૨૦.૦૪

વિચારવાદ (વિજ્ઞાનવાદ, ચૈતન્યવાદ Idealism)થી વિજ્ઞાન અને ટેક્નૉલોજીનો વિકાસ

વિચારવાદ (વિજ્ઞાનવાદ, ચૈતન્યવાદ  Idealism)

વિચારવાદ (વિજ્ઞાનવાદ, ચૈતન્યવાદ  Idealism) : જ્ઞાનવિષયક અને તત્વવિષયક વિચારણાને લગતી વિભાવનાની સાંગોપાંગ ચર્ચા. પ્રારંભિક : Idealism શબ્દનો અહીં આદર્શવાદ એવો અર્થ થતો નથી, કારણ કે અહીં સામાજિક, નૈતિક કે રાજકીય કે ધાર્મિક idealsની – આદર્શોની રજૂઆત અપેક્ષિત નથી. અહીં જ્ઞાનવિષયક અને તત્વવિષયક (metaphysical) વિચારણા રજૂ થઈ છે અને તે સંદર્ભમાં…

વધુ વાંચો >

વિચિત્રવીર્ય

વિચિત્રવીર્ય : ચંદ્રવંશીના રાજા શાંતનુના સત્યવતીના ગર્ભથી પેદા થયેલ બે પુત્રો – ચિત્રાંગદ અને વિચિત્રવીર્ય. આમાંના ચિત્રાંગદને એક ગંધર્વ સાથે યુદ્ધ થતાં એનું મૃત્યુ થયું. શાંતનુનું અવસાન થતાં ભીષ્મે વિચિત્રવીર્યને રાજગાદી પર બેસાડ્યો. ભીષ્મ વિચિત્રવીર્ય માટે કાશીરાજની ત્રણ કન્યાઓ – અંબા, અંબિકા અને અંબાલિકાને જીતીને લઈ આવ્યા. આમાં અંબાએ પહેલેથી…

વધુ વાંચો >

વિચિત્રોતકી (chimera)

વિચિત્રોતકી (chimera) : એકથી વધારે યુગ્મનજ(zygote)માંથી ઉત્પન્ન થયેલ અથવા જનીનિક રીતે (genetically) અલગ વનસ્પતિ અથવા પ્રાણી. પ્રાણીઓ : જોકે કેટલાંક વિચિત્રોતકી કુદરતી રીતે ઉત્પન્ન થાય છે, છતાં મોટાભાગનાં પ્રાયોગિક રીતે ઉત્પન્ન કરવામાં આવે છે; જેમાં કાં તો જુદા જુદા પૂર્વ ભ્રૂણ(preembryo)ના કોષોનું મિશ્રણ કરવામાં આવે છે અથવા પક્વ ભ્રૂણ કે…

વધુ વાંચો >

વિચ્છિન્ન વ્યક્તિત્વ

વિચ્છિન્ન વ્યક્તિત્વ : જુઓ મનશ્ચિકિત્સાવિદ્યા.

વધુ વાંચો >

વિચ્છેદન (amputation)

વિચ્છેદન (amputation) : શરીરના અંગ(હાથ કે પગ)ને પૂરેપૂરો કે તેનો કોઈ ભાગ ઈજાને કારણે કે શસ્ત્રક્રિયા વડે કપાઈને દૂર થવો તે. તેને અંગોચ્છેદન અથવા અંગવિચ્છેદન (amputation) પણ કહે છે. સારવારની એક પદ્ધતિ રૂપે તે ઘણા પુરાણા કાળથી ઉપયોગમાં છે; પરંતુ સારવાર તથા ચેપના પૂર્વનિવારણ(prevention)ની આધુનિક અને સુચારુ (sophasticated) પદ્ધતિઓના વિકાસને…

વધુ વાંચો >

વિજન્યુતા (apogamy)

