૨૦.૦૪

વિચારવાદ (વિજ્ઞાનવાદ, ચૈતન્યવાદ Idealism)થી વિજ્ઞાન અને ટેક્નૉલોજીનો વિકાસ

વિચારવાદ (વિજ્ઞાનવાદ, ચૈતન્યવાદ  Idealism)

વિચારવાદ (વિજ્ઞાનવાદ, ચૈતન્યવાદ  Idealism) : જ્ઞાનવિષયક અને તત્વવિષયક વિચારણાને લગતી વિભાવનાની સાંગોપાંગ ચર્ચા. પ્રારંભિક : Idealism શબ્દનો અહીં આદર્શવાદ એવો અર્થ થતો નથી, કારણ કે અહીં સામાજિક, નૈતિક કે રાજકીય કે ધાર્મિક idealsની – આદર્શોની રજૂઆત અપેક્ષિત નથી. અહીં જ્ઞાનવિષયક અને તત્વવિષયક (metaphysical) વિચારણા રજૂ થઈ છે અને તે સંદર્ભમાં…

વધુ વાંચો >

વિચિત્રવીર્ય

વિચિત્રવીર્ય : ચંદ્રવંશીના રાજા શાંતનુના સત્યવતીના ગર્ભથી પેદા થયેલ બે પુત્રો – ચિત્રાંગદ અને વિચિત્રવીર્ય. આમાંના ચિત્રાંગદને એક ગંધર્વ સાથે યુદ્ધ થતાં એનું મૃત્યુ થયું. શાંતનુનું અવસાન થતાં ભીષ્મે વિચિત્રવીર્યને રાજગાદી પર બેસાડ્યો. ભીષ્મ વિચિત્રવીર્ય માટે કાશીરાજની ત્રણ કન્યાઓ – અંબા, અંબિકા અને અંબાલિકાને જીતીને લઈ આવ્યા. આમાં અંબાએ પહેલેથી…

વધુ વાંચો >

વિચિત્રોતકી (chimera)

વિચિત્રોતકી (chimera) : એકથી વધારે યુગ્મનજ(zygote)માંથી ઉત્પન્ન થયેલ અથવા જનીનિક રીતે (genetically) અલગ વનસ્પતિ અથવા પ્રાણી. પ્રાણીઓ : જોકે કેટલાંક વિચિત્રોતકી કુદરતી રીતે ઉત્પન્ન થાય છે, છતાં મોટાભાગનાં પ્રાયોગિક રીતે ઉત્પન્ન કરવામાં આવે છે; જેમાં કાં તો જુદા જુદા પૂર્વ ભ્રૂણ(preembryo)ના કોષોનું મિશ્રણ કરવામાં આવે છે અથવા પક્વ ભ્રૂણ કે…

વધુ વાંચો >

વિચ્છિન્ન વ્યક્તિત્વ

વિચ્છિન્ન વ્યક્તિત્વ : જુઓ મનશ્ચિકિત્સાવિદ્યા.

વધુ વાંચો >

વિચ્છેદન (amputation)

વિચ્છેદન (amputation) : શરીરના અંગ(હાથ કે પગ)ને પૂરેપૂરો કે તેનો કોઈ ભાગ ઈજાને કારણે કે શસ્ત્રક્રિયા વડે કપાઈને દૂર થવો તે. તેને અંગોચ્છેદન અથવા અંગવિચ્છેદન (amputation) પણ કહે છે. સારવારની એક પદ્ધતિ રૂપે તે ઘણા પુરાણા કાળથી ઉપયોગમાં છે; પરંતુ સારવાર તથા ચેપના પૂર્વનિવારણ(prevention)ની આધુનિક અને સુચારુ (sophasticated) પદ્ધતિઓના વિકાસને…

વધુ વાંચો >

વિજન્યુતા (apogamy)

વિજન્યુતા (apogamy) : જન્યુઓ(gametes)ના યુગ્મન સિવાય જન્યુજનક(gametophyte)ના વાનસ્પતિક કોષોમાંથી બીજાણુજનક-(sporophyte)નું સીધેસીધું નિર્માણ. ભ્રૂણધારી (embryophyta) વિભાગની વનસ્પતિના સામાન્ય જીવનચક્રમાં બે એકાંતરે ગોઠવાયેલી અવસ્થાઓ જોવા મળે છે. આ અવસ્થાઓમાં દ્વિગુણિત (diploid) બીજાણુજનક અને એકગુણિત જન્યુજનકનો સમાવેશ થાય છે. આ એકાંતરણ યુગ્મન અને અર્ધસૂત્રીભાજન નામની બે મહત્વની પ્રક્રિયાઓ દ્વારા થાય છે. રંગસૂત્રોની સંખ્યાનું…

