૨૦.૨૮

વેંકટચેલૈયા, એમ. એન.થી વૈદ્ય પ્રભાશંકર ગઢડાવાળા

વેંકટચેલૈયા, એમ. એન.

વેંકટચેલૈયા, એમ. એન. (જ. 25 ઑક્ટોબર 1929) : ભારતની સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ અને સામાજિક-આર્થિક પ્રવૃત્તિઓના સંકલનકાર. જૂના મૈસૂર રાજ્યના નિવાસી તરીકે શાલેય અને કૉલેજ-શિક્ષણ બૅંગાલુરુ ખાતે લીધું. બૅંગાલુરુની ફૉર્ટ હાઈસ્કૂલમાં અભ્યાસ પૂરો કરી, વિજ્ઞાન શાખામાં પ્રવેશ મેળવી તેઓ ત્યાંની સેન્ટ્રલ કૉલેજમાંથી સ્નાતક થયા. ત્યારબાદ ગવર્નમેન્ટ લૉ કૉલેજમાંથી કાયદાના સ્નાતક…

વધુ વાંચો >

વેંકટ પાર્વતીશ્વર, ક્વુલુ

વેંકટ પાર્વતીશ્વર, ક્વુલુ : બલન્ત્રપુ વેંકટરાવ (1880-1971) અને વૉલેટી પાર્વતિસમ (1882-1955) નામના તેલુગુમાં ગદ્ય અને પદ્યના ઘણા ગ્રંથોના સંયુક્તપણે રચયિતા જોડિયા કવિઓ. તેમણે બંનેએ બંગાળી, હિંદી અને મરાઠી નવલકથાઓના તેમના અનુવાદ દ્વારા તેલુગુ નવલકથાના વિકાસમાં નોંધપાત્ર ફાળો આપ્યો છે. તે નવલકથાઓ તેમણે આંધ્ર પ્રચારિણી ગ્રંથમાળાના અન્વયે પ્રસિદ્ધ કરી હતી. આ…

વધુ વાંચો >

વેંકટપ્પૈયા, વેલગા

વેંકટપ્પૈયા, વેલગા (જ. 12 જૂન 1932, તેનાલી, જિ. ગુન્તુર, આંધ્ર પ્રદેશ) : તેલુગુ લેખક. તેમણે આંધ્ર યુનિવર્સિટીમાંથી એમ.એ.ની ડિગ્રી મેળવી. પછી આંધ્ર પ્રદેશ સરકારના જાહેર ગ્રંથાલયોના વિભાગમાં ગ્રંથપાલ તરીકે જોડાયા અને સેવાનિવૃત્ત થયા તે પહેલાં 1966-68 સુધી તેમણે વિજયવાડામાં સ્કૂલ ઑવ્ લાઇબ્રેરી સાયન્સના આચાર્ય તરીકે કામગીરી કરી. 1965થી તેઓ તેલુગુ…

વધુ વાંચો >

વેંકટમાધવ

વેંકટમાધવ : જગતના પ્રાચીનતમ ભારતીય ગ્રંથ ‘ઋગ્વેદ’ના ભાષ્યકાર. એક મત અનુસાર તેમણે ઋગ્વેદ પર બે ભાષ્યો લખ્યાં હતાં; પરંતુ હાલ માત્ર એક જ ભાષ્ય ઉપલબ્ધ છે. તેમના ઋગ્વેદભાષ્યના પ્રથમ અધ્યાયમાં તેમણે પોતાનો પરિચય આપ્યો છે, તે મુજબ તેમના પિતાનું નામ વેંકટ અને પિતામહનું નામ માધવ છે. તેમની માતાનું નામ સુંદરી…

વધુ વાંચો >

વેંકટરત્નમ્, આદિગોપુલા

વેંકટરત્નમ્, આદિગોપુલા (જ. 1 જુલાઈ 1947, કોતાવંગલુ, જિ. નેલ્લોર, આંધ્રપ્રદેશ) : તેલુગુ કવિ. તેમણે નાગાર્જુન યુનિવર્સિટીમાંથી સિવિલ ઇજનેરીની પદવી મેળવી અને નાયબ કાર્યપાલક ઇજનેર તરીકે સેવા આપી. તેમણે તેલુગુમાં 11 કૃતિઓ આપી છે : ‘સૂર્યોદયમ્’ (1984); ‘એન્નાલ્લી ચરિત્ર’ (1985); ‘જીવન પોરટમ’ (1986); ‘વાણીસત્વમ્ અમ્માબદુનુ’ (1987); ‘મરણાનિકી રેન્ડુ મુખાલુ’ (1988), ‘વિપ્લવાનિકી…

