શાસ્ત્રી, કેશવરામ કાશીરામ

શાસ્ત્રી, કેશવરામ કાશીરામ (જ. 28 જુલાઈ 1905, માંગરોળ, જિ. જૂનાગઢ) : ગુજરાતના જાણીતા વિદ્વાન. માંગરોળ(સોરઠ)ના વતની. તેઓ શાળાનું મૅટ્રિક્યુલેશન (માધ્યમિક શાળાંત પરીક્ષા) સુધીનું અને પિતાજી પં. કાશીરામ કરશનજી શાસ્ત્રી (બાંભણિયા) પાસે સંસ્કૃત વ્યાકરણ, કાવ્યો અને વેદાંતનું શિક્ષણ પામેલા. 1923માં માંગરોળ (સોરઠ) નજીકના ચંદવાણા ગામમાં અધ્યાપન માટે એક વર્ષ ગાળ્યા પછી…

વધુ વાંચો >

શાસ્ત્રી, ગંગાધર

શાસ્ત્રી, ગંગાધર : પેશવા અને વડોદરાના ગાયકવાડ વચ્ચે ખંડણીની તથા અન્ય રકમોની બાબતમાં ઉકેલ લાવવા વડોદરાથી પુણે મોકલવામાં આવેલ મુત્સદ્દી. તેમણે પહેલાં પેશવાની ઑફિસમાં હોશિયાર કારકુન તરીકે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી હતી. ઈ. સ. 1802માં બ્રિટિશ રેસિડેન્સી વડોદરામાં શરૂ થઈ ત્યારે તેઓ વડોદરા આવ્યા, રેસિડેન્સીમાં દેશી સહાયકની નોકરી લીધી. વડોદરામાં બનતી…

વધુ વાંચો >

શાસ્ત્રી, જાદવજી નરભેરામ (શાસ્ત્રી)

શાસ્ત્રી, જાદવજી નરભેરામ (શાસ્ત્રી) (જ. 24 એપ્રિલ 1898, સેદલા, જિ. સુરેન્દ્રનગર; અ. 16 જુલાઈ 1984, અમદાવાદ) : આયુર્વેદના જાણીતા વૈદ્ય અને લેખક. ગુજરાતમાં સને 1925થી 1965ના સમયગાળામાં આયુર્વેદિક સાહિત્યસર્જન સાથે પ્રૅક્ટિસ કરી, જનતાની ઉત્તમ સેવા કરનારા નામી વૈદ્યોમાં મૂળ પાટડી(બાજાણા-વિરમગામ)ના વૈદ્યરાજ જાદવજી નરભેરામ શાસ્ત્રીની ખાસ ગણના થાય છે. ગુજરાતમાં આ…

વધુ વાંચો >

શાસ્ત્રી, દુર્ગાશંકર કેવળરામ

શાસ્ત્રી, દુર્ગાશંકર કેવળરામ (જ. 24 જાન્યુઆરી 1882, અમરેલી; અ. 29 નવેમ્બર 1952) : ગુજરાતના ઇતિહાસકાર. દુર્ગાશંકરનો જન્મ પ્રશ્ર્નોરા નાગર જ્ઞાતિમાં થયો હતો. તેમના પિતા કેવળરામ શાસ્ત્રી ગોંડલની સંસ્કૃત પાઠશાળાના શિક્ષક હતા. દુર્ગાશંકરે હાલના દસમા ધોરણ સુધીનું શિક્ષણ ગોંડલમાં લીધા બાદ, શાળાનો અભ્યાસ છોડી સંસ્કૃતનું અધ્યયન કર્યું. તેમણે પિતાના માર્ગદર્શન હેઠળ…

વધુ વાંચો >

શાસ્ત્રી, દેવર્ષિ કલાનાથ

શાસ્ત્રી, દેવર્ષિ કલાનાથ (જ. 1936, જયપુર, રાજસ્થાન) : સંસ્કૃત, હિંદી તથા અંગ્રેજી લેખક. તેમને તેમની કૃતિ ‘આખ્યાનવલ્લરી’ બદલ 2004ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે અંગ્રેજીમાં એમ.એ. અને સંસ્કૃત તથા ભાષાવિજ્ઞાનમાં સાહિત્યાચાર્યની ડિગ્રી પ્રાપ્ત કરી છે. તેઓ રાજસ્થાની, હિંદી, ગુજરાતી, બંગાળી, વ્રજ અને પ્રાકૃત ભાષાની જાણકારી ધરાવે…

