શ્યામશિર ગંદમ

શ્યામશિર ગંદમ : ભારતમાં શિયાળે જોવા મળતું યાયાવર પંખી. ગંદમ(Bunting)ની ઘણી જાતો છે. તેમાં સૌથી વધુ જાણીતાં અને વ્યાપક કાળા માથાવાળાં ગંદમ (Black Headed Bunting) છે. તે Emberiza calandra વર્ગનું પંખી છે. તેની શ્રેણી Passeriformes અને તેનું કુળ Emberizidae છે. તેનું કદ સુઘરી અને ચકલી કરતાં જરા મોટું અને બુલબુલ…

વધુ વાંચો >

શ્યોક (Shyok)

શ્યોક (Shyok) : જમ્મુ-કાશ્મીરના લદ્દાખ જિલ્લામાં આવેલી નદી. સિયાચીન હિમનદીમાંથી નીકળતી નુબ્રા નદીના મેળાપ પછી તૈયાર થતી નદી. રીમો હિમનદીમાંથી તેમજ તેરિમ કાંગરી શિખર(ઊંચાઈ 7,500 મીટર)માંથી તેને જળપુરવઠો મળી રહે છે. તે કારાકોરમની દક્ષિણે ગિલગીટના ખીણ-વિસ્તારમાંથી શિગાર નદી સહિત પસાર થાય છે અને કાશ્મીરના વાયવ્ય ભાગમાં થઈને વહે છે. ટ્રાન્સ-હિમાલયન…

વધુ વાંચો >

શ્લાઇડેન, મૅથિયાસ જેકૉબ

શ્લાઇડેન, મૅથિયાસ જેકૉબ (જ. 5 એપ્રિલ 1804, હૅમબર્ગ; અ. 23 જૂન 1881, ફ્રૅન્ક્ફર્ટમ મેઇન) : વનસ્પતિવિજ્ઞાની. તેઓ ‘કોષવાદ’(cell theory)ના સહસ્થાપક (જર્મન દેહધર્મવિજ્ઞાની, થિયૉડૉર સ્વાન સાથે) હતા. તેમણે હિડલબર્ગમાં 1824-27 દરમિયાન શિક્ષણ લીધું અને હૅમબર્ગમાં કાયદાશાસ્ત્રી તરીકેના વ્યવસાયનો પ્રારંભ કર્યો. શરૂઆતમાં જ તેમને વનસ્પતિવિજ્ઞાનમાં અભિરુચિ ઉત્પન્ન થઈ અને પૂર્ણ સમય માટે તેની સાથે સંકળાયેલી પ્રવૃત્તિમાં જોડાયા. તેઓ સમકાલીન વનસ્પતિ-વિજ્ઞાનીઓના વર્ગીકરણ વિશેના વિચારો સાથે સંમત નહોતા.…

વધુ વાંચો >

શ્લુટર, એન્ડ્રિયાસ (Schluter, Andreas)

શ્લુટર, એન્ડ્રિયાસ (Schluter, Andreas) (જ. 1660થી 1664; હૅમ્બર્ગ, જર્મની; અ. 1714, સેંટ પીટર્સબર્ગ, રશિયા) : જર્મન બરોક શિલ્પી અને સ્થપતિ. જર્મનીમાં બરોક કલાના તેઓ સૌથી પ્રખર કલાકાર હતા. 1695માં ફ્રાન્સની અને 1696માં ઇટાલીની યાત્રાઓ કરીને શ્લુટરે બર્લિનના ઇલેક્ટર ફ્રેડરિક ત્રીજાના મુખ્ય શિલ્પીનું સ્થાન લીધું. 1703માં તેમણે ઇલેક્ટરનું પૂરાં કદથી મોટું…

વધુ વાંચો >

શ્લેમર, ઑસ્કાર (Schlemmer, Oskar)

શ્લેમર, ઑસ્કાર (Schlemmer, Oskar) (જ. 4 સપ્ટેમ્બર 1888; અ. 13 એપ્રિલ 1943) : આધુનિક જર્મન ચિત્રકાર. જર્મન ચિત્રકાર એડોલ્ફ હોલ્ઝેલ (Holzgl) હેઠળ તેઓ કલાની તાલીમ પામેલા. યુરોપની આધુનિક કલાશાળાના બાઉહાઉસ ખાતે શ્લેમરે 1920થી 1929 સુધી અધ્યાપનકાર્ય કર્યું હતું અને એ કલાશાળાના તેઓ એક મહત્વના શિક્ષક ગણાયા. તેમણે રંગમંચની પિછવાઈઓ (Back…

વધુ વાંચો >

શ્વિટર્સ, કર્ટ (Schwitters, Kurt)

શ્વિટર્સ, કર્ટ (Schwitters, Kurt) [જ. 20 જૂન 1887, હેનોવર, જર્મની; અ. 8 જાન્યુઆરી 1948, લિટલ લૅન્ગ્ડેલ (Langdale), વૅસ્મૉલૅન્ડ, બ્રિટન] : જર્મન દાદા ચિત્રકાર અને કવિ. પ્રથમ વિશ્વયુદ્ધ પછી પરંપરાગત સૌંદર્યશાસ્ત્રનાં સિદ્ધાંતો અને મૂલ્યો પર આધારિત સમગ્ર પશ્ચિમની કલાનો નાશ કરવાની નેમ ધરાવતી નકારાત્મક ચળવળ દાદા પ્રત્યે શ્વિટર્સ આકર્ષાયા; પરંતુ દાદા…

