૨૩.૨૧

સુજનસિંહથી સુપરસૉનિક ગતિ

સુધરલૅન્ડ ધોધ

સુધરલૅન્ડ ધોધ : દુનિયામાં ખૂબ ઊંચાઈએથી પડતા ધોધ પૈકી પાંચમા ક્રમે આવતો ધોધ. તે ન્યૂઝીલૅન્ડના સાઉથ આઇલૅન્ડના દક્ષિણ આલ્પ્સમાં આવેલો છે. તે મિલફૉર્ડ સાઉન્ડના શિખાગ્રભાગથી અંદર તરફના ભૂમિભાગમાં 26 કિમી.ને અંતરે આવેલો છે. સુધરલૅન્ડ ધોધ 580 મીટર ઊંચાઈના પર્વતમથાળા પરથી તે એક પછી એક ત્રણ સોપાનોમાં નીચે ખાબકે છે. પહેલા…

વધુ વાંચો >

સુધર્લૅન્ડ અર્લ ડબ્લ્યૂ. (જુનિયર)

સુધર્લૅન્ડ અર્લ ડબ્લ્યૂ. (જુનિયર) (જ. 19 નવેમ્બર 1915, બર્લિગેમ, કેન્સાસ, યુ.એસ.; અ. 9 માર્ચ 1974) : સન 1971ના આયુર્વિજ્ઞાન અને દેહધર્મવિદ્યા (physiology) અંગેના નોબેલ પારિતોષિકના વિજેતા. તેમને આ સન્માન અંત:સ્રાવોની ક્રિયાપ્રવિધિ (mechanism) અંગે તેમણે કરેલા અન્વેષણ(discovery)ને કારણે પ્રાપ્ત થયું હતું. તે સમયે તેઓ અમેરિકાના નેશવિલે(Nashville)ની વૅન્ડર્બિલ્ટ (Vanderbilt) વિશ્વવિદ્યાલયમાં દેહધર્મવિદ્યાના પ્રાધ્યાપક…

વધુ વાંચો >

સુધારાણી રઘુપતિ

સુધારાણી રઘુપતિ (જ. 21 માર્ચ 1944, પોલ્લાચી, બૅંગલુરુ) : દક્ષિણ ભારતનાં વિખ્યાત નૃત્યાંગના. માતાનું નામ શકુંતલા. પિતાનું નામ હ. લ. જગન્નાથ. સુધારાણીએ કુમળી વયથી જ લબ્ધપ્રતિષ્ઠ વિદ્વાન નૃત્યાચાર્યો કીટ્ટપ્પા પિલ્લૈ, યુ. એસ. કૃષ્ણરાવ અને મૈલાપોર ગૌરી અમ્મા પાસેથી નૃત્યનાં ઉચ્ચતમ તત્ત્વોની તાલીમ લીધી. વળી કર્ણાટકી સંગીતના વિખ્યાત વાયોલિનવાદક ટી. ચૌદિયા…

વધુ વાંચો >

સુધાલહરી

સુધાલહરી : સંસ્કૃત સાહિત્યમાં પંડિતરાજ જગન્નાથે રચેલું સ્તોત્રકાવ્ય. પંડિતરાજ જગન્નાથે ‘લહરીપંચક’ સ્તોત્ર રચ્યું છે. તેમાં (1) ગંગાલહરી, (2) અમૃતલહરી (= યમુનાલહરી), (3) કરુણાલહરી, (4) લક્ષ્મીલહરી અને (5) સુધાલહરી — એમ પાંચ લહરીકાવ્યોનો સમાવેશ થાય છે. ‘સુધાલહરી’માં સૂર્યની સ્તુતિ છે. તેમાં સ્રગ્ધરા છંદમાં રચાયેલાં 30 પદ્યો છે. આમ આ લહરી ‘અમૃતલહરી’થી…