વિજન્યુતા (apogamy) : જન્યુઓ(gametes)ના યુગ્મન સિવાય જન્યુજનક(gametophyte)ના વાનસ્પતિક કોષોમાંથી બીજાણુજનક-(sporophyte)નું સીધેસીધું નિર્માણ. ભ્રૂણધારી (embryophyta) વિભાગની વનસ્પતિના સામાન્ય જીવનચક્રમાં બે એકાંતરે ગોઠવાયેલી અવસ્થાઓ જોવા મળે છે. આ અવસ્થાઓમાં દ્વિગુણિત (diploid) બીજાણુજનક અને એકગુણિત જન્યુજનકનો સમાવેશ થાય છે. આ એકાંતરણ યુગ્મન અને અર્ધસૂત્રીભાજન નામની બે મહત્વની પ્રક્રિયાઓ દ્વારા થાય છે. રંગસૂત્રોની સંખ્યાનું…

વધુ વાંચો >

વિજય

વિજય : નિર્ણાયક યુદ્ધમાં શત્રુપક્ષને સંપૂર્ણપણે પરાસ્ત કરવા પાછળનો મુખ્ય હેતુ. કેટલાંક યુદ્ધો એવાં હોય છે કે જેમાં કોઈ નિર્ણાયક પરિણામ આવતાં પહેલાં જ બંને પક્ષોની સમજૂતીથી યુદ્ધનો અંત લાવવામાં આવે છે અને તેમાં વિજય કે પરાજયની બાબત અનિર્ણીત રહે છે. આ પરિસ્થિતિ મહદ્અંશે યુદ્ધ-તહકૂબી અથવા યુદ્ધબંધી માટેના લિખિત અથવા…

વધુ વાંચો >

વિજયનગરમ્ (Vizianagaram)

વિજયનગરમ્ (Vizianagaram) : આંધ્રપ્રદેશ રાજ્યના ઈશાન ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે આશરે 17° 50´થી 19° 15´ ઉ. અ. અને 83°થી 83° 45´ પૂ. રે. વચ્ચેનો 6,539 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની પૂર્વમાં શ્રીકાકુલમ્ જિલ્લો, દક્ષિણ અને પશ્ચિમમાં વિશાખાપટનમ્ જિલ્લો, અગ્નિ…

વધુ વાંચો >

વિજયનગર સામ્રાજ્ય

વિજયનગર સામ્રાજ્ય ઈસુની ચૌદમી સદીના પૂર્વાર્ધમાં દક્ષિણ ભારતમાં, માધવ વિદ્યારણ્ય નામના વિદ્વાન સંન્યાસીની પ્રેરણાથી, પરધર્મીઓની ધૂંસરીમાંથી દેશને મુક્ત કરવા, હરિહર અને બુક્ક નામના ભાઈઓએ સ્થાપેલું હિંદુ રાજ્ય. દિલ્હીના સુલતાન મોહમ્મદ તુગલુક વતી ગુંદી પ્રદેશના વહીવટદાર હરિહરનો રાજ્યાભિષેક ઈ. સ. 1336માં કરી, તે જ દિવસે તુંગભદ્રા નદીને કિનારે તથા ગુંદી(હૈદરાબાદ રાજ્યમાં…

વધુ વાંચો >

વિજયન્, એ.

વિજયન્, એ. (જ. 22 ફેબ્રુઆરી 1944, ચૂલુર, કોળિકોડ, કેરળ) : મલયાળમ બાલસાહિત્યના લેખક. તેમણે કોળિકોડમાં સરકારી હાઈસ્કૂલમાં હેડમાસ્તર તરીકે કામગીરી કરી. તેમણે 18 ગ્રંથો આપ્યા છે. તેમનાં બાળકો માટેના ઉલ્લેખનીય વાર્તાસંગ્રહોમાં ‘રન્ડુ મુઘન્ગલ’ (1972); પટ્ટમ્ પરપ્પિકન્ના કુરંગન્ (1983), ‘કથામાધુરી’(1985)નો સમાવેશ થાય છે; જ્યારે ‘પૂતિરી’ (1975), ‘માઝાવિલ્લુ’ (1985) તેમના કાવ્યસંગ્રહો છે…

