સમ્રાટ સમ્પ્રતિ મ્યુઝિયમ

January, 2007

સમ્રાટ સમ્પ્રતિ મ્યુઝિયમ : અમદાવાદ નજીક કોબા ખાતે આવેલું પ્રાચીન હસ્તપ્રતોનું મ્યુઝિયમ. 1980ના ડિસેમ્બરની છવ્વીસમીએ જૈનાચાર્ય કૈલાસસાગરસૂરીશ્વરજીના શિષ્ય આચાર્ય પદ્મસાગરસૂરીશ્વરજી દ્વારા આ મ્યુઝિયમની સ્થાપના થયેલી.

આ મ્યુઝિયમમાં 3,000થી વધુ પ્રાચીન તાડપત્રીય હસ્તપ્રતો છે. તેમાંની સેંકડો હસ્તપ્રતો સચિત્ર છે.

આ ઉપરાંત પથ્થર, ધાતુ અને લાકડામાંથી બનેલી મૂર્તિઓ અને હાથીદાંતમાંથી કંડારેલી કોતરણીઓ પણ છે. શ્રી મહાવીર જૈન આરાધનાકેન્દ્રમાં આવતા જ્ઞાનપિપાસુઓને અભ્યાસ અને સંશોધન માટે અહીંની હસ્તપ્રતોનો લાભ મળે છે. અનેક જૈનસંઘોએ અને જૈન વ્યક્તિઓએ પોતાના અંગત હસ્તપ્રતસંગ્રહો આ મ્યુઝિયમને ભેટ આપ્યા છે.

અમિતાભ મડિયા