વધુ વાંચો >

સુધાંશુ

સુધાંશુ (જ. 25 ડિસેમ્બર 1913, પોરબંદર; અ. 29 માર્ચ 1983, પોરબંદર) : ગુજરાતીના કવિ, વાર્તાકાર અને સાહિત્યિક પત્રકાર. મૂળ નામ દામોદર કેશવજી ભટ્ટ. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પોરબંદરમાં. ઈ. સ. 1931માં મૅટ્રિક. વડોદરા કૉલેજમાં એફ.વાય.બી.એ. સુધીનો અભ્યાસ. 1932-33માં રાણપુરમાં ‘સૌરાષ્ટ્ર’ કાર્યાલયમાં નોકરીની શરૂઆત. થોડો વખત મુંબઈમાં ‘જન્મભૂમિ’ દૈનિકમાં ઝવેરચંદ મેઘાણી…

વધુ વાંચો >

સુધાંશુ

સુધાંશુ (જ. 6 એપ્રિલ 1917, બારામતી, મહારાષ્ટ્ર; અ. 20 સપ્ટેમ્બર 2006, ઔદુંબર, જિ. સાંગલી, મહારાષ્ટ્ર) : મરાઠીના ખ્યાતનામ કવિ, સ્વાતંત્ર્યસેનાની અને દત્તગુરુના આજન્મ ઉપાસક. મૂળ નામ હણમંત નરહર જોશી. ‘સુધાંશુ’ આ કવિનામ કાવ્યવિહારી નામના બીજા મરાઠી કવિએ તેમને આપ્યું. ત્યારથી તેમની બધી જ કાવ્યરચનાઓ આ તખલ્લુસથી જાણીતી થઈ છે. શિક્ષણ…

વધુ વાંચો >

સુનક ઋષિ

સુનક ઋષિ (જ. 12 મે 1980, સાઉધમ્પટન, ઇંગ્લેન્ડ) : બ્રિટનના ભારતીય મૂળના પ્રથમ વડાપ્રધાન. સુનકનો  જન્મ ભારતીય મૂળના માતાપિતાને ત્યાં થયો હતો. ઋષિ, સંજય અને રાખી એમ ત્રણ ભાઈબહેનમાં ઋષિ સૌથી મોટા છે. ટાન્ઝાનિયામાં જન્મેલાં માતા ઉષા સુનક ફાર્માસિસ્ટ હતાં. કેન્યામાં જન્મેલા પિતા યશવીર સુનક ડૉક્ટર તરીકે કાર્યરત હતા. 1960ના…

વધુ વાંચો >

સુન યાત સેન

સુન યાત સેન (જ. 12 નવેમ્બર 1866, શિયાંગ શાન, ક્વાંગતુંગ પ્રાંત, ચીન; અ. 12 માર્ચ 1925, પૅકિંગ) : ચીનના મુત્સદ્દી, ક્રાંતિકારી નેતા અને ચીનનું પ્રજાસત્તાક સ્થાપવા માટે લડત આપનાર. તેઓ ક્રાંતિના પિતા તરીકે પણ ઓળખાય છે. તેઓ ઘણા વધારે આદર્શવાદી હતા, તેથી અસરકારક રાજકીય નેતા બનવાનું મુશ્કેલ થયું. તેઓ રાષ્ટ્રવાદ,…

વધુ વાંચો >

સુનહરે (1955)

સુનહરે (1955) : અમૃતા પ્રીતમ (જ. 1919; અ. 31 ઑક્ટોબર 2005)-રચિત કાવ્યસંગ્રહ. તેમાં ઊર્મિકાવ્યો સંગૃહીત છે. આ કૃતિ બદલ કવયિત્રીને 1956ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. અમૃતા પ્રીતમ જ્યારે પ્રખ્યાત ઉર્દૂ ભારતીય કવિ સાહિર લુધિયાનવીના સંપૂર્ણ અને ઉત્કટ પ્રેમમાં હતાં ત્યારે આ કૃતિ તેમને 1953માં અર્પણ…

વધુ વાંચો >

સુનીતા નિડોમ્બમ

સુનીતા, નિડોમ્બમ (જ. 1967, થૌબલ ક્ષેત્રિલીકાઈ, મણિપુર) : મણિપુરી ભાષાનાં લેખિકા. તેમણે વાઈ. કે. કૉલેજ, વાનજિંગ, મણિપુરમાં બી.એ.ની ડિગ્રી મેળવી તથા હિંદીમાં ‘રત્ન’ની પદવી મેળવી. તેઓ અંગ્રેજી પણ જાણે છે. તેમને તેમની કૃતિ ‘ખોંગજી મખોલ’ બદલ 2001ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. નિડોમ્બમ સુનીતા તેઓ થૌબલ રાઇટર્સ…