વધુ વાંચો >

વિજય

વિજય : નિર્ણાયક યુદ્ધમાં શત્રુપક્ષને સંપૂર્ણપણે પરાસ્ત કરવા પાછળનો મુખ્ય હેતુ. કેટલાંક યુદ્ધો એવાં હોય છે કે જેમાં કોઈ નિર્ણાયક પરિણામ આવતાં પહેલાં જ બંને પક્ષોની સમજૂતીથી યુદ્ધનો અંત લાવવામાં આવે છે અને તેમાં વિજય કે પરાજયની બાબત અનિર્ણીત રહે છે. આ પરિસ્થિતિ મહદ્અંશે યુદ્ધ-તહકૂબી અથવા યુદ્ધબંધી માટેના લિખિત અથવા…

વધુ વાંચો >

વિજયનગરમ્ (Vizianagaram)

વિજયનગરમ્ (Vizianagaram) : આંધ્રપ્રદેશ રાજ્યના ઈશાન ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે આશરે 17° 50´થી 19° 15´ ઉ. અ. અને 83°થી 83° 45´ પૂ. રે. વચ્ચેનો 6,539 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની પૂર્વમાં શ્રીકાકુલમ્ જિલ્લો, દક્ષિણ અને પશ્ચિમમાં વિશાખાપટનમ્ જિલ્લો, અગ્નિ…

વધુ વાંચો >

વિજયનગર સામ્રાજ્ય

વિજયનગર સામ્રાજ્ય ઈસુની ચૌદમી સદીના પૂર્વાર્ધમાં દક્ષિણ ભારતમાં, માધવ વિદ્યારણ્ય નામના વિદ્વાન સંન્યાસીની પ્રેરણાથી, પરધર્મીઓની ધૂંસરીમાંથી દેશને મુક્ત કરવા, હરિહર અને બુક્ક નામના ભાઈઓએ સ્થાપેલું હિંદુ રાજ્ય. દિલ્હીના સુલતાન મોહમ્મદ તુગલુક વતી ગુંદી પ્રદેશના વહીવટદાર હરિહરનો રાજ્યાભિષેક ઈ. સ. 1336માં કરી, તે જ દિવસે તુંગભદ્રા નદીને કિનારે તથા ગુંદી(હૈદરાબાદ રાજ્યમાં…

વધુ વાંચો >

વિજયન્, એ.

વિજયન્, એ. (જ. 22 ફેબ્રુઆરી 1944, ચૂલુર, કોળિકોડ, કેરળ) : મલયાળમ બાલસાહિત્યના લેખક. તેમણે કોળિકોડમાં સરકારી હાઈસ્કૂલમાં હેડમાસ્તર તરીકે કામગીરી કરી. તેમણે 18 ગ્રંથો આપ્યા છે. તેમનાં બાળકો માટેના ઉલ્લેખનીય વાર્તાસંગ્રહોમાં ‘રન્ડુ મુઘન્ગલ’ (1972); પટ્ટમ્ પરપ્પિકન્ના કુરંગન્ (1983), ‘કથામાધુરી’(1985)નો સમાવેશ થાય છે; જ્યારે ‘પૂતિરી’ (1975), ‘માઝાવિલ્લુ’ (1985) તેમના કાવ્યસંગ્રહો છે…

વધુ વાંચો >

વિજયન્, ઓ. વી.

