શાર્યાતો

શાર્યાતો : મનુના દશ પુત્રોમાંના એક શર્યાતિના વંશજો. પૌરાણિક અનુશ્રુતિ મુજબ વૈવસ્વત અર્થાત્ વિવસ્વત(સૂર્ય)ના પુત્ર મનુના દશ પુત્રોમાંના એક પુત્ર શર્યાતિને હાલ ગુજરાત તરીકે ઓળખાતા પ્રદેશનું રાજ્ય મળ્યું હતું. વૈદિક સાહિત્યમાં આ રાજા શર્યાતિનો ઉલ્લેખ શાર્યાત તરીકે આવે છે. રાજવંશોના નિરૂપણમાં પુરાણો અને મહાભારતની પુરવણીરૂપ હરિવંશ શાર્યાત વંશની માહિતી આપે…

વધુ વાંચો >

શાર્લીમૅન

શાર્લીમૅન (જ. 2 એપ્રિલ 742, આચેન, ફ્રાન્કોનિયા; અ. 28 જાન્યુઆરી 814, આચેન) : મધ્યયુગનો યુરોપનો સૌથી વધારે પ્રસિદ્ધ સમ્રાટ. તે ‘ચાર્લ્સ, ધ ગ્રેટ’ પણ કહેવાતો. તેણે રોમન સમ્રાટનો ખિતાબ ધારણ કર્યો હતો. તેના પિતા પેપિન ધ શૉર્ટ ફ્રેન્કિશ રાજ્ય(હાલનું ફ્રાન્સ અને પશ્ચિમ જર્મનીનો થોડો પ્રદેશ)ના શાસક હતા. ઈ. સ. 768માં…

વધુ વાંચો >

શાલભંજિકા

શાલભંજિકા : સ્તંભના ટેકા તરીકે વપરાતી નારીદેહ-પ્રતિમા. ‘શાલભંજિકા’ શબ્દ રમત અને પ્રતીક એમ બે રીતે પ્રયોજાયો છે. પાણિનિએ આ શબ્દ પ્રયોજ્યો છે. તેના મૂળ અર્થમાં જોઈએ તો તે સ્ત્રી સાથે સંકળાયેલ એક ક્રીડા (રમત) છે. કન્યા શાલ કે અશોક વૃક્ષની ડાળીઓ પરનાં પુષ્પો એકત્ર કરવા જતી તે શાલભંજિકા. ભારતનાં પ્રાચીન…

વધુ વાંચો >

શાલિગ્રામ

શાલિગ્રામ : ભગવાન વિષ્ણુનું કાળા અને લીલા ગોળ પથ્થરનું સ્વરૂપ. ગંડકી અને ગોમતીમાંથી ઉત્પન્ન થયેલી વજ્રકોટિએ કોરેલી ચક્રયુક્ત શિલાને શાલગ્રામ કે શાલિગ્રામ કહે છે. આ સિવાય દ્વારકામાં પણ આવી શિલા મળે છે. આ શિલામાં ભગવાન વિષ્ણુનો વાસ મનાય છે. આ શિલામાં દેવની પ્રતિષ્ઠા કરવાની હોતી નથી. આ શિલાને વિષ્ણુ ગણી…

વધુ વાંચો >

શાલિવાહન

શાલિવાહન : એક ભારતીય રાજા, જેનું વર્ણન લોકકથાઓમાં મળે છે; પરંતુ તેના સમયનો કોઈ ઐતિહાસિક અભિલેખ કે મુદ્રા હજી સુધી મળ્યાં નથી, તેથી તેની ઐતિહાસિકતા સંદિગ્ધ છે. કેટલાક લોકો તેને ગઝનીના શક જાતિના રાજા ગજનો પુત્ર માને છે, જેનું રાજ્ય દક્ષિણ ભારતમાં હતું અને તેનું પાટનગર ગોદાવરી નદીના કિનારે પ્રતિષ્ઠાનપુર…