વધુ વાંચો >

વિજયાકુમારી, ડી. એલ. (શ્રીમતી)

Feb 4, 2005

વિજયાકુમારી, ડી. એલ. (શ્રીમતી) (જ. 14 ઑક્ટોબર 1952, યેલન્દુર, જિ. મૈસૂર, કર્ણાટક) : કન્નડ કવયિત્રી અને લેખિકા. તેઓ ઘણી સાહિત્યિક અને સાંસ્કૃતિક સંસ્થાઓ સાથે સંકળાયેલાં રહ્યાં છે. તેમણે અત્યાર સુધીમાં 12 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘અંતરંગદા મૃદંગ’ (1989); ‘ઓલારાગ’ (1991); ‘બડુકિના બન્નાગલુ’ (1993); ‘શિશુગણ’ (1993) તેમના લોકપ્રિય કાવ્યસંગ્રહો છે. ‘બંડનાડ…

વધુ વાંચો >

વિજયાદિત્ય

Feb 4, 2005

વિજયાદિત્ય (શાસનકાળ ઈ. સ. 696-733) : ચાલુક્ય વંશનો રાજા અને વિનયાદિત્યનો પુત્ર. વિનયાદિત્યના અવસાન પછી તે ગાદીએ બેઠો. તે ‘સત્યાશ્રય’, ‘સમસ્તભુવનાશ્રય’ અને ‘શ્રીપૃથ્વીવલ્લભ’ ઉપરાંત તેના પિતા અને પિતામહના શાહી ખિતાબો ધરાવતો હતો. તેનો શાસનકાળ ઘણુંખરું શાંતિનો સમય હતો; પરંતુ પલ્લવો સાથે તેને સંઘર્ષ થયો હતો. તેમાં ઘણુંખરું તે આક્રમક હતો.…

વધુ વાંચો >

વિજયાપુરી

Feb 4, 2005

વિજયાપુરી : આંધ્રપ્રદેશના નાલગોન્ડા જિલ્લામાં આવેલું પ્રવાસ-મથક. ભૌગોલિક સ્થાન : નદીમનુર તાલુકાનું મહત્વનું ગણાતું આ નગર 16° 52´ ઉ. અ. અને 79° 35´ પૂ. રે. પર આવેલું છે. વિજયાપુરીથી ઉત્તરે વહેતી કૃષ્ણા નદીની ઉત્તર તરફ નાગાર્જુનસાગર બંધ(જળાશય)નું નિર્માણ કરવામાં આવેલું છે. બંધ અહીંથી નજીક આવેલો હોવાથી તેને નિહાળવા અનેક પ્રવાસીઓની…

વધુ વાંચો >

વિજયાલક્ષ્મી (શ્રીમતી)

Feb 4, 2005

વિજયાલક્ષ્મી (શ્રીમતી) (જ. 2 ઑગસ્ટ 1960; એર્નાકૂલમ, કેરળ) : મલયાળમ ભાષાનાં કવયિત્રી. તેમણે કેરળ યુનિવર્સિટીમાંથી મલયાળમમાં 1980માં બી.એસસી. અને 1982માં એમ.એ.ની પદવી મેળવી. પછી તેઓ ભારતીય દૂરદર્શન ખાતાની સેવામાં જોડાયાં. તેઓ કેરળ સાહિત્ય અકાદમીનાં સભ્ય છે. તેમના 2 કાવ્યસંગ્રહો – ‘મૃગશિક્ષકાન’ (1992) અને ‘થેચાન્ટે મકલ’ (1994) ખૂબ નોંધપાત્ર છે. તેમને…

વધુ વાંચો >

વિજયા સુબ્બારાજ (શ્રીમતી)

