૨૨.૦૫

સપ્તતીર્થથી સબસિડી

સપ્તતીર્થ

સપ્તતીર્થ : સાત નગરીઓનાં તીર્થ. તીર્થ એટલે પાપનો નાશ કરનારું અને પુણ્ય આપનારું સ્થળ. નદી, તળાવ, નગરી, પર્વત, ઘાટ, દેવમંદિર, ગુરુ, બ્રાહ્મણ વગેરે તમામને ‘તીર્થ’ શબ્દથી ઓળખવામાં આવે છે, તેથી તીર્થની સંખ્યા કરોડોની છે. પુરાણો અનુસાર સાત મોક્ષદાયિની નગરીઓને તીર્થ સમાન ગણવામાં આવી છે : અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી,…

વધુ વાંચો >

સપ્તદ્વીપ

સપ્તદ્વીપ : પુરાણોમાં વર્ણવેલા સાત દ્વીપ : જંબૂદ્વીપ, કુશદ્વીપ, પ્લક્ષદ્વીપ, શાલ્મલિદ્વીપ, ક્રૌંચદ્વીપ, શાકદ્વીપ અને પુષ્કરદ્વીપ. શાલ્મલિદ્વીપને ક્યાંક શાલભક્તિ પણ કહેવામાં આવેલ છે. જંબૂદ્વીપમાં ભારત આવે છે. સનાતનીઓ કર્મકાંડમાં સંકલ્પ લેતી વખતે આ દ્વીપનો નિર્દેશ કરે છે. જંબૂદ્વીપને આઠ લાખ માઈલ લાંબો અને એટલો જ પહોળો કહેવામાં આવ્યો છે. આ દ્વીપ…

વધુ વાંચો >

સપ્તપર્ણી

સપ્તપર્ણી : દ્વિદળી વર્ગમાં આવેલા એપોસાયનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Alstonia scholaris R. Br. (સં. સપ્તપર્ણ, હિં. સતવન, બં. છાતીમ, મ. સાતવીણ, ક. એલેલેગ, તે. એડાકુલ, અરિટાકુ; અં. ડેવિલ્સ ટ્રી, ડીટા-બાર્ક ટ્રી) છે. તે એક મોટું, સદાહરિત, આધારવાળું (butressed) 12 મી.થી 18 મી. ઊંચું વૃક્ષ છે. કેટલીક વાર…

વધુ વાંચો >

સપ્તમ ઋતુ (1977)

સપ્તમ ઋતુ (1977) : નામાંકિત ઊડિયા કવિ રમાકાંત રથ (જ. 1934) રચિત કાવ્યસંગ્રહ. આ કૃતિને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1978ના વર્ષનો પુરસ્કાર મળ્યો હતો. રથનો આ ચોથો કાવ્યસંગ્રહ છે. તેઓ ઓરિસાના નવ્ય કવિતાના આંદોલનના અગ્રણી કવિ છે. તેમની સર્વાંગીણ કાવ્યસિદ્ધિથી આ નવ્ય કાવ્યપ્રવાહને દિશા અને નક્કરતા સાંપડે છે; બીજા કોઈ ઊડિયા…

વધુ વાંચો >

સપ્તર્ષિ

સપ્તર્ષિ : પ્રાચીન ભારતીય સાત ઋષિઓનો સમૂહ. પ્રાચીન દ્રષ્ટાઓને આ રીતે સાતની સંખ્યાના સમુદાયમાં એકસાથે નિર્દેશવામાં આવ્યા છે. સપ્તર્ષિ પદ દ્વારા આકાશમાં રહેલ નક્ષત્રમંડળના સાત તારાઓનું ઝૂમખું એવો અર્થ પણ સ્વીકારાય છે; તેનું કારણ એ છે કે, પ્રાચીન કાળમાં થઈ ગયેલ મોટા જ્યોતિષીઓ તથા આર્ય સંસ્કૃતિના મૂળ સંરક્ષકોને આપણા પૂર્વજોએ…