વધુ વાંચો >

શાસ્ત્રી, ધરમપાલ

શાસ્ત્રી, ધરમપાલ (જ. 26 જાન્યુઆરી 1925, બારામુલા, જમ્મુ અને કાશ્મીર) : હિંદી લેખક. તેમણે ગુરુકુળ, રાવળપિંડીમાંથી ‘સાહિત્ય-ભાસ્કર’, પંજાબ યુનિવર્સિટીમાંથી સંસ્કૃતમાં ‘શાસ્ત્રી’ અને હિંદીમાં એમ.એ.ની પદવી મેળવી. તેઓ દૂરદર્શનના બાળવિભાગ સાથે સંકળાયેલા હતા. તેમની ભાષા પંજાબી હોવા છતાં તેમણે હિંદીમાં 100થી વધુ ગ્રંથો આપ્યા છે. તેમાં ‘હમ એક હૈં’ (1962), ‘અનુયુગ…

વધુ વાંચો >

શાસ્ત્રી, નીલકંઠ કે. એ.

શાસ્ત્રી, નીલકંઠ કે. એ. (જ. 12 ઑગસ્ટ 1892, તિરૂનેલવેલી, તમિલનાડુ; અ. 15 જૂન 1975, ચેન્નાઈ) : દક્ષિણ ભારતના અગ્રણી ઇતિહાસકાર. તેઓ યુનિવર્સિટી ઑવ મદ્રાસના ઇતિહાસના તેજસ્વી વિદ્યાર્થી હતા. તેઓ દક્ષિણ ભારતની ભાષાઓ જાણતા હતા અને અગ્નિ એશિયાના અભ્યાસ વાસ્તે તેમણે ડચ અને ફ્રેન્ચ ભાષા શીખી લીધી હતી. કેટલોક સમય તિરૂનેલવેલીમાં…

વધુ વાંચો >

શાસ્ત્રી, નીલાવીર શર્મા

શાસ્ત્રી, નીલાવીર શર્મા (જ. 1927) : મણિપુરી ભાષાના કવિ તથા ટૂંકી વાર્તાના લેખક. ‘તત્ખ્રવા પુન્સી લૈપુલ’ નામના તેમના ટૂંકી વાર્તાના સંગ્રહને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1989ના વર્ષનો ઍવૉર્ડ મળ્યો હતો. તેમનો ઉછેર ઇમ્ફાલમાં થયો; ત્યાં હિંદી ભાષાના શિક્ષક તરીકેની કારકિર્દી પછી 1987માં નિવૃત્ત. હિંદી ભાષાના શિક્ષણકાર્યના ક્ષેત્રે તેમણે બજાવેલી સેવાને લક્ષમાં…

વધુ વાંચો >

શાસ્ત્રી, પતંજલિ (ન્યાયમૂર્તિ)

શાસ્ત્રી, પતંજલિ (ન્યાયમૂર્તિ) (જ. ?, અ. ?) : સ્વતંત્રતા પછી,  ફેડરલ કોર્ટ તરીકે ત્યારે ઓળખાતા ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ તથા 26 જાન્યુઆરી 1950 પછી સ્વતંત્ર ભારતની સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ. ભારતનું લોકશાહી ગણતંત્ર 26-1-1950ના રોજ અસ્તિત્વમાં આવ્યું એ પહેલાં 1935ના કાયદા મુજબ એક સમવાયતંત્ર તો હતું જ. તે પૂર્વે નવ…

વધુ વાંચો >

શાસ્ત્રી, બાપુદેવ

શાસ્ત્રી, બાપુદેવ (જ. 1 નવેમ્બર 1821; અ. 1890) : ભારતીય અને પાશ્ર્ચાત્ય જ્યોતિષગણિતના પ્રકાંડ પંડિત. આજે પણ ભારતીય જ્યોતિષશાસ્ત્રમાં તેમનું નામ અગ્રસ્થાને રહેલું છે. તેમનું બીજું એક નામ નૃસિંહ હતું. તેઓ ઋગ્વેદી ચિતપાવન બ્રાહ્મણ કુટુંબના હતા. ગોદાવરી જિલ્લાના ટોર્કે (જિ. અહમદનગર) ગામના મૂળ રહેવાસી. પિતાનું નામ સીતારામ અને માતાનું નામ…

