૨૩.૨૧

સુજનસિંહથી સુપરસૉનિક ગતિ

સુદર્શનચક્ર

સુદર્શનચક્ર : ભગવાન વિષ્ણુનું એક જાણીતું આયુધ. तेजस्तत्त्व सुदशनिम्(ભાગવતપુરાણ 12-11-14)માં તેને તેજતત્વ કહ્યું છે. ગોપાલોત્તરતાપનીય ઉપનિષદ (25) અનુસાર બાળકસમું અતિચંચળ સમદૃષ્ટિમન જ સુદર્શનચક્ર છે. (बालस्वरूपमित्यन्तं मनश्चक्रं निगद्यते ।)સુદર્શનચક્રનો મંત્ર जं खं वं सुदर्शनाय नम: છે. તે અગ્નિપુરાણમાં મળે છે. અગ્નિપુરાણમાં સુદર્શનચક્રનાં ન્યાસ, ધ્યાન વગેરેનું વર્ણન પણ છે. ‘सहस्रार हुं फट्…

વધુ વાંચો >

સુદર્શન તળાવ

સુદર્શન તળાવ : ભારતનું માનવસર્જિત સૌથી પ્રાચીન તળાવ. જૂનાગઢ-ગિરનારમાં સમ્રાટ અશોકનો લેખ કોતરેલો છે તે જ શૈલ પર આવેલા ક્ષત્રપ રાજા રુદ્રદામા 1લા અને ગુપ્ત સમ્રાટ સ્કંદગુપ્તના શિલાલેખોને આધારે આ પ્રાચીનતમ તળાવ વિશેની માહિતી પ્રાપ્ત થાય છે. ગિરિનગર – વર્તમાન જૂનાગઢમાં આવેલું આ તળાવ મૌર્ય રાજા ચંદ્રગુપ્તના રાષ્ટ્રીય (સૂબા) વૈશ્ય…

વધુ વાંચો >

સુદર્શન પં. બદરીનાથ

સુદર્શન, પં. બદરીનાથ (જ. 1896, સિયાલકોટ, પ. પંજાબ, ભારત; અ. 1967) : પંજાબી સાહિત્યકાર. ટૂંકી વાર્તાકાર, નવલકથાકાર અને નાટ્યકાર. પ્રેમચંદના સમકાલીન સાહિત્યકાર. ઉર્દૂ અને ત્યારપછી હિંદીમાં લખતા. મહાવીરપ્રસાદ દ્વિવેદી-સંપાદિત ‘સરસ્વતી’ સામયિકમાં તેમની વાર્તાઓ પ્રસિદ્ધ થતી હતી. ‘રામકુટિયા’ (1917), ‘પુષ્પલતા’ (1919), ‘સુપ્રભાત’ (1923), ‘અંજના’ (નાટક, 1923), ‘પરિવર્તન’ (1926), ‘સુદર્શન સુધા’ (1926),…

વધુ વાંચો >

સુદંસણાચરિય (સુદર્શનાચરિત)

સુદંસણાચરિય (સુદર્શનાચરિત) : જૈન કથાકાવ્ય. તેના લેખક દેવેન્દ્રસૂરિ છે. ચાર હજારથી વધુ પ્રાકૃત ગાથાઓવાળું ‘સુદંસણાચરિય’ આઠ અધિકારો અને સોળ ઉદ્દેશોનું બનેલું છે. ધનપાલ, સુદર્શના, વિજયકુમાર, શીલમતી, અશ્વાવબોધ, ભ્રાતા, ધાત્રીસુત અને ધાત્રી – એ આઠ અધિકારોના મુખ્ય વર્ણ્યવિષયો છે. તેના પ્રથમ ઉદ્દેશમાં ધનપાલની વાતમાં ‘જૈન ધર્મકથાનું શ્રવણ હિતકારી છે’ – તે…