વધુ વાંચો >

શાલીહાસ, રમેશચંદ્ર

શાલીહાસ, રમેશચંદ્ર (જ. 25 જુલાઈ 1925, સિરસા, હરિયાણા) : હિંદી અને સંસ્કૃત કવિ તથા પંડિત. તેમણે પંજાબ યુનિવર્સિટીમાંથી ‘શાસ્ત્રી’ (1943); ‘સાહિત્યરત્ન’ (1969); ‘આયુર્વેદરત્ન’ (1970, પ્રયાગ)ની પદવીઓ પ્રાપ્ત કરી હતી. તેમણે અધ્યાપન સાથે લેખનકાર્ય આરંભ્યું. લુપ્ત સરસ્વતી અભિયાનના જિલ્લા-સંગઠક (ઑર્ગેનાઇઝર) તરીકે કારકિર્દીની શરૂઆત કરી. તેઓ હિંદી સાહિત્ય સંમેલનના જિલ્લા પ્રમુખ; મુંબઈની…

વધુ વાંચો >

શાલ્વ

શાલ્વ : વેદોના સમયની એક જાતિ. ‘શતપથ બ્રાહ્મણ’ ગ્રંથમાં શાલ્વ લોકોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ‘મન્ત્રપાથ’માં તેમનું સ્થાન યમુના નદીની પાસે દર્શાવ્યું છે. વેદોના સમયમાં તેઓ વાયવ્ય તરફ રહેતા હોય, તેવો સંભવ નથી. ‘મહાભારત’માં તેઓને કુરુ-પાંચાલો સાથે જોડવામાં આવ્યા છે; અને સંભવત: તેઓ અલ્વર રાજ્યના પ્રદેશમાં રહેતા હતા. મહાભારતના યુદ્ધમાં…

વધુ વાંચો >

શાશ્વત તિથિપત્ર (perpetual calendar)

શાશ્વત તિથિપત્ર (perpetual calendar) : ઘણા લાંબા સમય સુધી ઉપયોગમાં લઈ શકાય તેવું તિથિપત્ર. દર વર્ષે પ્રસિદ્ધ થતા નવાં તિથિપત્રોથી તો સૌ પરિચિત છે; પરંતુ જો એવું તિથિપત્ર રચી શકાય કે જે સૈકાઓ સુધી વાપરી શકાય તો તે ભારે અનુકૂળતા રહે. આ પ્રકારના તિથિપત્રની રચના યુ.એસ.ની સ્મિથ્સોનિયન સંસ્થાએ કરી છે…

વધુ વાંચો >

શાસ્તા પર્વત (Shasta, Mount)

શાસ્તા પર્વત (Shasta, Mount) : યુ.એસ.ના કૅલિફૉર્નિયા રાજ્યમાં આવેલું, ઊંચાઈમાં છઠ્ઠા ક્રમે આવતું, ખૂબ જ ભવ્ય પર્વતશિખર. ભૌગોલિક સ્થાન : 41o21’ ઉ. અ. અને 122o20’ પ. રે.. તે ઉત્તર કૅલિફૉર્નિયાના કાસ્કેડ પર્વતોના દક્ષિણ વિભાગમાં તથા રેડિંગ(Redding)થી ઉત્તરે 124 કિમી. અંતરે આવેલું છે. તેની ઊંચાઈ 4,317 મીટર છે. તેનો શિખરભાગ ત્યાંની…

વધુ વાંચો >

શાસ્ત્રી, અમીરચંદ્ર

શાસ્ત્રી, અમીરચંદ્ર [જ. 15 જુલાઈ 1918, અહમદપુર સ્યાલ, જિ. જંગ (હાલ પાકિસ્તાનમાં)] : સંસ્કૃત પંડિત અને લેખક. તેમણે સરકારી સંસ્કૃત કૉલેજ, વારાણસીમાંથી 1933માં શાસ્ત્રી અને 1936માં આચાર્યની પદવી મેળવી. ઋષિકુળ વિદ્યાપીઠ, હરદ્વારમાંથી 1933માં વિદ્યાકલાનિધિ, 1936માં વિદ્યાભાસ્કર, 1964માં વિદ્યાવાચસ્પતિની પદવીઓ મેળવી. તેમનો કારકિર્દી-આલેખ આ પ્રમાણે છે : મહાવીર સંસ્કૃત મહાવિદ્યાલય, જંગ(હાલ…