વધુ વાંચો >

શારીરિક શિક્ષણ મહાવિદ્યાલય, ભિલાડ

Jan 11, 2006

શારીરિક શિક્ષણ મહાવિદ્યાલય, ભિલાડ (હવે [શ્રી સ્વામિનારાયણ શારીરિક શિક્ષણ મહાવિદ્યાલય, ભિલાડ]) : દક્ષિણ ગુજરાતની વ્યાયામશિક્ષણની શાળા. સંસ્થાની શરૂઆત 1 જુલાઈ, 1964ના રોજ સૂરત જિલ્લા વ્યાયામ પ્રચારક મંડળ દ્વારા સૂરત શહેરમાં કરવામાં આવી. આ સંસ્થા ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. હિતેન્દ્રભાઈ દેસાઈના આશીર્વાદથી શરૂ થઈ. 30 ભાઈઓ અને 20 બહેનો ધરાવતી…

વધુ વાંચો >

શાર્ક (shark-મુસી)

Jan 11, 2006

શાર્ક (shark-મુસી) : શાર્ક કે મુસી નામે ઓળખાતી કાસ્થિમીનો(cartilagenous fishes)નો એક વિશાળ સમૂહ. મોટાભાગની મુસી દરિયાનાં ખુલ્લાં પાણીમાં તીવ્ર ગતિએ તરતી સુવાહી (stream lined) માછલી તરીકે જાણીતી છે. આમ છતાં કેટલીક મુસીઓ દરિયાના નિમ્ન સ્તરે પણ વાસ કરતી જોવા મળે છે. જૂજ મુસીઓ મીઠાં જળાશયોમાં પણ વસે છે. મોટાભાગની મુસી…

વધુ વાંચો >

શાર્ક માછલીનું તેલ

Jan 11, 2006

શાર્ક માછલીનું તેલ : જુઓ માછલીનું તેલ.

વધુ વાંચો >

શાઙ્ર્ગદેવ

Jan 11, 2006

શાઙ્ર્ગદેવ : દક્ષિણ ભારતીય સંગીતના મૂર્ધન્ય શાસ્ત્રકાર. તેમના વડવા કાશ્મીરના નિવાસી હતા. તેમના દાદાએ કાશ્મીરથી સ્થળાંતર કર્યું અને દેવગિરિ (દૌલતાબાદ) રિયાસતમાં આશ્રય લીધો. પિતા આચાર્ય શોઢ્વલ અને ત્યારબાદ શાઙ્ર્ગદેવ પોતે પણ તે રિયાસતના આશ્રિત રહ્યા. શાઙ્ર્ગદેવે ‘સંગીતરત્નાકર’ નામક ગ્રંથની રચના કરી છે. આ ગ્રંથ દ્વારા તેમણે સંગીતની સમગ્ર પદ્ધતિની જાણકારી…

વધુ વાંચો >

શાર્ઙ્ગધર અને શાર્ઙ્ગધર સંહિતા

Jan 11, 2006

શાર્ઙ્ગધર અને શાર્ઙ્ગધર સંહિતા : ભારતના મધ્યકાળમાં આયુર્વેદવિજ્ઞાનના મહાન આચાર્ય. તેમનું નામ પંડિત ભાવમિશ્ર અને આચાર્ય માધવ સાથે લેવાય છે. આ ત્રણેય આચાર્યોએ પોતપોતાનાં નામથી અનુક્રમે ‘શાર્ઙ્ગધર સંહિતા’, ‘ભાવપ્રકાશ’ અને ‘માધવનિદાન’ નામના ત્રણ ખૂબ જ મહત્વના ગ્રંથો રચી, આયુર્વેદ જગત પર મોટો ઉપકાર કર્યો છે. આચાર્ય શાર્ઙ્ગધર વિશે ખાસ જાણકારી…

વધુ વાંચો >

શાર્ઙ્ગધર શિલ્પી

Jan 11, 2006

શાર્ઙ્ગધર શિલ્પી : ગુજરાતની પશ્ચિમ હિંદની પ્રાચીન વિશિષ્ટ કલાશૈલીના આદ્ય પ્રણેતા. ગુપ્ત સમયની શિલ્પકલાનો વારસો ધરાવનાર કોઈ શાર્ઙ્ગધર નામનો કલાકાર પાટણ આવ્યાની લોકકથા છે. ઈ. સ. 1500ના અરસામાં થયેલા તિબેટના ઇતિહાસકાર બૌદ્ધ લામા તારાનાથે નોંધ્યું છે કે શીલ રાજાના સમયમાં મારવાડમાં શાઙર્ગધર નામે એક મહાન કલાકાર જન્મ્યો હતો. એણે ચિત્રો…