વધુ વાંચો >

સપ્તર્ષિ તારામંડળ (Ursa Major)

સપ્તર્ષિ તારામંડળ (Ursa Major) : ઉત્તર ગોળાર્ધમાંથી દેખાતા આકાશનું સહુથી જાણીતું તારામંડળ. આપણે ત્યાંથી એપ્રિલ મહિનામાં રાતના આઠ-નવ વાગ્યાના સુમારે ઉત્તર-પૂર્વ દિશામાં ક્ષિતિજની થોડેક ઉપરના આકાશમાં જોતાં સપ્તર્ષિના સાત મુખ્ય તારાઓ બહુ સહેલાઈથી ઓળખી શકાય છે. ઉનાળાના દિવસોમાં સપ્તર્ષિનો દેખાવ વધુ સ્પષ્ટ અને આકર્ષક હોય છે. આ તારામંડળની મદદથી આકાશનાં…

વધુ વાંચો >

સપ્તર્ષિ સંવત

સપ્તર્ષિ સંવત : જુઓ સંવત

વધુ વાંચો >

સપ્તવાર્ષિક યુદ્ધ (૧૭૫૬-૧૭૬૩)

સપ્તવાર્ષિક યુદ્ધ (1756-1763) : યુરોપના મુખ્ય તથા શક્તિશાળી દેશો વચ્ચે સાત વર્ષ લડાયેલું યુદ્ધ. તે 7 વર્ષ સુધી ચાલ્યું એટલે ઇતિહાસમાં સપ્તવાર્ષિક યુદ્ધ તરીકે પ્રસિદ્ધ બન્યું. પ્રશિયાના રાજા મહાન ફ્રેડરિકે ઑસ્ટ્રિયા પાસેથી સાઇલેશિયા પ્રાંત પડાવી લીધો. ઑસ્ટ્રિયાની રાણી મેરિયા થૅરેસા એ પ્રાંત ફ્રેડરિક પાસેથી પાછો મેળવવા ઇચ્છતી હતી. તેથી તેણે…

વધુ વાંચો >

સપ્તસિન્ધુ

સપ્તસિન્ધુ : વેદમાં ઉલ્લેખાયેલી હિમાલયમાંથી વહેતી સાત નદીઓ. સપ્તસિન્ધુ વગેરે નદીઓને સચરાચર જગતની માતાઓ ‘विश्वस्य मतर​: सर्वा:’ ગણવામાં આવી છે. વિષ્ણુપુરાણ (2–3), ભાગવતપુરાણ (5–19), પદ્મપુરાણ વગેરે પુરાણોમાં ગંગા, સિન્ધુ, યમુના વગેરે નદીઓનાં વર્ણન મળે છે. ‘સિન્ધુ’ શબ્દની વિભાવના सिम्-धुन्वति ચોમેર પોતાના પ્રવાહથી બધું જ પૂરના કારણે હલબલાવે તે સિન્ધુ. સિન્ધુ…

વધુ વાંચો >

સપ્તસિંધુ

સપ્તસિંધુ : વેદોમાં જણાવેલ સાત નદીઓનો સમૂહ. આ શબ્દપ્રયોગ તે સમયના લોકો એટલે કે આર્યો દ્વારા ખેડવામાં આવતા પ્રદેશ માટે અને સાત મહાસાગરો માટે પણ કરવામાં આવ્યો છે. આ સાત નદીઓ માટે વિવિધ અનુમાનો કરવામાં આવ્યાં છે. વેદોમાં તેમનાં નામ ગંગા, યમુના, સરસ્વતી, શતદ્રુ, પરુષ્ણી, ઇરાવતી અને ચંદ્રભાગા આપવામાં આવ્યાં…

વધુ વાંચો >

સપ્તસિંધુ (1977)