વધુ વાંચો >

સુજનસિંહ

Jan 21, 2008

સુજનસિંહ (જ. 1909, ડેરા બાબા નાનક, પંજાબ) : પંજાબી ભાષાના વાર્તાકાર અને નિબંધકાર. તેમના વાર્તાસંગ્રહ ‘શહેર તે ગ્રાન’ને 1986ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયો હતો. તેમણે તેમનું બાળપણ તેમના કૉન્ટ્રાક્ટર પિતા સાથે બંગાળમાં વિતાવેલું. 11 વર્ષની વયે તેમણે તેમના પિતા ગુમાવ્યા. તેથી તેઓ ખૂબ આર્થિક ભીંસમાં આવી ગયા.…

વધુ વાંચો >

સુજના (એસ. નારાયણ શેટ્ટી)

Jan 21, 2008

સુજના (એસ. નારાયણ શેટ્ટી) (જ. 1930, હોસહોળલુ, જિ. માંડ્યા, કર્ણાટક) : કન્નડ લેખક. તેમને તેમની કૃતિ ‘યુગસંધ્યા’ બદલ 2002નો કેન્દ્રીય સાહિત્ય પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે 1954માં મૈસૂર યુનિવર્સિટીમાંથી કન્નડમાં એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી છે. કન્નડ ઉપરાંત તેઓ અંગ્રેજી અને સંસ્કૃત ભાષાઓની જાણકારી ધરાવે છે. 1954માં તેમણે કન્નડમાં પ્રાધ્યાપક રૂપે…

વધુ વાંચો >

સુજાતખાનની મસ્જિદ

Jan 21, 2008

સુજાતખાનની મસ્જિદ : અમદાવાદમાં આવેલી મુઘલ કાલની મસ્જિદ. મીરઝાપુરથી જતાં જનરલ પોસ્ટ ઑફિસની સામે આ મસ્જિદ આવેલી છે. આ મસ્જિદ 22.2 × 12.5 મીટરનો વિસ્તાર ધરાવે છે. એની ઉત્તરની દિશામાં મકબરો આવેલો છે. મસ્જિદના મુખભાગમાં પાંચ કમાનો છે. તેમાંની વચ્ચેની કમાન 3.09 મીટર ઊંચી જ્યારે પડખેની કમાનો 3 મીટર ઊંચી છે.…

વધુ વાંચો >

સુઝોઉ (Suzhou)

Jan 21, 2008

સુઝોઉ (Suzhou) : ચીનનું પ્રાચીન શહેર. ભૌગોલિક સ્થાન : 31° 18´ ઉ. અ. અને 120° 37´ પૂ. રે.. તે સુચોઉ નામથી પણ ઓળખાય છે. આ શહેર નાનજિંગ અને શાંઘહાઈ વચ્ચે આવેલા જિયાંગ્સુ પ્રાંતના કૃષિ-વિસ્તારમાં આવેલું છે. અહીંનાં કારખાનાંઓમાં રસાયણો અને યંત્રસામગ્રીનું ઉત્પાદન લેવાય છે. બાગબગીચા, નહેરો અને પૅગોડા માટે તે…

વધુ વાંચો >

સુતરિયા અનસૂયા

Jan 21, 2008

સુતરિયા, અનસૂયા (જ. 12 નવેમ્બર 1924, અમદાવાદ, ગુજરાત) : ગુજરાતી રંગભૂમિનાં જાણીતાં અભિનેત્રી અને નાટ્યશિક્ષિકા. 12 વર્ષની વયે તખ્તા પર વિનોદિની નીલકંઠને અભિનય કરતાં જોઈને તેમને અભિનેત્રી બનવાની પ્રેરણા જાગી. 1949માં ‘રંગમંડળ’ના ‘‘વિનોદ’’ સપ્તાહનાં એકાંકીઓમાં બટુભાઈ ઉમરવાડિયાના નાટક ‘હંસા’માં તેમણે અભિનય કર્યો. અનસૂયા સુતરિયા પછી ‘ફેલ્ટ હૅટ’ વગેરે નાટકોમાં તેમણે…

વધુ વાંચો >

સુથાર

Jan 21, 2008

સુથાર : જુઓ પરંપરાગત વ્યવસાયો.