વધુ વાંચો >

સુદાન

સુદાન ઉત્તર આફ્રિકામાં આવેલો દેશ. ભૌગોલિક સ્થાન : 8° ઉ. અ.થી 23°  ઉ. અ. અને 21° 50´થી 38° 30´ પૂ. રે. વચ્ચેનો 18,86,068ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આમ વિસ્તારની દૃષ્ટિએ આફ્રિકા ખંડમાં તેનો ક્રમ અલ્જિરિયા અને કૉંગો (પ્રજાસત્તાક) પછી આવે છે. આ દેશની ઉત્તરે ઇજિપ્ત, ઈશાને રાતો સમુદ્ર, પૂર્વમાં…

વધુ વાંચો >

સુદામા અન્ના રામ

સુદામા, અન્ના રામ (જ. 23 મે, 1923, રુનિયા બારાબસ, જિ. બિકાનેર, રાજસ્થાન) : રાજસ્થાની અને હિંદી નવલકથાકાર, કવિ અને વાર્તાકાર. તેમને તેમની નવલકથા ‘મેવાઈ રા રુંખ’ બદલ 1978ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયો છે. તેમણે તેમની નાની વયે તેમના પિતા ગુમાવ્યા અને તેમની આજીવિકા માટે ખૂબ મુશ્કેલીઓ વેઠવી…

વધુ વાંચો >

સુદામાચરિત્ર

સુદામાચરિત્ર : ભગવાન શ્રીકૃષ્ણ સાથે સખ્યભક્તિથી જોડાયેલા તેમના બાલસખા સુદામાની ચરિત્ર-કથા. તે ભાગવતના દશમસ્કંધના 8081મા અધ્યાયમાં મળે છે. ભાગવતમાં સુદામાનો ‘કોઈ બ્રાહ્મણ’ તરીકે, કૃષ્ણના ગરીબ, બ્રાહ્મણ બાળમિત્ર તરીકે અને પછી ‘કુચૈલ’ તરીકે ઉલ્લેખ છે; પરંતુ ‘સુદામા’ એવો નામોલ્લેખ નથી. કૃષ્ણ-સુદામાની મૈત્રીને મધ્યકાળમાં વિવિધ કવિઓએ કાવ્યરૂપ આપ્યું છે. નરસિંહનું ‘સુદામાચરિત્ર’ પદમાળા…

વધુ વાંચો >

સુદાસ

સુદાસ : ઋગ્વેદના સમયમાં ભરતો તરીકે ઓળખાતા લોકોનો રાજા. એ સમયે ભરતોનો વસવાટ સરસ્વતી અને યમુના નદી વચ્ચેના પ્રદેશમાં હતો. સંસ્કૃત ભાષાના સૌથી પ્રાચીન ગ્રંથ ‘ઋગ્વેદ’માં ‘દાશરાજ્ઞ વિગ્રહ’નો ઉલ્લેખ અને વર્ણન આવે છે. આ ‘દાશરાજ્ઞ વિગ્રહ’ એક તરફ ભરતોના તૃત્સુ પરિવારના રાજા સુદાસ અને બીજી તરફ દશ રાજાઓના સંયુક્ત લશ્કર…

વધુ વાંચો >

સુદિરમાન હારમાળા

સુદિરમાન હારમાળા : ન્યૂ ગિનીના ઊંચાણવાળા મધ્યભાગની પેગનઉંગન હારમાળાનો પશ્ચિમ વિભાગ. જૂનું નામ નસાઉ હારમાળા. તે ન્યૂ ગિનીના ઇન્ડોનેશિયન ભાગમાં આવેલી છે. ‘ઇરિયન જય’ તરીકે ઓળખાતી આ હારમાળાની બાહ્ય સપાટી અસમતળ ભૂપૃષ્ઠ લક્ષણોવાળી છે. અહીં 4,000 મીટરથી ઓછી ઊંચાઈવાળા ઘાટ જોવા મળતા નથી. આ ટાપુનું સર્વોચ્ચ સ્થળ માઉન્ટ જય (જય…

વધુ વાંચો >

સુદીર્ઘ દિન અરુ રિતુ (લૉંગ ડેઝ ઍન્ડ સિઝન)

