૨૦.૨૩

વીમાવિજ્ઞાનથી વૂડવર્ડ, રૉબર્ટ બર્ન્સ

વીમાવિજ્ઞાન

વીમાવિજ્ઞાન : અકસ્માત કે મોટી દુર્ઘટનાથી વ્યક્તિ કે સંસ્થાને થતા આર્થિક નુકસાનનું વળતર મળી શકે તે પ્રકારની વ્યવસ્થાના પાયામાં રહેલા સિદ્ધાંતો. માનવજીવન અનેક જોખમોથી ભરેલું છે. જેમ જેમ આર્થિક વિકાસ થતો ગયો છે તેમ તેમ માનવી જોખમ અને જોખમથી થતા નાણાકીય નુકસાન પ્રત્યે સભાન બનતો ગયો છે. જોખમની વ્યાખ્યા એ…

વધુ વાંચો >

વીમો

વીમો : એક બાજુના પક્ષકારને જોખમમાંથી નુકસાન થાય તો તે પૈસાથી ભરપાઈ કરી આપવા માટે અગાઉથી અવેજમાં પ્રીમિયમનો સ્વીકાર કરીને અન્ય બાજુના પક્ષકારે આપેલી લેખિત ખાતરી. ઉત્ક્રાંતિકાળથી માણસજાત લડાઈ, રોગચાળો, આગ, પૂર, વાવાઝોડું અને ધરતીકંપથી જાન અને માલ અંગે અસુરક્ષા અનુભવે છે. તેની સામે રક્ષણકવચ તરીકે વીમાવ્યવસાયની શરૂઆત થઈ. ઈસુના…

વધુ વાંચો >

વીર

વીર : કૌલ સાધનામાં પ્રયત્નપૂર્વક મોહ કે માયાના પાશને છેદી નાખનાર સાધક. કૌલ સાધનામાં ત્રણ પ્રકારના સાધક અથવા અધિકારી ગણાય છે : દિવ્ય, વીર અને પશુ. ‘વીર’ મધ્યમ કોટિના અધિકારી છે. આત્મા અને પરમાત્મા અથવા જીવ અને બ્રહ્મના અદ્વૈતનો આછો આભાસ મેળવીને સાધના માર્ગમાં ઉત્સાહપૂર્વક મોહ-માયાના પાશને છેદી નાખનાર સાધકને…

વધુ વાંચો >

વીરજી

વીરજી (ઈ. સ. 1664માં હયાત) : મધ્યકાલીન ગુજરાતી કવિ. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં ઉપર્યુક્ત કવિ વીરજી ઉપરાંત એક વીરજી (મુનિ) નામના કવિ મળે છે, જે સત્તરમી સદીમાં થઈ ગયેલ પાર્શ્ર્વચંદ્રગચ્છના જૈન સાધુ છે. બીજા એક કવિ સંભવત: લૉંકાગચ્છીય જૈન કવિ છે. ઉપર્યુક્ત કવિ પ્રેમાનંદના સમકાલીન આખ્યાનકવિ હતા. તેઓ મોઢ ચતુર્વેદી બ્રાહ્મણ…

વધુ વાંચો >

વીરધવલ

વીરધવલ (જ. ?; અ. 1238) : પાટણના સોલંકીઓના સામંત અને ધોળકાના રાણા લવણપ્રસાદનો વીર પુત્ર. તે તેના પિતાની સાથે રહીને પરાક્રમો કરતો હતો. આ પિતાપુત્રની જોડી તેરમી સદીના પૂર્વાર્ધમાં એટલી પ્રબળ સત્તા ધરાવતી હતી કે લવણપ્રસાદે ધાર્યું હોત તો તે અણહિલવાડ પાટણની રાજગાદી મેળવી શક્યો હોત. લવણપ્રસાદ વયોવૃદ્ધ થયા ત્યારે…

વધુ વાંચો >

વીરન અળગુમુથુ (થેની)

વીરન અળગુમુથુ (થેની) : તામિલનાડુ રાજ્યનો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 9° 48´ ઉ. અ. અને 77° 20´ પૂ. રે. આજુબાજુનો 2,889 ચોકિમી. વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે મન્નાર થિરુમલાઈ (હવે ડિંડિગુલ), પૂર્વમાં મદુરાઈ, દક્ષિણે તથા પશ્ચિમમાં અનુક્રમે કામરાજર (હવે વિરુદુનગર) અને ઇદુક્કી (કેરળ) જિલ્લા આવેલા છે. અલ્લીનગરમ્ તેનું…

વધુ વાંચો >

વીર નર્મદ

વીર નર્મદ : ઈ. સ. 1933માં રચાયેલું નર્મદવિષયક જીવનચરિત્ર. એના લેખક છે વિશ્વનાથ મ. ભટ્ટ. નર્મદ જે જાતનું જીવન જીવી ગયા અને એમણે ગુજરાતની જે અનન્યભાવે સામાજિક, સાંસ્કૃતિક, સાહિત્યિક સેવા કરી એનું ટૂંકમાં પણ યથાર્થ દર્શન કરાવવાના હેતુથી ગુજરાત સાહિત્ય સભાએ નર્મદની પ્રથમ જન્મ શતાબ્દી પ્રસંગે વિશ્વનાથ મ. ભટ્ટ પાસે…

વધુ વાંચો >

વીરનિર્વાણ સંવત

વીરનિર્વાણ સંવત : જુઓ સંવત.

