૨૩.૧૨

સિદ્ધાર્થ બુદ્ધ (નાટક)થી સિમ્બોર્સ્કા, વિસ્લાવા (Szymborska, Wislawa)

સિદ્ધાર્થ બુદ્ધ (નાટક)

સિદ્ધાર્થ બુદ્ધ (નાટક) : નાટ્યકાર નૃસિંહ વિભાકરનું નાટક. તે ઈસવીસન 1914માં શ્રી આર્ય નાટ્ય સમાજે સૌપ્રથમ કરાંચીમાં ભજવ્યું હતું. કર્તાનું આ પહેલું નાટક છે. વ્યવસાયી રંગભૂમિના એ જમાનાનાં નાટકોને મુકાબલે આ નાટકની ભાષા વધુ સ્વાભાવિક અને ચોટદાર છે. નાટ્યકાર વિભાકરનું રણકાવાળું ગદ્ય અને નવતર શૈલીનો આ નાટક સારો નમૂનો છે.…

વધુ વાંચો >

સિદ્ધાંતતત્વવિવેક

સિદ્ધાંતતત્વવિવેક : સિદ્ધાંત જ્યોતિષશાસ્ત્રનો એક પ્રમાણિત ગ્રંથ. ‘સિદ્ધાંતતત્વવિવેક’ કમલાકરનો પ્રસ્થાપિત સિદ્ધાંત પણ છે. વિદર્ભ દેશના પાથરી નામના ગામની પશ્ચિમે લગભગ અઢી યોજન દૂર ગોદા નદીના કિનારે આવેલા સોલા ગામનું એક વિદ્વત્કુલ કાશી જઈને વસ્યું હતું. આ કુળમાં વિષ્ણુ નામના પુરુષના કુળમાં પ્રસિદ્ધ ટીકાકાર વિશ્વનાથ અને ‘સિદ્ધાંતતત્વવિવેક’કારનો જન્મ શકસંવત 1530માં થયો…

વધુ વાંચો >

સિદ્ધાંતશિરોમણિ

સિદ્ધાંતશિરોમણિ : ભાસ્કરાચાર્યનો જ્યોતિષશાસ્ત્રનો એક પ્રખ્યાત ગ્રંથ. આ ગ્રંથના ‘ગોલાધ્યાય’ના ‘પ્રશ્ર્નાધ્યાય’ શ્લોક 54 અનુસાર તેમનો જન્મ શક 1036માં થયો હતો. તેમણે 1072(શક)માં ‘સિદ્ધાંતશિરોમણિ’ અને શક 1105ના આરંભે ‘કરણકુતૂહલ’ નામે ગ્રંથો રચ્યા હતા. ‘સિદ્ધાંતશિરોમણિ’ના ગ્રહગણિત અને ‘ગોલાધ્યાય’ ઉપર તેમની ટીકા ‘વાસના ભાષ્ય’ નામે છે. તેમાં એક સ્થળે (‘વાતાધિકાર’માં) તે કહે છે…

વધુ વાંચો >

સિદ્ધાંતશેખર

સિદ્ધાંતશેખર : શ્રીપતિનો જ્યોતિષશાસ્ત્રનો એક પ્રમાણિત ગ્રંથ. ભાસ્કરાચાર્યે શ્રીપતિના ‘સિદ્ધાંતશેખર’ ગ્રંથનો ઉલ્લેખ કર્યો છે. ‘જ્યોતિષદર્પણ’ (શક 1479) નામના મુહૂર્તગ્રંથ અને ‘સિદ્ધાંત-શિરોમણિ’ની ‘મરીચિ’ નામની ટીકામાં તેમનાં વચનો છે. ‘સિદ્ધાંત-શેખર’ અને ‘ધીકોટિકરણ’ નામના ગ્રંથો શ્રીપતિએ રચેલા છે. ‘રત્નમાલા’ નામે ‘મુહૂર્તગ્રંથ અને ‘જાતકપદ્ધતિ’ નામે જાતકગ્રંથો પણ તેમના નામે છે. તેમનાં ચંદ્ર-સૂર્યગ્રહણનાં પ્રકરણો (19…

વધુ વાંચો >

સિદ્ધિચંદ્ર ગણિન્ (16મી17મી સદી)