વધુ વાંચો >

શારીરિક શિક્ષણ મહાવિદ્યાલય, ભિલાડ

Jan 11, 2006

શારીરિક શિક્ષણ મહાવિદ્યાલય, ભિલાડ (હવે [શ્રી સ્વામિનારાયણ શારીરિક શિક્ષણ મહાવિદ્યાલય, ભિલાડ]) : દક્ષિણ ગુજરાતની વ્યાયામશિક્ષણની શાળા. સંસ્થાની શરૂઆત 1 જુલાઈ, 1964ના રોજ સૂરત જિલ્લા વ્યાયામ પ્રચારક મંડળ દ્વારા સૂરત શહેરમાં કરવામાં આવી. આ સંસ્થા ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. હિતેન્દ્રભાઈ દેસાઈના આશીર્વાદથી શરૂ થઈ. 30 ભાઈઓ અને 20 બહેનો ધરાવતી…

વધુ વાંચો >

શાર્ક (shark-મુસી)

Jan 11, 2006

શાર્ક (shark-મુસી) : શાર્ક કે મુસી નામે ઓળખાતી કાસ્થિમીનો(cartilagenous fishes)નો એક વિશાળ સમૂહ. મોટાભાગની મુસી દરિયાનાં ખુલ્લાં પાણીમાં તીવ્ર ગતિએ તરતી સુવાહી (stream lined) માછલી તરીકે જાણીતી છે. આમ છતાં કેટલીક મુસીઓ દરિયાના નિમ્ન સ્તરે પણ વાસ કરતી જોવા મળે છે. જૂજ મુસીઓ મીઠાં જળાશયોમાં પણ વસે છે. મોટાભાગની મુસી…

વધુ વાંચો >

શાર્ક માછલીનું તેલ

Jan 11, 2006

શાર્ક માછલીનું તેલ : જુઓ માછલીનું તેલ.

વધુ વાંચો >

શાઙ્ર્ગદેવ

Jan 11, 2006

શાઙ્ર્ગદેવ : દક્ષિણ ભારતીય સંગીતના મૂર્ધન્ય શાસ્ત્રકાર. તેમના વડવા કાશ્મીરના નિવાસી હતા. તેમના દાદાએ કાશ્મીરથી સ્થળાંતર કર્યું અને દેવગિરિ (દૌલતાબાદ) રિયાસતમાં આશ્રય લીધો. પિતા આચાર્ય શોઢ્વલ અને ત્યારબાદ શાઙ્ર્ગદેવ પોતે પણ તે રિયાસતના આશ્રિત રહ્યા. શાઙ્ર્ગદેવે ‘સંગીતરત્નાકર’ નામક ગ્રંથની રચના કરી છે. આ ગ્રંથ દ્વારા તેમણે સંગીતની સમગ્ર પદ્ધતિની જાણકારી…

વધુ વાંચો >

શાર્ઙ્ગધર અને શાર્ઙ્ગધર સંહિતા

Jan 11, 2006

શાર્ઙ્ગધર અને શાર્ઙ્ગધર સંહિતા : ભારતના મધ્યકાળમાં આયુર્વેદવિજ્ઞાનના મહાન આચાર્ય. તેમનું નામ પંડિત ભાવમિશ્ર અને આચાર્ય માધવ સાથે લેવાય છે. આ ત્રણેય આચાર્યોએ પોતપોતાનાં નામથી અનુક્રમે ‘શાર્ઙ્ગધર સંહિતા’, ‘ભાવપ્રકાશ’ અને ‘માધવનિદાન’ નામના ત્રણ ખૂબ જ મહત્વના ગ્રંથો રચી, આયુર્વેદ જગત પર મોટો ઉપકાર કર્યો છે. આચાર્ય શાર્ઙ્ગધર વિશે ખાસ જાણકારી…

વધુ વાંચો >

શાર્ઙ્ગધર શિલ્પી

Jan 11, 2006

શાર્ઙ્ગધર શિલ્પી : ગુજરાતની પશ્ચિમ હિંદની પ્રાચીન વિશિષ્ટ કલાશૈલીના આદ્ય પ્રણેતા. ગુપ્ત સમયની શિલ્પકલાનો વારસો ધરાવનાર કોઈ શાર્ઙ્ગધર નામનો કલાકાર પાટણ આવ્યાની લોકકથા છે. ઈ. સ. 1500ના અરસામાં થયેલા તિબેટના ઇતિહાસકાર બૌદ્ધ લામા તારાનાથે નોંધ્યું છે કે શીલ રાજાના સમયમાં મારવાડમાં શાઙર્ગધર નામે એક મહાન કલાકાર જન્મ્યો હતો. એણે ચિત્રો…