વધુ વાંચો >

વીરપુર

વીરપુર : સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લામાં આવેલું પ્રસિદ્ધ યાત્રાધામ. ભૌગોલિક સ્થાન : 21° 47´ ઉ. અ. અને 70° 42´ પૂ. રે.. તે રાજકોટથી 56 કિમી.ને અંતરે રાજકોટ-જૂનાગઢ રાષ્ટ્રીય ધોરી માર્ગ પર ગોંડળજે-તપુર વચ્ચે આવેલું છે. રેલમાર્ગે જેતપુર સ્ટેશને ઊતરીને ત્યાંથી રાજ્ય પરિવહનની બસ મારફતે જઈ શકાય છે. ખાનગી વાહન દ્વારા પણ…

વધુ વાંચો >

વીરપ્પન, કે. મુથુસ્વામી

વીરપ્પન, કે. મુથુસ્વામી (જ. 1952, ગોપીનાથમ્, કર્ણાટક; અ. 18 ઑક્ટોબર 2004, પપરાપત્તિ, ધરમપુરી, તામિલનાડુ) : જઘન્ય ગુનેગારી માટે ભારતભરમાં કુખ્યાત બનેલો અને જેને જીવતો અથવા મરેલો પકડવા માટે તામિલનાડુ અને કર્ણાટક રાજ્યોની સરકારો અને પોલીસે પુષ્કળ ભોગ આપેલો તે દંતકથારૂપ ડાકુ. તામિલનાડુ અને કર્ણાટક રાજ્યોનાં ગીચ જંગલોમાં અને અંશત: કેરળ…

વધુ વાંચો >

વીરરાજુ, શીલ

Feb 23, 2005

વીરરાજુ, શીલ (જ. 22 એપ્રિલ 1939, રાજમુંદ્રી, જિ. પૂર્વ ગોદાવરી, આંધ્રપ્રદેશ) : તેલુગુ કવિ અને લેખક. બી.એ.ની પદવી મેળવ્યા પછી તેઓ અનુવાદક તરીકે રાજ્યની સરકારી સેવામાં જોડાયા. તેમાંથી સેવાનિવૃત્ત થયા બાદ લેખનકાર્ય અને ચિત્રકામ-પ્રવૃત્તિ શરૂ કરી. તેમણે 20 ગ્રંથો આપ્યા છે. તેમના ઉલ્લેખનીય વાર્તાસંગ્રહોમાં ‘સમાધિ’ (1959); ‘માબ્બુ તેરાલુ’ (1959); ‘પગા…

વધુ વાંચો >

વીરશૈવ દર્શન

Feb 23, 2005

વીરશૈવ દર્શન : દક્ષિણમાં કલ્યાણના રાજા બિજ્જલ કે વિજ્જલ(ઈ. સ. 1157-1167)ના મંત્રી આચાર્ય બસવે સ્થાપેલ સંપ્રદાય જે લિંગાયતને નામે પ્રસિદ્ધ થયેલો તેનું ‘શક્તિવિશિષ્ટાદ્વૈત’ દર્શન. આચાર્ય બસવ અને તેમના સમકાલીન રામય્યા તેમજ બીજા આચાર્યોએ વીરશૈવ સંપ્રદાયના વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો હતો. બસવે આ સંપ્રદાયના આચાર અને સિદ્ધાંતને વ્યવસ્થિત સ્વરૂપ આપી એના…

વધુ વાંચો >

વીરસિંહ

Feb 23, 2005

વીરસિંહ : મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો નરસિંહનો ઉત્તર-સમકાલીન કવિ. એની પાસેથી એકમાત્ર કૃતિ પ્રાપ્ત થાય છે તે ‘ઉષાહરણ’. આ કૃતિમાં પાંચેક સ્થળે ‘વરસંગ’ એવો ઉલ્લેખ આવે છે. આ સિવાય કૃતિમાં કે અન્યત્ર એના વિશે કોઈ માહિતી પ્રાપ્ત થતી નથી. ‘ઉષાહરણ’ની જૂનામાં જૂની હસ્તપ્રત ઈ. 1513ની પ્રાપ્ત થાય છે. એનો અર્થ એવો…

વધુ વાંચો >

વીરસેન

Feb 23, 2005

વીરસેન : અપભ્રંશના મહાન લેખક. તેઓ દિગંબર આચાર્ય હોવા છતાં શ્વેતામ્બરોના મહાગ્રંથોના પણ નિષ્ણાત અભ્યાસુ હતા. ‘છક્ખંડાગમ’- (ષટ્ખંડાગમ)ને ‘ખંડસિદ્ધાન્ત’ કે ‘ષડ્ખંડસિદ્ધાંત’ પણ કહે છે. આ જૈનશાસ્ત્રનો અતિમહત્વપૂર્ણ ગ્રંથ છે. તેના ઉપરની સૌથી વધારે મહત્વપૂર્ણ ટીકા ‘ધવલા’ની રચના વીરસેને કરેલી. આ ટીકાના મહત્વને કારણે જ આ સમગ્ર ગ્રંથ ‘ધવલસિદ્ધાંત’ નામથી પણ…