સુદીર્ઘ દિન અરુ રિતુ (લૉંગ ડેઝ ઍન્ડ સિઝન) : આસામી કવયિત્રી. નિર્મલપ્રભા બારડોલાઈ(જ. 1933)નો કાવ્યસંગ્રહ. આ કાવ્યસંગ્રહને 1983ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો છે. આ પુરસ્કૃત કૃતિ 104 કાવ્યોનો સંગ્રહ છે. તે કાવ્યોને ક્રમની દૃષ્ટિએ ચાર વર્ગમાં મૂકવામાં આવ્યાં છે. ‘બત્યહાર કવિતા’; ‘સુદીર્ઘ દિનાર કવિતા’; ‘રિતુ’ અને ‘સુદીર્ઘ…

વધુ વાંચો >

સુજનસિંહ

Jan 21, 2008

સુજનસિંહ (જ. 1909, ડેરા બાબા નાનક, પંજાબ) : પંજાબી ભાષાના વાર્તાકાર અને નિબંધકાર. તેમના વાર્તાસંગ્રહ ‘શહેર તે ગ્રાન’ને 1986ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયો હતો. તેમણે તેમનું બાળપણ તેમના કૉન્ટ્રાક્ટર પિતા સાથે બંગાળમાં વિતાવેલું. 11 વર્ષની વયે તેમણે તેમના પિતા ગુમાવ્યા. તેથી તેઓ ખૂબ આર્થિક ભીંસમાં આવી ગયા.…

વધુ વાંચો >

સુજના (એસ. નારાયણ શેટ્ટી)

Jan 21, 2008

સુજના (એસ. નારાયણ શેટ્ટી) (જ. 1930, હોસહોળલુ, જિ. માંડ્યા, કર્ણાટક) : કન્નડ લેખક. તેમને તેમની કૃતિ ‘યુગસંધ્યા’ બદલ 2002નો કેન્દ્રીય સાહિત્ય પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે 1954માં મૈસૂર યુનિવર્સિટીમાંથી કન્નડમાં એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી છે. કન્નડ ઉપરાંત તેઓ અંગ્રેજી અને સંસ્કૃત ભાષાઓની જાણકારી ધરાવે છે. 1954માં તેમણે કન્નડમાં પ્રાધ્યાપક રૂપે…

વધુ વાંચો >

સુજાતખાનની મસ્જિદ

Jan 21, 2008

સુજાતખાનની મસ્જિદ : અમદાવાદમાં આવેલી મુઘલ કાલની મસ્જિદ. મીરઝાપુરથી જતાં જનરલ પોસ્ટ ઑફિસની સામે આ મસ્જિદ આવેલી છે. આ મસ્જિદ 22.2 × 12.5 મીટરનો વિસ્તાર ધરાવે છે. એની ઉત્તરની દિશામાં મકબરો આવેલો છે. મસ્જિદના મુખભાગમાં પાંચ કમાનો છે. તેમાંની વચ્ચેની કમાન 3.09 મીટર ઊંચી જ્યારે પડખેની કમાનો 3 મીટર ઊંચી છે.…

વધુ વાંચો >

સુઝોઉ (Suzhou)

Jan 21, 2008

સુઝોઉ (Suzhou) : ચીનનું પ્રાચીન શહેર. ભૌગોલિક સ્થાન : 31° 18´ ઉ. અ. અને 120° 37´ પૂ. રે.. તે સુચોઉ નામથી પણ ઓળખાય છે. આ શહેર નાનજિંગ અને શાંઘહાઈ વચ્ચે આવેલા જિયાંગ્સુ પ્રાંતના કૃષિ-વિસ્તારમાં આવેલું છે. અહીંનાં કારખાનાંઓમાં રસાયણો અને યંત્રસામગ્રીનું ઉત્પાદન લેવાય છે. બાગબગીચા, નહેરો અને પૅગોડા માટે તે…

વધુ વાંચો >

સુતરિયા અનસૂયા

Jan 21, 2008

સુતરિયા, અનસૂયા (જ. 12 નવેમ્બર 1924, અમદાવાદ, ગુજરાત) : ગુજરાતી રંગભૂમિનાં જાણીતાં અભિનેત્રી અને નાટ્યશિક્ષિકા. 12 વર્ષની વયે તખ્તા પર વિનોદિની નીલકંઠને અભિનય કરતાં જોઈને તેમને અભિનેત્રી બનવાની પ્રેરણા જાગી. 1949માં ‘રંગમંડળ’ના ‘‘વિનોદ’’ સપ્તાહનાં એકાંકીઓમાં બટુભાઈ ઉમરવાડિયાના નાટક ‘હંસા’માં તેમણે અભિનય કર્યો. અનસૂયા સુતરિયા પછી ‘ફેલ્ટ હૅટ’ વગેરે નાટકોમાં તેમણે…

વધુ વાંચો >

સુથાર

Jan 21, 2008

સુથાર : જુઓ પરંપરાગત વ્યવસાયો.

