૨૦.૨૩

વીમાવિજ્ઞાનથી વૂડવર્ડ, રૉબર્ટ બર્ન્સ

વીલૅન્ડ, હેન્રિક ઑટો

વીલૅન્ડ, હેન્રિક ઑટો (Wieland, Heinrich Otto) (જ. 4 જૂન 1877, ફોર્ઝહાઇમ, જર્મની; અ. 5 ઑગસ્ટ 1957, મ્યૂનિક) : પિત્તામ્લો (bile acids) અને સંબંધિત પદાર્થો પર અગત્યનું સંશોધન કરનાર 1927ના વર્ષ માટેના નોબેલ પુરસ્કારવિજેતા જર્મન રસાયણવિદ. તેમના પિતા ડૉ. થિયોડૉર વીલૅન્ડ એક ઔષધ-રસાયણજ્ઞ હતા. મ્યૂનિક, બર્લિન તથા સ્ટટ્ગાર્ટનાં વિશ્વવિદ્યાલયોમાં અભ્યાસ કર્યા…

વધુ વાંચો >

વીલ્કેસ, થૉમસ

વીલ્કેસ, થૉમસ (જ. આશરે 1575, બ્રિટન; અ. આશરે 1623, બ્રિટન) : બ્રિટિશ રેનેસાંસ-સંગીતકાર અને સ્વર-નિયોજક. ઑક્સફર્ડમાં અભ્યાસ કર્યા બાદ ચિચેસ્ટર ખાતે ઑર્ગનવાદકનું સ્થાન તેમણે ગ્રહણ કર્યું. તેમના ઉપર ઇટાલિયન સંગીતકાર અને સ્વરનિયોજક મારેન્ઝિયોની સ્પષ્ટ અસર છે. સોળમી સદીના બ્રિટનના તેઓ સૌથી વધુ પ્રયોગશીલ સંગીતકાર છે. તેમના સંગીતની નાટ્યાત્મકતાને કારણે તેમને…

વધુ વાંચો >

વી. શાંતારામ

વી. શાંતારામ (જ. 18 નવેમ્બર 1901, કોલ્હાપુર; અ. 27 ઑક્ટોબર 1990, મુંબઈ) : આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ભારતીય ચલચિત્ર-નિર્માતા, દિગ્દર્શક તથા અભિનેતા. વતન કોલ્હાપુર નજીકનું ગામડું, જ્યાં બાળપણ ગાળ્યું. તેમના દાદા કોલ્હાપુરની કોર્ટમાં વકીલાત કરતા હતા. પિતા રાજારામ શરૂઆતમાં નાટક કંપનીમાં અભિનેતા તરીકે જોડાયેલા. માતાનું નામ કમલ. પરિવારની અટક વણકુર્દે. શાંતારામ છ-સાત…

વધુ વાંચો >

વીસમી સદી

વીસમી સદી : ગુજરાતી ભાષાનું સૌપ્રથમ ચિત્રાત્મક અને લોકપ્રિય સાહિત્ય સામયિક. હાજી મહંમદ અલારખિયા શિવજી (1878-1921) દ્વારા 1916ની 1લી એપ્રિલે એ શરૂ કરવામાં આવ્યું. આ સામયિકે સાહિત્ય અને કળાનો યોગ સાધ્યો. સાહિત્યિક પત્રકારત્વની એક વિશિષ્ટ દિશા આ સામયિકના પ્રકાશનથી ગુજરાતમાં ઊઘડી હતી, કેમ કે, સાહિત્યિક ધોરણો સાથે બાંધછોડ કર્યા વિના…