Jan 5, 2007

સપ્તસિંધુ (1977) : નાટ્યદિગ્દર્શક અને ટીવી-નિર્માતા ભરત દવેનું અમદાવાદ-સ્થિત નાટ્યવૃંદ. રાષ્ટ્રીય નાટ્ય વિદ્યાલય (NSD) ખાતે પ્રશિક્ષણ મેળવ્યા બાદ શરદબાબુ-કૃત ‘વિજયા’ અને મોલિયર-કૃત ‘વાહ વાહ રે મૈં’ (scoundrel scorpion) નાટક સન 1976માં કોમેદિયા દેલાર્તે શૈલીમાં ભજવ્યા બાદ ભરત દવેએ દિલીપ શાહ, હર્ષદ શુક્લ, અન્નપૂર્ણા શુક્લ, ભીમ વાકાણી, સુભાષ બ્રહ્મભટ્ટ, અદિતિ ઠાકર,…

વધુ વાંચો >

સપ્તાંગ સિદ્ધાંત

Jan 5, 2007

સપ્તાંગ સિદ્ધાંત : રાજ્યનાં સાત અંગો હોવાની માન્યતા ધરાવતો પ્રાચીન, પૌરસ્ત્ય સિદ્ધાંત. રાજ્યની ઉત્પત્તિ અંગે વિવિધ સિદ્ધાંતો વિવિધ દર્શનોમાં જોવા મળે છે. પાશ્ચાત્ય દર્શનમાં રાજ્યની ઉત્પત્તિ અંગે દૈવી સિદ્ધાંત, બળનો સિદ્ધાંત, સામાજિક કરારનો સિદ્ધાંત, આંગિક સિદ્ધાંત તેમજ ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત પ્રચલિત છે. લગભગ તેવી જ રીતે પૌરસ્ત્ય દર્શનમાં પણ આવા વિચારો…

વધુ વાંચો >

સપ્રમાણતા (normality)

Jan 5, 2007

સપ્રમાણતા (normality) : દ્રાવણની સાંદ્રતા દર્શાવવાની એક પદ્ધતિ. સંજ્ઞા N. દ્રાવણમાં ઓગળેલા પદાર્થોની સાંદ્રતા દર્શાવવા માટે અનેક રીતો ઉપયોગમાં લેવાય છે; જેમ કે મોલૅરિટી (molarity), મોલૅલિટી (molality), સપ્રમાણતા, મોલ અંશ (mole fraction), ટકાવાર પ્રમાણ વગેરે. આ પૈકી સીધા ઍસિડ-બેઝ પ્રકાર જેવાં અનુમાપનોમાં સપ્રમાણતાનો ઉપયોગ ગણતરીની દૃદૃષ્ટિએ વધુ અનુકૂળ આવે છે.…

વધુ વાંચો >

સપ્રુ તેજબહાદુર (સર)

Jan 5, 2007

સપ્રુ તેજબહાદુર (સર) (જ. 3 ડિસેમ્બર 1875, અલીગઢ; અ. 20 જાન્યુઆરી 1949, દિલ્હી) : કૉંગ્રેસના મવાળ જૂથના નેતા, વાઇસરૉયની કારોબારી સમિતિમાં કાયદા વિભાગના સભ્ય (મંત્રી), અને ઇંગ્લૅન્ડની પ્રિવી કાઉન્સિલના સભ્ય. તેજબહાદુરનો જન્મ કાશ્મીરી બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. આગ્રા કૉલેજમાંથી બી.એ. અને એમ.એ.ની ડિગ્રી પ્રથમ શ્રેણીમાં પ્રથમ આવીને મેળવી. એલએલ.બી. પાસ…

વધુ વાંચો >

સફરજન

Jan 5, 2007

સફરજન : દ્વિદળી વર્ગમાં આવેલા રોઝેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Malus pumila Mill. syn. M. communis DC.; M. sylvestris Hort. non. Mill.; M. domestica Borkh; Pyrus malus Linn. in part. (હિં. બં., સેબ, સેવ; ક. સેબુ, સેવુ; ગુ. સફરજન; અં. કલ્ટિવેટેડ ઍપલ) છે. તે નીચો ગોળાકાર પર્ણમુકુટ (crown)…