વધુ વાંચો >

વીરસેન

Feb 23, 2005

વીરસેન : મથુરાનો નાગવંશી રાજા (ઈ. સ.ની ત્રીજી કે ચોથી સદી). મથુરાને રાજધાની બનાવી તેણે પશ્ચિમી ઉત્તર પ્રદેશ ઉપર શાસન કર્યું હતું. કુષાણોની સત્તા નબળી પડતાં વીરસેનનો ઉદય થયો હતો. પૌરાણિક પરંપરા, સિક્કા અને લેખિત પુરાવાઓના આધારે માહિતી મળે છે કે નાગ લોકો અનાર્ય હતા અને ઈ.સ.ની ત્રીજી અને ચોથી…

વધુ વાંચો >

વીરાણી, બરકતઅલી ગુલામહુસેન

Feb 23, 2005

વીરાણી, બરકતઅલી ગુલામહુસેન : જુઓ ‘બેફામ’.

વધુ વાંચો >

વીરાસામી, વી.

Feb 23, 2005

વીરાસામી, વી. (જ. 1 ફેબ્રુઆરી 1931, ધારપુરમ્, જિ. પરિયર, તામિલનાડુ) : તમિળ પંડિત. તેમણે મદ્રાસ યુનિવર્સિટીમાંથી એમ.એ. અને કેરળ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી મેળવી. ત્યારબાદ ભારતીદાસન્ યુનિવર્સિટીના ભારતીદાસન્ એડવાન્સ્ડ રિસર્ચ સેન્ટરના પ્રાધ્યાપક અને વડા તરીકે અધ્યાપનકાર્ય કર્યું. તેઓ 1988-92 દરમિયાન તમિળ સાહિત્ય અકાદમી, નવી દિલ્હીના સલાહકાર બૉર્ડના સભ્ય અને 1994માં જ્ઞાનપીઠ…

વધુ વાંચો >

વીરેન્દ્રનાથ, યેન્દામુરી

Feb 23, 2005

વીરેન્દ્રનાથ, યેન્દામુરી (જ. 1948, કાકિનાડા, જિ. પૂર્વ ગોદાવરી, આંધ્ર) : તેલુગુ નવલકથાકાર અને નાટ્યકાર. તેમણે બકના અધિકારી તરીકે કામગીરી કરવાની સાથોસાથ લેખનકાર્ય કર્યું. તેમણે અત્યાર સુધીમાં 8 નવલકથાઓ, 4 નાટ્યસંગ્રહો અને 4 નાટિકાસંગ્રહો આપ્યાં છે. તેમની નવલકથાઓમાં ‘તુલસી ડાલમ’ (1981); ‘ડબ્બુ ડબ્બુ ડબ્બુ’; ‘ચેંગલ્વા પુડન્ડા’; ‘અભિલાષા’; ‘નિસ્સાબ્દમ્ નીકુ નાકુ મધ્ય’;…

વધુ વાંચો >

વીરેશલિંગમ્, કુંદાકારી

Feb 23, 2005

વીરેશલિંગમ્, કુંદાકારી (જ. 1848, રાજમુંદ્રી, આંધ્રપ્રદેશ; અ. 1919) : તેલુગુ કવિ, નાટ્યકાર, નવલકથાકાર અને વિવેચક. બાળપણમાં પિતા ગુમાવ્યા તેથી કાકાએ તેમનો ઉછેર કર્યો. 1870માં તેમણે યુનિવર્સિટી એન્ટ્રન્સ પરીક્ષા પાસ કરી અને વતનની સરકારી જિલ્લા હાઈસ્કૂલમાં શિક્ષક બન્યા. પછી કોરંગી અને ધવલેશ્વરમ્ ખાતે હેડમાસ્તર તરીકે ફરજ બજાવી. નાની વયે સાહિત્ય માટેની…

વધુ વાંચો >

વીલ, હરમાન

Feb 23, 2005

વીલ, હરમાન (જ. 9 નવેમ્બર 1885, ઍલ્મ્શૉર્ન, હેમ્બર્ગ પાસે; અ. 8 ડિસેમ્બર 1955, ઝુરિક) : વિવિધ અને વિસ્તૃત ફાળા દ્વારા શુદ્ધ તથા સૈદ્ધાંતિક ગણિતશાસ્ત્ર વચ્ચે સેતુ તૈયાર કરનાર જર્મન અમેરિકન ગણિતશાસ્ત્રી. ખાસ કરીને તેમણે ક્વૉન્ટમ યાંત્રિકી અને સાપેક્ષવાદના ક્ષેત્રે મહત્વનો ફાળો આપ્યો છે. ગોટિંગન યુનિવર્સિટીમાંથી 1908માં તેઓ સ્નાતક થયા. તે…

વધુ વાંચો >