વધુ વાંચો >

વીસલદેવ

વીસલદેવ (જ. ? ; અ. 1262) : અણહિલવાડ પાટણની ગાદીએ બેસનાર વાઘેલા-સોલંકી વંશનો પ્રથમ રાજવી. વીસલદેવના વંશના રાજાઓનું કુળ ચૌલુક્ય હતું, પરંતુ વીસલદેવના પૂર્વજો વ્યાઘ્રપલ્લી (વાઘેલા) ગામના નિવાસી હોવાથી ‘વાઘેલા’ તરીકે ઓળખાયા. ઈ. સ. 1238માં વીરધવલનું મૃત્યુ થતાં ધોળકાના રાણા તરીકેનો ઉત્તરાધિકાર વીસલદેવને મળ્યો. ઈ. સ. 1239 અને 1241ની વચ્ચે…

વધુ વાંચો >

વીળિનાથન્, રામસ્વામી

વીળિનાથન્, રામસ્વામી (જ. 15 મે 1920, વિષ્ણુપુરમ્, જિ. એન. કે. એમ., તામિલનાડુ) : તમિળ અને હિંદી અનુવાદક. રાષ્ટ્રભાષા-પ્રવીણ; વિદ્વાન. 1938-1943 દરમિયાન તેમણે હિંદી પ્રચારકાર્ય કર્યું અને હિંદીમાં અધ્યાપનકાર્ય કર્યું. 1943-45 દરમિયાન તેઓ ભારત સરકારના સુરક્ષા વિભાગમાં એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટર તરીકે રહ્યા. 32 વર્ષ સુધી તેમણે તમિળ અઠવાડિક ‘કલ્કિ’નું તથા તમિળ માસિક…

વધુ વાંચો >

વીંછી (scorpion)

વીંછી (scorpion) : પૂંછડીને છેડે આવેલ ડંખ(sting)થી અન્ય પ્રાણીઓના શરીરમાં વિષપ્રવેશ કરાવવાની ક્ષમતા ધરાવતું સંધિપાદ પ્રાણી. તેનો સમાવેશ અષ્ટપદી (arachnida) વર્ગના સ્કૉર્પિયોનિડા શ્રેણીમાં થાય છે. ભારતમાં જોવા મળતા મોટાભાગના વીંછીઓ બુથિડે કુળના છે. ભારતમાં સર્વત્ર દેખાતા વીંછીનું શાસ્ત્રીય નામ છે Buthus tamalus. (જુઓ આકૃતિ 1). તેના પ્રથમ ઉપાંગને પાદસ્પર્શક (pedipalp)…

વધુ વાંચો >

વીંછીકંટો (ઍકેલીફા)

વીંછીકંટો (ઍકેલીફા) : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા યુફોરબિયેસી કુળની શાકીય, ક્ષુપ કે વૃક્ષ-પ્રજાતિ. તેનું વિતરણ ઉષ્ણ અને ઉપોષ્ણ પ્રદેશોમાં થયેલું છે. કેટલીક જાતિઓ ઉદ્યાનોમાં તેના સુંદર પર્ણ-સમૂહ અને નિલંબ શૂકી (catkin) પ્રકારના પુષ્પવિન્યાસ માટે ઉગાડવામાં આવે છે અને ઓછી કાળજીએ થઈ શકે છે. ભારતમાં તેની 27 જેટલી જાતિઓ થાય છે,…

વધુ વાંચો >

વુએ, સિમોં

વુએ, સિમોં : ફ્રાંસનો પ્રથમ બરોક-ચિત્રકાર. ઇટાલીની બરોક-ચિત્રશૈલી ફ્રાંસમાં પ્રચલિત કરનાર. 1612થી 1627 દરમિયાન વુએ ઇટાલીમાં રહ્યો અને બરોક-ચિત્રશૈલી આત્મસાત્ કરી. ઇટાલીના રોમ નગરમાં શરૂઆતનાં વર્ષોમાં પ્રસિદ્ધ બરોક-ચિત્રકાર કારાવાજિયોનો એ શિષ્ય હતો. કારાવાજિયોની જેમ જ એના એ વખતનાં ચિત્રોમાં પણ અગ્રભૂમિકામાં રહેલી માનવ આકૃતિઓ ઉપર એક જ બિંદુએથી પડતો પ્રકાશ…