વધુ વાંચો >

વેંકટ રમણય્યા, નેલતુરી

વેંકટ રમણય્યા, નેલતુરી (જ. 1893; અ. 1977) : આંધ્રના નિબંધકાર અને ઇતિહાસકાર. ગરીબ પણ વિદ્વાન બ્રાહ્મણ પરિવારમાં જન્મ. તેમણે 1919માં ઇતિહાસમાં મદ્રાસ યુનિવર્સિટીમાંથી બી.એ.ની ડિગ્રી મેળવી. પછી બૅંગાલુરુ અને મદ્રાસ (ચેન્નાઈ) ખાતે તેલુગુ પંડિત તરીકે અને મદ્રાસની ક્રિશ્ચિયન કૉલેજમાં અધ્યાપનકાર્ય કર્યું. મદ્રાસ યુનિવર્સિટીમાંથી તેમના શોધ-પ્રબંધ ‘ધી ઓરિજિન ઑવ્ સાઉથ ઇન્ડિયન…

વધુ વાંચો >

વેંકટ રમણય્યા, બુલુસુ

વેંકટ રમણય્યા, બુલુસુ (જ. 1907, વિજયનગરમ્ પાસે, આંધ્ર પ્રદેશ; અ. ?) : વિખ્યાત તેલુગુ પંડિત, શિક્ષક અને લેખક. વતનમાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યા પછી સંસ્કૃતની મહારાજા કૉલેજમાં જોડાયા અને કાવ્યશાસ્ત્ર, છંદ:શાસ્ત્ર અને વ્યાકરણનો અભ્યાસ કર્યો. તેમણે 1934થી 1956 સુધી ચેન્નાઈ ખાતે કેલ્લેટ હાઈસ્કૂલમાં અને 1956થી 1968 સુધી હિંદુ થિયૉસૉફિકલ હાઈસ્કૂલમાં શિક્ષક…

વધુ વાંચો >

વેંકટરામન આચાર્ય, પડિગરુ

વેંકટરામન આચાર્ય, પડિગરુ (જ. 1915, ઉડુપી, દક્ષિણ કનરા, કન્નડ) : કન્નડ પત્રકાર, કવિ, વાર્તાકાર અને વિવેચક. તેઓ કન્નડ પત્રકારત્વમાં ‘પવેમ આચાર્ય’ના નામથી વધુ લોકપ્રિય હતા. તેમણે કટાર-લેખક તરીકે કન્નડમાં સર્જનાત્મક પત્રકારત્વના વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો છે. તેઓ અનેકભાષાવિદ છે અને તુલુ, કન્નડ, હિંદી, બંગાળી, મરાઠી અને સંસ્કૃત ભાષા જાણે છે.…

વધુ વાંચો >

વેંકટરામન, આર.

વેંકટરામન, આર. (જ. 4 ડિસેમ્બર 1910, રાજમાદામ, જિ. તાંજોર, તમિલનાડુ) : જાણીતા રાજનીતિજ્ઞ અને ભારતના રાષ્ટ્રપ્રમુખ. પિતા રામસ્વામી આયર અને માતા જાનકી અમ્મા. પ્રારંભિક શિક્ષણ વિનયન વિદ્યાશાખાનું મેળવ્યું અને અનુસ્નાતક થયા બાદ કાયદાના સ્નાતક બન્યા. વકીલ તરીકે કારકિર્દીની શરૂઆત કરી ચેન્નાઈની વડી અદાલતમાં અને ત્યારબાદ સર્વોચ્ચ અદાલતમાં કામગીરી બજાવી હતી.…

વધુ વાંચો >

વેંકટરામન, ક્રિશ્નાસ્વામી

વેંકટરામન, ક્રિશ્નાસ્વામી (જ. 7 જૂન 1901, ચેન્નાઈ, તામિલનાડુ; અ. 12 મે 1981) : આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત અગ્રણી ભારતીય રસાયણવિદ. સિવિલ એન્જિનિયરના પુત્ર વેંકટરામને 1923માં મદ્રાસ યુનિવર્સિટીમાંથી રસાયણશાસ્ત્રમાં એમ.એ. પદવી મેળવી. તે પછી મદ્રાસ ગવર્નમેન્ટની સ્કૉલરશિપ મળતાં તેઓ માન્ચેસ્ટર યુનિવર્સિટીમાં વધુ અભ્યાસાર્થે ગયા; જ્યાં તેમણે એમ.એસસી. (ટેક.), પીએચ.ડી. તથા ડી.એસસી.ની પદવીઓ પ્રાપ્ત…

વધુ વાંચો >

વૈદ્ય, કૃષ્ણ બળદેવ (ડૉ.)

