંચો >

ઉમાશશી

ઉમાશશી (જ. 1915 કોલકાતા, પશ્ચિમબંગાળ; અ. 6 ડિસેમ્બર, 2000, કોલકાતા) : ભારતના સવાક્ સિનેયુગનાં પ્રારંભનાં વર્ષોનાં ગાયિકા, તેમજ અભિનેત્રી. કુંદનલાલ સાયગલનાં તે વર્ષોનાં જોડીદાર ગાયિકા. અભિનેત્રી ઉમાશશીનું તેમની સાથેનું દ્વંદ્વગીત ‘પ્રેમનગર મેં બસાઊંગી મૈં ઘર’, સ્વ. સાયગલ તેમજ સ્વ. પંકજ મલ્લિક સાથેનું તેમનું ત્રિપુટી ગીત ‘દુનિયા રંગરંગીલી બાબા’ અને તેમના…

વધુ વાંચો >

ઉલૂક

Jan 9, 1991

ઉલૂક : ‘ઘુવડ’ નામનું પક્ષી અને ઉલૂક નામની વ્યક્તિ તેમજ જાતિ. ‘સર્વદર્શન સંગ્રહ’માં કણાદ મુનિના વૈશેષિક દર્શનને ‘ઔલૂક દર્શન’ કહેવામાં આવ્યું છે. ટીકાકારે એનાં બે કારણો બતાવ્યાં છે – (1) કણાદ ઉલૂક ઋષિના વંશજ હતા, (2) શિવે ઉલૂકનું રૂપ ધારણ કરીને કણાદને છ પદાર્થોનું જ્ઞાન આપ્યું હતું. પાણિતિ (4-1-105)માં તેમજ…

વધુ વાંચો >

ઉલૂઘખાન

Jan 9, 1991

ઉલૂઘખાન (જ. ?; અ. 1301) : ગુજરાતવિજેતા સુલતાન અલાઉદ્દીન-(ઈ. સ. 1296-1316)નો ભાઈ. મૂળ નામ અલમાસ બેગ. અલાઉદ્દીને ગાદીએ આવીને તેને ઉલૂઘખાનનો ખિતાબ અને સાયાના (પંજાબ) પ્રદેશનું ગવર્નરપદ આપ્યું. તે જ વર્ષમાં સુલતાનના આદેશથી તેણે મરહૂમ સુલતાન જલાલુદ્દીનના પુત્રોને મુલતાન જઈને જેર કર્યા હતા અને તેમને બંદી બનાવી દિલ્હી લાવ્યો હતો.…

વધુ વાંચો >

ઉલૂઘ બેગ મદરેસા

Jan 9, 1991

ઉલૂઘ બેગ મદરેસા : મધ્ય એશિયાના સમરકંદમાં તૈમૂરના સમય દરમિયાન 1417થી 1420 વચ્ચે તેના પૌત્ર ઉલૂઘ બેગે બંધાવેલું સ્થાપત્ય. સમરકંદ જૂનામાં જૂના શહેર તરીકે ઈ. પૂ. 6ઠ્ઠી સદીથી જાણીતું હતું. ઈ. પૂ. 329માં તેનો ઍલેક્ઝાન્ડર દ્વારા નાશ થયેલો. 9મી-10મી સદીમાં આરબ વિજેતાઓના સમયમાં તેનો પુન: વિકાસ થયેલો. 1924થી 1930 સુધી…

વધુ વાંચો >

ઉલૂઘ બેગ વેધશાળા

Jan 9, 1991

ઉલૂઘ બેગ વેધશાળા : મધ્ય એશિયાના સમરકંદમાં તૈમૂરના પુત્ર ઉલૂઘ બેગે 1428માં બંધાવેલી વેધશાળા. ટિમુરિડ શહેરની ઉત્તરે એક ખડકાળ વિસ્તારમાં બાંધવામાં આવેલી આ વેધશાળાથી ઉલૂઘ બેગ તેના ખગોળશાસ્ત્રના કાર્ય માટે સૌથી વધુ પંકાયેલ છે. તેણે ખગોળવેત્તા ટૉલેમીની ઘણી ભૂલો શોધી બતાવેલી. આ વેધશાળા અંદરની બાજુએ ષટ્કોણાકાર અને બહારથી ગોળાકાર બાંધકામવાળી…

વધુ વાંચો >

ઉલ્કા (1934)

Jan 9, 1991

ઉલ્કા (1934) : વિખ્યાત મરાઠી લેખક વિ. સ. ખાંડેકરે આત્મકથનાત્મક શૈલીમાં લખેલી સામાજિક નવલકથા. તેના કેન્દ્રસ્થાને છે તેની નાયિકા ઉલ્કા. તે પ્રગતિશીલ વિચારસરણી ધરાવતા એક આદર્શવાદી શિક્ષકની બુદ્ધિમાન પુત્રી છે. તે સાહિત્યરસિક, કવિતાની ચાહક અને કંઈક અંશે સ્વપ્નોમાં જીવતી, સાત્વિક મનોવૃત્તિ તથા સ્વતંત્ર વિચાર ધરાવતી યુવતી છે. ઉલ્કાને પ્રેમમાં બે…