વધુ વાંચો >

વુ, તાઓ-સુઅન

વુ, તાઓ–સુઅન (જ. આશરે 700, ચીન; અ. આશરે 760, ચીન) : ચીની ચિત્રકાર. આઠમી સદી પછીના કલાવિવેચકોએ તાઓ-સુઅન વુનાં દંતકથા લાગે એટલાં બધાં વખાણ કર્યાં છે. તેમના જીવનની પ્રમાણભૂત માહિતી મળતી નથી. તેમણે મુખ્યત્વે બૌદ્ધ વિષયોને ચીતર્યા છે. તેમની પીંછીના લસરકા જોરદાર અભિવ્યક્તિને સ્ફુટ કરી શકવામાં સફળ ગણાયા છે. તાન્ગ…

વધુ વાંચો >

વીમાવિજ્ઞાન

Feb 23, 2005

વીમાવિજ્ઞાન : અકસ્માત કે મોટી દુર્ઘટનાથી વ્યક્તિ કે સંસ્થાને થતા આર્થિક નુકસાનનું વળતર મળી શકે તે પ્રકારની વ્યવસ્થાના પાયામાં રહેલા સિદ્ધાંતો. માનવજીવન અનેક જોખમોથી ભરેલું છે. જેમ જેમ આર્થિક વિકાસ થતો ગયો છે તેમ તેમ માનવી જોખમ અને જોખમથી થતા નાણાકીય નુકસાન પ્રત્યે સભાન બનતો ગયો છે. જોખમની વ્યાખ્યા એ…

વધુ વાંચો >

વીમો

Feb 23, 2005

વીમો : એક બાજુના પક્ષકારને જોખમમાંથી નુકસાન થાય તો તે પૈસાથી ભરપાઈ કરી આપવા માટે અગાઉથી અવેજમાં પ્રીમિયમનો સ્વીકાર કરીને અન્ય બાજુના પક્ષકારે આપેલી લેખિત ખાતરી. ઉત્ક્રાંતિકાળથી માણસજાત લડાઈ, રોગચાળો, આગ, પૂર, વાવાઝોડું અને ધરતીકંપથી જાન અને માલ અંગે અસુરક્ષા અનુભવે છે. તેની સામે રક્ષણકવચ તરીકે વીમાવ્યવસાયની શરૂઆત થઈ. ઈસુના…

વધુ વાંચો >

વીર

Feb 23, 2005

વીર : કૌલ સાધનામાં પ્રયત્નપૂર્વક મોહ કે માયાના પાશને છેદી નાખનાર સાધક. કૌલ સાધનામાં ત્રણ પ્રકારના સાધક અથવા અધિકારી ગણાય છે : દિવ્ય, વીર અને પશુ. ‘વીર’ મધ્યમ કોટિના અધિકારી છે. આત્મા અને પરમાત્મા અથવા જીવ અને બ્રહ્મના અદ્વૈતનો આછો આભાસ મેળવીને સાધના માર્ગમાં ઉત્સાહપૂર્વક મોહ-માયાના પાશને છેદી નાખનાર સાધકને…

વધુ વાંચો >

વીરજી

Feb 23, 2005

વીરજી (ઈ. સ. 1664માં હયાત) : મધ્યકાલીન ગુજરાતી કવિ. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં ઉપર્યુક્ત કવિ વીરજી ઉપરાંત એક વીરજી (મુનિ) નામના કવિ મળે છે, જે સત્તરમી સદીમાં થઈ ગયેલ પાર્શ્ર્વચંદ્રગચ્છના જૈન સાધુ છે. બીજા એક કવિ સંભવત: લૉંકાગચ્છીય જૈન કવિ છે. ઉપર્યુક્ત કવિ પ્રેમાનંદના સમકાલીન આખ્યાનકવિ હતા. તેઓ મોઢ ચતુર્વેદી બ્રાહ્મણ…