સિદ્ધિચંદ્ર ગણિન્ (16મી17મી સદી) : ગુજરાતી જૈન કવિ અને આલંકારિક. તેઓ વિદ્વાન જૈન મુનિ હતા. તેમના પૂર્વજીવનની વિગતો મળતી નથી. તેમનો જન્મ પંદરમી સદીના ઉત્તરાર્ધમાં થયેલો. જૈન મુનિ તરીકે તેઓ જાણીતા મહોપાધ્યાય ભાનુચંદ્ર ગણિન્ના શિષ્ય હતા અને વિજયસેનસૂરીશ્વરની શિષ્યપરંપરામાં થઈ ગયા. તેમનું નામ ‘સિદ્ધિચંદ્ર’ની જેમ ‘સિદ્ધચંદ્ર’ પણ મળે છે. ગુરુ…

વધુ વાંચો >

સિદ્ધુ ચરણદાસ

સિદ્ધુ, ચરણદાસ (જ. 1938, ભામ, જિ. હોશિયારપુર, પંજાબ) : પંજાબી નાટ્યકાર. તેમને તેમની કૃતિ ‘ભગતસિંહ શહીદ : નાટક તિક્કડી’ બદલ 2003ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયો છે. તેમણે દિલ્હી યુનિવર્સિટીમાંથી અંગ્રેજીમાં એમ.એ.ની ડિગ્રી મેળવી, પછી અમેરિકાની મેડિસન વિસ્કોન્સિનમાંથી એમ.એ. તથા પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. 1960થી 2003 સુધી તેમણે હંસરાજ…

વધુ વાંચો >

સિદ્ધુ, નવજ્યોત સિંગ

સિદ્ધુ, નવજ્યોત સિંગ (જ. 20 ઑક્ટોબર 1963, પતિયાળા, પંજાબ) : ભારતીય ટેસ્ટ ક્રિકેટ ટીમના બાહોશ પૂર્વ ખેલાડી અને લોકસભાના સભ્ય. 1983–1999ની આશરે સત્તર વર્ષની ક્રિકેટ કારકિર્દી દરમિયાન તેમણે પ્રથમ કક્ષાની 157 મૅચની 228 ઇનિંગોમાં (12 વાર નૉટ આઉટ) 9571 રન કર્યા હતા અને તેમનો કોઈ પણ એક દાવમાં સર્વાધિક જુમલો…

વધુ વાંચો >

સિદ્ધેશ્વરીદેવી

સિદ્ધેશ્વરીદેવી (જ. 8 ઑગસ્ટ 1908, વારાણસી; અ. 18 માર્ચ 1977, દિલ્હી) : શુદ્ધ શાસ્ત્રીય બનારસી ગાયકીનાં અગ્રગણ્ય અને પ્રસિદ્ધ કલાકાર. તેમનાં દાદીમા મૈના એક સુપ્રસિદ્ધ ગાયિકા હતાં એટલે નાનપણથી જ સિદ્ધેશ્વરીદેવીને તેમની પાસેથી સંગીતનો અમૂલ્ય વારસો મળ્યો હતો. 11 વર્ષની વય સુધીમાં બંને માતા અને પિતા ગુમાવતાં કાશીનરેશનાં દરબારી ગાયિકા…

વધુ વાંચો >

સિનસિનાટી (Cincinnati)

સિનસિનાટી (Cincinnati) : યુ.એસ.ના ઓહાયો રાજ્યના નૈર્ઋત્ય ભાગમાં ઓહાયો નદીકાંઠે આવેલું શહેર. ભૌગોલિક સ્થાન : તે 39° 8´ ઉ. અ. અને 84° 30´ પ. રે.ની આજુબાજુનો 206 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. ‘ધ ક્વીન સિટી’, ‘ધ ક્વીન ઑવ્ ધ વેસ્ટ’, ‘ધ સિટી ઑવ્ સેવન હિલ્સ’ જેવાં વિવિધ ઉપનામોથી ઓળખાતું,…

વધુ વાંચો >

સિનાઈ (દ્વીપકલ્પ)

સિનાઈ (દ્વીપકલ્પ) : રાતા સમુદ્રને મથાળે આવેલો ઇજિપ્તનો દ્વીપકલ્પ. સુએઝની નહેર અને સુએઝના અખાતની પૂર્વમાં તથા પશ્ચિમ ઇઝરાયલની સીમા પર આવેલો ઇજિપ્તનો ભાગ. ભૌગોલિક સ્થાન : તે 29° 30´ ઉ. અ. અને 34° 00´ પૂ. રે.ની આજુબાજુનો આશરે 65,000 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ દ્વીપકલ્પ નાના નાના રણદ્વીપો…