વધુ વાંચો >

ઉલ્કા અને ઉલ્કાશ્મ

Jan 9, 1991

ઉલ્કા અને ઉલ્કાશ્મ (meteors and meteorites) : રાત્રિ દરમિયાન આકાશમાં જોવા મળતા તેજસ્વી લિસોટા અને પૃથ્વીના પટ પર પડેલી ઉલ્કાઓના ધાત્વિક કે પાષાણિક પિંડો. ઉલ્કા એ અંધારી રાત્રે દેખાતા પ્રકાશિત લિસોટા છે. લોકભાષામાં તેમને ‘ખરતા તારા’ (shooting stars) પણ કહે છે. ધાત્વિક કે પાષાણિક અવકાશી પિંડો પોતાના મૂળ સ્થાનેથી મુક્ત…

વધુ વાંચો >

ઉલ્કા-કૅમેરા

Jan 9, 1991

ઉલ્કા-કૅમેરા (meteor camera) : આકાશમાં ઉલ્કાપથની ઊંચાઈ, ભ્રમણકક્ષા, ઉલ્કાનો વેગ વગેરેની જરૂરી માહિતી મેળવતો કૅમેરા. માપનપદ્ધતિને ત્રિકોણીય સર્વેક્ષણ કે ત્રિભુજ માપનપદ્ધતિ (triangulation system) કહે છે. આ પદ્ધતિનો સૌપ્રથમ ઉપયોગ 1978માં ઉલ્કાના અભ્યાસ માટે કરવામાં આવ્યો હતો. તેનું શ્રેય બ્રાન્ડેસ (H. W. Brandes) અને બેન્ઝનબર્ગ (Benzenberg) નામના બે જર્મન વૈજ્ઞાનિકોને ફાળે…

વધુ વાંચો >

ઉલ્કાગર્તો

Jan 9, 1991

ઉલ્કાગર્તો (meteoric craters) : અવકાશમાંથી પૃથ્વી તરફ ખેંચાઈ આવતી એકલ-ઉલ્કાઓ જમીન ઉપર પછડાતાં, જમીનમાં ઉત્પન્ન થતા ખાડા કે ગર્ત. મોટી વજનદાર ઉલ્કા દ્વારા જ ઉલ્કાગર્ત ઉત્પન્ન થતા હોય છે. એવું પણ બને કે આવી મોટી વજનદાર ઉલ્કાશિલાઓ દ્ધારા ઉલ્કાગર્ત ન પણ ઉત્પન્ન થાય. ઉદાહરણ રૂપે, જૂન 1908માં ઉત્તર સાઇબીરિયાના તુંગુસ્કા…

વધુ વાંચો >

ઉલ્કા-ધજાળા

Jan 9, 1991

ઉલ્કા-ધજાળા : ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના ધજાળા ગામે 28 જાન્યુઆરી 1976ની રાતે 8 ક. 40 મિનિટે પડેલી ઉલ્કા. ધજાળાથી આશરે 150 કિમી. અંતરે આવેલા સ્થળેથી આ ઉલ્કાનો તેજલિસોટો દેખાયો હતો. ઉલ્કાને કારણે પેદા થયેલ વિસ્ફોટધ્વનિ (detonation) તથા સુસવાટાના અવાજ ધજાળાની આસપાસ 30 કિમી. ત્રિજ્યાવાળાના વિસ્તારમાં સંભળાયા હતા. અમદાવાદની ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી…

વધુ વાંચો >

ઉલ્બ્રિચ વૉલ્ટર

Jan 9, 1991

ઉલ્બ્રિચ, વૉલ્ટર (જ. 30 જૂન 1893, લિપઝિગ; અ. 9 ઑગસ્ટ 1973, ઈસ્ટ બર્લિન) : જર્મનીના સામ્યવાદી નેતા, જર્મન લોકશાહી ગણતંત્ર(GDR : પૂર્વ જર્મની)ના રાષ્ટ્રપ્રમુખ તથા કુશળ સંયોજક અને વહીવટકર્તા. 1912માં સોશિયલ ડેમોક્રૅટિક પક્ષમાં જોડાયા. પ્રથમ વિશ્વયુદ્ધ (1914-18) આવતાં બે વાર લશ્કર છોડીને ભાગી ગયા હતા. જર્મનીના સામ્યવાદી પક્ષના (1918) સ્થાપક…

વધુ વાંચો >