વધુ વાંચો >

સુદ અનુપમ

Jan 21, 2008

સુદ, અનુપમ (જ. 1944, હોશિયારપુર, પંજાબ, ભારત) : આધુનિક ભારતીય મહિલા-ચિત્રકાર. શાલેય અભ્યાસ પૂરો કર્યા પછી દિલ્હી કૉલેજ ઑવ્ આર્ટમાં અભ્યાસ કર્યો. 1962માં અહીંથી સ્નાતક થયા પછી લંડન જઈને સ્લેઇડ સ્કૂલ ઑવ્ ફાઇન આટર્સમાં કલાનો વધુ અભ્યાસ કરી કલાની અનુસ્નાતક ઉપાધિ પ્રાપ્ત કરી. ભારત પાછા ફરીને 1967માં દિલ્હીમાં તેમણે તેમનાં…

વધુ વાંચો >

સુદર્શન

Jan 21, 2008

સુદર્શન : ગુજરાતી સાહિત્યના સાક્ષર યુગનું અગ્રણી માસિક પત્ર. સ્થાપના : ઑક્ટોબર, 1890. તંત્રી : મણિલાલ નભુભાઈ દ્વિવેદી. મ. ન. દ્વિવેદી ધ્યેયલક્ષી સાહિત્યકાર હતા. લેખનકાર્ય દ્વારા પ્રજાને સ્વધર્મનું રહસ્ય સમજાવીને તેનું સાંસ્કૃતિક ઉત્થાન સાધવાનો તેમનો ઉદ્દેશ હતો, વસ્તુત: તે જ તેમનું જીવનકાર્ય (mission) બની રહ્યું હતું. આથી નર્મદ, નવલરામ, રમણભાઈ,…

વધુ વાંચો >

સુદર્શન ઇરિનાક્કલ ચાંડી જ્યૉર્જ

Jan 21, 2008

સુદર્શન, ઇરિનાક્કલ ચાંડી જ્યૉર્જ (જ. 16 સપ્ટેમ્બર 1931, કોટ્ટયમ, કેરળ) : સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રના કણ-ભૌતિકીના ક્ષેત્રના પ્રખર વિદ્વાન. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પોતાના વતનમાં જ લીધું. ઉચ્ચ શિક્ષણ માટે તેઓ મદ્રાસ યુનિવર્સિટીમાં જોડાયા. 1952માં એમ.એ.ની ઉપાધિ આ યુનિવર્સિટીમાંથી મેળવી. ત્યારબાદ સંશોધનાર્થે તેઓ વિદેશ ગયા અને 1958માં યુ.એસ.ની રોચેસ્ટર યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ઉપાધિ…

વધુ વાંચો >

સુદર્શન ગદ્યાવલિ

Jan 21, 2008

સુદર્શન ગદ્યાવલિ : ગુજરાતી સાહિત્યના સાક્ષર યુગના સમર્થ પ્રતિનિધિ મણિલાલ નભુભાઈ દ્વિવેદીએ તેમનાં માસિક પત્રો ‘સુદર્શન’ અને ‘પ્રિયંવદા’માં 1885થી 1898 દરમિયાન કરેલાં ગદ્યલખાણનો સંગ્રહ. મણિલાલે એ લેખોમાં ધર્મ, ગૃહ, રાજ્ય, સાહિત્ય અને શિક્ષણ એમ જીવનનાં સર્વ મુખ્ય ક્ષેત્રોની મીમાંસા કરી હતી. ‘સિદ્ધાન્તસાર’ અને ‘પ્રાણવિનિમય’ તથા ‘કાન્તા’ અને ‘નૃસિંહાવતાર’ જેવી સળંગ…

વધુ વાંચો >