Feb 4, 2005

વિજયા સુબ્બારાજ (શ્રીમતી) (જ. 20 એપ્રિલ 1947, બૅંગલોર, કર્ણાટક) : કન્નડ લેખિકા. તેમણે કન્નડમાં એમ.એ. અને પીએચ.ડી.ની ડિગ્રી મેળવ્યા પછી અંગ્રેજીમાં એમ.એ., એલએલ.બી. અને ફ્રેંચમાં ડિપ્લોમા અને ‘સાહિત્યરત્ન’(પ્રયાગ)ની પદવી પ્રાપ્ત કરી. પછી બૅંગલોરની કૉલેજ ઑવ્ આર્ટ્સ, સાયન્સ ઍન્ડ કૉમર્સમાં કન્નડનાં પ્રાધ્યાપિકા રહ્યાં. ‘કન્નડ નુડી નાયક’ સાહિત્યિક સામયિકનાં સંપાદિકા તથા કર્ણાટક…

વધુ વાંચો >

વિજાપુર

Feb 4, 2005

વિજાપુર : મહેસાણા જિલ્લાનો તાલુકો તથા તે જ નામ ધરાવતું તાલુકામથક. ભૌગોલિક સ્થાન : તે 23° 34´ ઉ. અ. અને 72° 45´ પૂ. રે.ની આજુબાજુનો 943.8 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે ખેરાળુ તાલુકો, પૂર્વ તરફ સાબરમતી નદી અને સાબરકાંઠા જિલ્લો, દક્ષિણે કલોલ તાલુકો તથા પશ્ચિમ તરફ વિસનગર અને…

વધુ વાંચો >

વિજિતાશ્વ

Feb 4, 2005

વિજિતાશ્વ : પૃથુ અને અર્ચિનો પુત્ર એક રાજા, જેને 100 અશ્વમેધ યજ્ઞ કરીને ઇંદ્રનું પદ મેળવવાની ઝંખના હતી. 99 યજ્ઞો નિર્વિઘ્ને સંપન્ન થયા હતા. સોમા યજ્ઞના ઘોડાને ઇંદ્રે છળથી પકડી લીધો, જેને કારણે રાજા સાથે યુદ્ધ થયું જેમાં ઇંદ્ર પરાજિત થયો. તેથી આ રાજાનું નામ વિજિતાશ્વ પડી ગયું. ઇંદ્રે રાજાને…

વધુ વાંચો >

વિજ્ઞાન અને ઔદ્યોગિક વિકાસ (Science and Industrial Development)

Feb 4, 2005

વિજ્ઞાન અને ઔદ્યોગિક વિકાસ (Science and Industrial Development) : વિજ્ઞાન એટલે કોઈ પણ પ્રક્રિયાને (કે પ્રશ્ર્નને) ચોતરફથી તેની સમગ્રતયામાં સમજવી/જાણવી. કુદરતી ક્રિયાઓનું કારણ (રહસ્ય) સમજવું, પણ કશું અધ્ધરતાલ માની લેવું નહિ તે વિજ્ઞાનનું હાર્દ છે. વિજ્ઞાન દ્વારા પ્રક્રિયાઓ સમજી જે સિદ્ધાંતો ઊભા થાય તેમના જ્ઞાનનો નવી ભૌતિક વસ્તુઓના ઉત્પાદનમાં ઉપયોગ…

વધુ વાંચો >

વિજ્ઞાન અને ટેક્નૉલૉજીનો વિકાસ

Feb 4, 2005

વિજ્ઞાન અને ટેક્નૉલૉજીનો વિકાસ : એક સમયે કાર્ય કરવા માટે સ્નાયુબળનો ઉપયોગ કરવો પડતો હતો. ત્યારબાદ હસ્તપ્રયોગી કૌશલ્યનો વારો આવ્યો અને અત્યારે તે માટે બુદ્ધિ-શક્તિના પ્રયોજનનો સમય ચાલી રહ્યો છે. પંક્તિઓ વચ્ચે વાંચતાં વિજ્ઞાન અને ટેક્નૉલૉજી આધારિત વિકાસના ઇતિહાસની ઝલક મળી રહે છે. આજે એક તરફ થોડાક લોકોને માટે મૂડીનું…

વધુ વાંચો >