વધુ વાંચો >

શાર્દાં, જ્યાં બાપ્તિસ્ત સિમ્યોં

Jan 11, 2006

શાર્દાં, જ્યાં બાપ્તિસ્ત સિમ્યોં (જ. 2 નવેમ્બર 1699, પૅરિસ, ફ્રાન્સ; અ. 6 ડિસેમ્બર 1779, પૅરિસ) : વાસ્તવવાદી શૈલીમાં પદાર્થચિત્રો અને સાદાં ઘરગથ્થુ જીવનનાં ચિત્રો ચીતરવા માટે જાણીતા ફ્રેન્ચ ચિત્રકાર. કલાની તાલીમ તેમણે ક્યાં લીધી તે અંગે માહિતી ઉપલબ્ધ નથી. 1724માં અકાદમી દે સેઇન્ટ લુકમાં તેઓ ચિત્રકાર તરીકે સામેલ થયા. 1728માં…

વધુ વાંચો >

શાર્પવિલ

Jan 11, 2006

શાર્પવિલ : દક્ષિણ આફ્રિકાના વેરીનિગિંગ શહેરનું પરું, જે રંગભેદની  નાબૂદીની શ્યામ પ્રજાની લડતનું આરંભબિંદુ બન્યું. દક્ષિણ આફ્રિકા તેની રંગભેદની નીતિઓ માટે કુખ્યાત હતું, જેમાં શ્યામ પ્રજાજનોને ગોરાઓના વસવાટના વિસ્તારોમાં દાખલ થવા માટે ઓળખપત્રો આપવામાં આવતાં. આવાં ઓળખપત્રો વિના આ વિસ્તારોમાં તેમનો પ્રવેશ વર્જ્ય હતો. આ હડહડતા અન્યાય વિરુદ્ધ આંદોલન કરવા…

વધુ વાંચો >

શાર્પ (Sharpe) વિલિયમ ફોરસિથ

Jan 11, 2006

શાર્પ (Sharpe) વિલિયમ ફોરસિથ (જ. 16 જૂન 1934, કેમ્બ્રિજ, મૅસેચૂસેટ્સ, અમેરિકા) : 1990 વર્ષ માટેના અર્થશાસ્ત્રના નોબેલ પારિતોષિકના સહવિજેતા અમેરિકન અર્થશાસ્ત્રી. ઉચ્ચ શિક્ષણ લૉસ એન્જેલિસ ખાતેની કૅલિફૉર્નિયા યુનિવર્સિટીમાં લીધું. 1958માં અર્થશાસ્ત્ર વિષય સાથે એમ.એ.ની અનુસ્નાતક પદવી અને 1961માં ડૉક્ટરેટની પદવી પ્રાપ્ત કરી. 1957-61 દરમિયાન રૅન્ડ કૉર્પોરેશનમાં કામ કરતી વેળાએ તેઓ…

વધુ વાંચો >

શાર્ફ, કેની

Jan 11, 2006

શાર્ફ, કેની (જ. 1958, અમેરિકા) : આધુનિક અમેરિકન પૉપ-ચિત્રકાર. બાળકો માટેની અવકાશયુગીન કાર્ટૂન-સ્ટ્રિપ અને કાર્ટૂન-સિરિયલોમાંથી પ્રેરણાપાન કરીને એ કાર્ટૂન-આકૃતિઓને મોટા કદમાં ચીતરનાર તરીકે શાર્ફે નામના મેળવી છે. ‘ધ ફ્લિન્ટ્સ્ટોન્સ’ અને ‘ધ જૅટ્સન્સ’ નામની આવી બે કાર્ટૂન સિરિયલોનો તેમની કૃતિઓ પર ઊંડો પ્રભાવ છે. તરુણાવસ્થામાં શાર્ફ ન્યૂયૉર્ક નગરની સ્કૂલ ઑવ્ વિઝ્યુઅલ…

વધુ વાંચો >