વધુ વાંચો >

સિનાત્રા ફ્રૅન્ક

Jan 12, 2008

સિનાત્રા, ફ્રૅન્ક (જ. 12 ડિસેમ્બર 1915, હોબૉકન, ન્યૂ જર્સી; અ. 14 મે 1998) : અમેરિકાના નામી ગાયક અને ફિલ્મી અભિનેતા. 1933માં જ્યારે તેઓ કલાપ્રેમી પ્રતિભાની સ્પર્ધામાં જોડાયા ત્યારથી તેમની ગાયક તરીકેની કારકિર્દીનો પ્રારંભ થયો. પછી તેઓ હૉબોકન ફૉર નામક અર્ધધંધાદારી જૂથમાં જોડાયા. 1939માં બૅન્ડના વડા હેરી જેમ્સે એક કાફેમાંથી તેમની…

વધુ વાંચો >

સિનિયર નાસૉ વિલિયમ

Jan 12, 2008

સિનિયર, નાસૉ વિલિયમ (જ. 1790, ઇંગ્લૅન્ડ; અ. 1864) : પ્રશિષ્ટ અર્થશાસ્ત્રના અધિકૃત પ્રતિનિધિ તરીકે ઓળખાતા તટસ્થ વિચારક તથા અર્થશાસ્ત્રમાં વિશુદ્ધ સિદ્ધાંતોની રજૂઆત કરનારા પ્રથમ અર્થશાસ્ત્રીઓમાંના એક. તેમણે પ્રાથમિક સ્વરૂપનાં વિધાનો પરથી તારવેલા સિદ્ધાંતોની વિસ્તૃત રજૂઆત કરવાનો પ્રયાસ કર્યો છે. તેમણે ઇંગ્લૅન્ડની ઑક્સફર્ડ યુનિવર્સિટીની મૅક્ડૉનાલ્ડ કૉલેજમાંથી 1815માં એમ.એ.ની પદવી પ્રાપ્ત કરી…

વધુ વાંચો >

સિનેગૉગ

Jan 12, 2008

સિનેગૉગ : યહૂદીઓનું ધાર્મિક સ્થાન. ‘સિનેગૉગ’ – એ ગ્રીક શબ્દ છે, જેનો અર્થ થાય છે ‘લોકોની સભા’ (assembly of people) અથવા ‘ઉપાસના માટેની સભા’ (congregation). તે વિશાળ ઇમારત પણ હોઈ શકે અથવા નાનકડો ખાલી ઓરડો પણ હોઈ શકે, જ્યાં લોકો પ્રાર્થના માટે એકઠા થઈ શકે. ઈ. પૂ. છઠ્ઠી સદીમાં બૅબિલૉનથી…

વધુ વાંચો >

સિન્ક્રૉનિઝમ (synchronism)

Jan 12, 2008

સિન્ક્રૉનિઝમ (synchronism) : પૅરિસમાં 1912માં બે ચિત્રકારો મૉર્ગન રસેલ અને સ્ટૅન્ટન મૅક્ડૉનાલ્ડ રાઇટ દ્વારા શરૂ કરવામાં આવેલી માત્ર રંગો પર ખાસ ભાર મૂકતી અમૂર્ત ચિત્રકલાની શાખા. આ ચિત્રોમાં રંગરંગીન વમળોની સૃદૃષ્ટિ જોવા મળે છે. એ બંનેએ આ પ્રકારનાં ચિત્રો ચીતરવાની પ્રેરણા ઑર્ફિઝન શાખાના કાર્યરત ચિત્રકારો રૉબર્ટ ડેલોને અને ફ્રૅન્ટિસેક કુટકામાંથી…

વધુ વાંચો >

સિન્ગર માઇકલ (Singer Michael)

Jan 12, 2008

સિન્ગર, માઇકલ (Singer, Michael) (જ. 1945, અમેરિકા) : આધુનિક અમેરિકન અમૂર્ત શિલ્પી. પથ્થરમાંથી બનાવેલા ઘન, પિરામિડ, લંબઘન, નળાકાર, શંકુ અને દડાના સંયોજન વડે તેઓ અમૂર્ત શિલ્પો ઘડે છે. પેડેસ્ટલનો ઉપયોગ તેમણે ટાળ્યો છે; તેથી તેમનાં શિલ્પ ભોંય પર જ સ્થિર થયેલાં જોવા મળે છે. તેમણે કૉર્નલ યુનિવર્સિટીમાં શિલ્પકાર-ચિત્રકાર પ્રાધ્યાપક આલાન…

વધુ વાંચો >

સિન્ડર (cinder)