વધુ વાંચો >

શ્વિન્ડ, મોરિટ્ઝ ફૉન (Schwind, Moritz Von)

શ્વિન્ડ, મોરિટ્ઝ ફૉન (Schwind, Moritz Von) (જ. 21 જાન્યુઆરી 1804, વિયેના, ઑસ્ટ્રિયા; અ. 8 ફેબ્રુઆરી 1871, મ્યૂનિક, જર્મની) : જર્મનીના ઉમરાવો, કિલ્લાઓ અને ગ્રામીણ પરિવેશની રંગદર્શી ચિત્રણા માટે જાણીતા જર્મન ચિત્રકાર. કિશોરાવસ્થાથી જ શ્વિન્ડ રખડેલ પ્રકૃતિનો ભટકતો જીવ હતા. છૂટક કામ મેળવી કમાઈ લઈ તત્કાલીન જરૂરિયાતોનો નિવેડો લાવવાની બોહેમિયન જીવનશૈલી…

વધુ વાંચો >

શ્વૉટર્ઝ, મેલ્વિન

શ્વૉટર્ઝ, મેલ્વિન (જ. 2 નવેમ્બર 1932, ન્યૂયૉર્ક, એનવાય, યુ.એસ.) : અમેરિકાના ભૌતિકવિજ્ઞાની અને ઉદ્યોગસાહસિક કે જેઓ લિયૉન એમ-લેડરમૅન અને જેક સ્ટેઇનબર્જર(Jack Steinberger)ના 1988ના ભૌતિકવિજ્ઞાનના નોબેલ પારિતોષિકના સહવિજેતા. તેમને ન્યૂટ્રીનોને લગતાં સંશોધન માટે નોબેલ પારિતોષિક એનાયત થયું હતું. ન્યૂટ્રીનો અવપરમાણુ કણો છે, જેમને વિદ્યુતભાર હોતો નથી તેમજ તેમને દ્રવ્યમાન નથી તેમ…

વધુ વાંચો >

શ્રદ્ધા

શ્રદ્ધા : ધર્મ માટે અગત્યનો ગુણ. શ્રદ્ધાને કામાયની અર્થાત્ કામની પુત્રી કહી છે. સૃદૃષ્ટિને ટકી રહેવામાં આધારભૂત તત્વ તે ऋत છે. તેના ઉપરના વિશ્વાસને ટકાવી રાખનાર પરિબળ શ્રદ્ધા છે. તેને કામ કે ઇચ્છા સાથે સંબંધ છે. ‘હું એક છું, અનેક થાઉં’ ‘एकोडहम् बहु स्याम्’ ઇચ્છામાંથી સંકલ્પ કે આકૂતિ જન્મ્યા. વિવાહમાં…

વધુ વાંચો >

શ્રદ્ધા કામાયની

શ્રદ્ધા કામાયની : વેદની જાણીતી નારી મંત્રદ્રષ્ટા. વેદમન્ત્રોનું જેમને દર્શન થયું છે તેવા મંત્રદ્રષ્ટા ઋષિઓની જેમ કેટલીક ઋષિકાઓ પણ છે, જેમણે મંત્રનું દર્શન કર્યું છે. વૈદિક ઋષિઓની જેમ જ કેટલીક ઋષિકાઓ પણ તપ:પૂત ને સમર્થ છે. તેમાંની કેટલીક ઋષિકાઓ તો સ્વતંત્રતયા મંત્રદર્શન કરનારી છે તો કેટલીક ઋષિકાઓને સહ-ઋષિત્વ કે વિકલ્પે…

વધુ વાંચો >

શ્રીદેવી

Jan 24, 2006

શ્રીદેવી (જ. 13 ઑગસ્ટ 1963, શિવાકાશી, તામિલનાડુ) : અભિનેત્રી. તમિળ, તેલુગુ અને હિંદીભાષી ચિત્રોમાં ભારે વ્યાવસાયિક સફળતા મેળવનાર અભિનેત્રી. તેમનું મૂળ નામ શ્રીઅમ્મા યંગર હતું. હિંદી ચિત્રોમાં તેમણે મોડો પ્રવેશ કર્યો હતો, પણ કિશોરવયમાં તેમનું પ્રથમ હિંદી ચિત્ર ‘જુલી’ હતું. માત્ર ચાર જ વર્ષની ઉંમરે શિવાજી ગણેશનના તમિળ ચિત્ર ‘કંદન…