વધુ વાંચો >

સુદ અનુપમ

Jan 21, 2008

સુદ, અનુપમ (જ. 1944, હોશિયારપુર, પંજાબ, ભારત) : આધુનિક ભારતીય મહિલા-ચિત્રકાર. શાલેય અભ્યાસ પૂરો કર્યા પછી દિલ્હી કૉલેજ ઑવ્ આર્ટમાં અભ્યાસ કર્યો. 1962માં અહીંથી સ્નાતક થયા પછી લંડન જઈને સ્લેઇડ સ્કૂલ ઑવ્ ફાઇન આટર્સમાં કલાનો વધુ અભ્યાસ કરી કલાની અનુસ્નાતક ઉપાધિ પ્રાપ્ત કરી. ભારત પાછા ફરીને 1967માં દિલ્હીમાં તેમણે તેમનાં…

વધુ વાંચો >

સુદર્શન

Jan 21, 2008

સુદર્શન : ગુજરાતી સાહિત્યના સાક્ષર યુગનું અગ્રણી માસિક પત્ર. સ્થાપના : ઑક્ટોબર, 1890. તંત્રી : મણિલાલ નભુભાઈ દ્વિવેદી. મ. ન. દ્વિવેદી ધ્યેયલક્ષી સાહિત્યકાર હતા. લેખનકાર્ય દ્વારા પ્રજાને સ્વધર્મનું રહસ્ય સમજાવીને તેનું સાંસ્કૃતિક ઉત્થાન સાધવાનો તેમનો ઉદ્દેશ હતો, વસ્તુત: તે જ તેમનું જીવનકાર્ય (mission) બની રહ્યું હતું. આથી નર્મદ, નવલરામ, રમણભાઈ,…

વધુ વાંચો >

સુદર્શન ઇરિનાક્કલ ચાંડી જ્યૉર્જ

Jan 21, 2008

સુદર્શન, ઇરિનાક્કલ ચાંડી જ્યૉર્જ (જ. 16 સપ્ટેમ્બર 1931, કોટ્ટયમ, કેરળ) : સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રના કણ-ભૌતિકીના ક્ષેત્રના પ્રખર વિદ્વાન. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પોતાના વતનમાં જ લીધું. ઉચ્ચ શિક્ષણ માટે તેઓ મદ્રાસ યુનિવર્સિટીમાં જોડાયા. 1952માં એમ.એ.ની ઉપાધિ આ યુનિવર્સિટીમાંથી મેળવી. ત્યારબાદ સંશોધનાર્થે તેઓ વિદેશ ગયા અને 1958માં યુ.એસ.ની રોચેસ્ટર યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ઉપાધિ…

વધુ વાંચો >

સુદર્શન ગદ્યાવલિ

Jan 21, 2008

સુદર્શન ગદ્યાવલિ : ગુજરાતી સાહિત્યના સાક્ષર યુગના સમર્થ પ્રતિનિધિ મણિલાલ નભુભાઈ દ્વિવેદીએ તેમનાં માસિક પત્રો ‘સુદર્શન’ અને ‘પ્રિયંવદા’માં 1885થી 1898 દરમિયાન કરેલાં ગદ્યલખાણનો સંગ્રહ. મણિલાલે એ લેખોમાં ધર્મ, ગૃહ, રાજ્ય, સાહિત્ય અને શિક્ષણ એમ જીવનનાં સર્વ મુખ્ય ક્ષેત્રોની મીમાંસા કરી હતી. ‘સિદ્ધાન્તસાર’ અને ‘પ્રાણવિનિમય’ તથા ‘કાન્તા’ અને ‘નૃસિંહાવતાર’ જેવી સળંગ…

વધુ વાંચો >