Jan 12, 2008

સિન્ડર (cinder) : જ્વાળામુખીજન્ય દ્રવ્ય. જ્વાળામુખી સ્કોરિયા. જ્વાળામુખીજન્ય સ્કોરિયાયુક્ત લાવા. પ્રાથમિકપણે તે બિનસંશ્લેષિત, આવશ્યકપણે કાચમય અને જ્વાળામુખી-પ્રસ્ફુટિત કોટરયુક્ત કણિકાદ્રવ્ય કે જેનો વ્યાસ 3થી 4 મિમી. ગાળાનો હોય તેને સિન્ડર તરીકે ઓળખાવવામાં આવે છે. ક્યારેક તે વિવિધ કદના, પરંતુ નાના પરિમાણવાળા જ્વાળામુખી દ્રવ્યથી બનેલા હોઈ શકે. જ્વાળામુખીજન્ય ભસ્મ કે કણિકાઓ જેવું…

વધુ વાંચો >

સિન્ડિકેટ-કાર્ટેલ

Jan 12, 2008

સિન્ડિકેટ–કાર્ટેલ : (1) સિન્ડિકેટ : વ્યક્તિ ભાગીદારી પેઢી અથવા કંપની જેવા બધા ધંધાકીય એકમો વચ્ચે કાયદેસરનું અસ્તિત્વ ધરાવ્યા વગરનું સામાન્ય હેતુથી – મુખ્યત્વે નફાના હેતુથી – અંદરોઅંદર સમજૂતી કરીને ખરીદી અને વેચાણોના કેન્દ્રીકરણવાળું સંગઠન; (2) કાર્ટેલ : સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતી એકથી વધારે વ્યક્તિઓ ભાગીદારી પેઢીઓ અથવા કંપનીઓએ પોતપોતાના ઉત્પાદન અથવા…

વધુ વાંચો >

સિન્દૂર કી હોલી (1933)

Jan 12, 2008

સિન્દૂર કી હોલી (1933) : લક્ષ્મીનારાયણ મિશ્રનું એક યથાર્થવાદી સમસ્યા-નાટક. ભારતીય નારીજીવનની અનેક સમસ્યાઓ રજૂ કરતી કૃતિ. નારીના અંતર્મનમાં ઊઠતા દ્વન્દ્વ, જાતીયતા, પ્રેમ, બાળ-વિવાહ, વિધવા-વિવાહ જેવી અનેક સમસ્યાઓ પરની વૈચારિક રજૂઆત કરતા આ નાટકમાં બૌદ્ધિકતા અને સંવેદનશીલતાનો સંયુક્ત પરિચય આપવામાં આવ્યો છે. સાથે સાથે સામાજિક કુરિવાજો અને અન્યાયપૂર્ણ ન્યાયવિધિ તથા…

વધુ વાંચો >

સિન્યા પોલ (Signac Paul)

Jan 12, 2008

સિન્યા, પોલ (Signac, Paul) (જ. 1863, ફ્રાંસ; અ. 1935, ફ્રાંસ) : ફ્રેંચ નવપ્રભાવવાદી ચિત્રકાર. નવપ્રભાવવાદી ચિત્રશૈલીના પ્રણેતા જ્યૉર્જ સૂરા(Seurat)નો તે મહત્વનો અનુયાયી ગણાયો છે. સૂરાની માફક સિન્યાએ પણ અલગ અલગ રંગનાં બારીક ટપકાં કૅન્વાસ પર આલેખિત કરી દર્શકની આંખના રૅટિના પર રંગમિલાવટ/રંગમિશ્રણ કરવાની નેમ રાખી છે. આ પદ્ધતિએ તેણે નગરદૃશ્યો…

વધુ વાંચો >

સિન્યૉરિની તેલેમાકો (Signorini Telemaco)

Jan 12, 2008

સિન્યૉરિની, તેલેમાકો (Signorini, Telemaco) (જ. 18 ઑગસ્ટ 1835, ફ્લૉરેન્સ, ઇટાલી; અ. 11 ફેબ્રુઆરી 1901, ફ્લૉરેન્સ, ઇટાલી) : ઇટાલીનાં નિસર્ગશ્યોને ચિત્રોમાં આલેખવા માટે જાણીતા ઇટાલિયન ચિત્રકાર. એમનાં ચિત્રો રંગોની ઋજુતા અને મધુરતા માટે જાણીતાં છે. પિતા જિયોવાની સિન્યૉરિની (જ. 1808, અ. 1862) હેઠળ તેમણે ચિત્રકલાનો અભ્યાસ કર્યો. તેલેમોકો સિન્યૉરિનીનું એક નિસર્ગચિત્ર…

વધુ વાંચો >