વધુ વાંચો >

સફા (ઇખ્વાનુસ્સફા)

Jan 5, 2007

સફા (ઇખ્વાનુસ્સફા) (The Brethren of Sincerity) : એક ઉદાર-મતવાદી સંગઠન, જેનો ઉદ્ભવ દસમા સૈકામાં દક્ષિણ ઇરાકના પ્રખ્યાત નગર બસરામાં થયો હતો. આ સંગઠનમાં ઉચ્ચ ચારિત્ર્ય તથા નીતિમત્તા ધરાવતા સદાચારી લોકોને સભ્ય બનાવવામાં આવતા હતા, તેથી તે સ્વચ્છ(લોકો)ની બિરાદરી તરીકે ઓળખાતું હતું. જે સમયે સમાજમાં ધર્માન્ધતા તથા સંકુચિતતા વધી રહી હતી…

વધુ વાંચો >

સફાઈ કામદાર

Jan 5, 2007

સફાઈ કામદાર : જુઓ પરંપરાગત વ્યવસાયો

વધુ વાંચો >

સફાઈ વિદ્યાલય

Jan 5, 2007

સફાઈ વિદ્યાલય : તમામ પ્રકારનાં સફાઈકાર્યોને લગતા શિક્ષણ, પ્રશિક્ષણ અને તેના પ્રચાર-પ્રસારણ અંગેનું વિદ્યાલય. 1958માં ગાંધી સ્મારક નિધિ દ્વારા અપ્પાસાહેબ પટવર્ધનના અધ્યક્ષસ્થાને અને મુંબઈ રાજ્યના ગ્રામસફાઈના માનાર્હ સલાહકાર અને ગાંધીવાદી કૃષ્ણદાસ શાહના સંચાલન હેઠળ વ્યારા (જિ. સૂરત) મુકામે પ્રથમ સફાઈ વિદ્યાલય શરૂ કરવામાં આવ્યું હતું. તે સમયે તત્કાલીન ગાંધી સ્મારક…

વધુ વાંચો >

સફીનતુસ્ સાદાત

Jan 5, 2007

સફીનતુસ્ સાદાત : ઈ. સ. 1768માં મુહમ્મદ કાસિમ બિન અબ્દુર્ રહેમાને લખેલ ગ્રંથ. આ ગ્રંથ ગુજરાતના નામાંકિત સૂફી સંતપુરુષોનાં જીવનચરિત્રોનું નિરૂપણ કરે છે. મુઘલ સમય દરમિયાન, ભારતમાં ઇસ્લામને દૃઢ કરનારા પીર ઓલિયાઓ પણ હતા. તેઓ પોતાના શુદ્ધ અને પવિત્ર જીવન દ્વારા સામાન્ય લોકો ઉપર ભારે પ્રભાવ પાડી શક્યા હતા. તેઓમાંના…

વધુ વાંચો >

સફીર પ્રીતમસિંગ

Jan 5, 2007

સફીર પ્રીતમસિંગ (જ. 12 એપ્રિલ 1916, મલિકપુર, જિ. રાવલપિંડી – હાલ પાકિસ્તાનમાં) : પંજાબી કવિ. લાહોર ખાતેની પંજાબ યુનિવર્સિટીમાંથી બી.એ.  તથા એલએલ.બી.ની ડિગ્રી મેળવી વકીલાતનો વ્યવસાય; સર્વોચ્ચ અદાલતના સિનિયર ઍડવોકેટ અને એ સાથે એમનું લેખનકાર્ય પણ ચાલતું રહ્યું. તેમણે અગાઉ દિલ્હીની વડી અદાલતમાં જજ (1969-78) તરીકે કામગીરી બજાવેલી. પંજાબી લેખકોની…

વધુ વાંચો >