વધુ વાંચો >

વીરધવલ

Feb 23, 2005

વીરધવલ (જ. ?; અ. 1238) : પાટણના સોલંકીઓના સામંત અને ધોળકાના રાણા લવણપ્રસાદનો વીર પુત્ર. તે તેના પિતાની સાથે રહીને પરાક્રમો કરતો હતો. આ પિતાપુત્રની જોડી તેરમી સદીના પૂર્વાર્ધમાં એટલી પ્રબળ સત્તા ધરાવતી હતી કે લવણપ્રસાદે ધાર્યું હોત તો તે અણહિલવાડ પાટણની રાજગાદી મેળવી શક્યો હોત. લવણપ્રસાદ વયોવૃદ્ધ થયા ત્યારે…

વધુ વાંચો >

વીરન અળગુમુથુ (થેની)

Feb 23, 2005

વીરન અળગુમુથુ (થેની) : તામિલનાડુ રાજ્યનો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 9° 48´ ઉ. અ. અને 77° 20´ પૂ. રે. આજુબાજુનો 2,889 ચોકિમી. વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે મન્નાર થિરુમલાઈ (હવે ડિંડિગુલ), પૂર્વમાં મદુરાઈ, દક્ષિણે તથા પશ્ચિમમાં અનુક્રમે કામરાજર (હવે વિરુદુનગર) અને ઇદુક્કી (કેરળ) જિલ્લા આવેલા છે. અલ્લીનગરમ્ તેનું…

વધુ વાંચો >

વીર નર્મદ

Feb 23, 2005

વીર નર્મદ : ઈ. સ. 1933માં રચાયેલું નર્મદવિષયક જીવનચરિત્ર. એના લેખક છે વિશ્વનાથ મ. ભટ્ટ. નર્મદ જે જાતનું જીવન જીવી ગયા અને એમણે ગુજરાતની જે અનન્યભાવે સામાજિક, સાંસ્કૃતિક, સાહિત્યિક સેવા કરી એનું ટૂંકમાં પણ યથાર્થ દર્શન કરાવવાના હેતુથી ગુજરાત સાહિત્ય સભાએ નર્મદની પ્રથમ જન્મ શતાબ્દી પ્રસંગે વિશ્વનાથ મ. ભટ્ટ પાસે…

વધુ વાંચો >

વીરનિર્વાણ સંવત

Feb 23, 2005

વીરનિર્વાણ સંવત : જુઓ સંવત.

વધુ વાંચો >

વીરપુર

Feb 23, 2005

વીરપુર : સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લામાં આવેલું પ્રસિદ્ધ યાત્રાધામ. ભૌગોલિક સ્થાન : 21° 47´ ઉ. અ. અને 70° 42´ પૂ. રે.. તે રાજકોટથી 56 કિમી.ને અંતરે રાજકોટ-જૂનાગઢ રાષ્ટ્રીય ધોરી માર્ગ પર ગોંડળજે-તપુર વચ્ચે આવેલું છે. રેલમાર્ગે જેતપુર સ્ટેશને ઊતરીને ત્યાંથી રાજ્ય પરિવહનની બસ મારફતે જઈ શકાય છે. ખાનગી વાહન દ્વારા પણ…

વધુ વાંચો >

વીરપ્પન, કે. મુથુસ્વામી

Feb 23, 2005

વીરપ્પન, કે. મુથુસ્વામી (જ. 1952, ગોપીનાથમ્, કર્ણાટક; અ. 18 ઑક્ટોબર 2004, પપરાપત્તિ, ધરમપુરી, તામિલનાડુ) : જઘન્ય ગુનેગારી માટે ભારતભરમાં કુખ્યાત બનેલો અને જેને જીવતો અથવા મરેલો પકડવા માટે તામિલનાડુ અને કર્ણાટક રાજ્યોની સરકારો અને પોલીસે પુષ્કળ ભોગ આપેલો તે દંતકથારૂપ ડાકુ. તામિલનાડુ અને કર્ણાટક રાજ્યોનાં ગીચ જંગલોમાં અને અંશત: કેરળ…

વધુ વાંચો >