Feb 28, 2005

વૈદ્ય, કૃષ્ણ બળદેવ (ડૉ.) [જ. 27 જુલાઈ 1927, ડિંગા, જિ. ગુજરાત (હાલ પાકિસ્તાન)] : હિંદી લેખક અને અનુવાદક. તેમણે પંજાબ યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સાથે એમ.એ. અને હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. 1962-66 દરમિયાન તેઓ પંજાબ યુનિવર્સિટીમાં અંગ્રેજીમાં રીડર; 1966-85 દરમિયાન સ્ટેટ યુનિવર્સિટી, ન્યૂયૉર્કમાં અંગ્રેજીના પ્રાધ્યાપક; 1968-69માં બ્રાન્ડિસ યુનિવર્સિટીમાં મુલાકાતી…

વધુ વાંચો >

વૈદ્ય, કે. એલ.

Feb 28, 2005

વૈદ્ય, કે. એલ. (જ. 2 માર્ચ 1937, મંડી, હિમાચલ પ્રદેશ) : હિંદી લેખક. તેમણે પંજાબ યુનિવર્સિટીમાંથી પૉલિટિકલ સાયન્સમાં એમ.એ.ની ડિગ્રી તથા બી.એડ.ની ડિગ્રી મેળવી હતી. તેઓ 1960-62 સુધી હિમાચલ પ્રદેશ સરકારના શિક્ષણવિભાગમાં સિનિયર શિક્ષક રહ્યા. ત્યારબાદ 1962-1974 દરમિયાન ઉક્ત સરકારના જાહેર સંપર્ક વિભાગમાં સહસંપાદક; 1974-82 સુધી જિલ્લા જાહેર સંપર્ક- અધિકારી;…

વધુ વાંચો >

વૈદ્ય, ગોવિંદપ્રસાદ હરિદાસ

Feb 28, 2005

વૈદ્ય, ગોવિંદપ્રસાદ હરિદાસ (જ. 19 સપ્ટેમ્બર 1919, સૌરાષ્ટ્ર; અ. 23 ઑક્ટોબર 1986, અમદાવાદ) : આયુર્વેદના જાણીતા વિદ્વાન અને ચિકિત્સક. તેમણે અમદાવાદ શહેરને કર્મભૂમિ બનાવી, આયુર્વેદ માટે આજીવન ઐતિહાસિક મૂલ્યવાન સેવા બજાવી હતી. તેમનો જન્મ સૌરાષ્ટ્રના એક ગરીબ, શિવભક્ત, સંસ્કારી સાધુ પરિવારમાં થયેલ. પિતા એક સામાન્ય વૈદ્ય હતા, પણ પુત્રને તેઓ…

વધુ વાંચો >

વૈદ્ય, ચિંતામણ વિનાયક (ડૉ.)

Feb 28, 2005

વૈદ્ય, ચિંતામણ વિનાયક (ડૉ.) (જ. 18 ઑક્ટોબર 1861, કલ્યાણ, થાણા જિલ્લો, મહારાષ્ટ્ર; અ. 20 એપ્રિલ 1938, કલ્યાણ) : ગ્વાલિયર રાજ્યના મુખ્ય ન્યાયમૂર્તિ, વિવિધ શાસ્ત્રોના વિદ્વાન અને દેશભક્ત. ચિંતામણ ઉર્ફે નાનાસાહેબનો જન્મ વિનાયક બાપુજી વૈદ્ય નામના વકીલને ત્યાં થયો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ મરાઠીમાં અને હાઈસ્કૂલનું શિક્ષણ અંગ્રેજી ભાષામાં લીધું હતું.…

વધુ વાંચો >

વૈદ્ય જુગતરામ વિશ્વનાથ દવે

Feb 28, 2005

વૈદ્ય જુગતરામ વિશ્વનાથ દવે (જ. 19 નવેમ્બર 1909, પડધરી, જિ. જામનગર, સૌરાષ્ટ્ર; અ. 9 ડિસેમ્બર 1992, ભાવનગર) : ભાવનગરના જાણીતા વૈદ્ય. વૈદ્યોની નગરી ગણાતા ભાવનગર શહેરને કર્મભૂમિ બનાવીને ગાંધીવાદી સિદ્ધાંત મુજબ જીવનશૈલી અપનાવી, આયુર્વેદીય ચિકિત્સા તથા શિક્ષણક્ષેત્રે ધૂણી ધખાવનાર પ્રખ્યાત સેવાભાવી ચિકિત્સક. ગુજરાતભરમાં અમદાવાદમાં રહી આયુર્વેદ ચિકિત્સા, શિક્ષણ અને સાહિત્યક્ષેત્રે…