વધુ વાંચો >

શાર્દાં, જ્યાં બાપ્તિસ્ત સિમ્યોં

Jan 11, 2006

શાર્દાં, જ્યાં બાપ્તિસ્ત સિમ્યોં (જ. 2 નવેમ્બર 1699, પૅરિસ, ફ્રાન્સ; અ. 6 ડિસેમ્બર 1779, પૅરિસ) : વાસ્તવવાદી શૈલીમાં પદાર્થચિત્રો અને સાદાં ઘરગથ્થુ જીવનનાં ચિત્રો ચીતરવા માટે જાણીતા ફ્રેન્ચ ચિત્રકાર. કલાની તાલીમ તેમણે ક્યાં લીધી તે અંગે માહિતી ઉપલબ્ધ નથી. 1724માં અકાદમી દે સેઇન્ટ લુકમાં તેઓ ચિત્રકાર તરીકે સામેલ થયા. 1728માં…

વધુ વાંચો >

શાર્પવિલ

Jan 11, 2006

શાર્પવિલ : દક્ષિણ આફ્રિકાના વેરીનિગિંગ શહેરનું પરું, જે રંગભેદની  નાબૂદીની શ્યામ પ્રજાની લડતનું આરંભબિંદુ બન્યું. દક્ષિણ આફ્રિકા તેની રંગભેદની નીતિઓ માટે કુખ્યાત હતું, જેમાં શ્યામ પ્રજાજનોને ગોરાઓના વસવાટના વિસ્તારોમાં દાખલ થવા માટે ઓળખપત્રો આપવામાં આવતાં. આવાં ઓળખપત્રો વિના આ વિસ્તારોમાં તેમનો પ્રવેશ વર્જ્ય હતો. આ હડહડતા અન્યાય વિરુદ્ધ આંદોલન કરવા…

વધુ વાંચો >

શાર્પ (Sharpe) વિલિયમ ફોરસિથ

Jan 11, 2006

શાર્પ (Sharpe) વિલિયમ ફોરસિથ (જ. 16 જૂન 1934, કેમ્બ્રિજ, મૅસેચૂસેટ્સ, અમેરિકા) : 1990 વર્ષ માટેના અર્થશાસ્ત્રના નોબેલ પારિતોષિકના સહવિજેતા અમેરિકન અર્થશાસ્ત્રી. ઉચ્ચ શિક્ષણ લૉસ એન્જેલિસ ખાતેની કૅલિફૉર્નિયા યુનિવર્સિટીમાં લીધું. 1958માં અર્થશાસ્ત્ર વિષય સાથે એમ.એ.ની અનુસ્નાતક પદવી અને 1961માં ડૉક્ટરેટની પદવી પ્રાપ્ત કરી. 1957-61 દરમિયાન રૅન્ડ કૉર્પોરેશનમાં કામ કરતી વેળાએ તેઓ…

વધુ વાંચો >

શાર્ફ, કેની

Jan 11, 2006

શાર્ફ, કેની (જ. 1958, અમેરિકા) : આધુનિક અમેરિકન પૉપ-ચિત્રકાર. બાળકો માટેની અવકાશયુગીન કાર્ટૂન-સ્ટ્રિપ અને કાર્ટૂન-સિરિયલોમાંથી પ્રેરણાપાન કરીને એ કાર્ટૂન-આકૃતિઓને મોટા કદમાં ચીતરનાર તરીકે શાર્ફે નામના મેળવી છે. ‘ધ ફ્લિન્ટ્સ્ટોન્સ’ અને ‘ધ જૅટ્સન્સ’ નામની આવી બે કાર્ટૂન સિરિયલોનો તેમની કૃતિઓ પર ઊંડો પ્રભાવ છે. તરુણાવસ્થામાં શાર્ફ ન્યૂયૉર્ક નગરની સ્કૂલ ઑવ્ વિઝ્યુઅલ…

વધુ વાંચો >