વધુ વાંચો >

શ્રીધર મેનન વિલોપ્પિલ્લિલ

Jan 24, 2006

શ્રીધર મેનન વિલોપ્પિલ્લિલ (જ. 1911, પૂર્વ કોચીન રાજ્ય; અ. 1985) : મલયાળમ ભાષાના ખ્યાતનામ કવિ અને નાટ્યકાર. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘વિડા’ (વિદાય, 1970) માટે 1971ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયો હતો. 1931માં તેઓ ઍર્નાકુલમમાંથી પ્રાકૃતિક વિજ્ઞાનના વિષય સાથે બી.એ. થયા પછી 35 વર્ષનાં અધ્યાપનકાર્ય બાદ 1966માં હાઈસ્કૂલના હેડમાસ્તરપદેથી…

વધુ વાંચો >

શ્રીધર સાંધિવિગ્રહિક

Jan 24, 2006

શ્રીધર સાંધિવિગ્રહિક : આચાર્ય મમ્મટના ‘કાવ્યપ્રકાશ’ પરની ‘કાવ્યપ્રકાશવિવેક’ નામની ટીકાના લેખક. તેમનું નામ શ્રીધર હતું, જ્યારે સાંધિવિગ્રહિક એ તેમનું ઉપનામ છે. પ્રાચીન ભારતમાં રાજાના અન્ય રાજાઓ સાથે સંધિ કે વિગ્રહનું કામ કરનારા પ્રધાનને ‘સાંધિવિગ્રહિક’ કહેતા હતા. તેઓ ટીકામાં ‘ઠક્કુર’ શબ્દ પોતાના નામની સાથે જોડે છે, તેથી જન્મે તેઓ ઠાકુર હશે…

વધુ વાંચો >

શ્રીધરન્, ઈ. (ઈલાટ્ટુવલાપિલ)

Jan 24, 2006

શ્રીધરન્, ઈ. (ઈલાટ્ટુવલાપિલ) (જ. 12 જુલાઈ 1932, છટ્ટનુર, પાલઘાટ જિલ્લો, કેરળ) : ઉચ્ચકક્ષાના ભારતીય ટેક્નોક્રૅટ અને કોલકાતા મેટ્રો રેલ, કોંકણ રેલવે તથા દિલ્હી મેટ્રો રેલવેના મુખ્ય ઇજનેર. તેજસ્વી શૈક્ષણિક કારર્કિદી. મુખ્ય ચૂંટણી કમિશનર ટી. એન. શેષાન તેમના સહાધ્યાયી હતા. એન્જિનિયરિંગના સ્નાતક બની ટૂંકી મુદત માટે સિવિલ એન્જિનિયરિંગના વ્યાખ્યાતા બન્યા પછી…

વધુ વાંચો >

શ્રીધરાણી, કૃષ્ણલાલ

Jan 24, 2006

શ્રીધરાણી, કૃષ્ણલાલ [જ. 16 સપ્ટેમ્બર 1911,  ઉમરાળા (ભાવનગર); અ. 23 જુલાઈ 1960, દિલ્હી] : ગાંધીયુગના કવિ, નાટ્યકાર, વાર્તાકાર. પિતાનું નામ જેઠાલાલ. માતા લહેરીબહેન. જન્મ મોસાળમાં. પ્રાથમિક શિક્ષણ ઉમરાળાની ધૂળી નિશાળમાં. માધ્યમિક શિક્ષણ ભાવનગરની પ્રખ્યાત દક્ષિણામૂર્તિમાં. ઈ. સ. 1929માં ગૂજરાત વિદ્યાપીઠમાં જોડાયા. ત્યાંથી સ્નાતક થયા. ઈ. સ. 1934માં વધુ અભ્યાસાર્થે રવીન્દ્રનાથ…

વધુ વાંચો >

શ્રીનગર

Jan 24, 2006

શ્રીનગર : જમ્મુ-કાશ્મીર રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. તે 34° 05´ ઉ. અ. અને 74° 49´ પૂ. રે. આજુબાજુનો 2,228 ચોકિમી. (રાજ્યનો આશરે 10 % વિસ્તાર) જેટલો વિસ્તાર આવરી લે છે. તેની પશ્ચિમ, વાયવ્ય અને ઉત્તર તરફ બારામુલા, ઈશાનમાં કારગીલ, અગ્નિકોણમાં અનંતનાગ, દક્ષિણે પુલવામા તથા નૈર્ઋત્યમાં બડગામ…

વધુ વાંચો >

શ્રીનાથ

Jan 24, 2006

શ્રીનાથ (જ. 1385, કાલિપટ્ટનમ્, જિ. ક્રિશ્ન, આંધ્રપ્રદેશ; અ. 1445) : તેલુગુના ખ્યાતનામ કવિ. તેઓ સંસ્કૃત અને તેલુગુના પારંગત વિદ્વાન હોવા ઉપરાંત પ્રાકૃત અને શૌરસેનીમાં પણ એટલા જ નિષ્ણાત હતા. ‘ન્યાયદર્શન’ પર તેઓ વિશેષજ્ઞ ગણાતા. 1404થી 1420 દરમિયાન પેડાકોમટી વેમા રેડ્ડીના દરબારમાં તેઓ ‘વિદ્યાધિકારી’ના પ્રતિષ્ઠિત પદે રહ્યા અને કૉન્ડાવિડુના રેડ્ડી રાજાઓ…

વધુ વાંચો >