વધુ વાંચો >

વૈદ્ય જુગતરામ શંકરપ્રસાદ ભટ્ટ

Feb 28, 2005

વૈદ્ય જુગતરામ શંકરપ્રસાદ ભટ્ટ : ઝંડુ ફાર્મસી સાથે સંકળાયેલા વિખ્યાત વૈદ્ય. જામનગરના મહારાજા રણમલ જામના રાજવૈદ્ય વિઠ્ઠલ ભટ્ટના પુત્ર ઝંડુ ભટ્ટજીના પૌત્ર. તેઓ દાદા ઝંડુ ભટ્ટજી તથા પિતા શંકરપ્રસાદ પાસેથી આયુર્વેદનું જ્ઞાન મેળવીને વૈદ્ય બનેલા. પણ તેમને વધુ રસ હતો ઔષધનિર્માણ(ફાર્મસી)માં. આ વિષયમાં વિશિષ્ટ અને વધુ જ્ઞાન-અનુભવ મેળવવા જુગતરામભાઈએ રાજકોટ…

વધુ વાંચો >

વૈદ્ય, જ્યોતિ ભાસ્કરરાવ

Feb 28, 2005

વૈદ્ય, જ્યોતિ ભાસ્કરરાવ (જ. 9 સપ્ટેમ્બર 1935) : આધુનિક ગુજરાતી રંગભૂમિના જાણીતા નટ, દિગ્દર્શક અને મુખ્યત્વે તો નાટ્યકાર. અંગ્રેજી સાહિત્ય સાથે એમ.એ.ની પદવી પ્રાપ્ત કર્યા પછી અંગ્રેજીના અધ્યાપક તરીકે કારકિર્દી શરૂ કરી. સન 1995માં નવયુગ સાયન્સ કૉલેજ, સૂરતમાંથી અંગ્રેજી વિભાગના વડા તરીકે સેવાનિવૃત્ત થયા. સન 1952થી સન 1977 – એમ…

વધુ વાંચો >

વૈદ્યનાથ (જ્યોતિર્લિંગ)

Feb 28, 2005

વૈદ્યનાથ (જ્યોતિર્લિંગ) : બિહારમાં સંથાલ પરગણામાં આ દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકીનું એક જ્યોતિર્લિંગ. 51 શક્તિપીઠોમાં પણ આ સ્થાનની ગણના છે. અહીં સતીનું હૃદય પડેલું હોવાનું મનાય છે. આ મહાદેવનું એક નામ દેવધર પણ છે. રાવણ દ્વારા લવાયેલ શિવલિંગ વૈદ્યનાથ મહાદેવના મંદિરમાં સ્થાપિત છે. આ મંદિરના પરિસરમાં બીજાં 21 મંદિરો આવેલાં છે…

વધુ વાંચો >

વૈદ્ય, પંડિત હરિપ્રપન્નજી શર્મા

Feb 28, 2005

વૈદ્ય, પંડિત હરિપ્રપન્નજી શર્મા : ભારતીય રસ-ઔષધીય શાખાના વિદ્વાન લેખક. બિહાર રાજ્યના ‘આરા’ ગામના નિવાસી પંડિત હરિપ્રપન્નજી શર્માજીએ સને 1927થી 1930ના સમયગાળા દરમિયાન આયુર્વેદમાં ‘રસશાસ્ત્ર’ (ઔષધ-પ્રકાર-ભેદ) વિષયના ‘રસયોગ સાગર’ નામના એક ઉત્તમ ગ્રંથની બે ભાગમાં રચના કરી છે. આ ગ્રંથનું પ્રકાશન મુંબઈના નિર્ણયસાગર પ્રેસે કરેલું. રસશાસ્ત્રના ઔષધિયોગોનો આ ગ્રંથમાં દરિયા…

વધુ વાંચો >

વૈદ્ય પ્રભાશંકર ગઢડાવાળા

Feb 28, 2005

વૈદ્ય પ્રભાશંકર ગઢડાવાળા (જ. 1883, ગઢડા, સૌરાષ્ટ્ર; અ. 16 ડિસેમ્બર 1956) : પ્રખ્યાત વૈદ્ય. સૌરાષ્ટ્રનાં નાનકડા ‘સ્વામીના ગઢડા’ ગામના પેઢી દર પેઢી જેમને ત્યાં વૈદું ઊતરી આવતું, તેવા વિપ્ર પરિવારના વૈદ્ય નાનભટ્ટ ગઢડાવાળાને ત્યાં પ્રભાશંકરનો જન્મ થયેલો. સમર્થ વૈદ્ય નાનભટ્ટના લાડલા પુત્ર પ્રભાશંકર 18 વર્ષની વય સુધી સાવ અભણ હતા.…

વધુ વાંચો >