Feb 4, 2005

વિજયન્, ઓ. વી. (જ. 2 જુલાઈ 1931, પાલઘાટ, કેરળ) : મલયાળમ કથાલેખક અને કાર્ટૂન-કલાકાર. મદ્રાસ યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સાથે એમ.એ. (1954); શરૂઆતમાં અધ્યાપક (1951-57). ત્યારબાદ ‘શંકર્સ વીકલી’માં કાર્ટૂન-કલાકાર તથા કટારલેખક તરીકે કામગીરી (1958-63). છેવટે અંગ્રેજી દૈનિક ‘ધ પેટ્રિયટ’માં કાર્ટૂન-કલાકાર. 1967થી કાર્ટૂન-આલેખન તથા લેખનની સ્વતંત્ર કારકિર્દી. તેમને તેમની પ્રથમ નોંધપાત્ર નવલકથા ‘ખસાકિન્તે…

વધુ વાંચો >

વિજયપાલ (૧) (૨) (૩)

Feb 4, 2005

વિજયપાલ (1) : રાજસ્થાનના પ્રતીહાર વંશનો રાજા. પ્રતીહારોની રાજધાની કનોજમાં હતી. વિજયપાલ ઈ. સ. 960માં ક્ષિતિપાલના ઉત્તરાધિકારી તરીકે ગાદીએ બેઠો. દસમી સદીમાં પ્રતીહાર સામ્રાજ્યનું વિઘટન થયું અને માત્ર કનોજ તથા તેની આસપાસનો પ્રદેશ તેની સત્તા હેઠળ રહ્યો હતો. તે સમયના પ્રતીહાર સમ્રાટોની વધુ માહિતી મળતી નથી. વિજયપાલ (2) : રાજપુતાનામાં…

વધુ વાંચો >

વિજયમોહન, એમ.

Feb 4, 2005

વિજયમોહન, એમ. (જ. 1947, તામિલનાડુ) : આધુનિક ભારતીય ચિત્રકાર. 1970માં વિજયમોહન ચેન્નાઈની ગવર્નમેન્ટ કૉલેજ ઑવ્ આર્ટ્સ ઍન્ડ ક્રાફ્ટસમાંથી શિલ્પકલામાં સ્નાતક થયા. 1972માં તેમણે અમદાવાદની નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ડિઝાઇનમાંથી સિરામિક ડિઝાઇનના વિષયમાં પોસ્ટ ડિપ્લોમા ઉપાધિ મેળવી. 1969થી 1975 સુધીમાં તેમણે ચેન્નાઈમાં ત્રણ વૈયક્તિક પ્રદર્શનો કર્યાં. વિજયમોહનનાં ચિત્રોમાં ખીચોખીચ ઠાંસેલી આકૃતિઓ જોવા…

વધુ વાંચો >

વિજયરક્ષિત

Feb 4, 2005

વિજયરક્ષિત : આયુર્વેદીય ટીકાકાર. આયુર્વેદવિજ્ઞાનમાં ‘લઘુત્રયી’માં ગણાતા, આયુર્વેદમાં રોગનિદાનના સર્વશ્રેષ્ઠ ગ્રંથ તરીકે જાણીતા ‘માધવનિદાન’ની રચના આયુર્વેદ પંડિત શ્રી માધવકરે કરેલી છે. આ પુસ્તક સંસ્કૃત ભાષામાં ચરક-સુશ્રુત તથા વાગ્ભટ્ટના ગ્રંથોના શ્લોકોના સંકલનથી બનેલું છે. આ ‘માધવનિદાન’ ગ્રંથ ઉપર વિજયરક્ષિત અને તેમના શિષ્ય શ્રીકંઠે ‘મધુકોશ’ નામની સુંદર ટીકા લખીને, ગ્રંથને સુબોધ-સરળ બનાવેલ…

વધુ વાંચો >

વિજયરાઘવાચારી, સી.

Feb 4, 2005

વિજયરાઘવાચારી, સી. (જ. 18 જૂન 1852, પોન વિલેઇન્ધ કાલાતુર, જિ. ચિંગલપુટ, તમિલનાડુ; અ. 19 એપ્રિલ 1944, સાલેમ) : 1920માં ઇન્ડિયન નૅશનલ કૉંગ્રેસની નાગપુર બેઠકના અને 1931માં ઑલ ઇન્ડિયા હિંદુ મહાસભાની અકોલા બેઠકના પ્રમુખ. તેમનો જન્મ ધર્મચુસ્ત વૈષ્ણવ સંપ્રદાયના બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના પિતા સદાગોપાચારી અને માતા કન્કાવલ્લી અમ્મલનાં બાર…

વધુ વાંચો >

વિજયવર્ગીય, દયાકૃષ્ણ

Feb 4, 2005

વિજયવર્ગીય, દયાકૃષ્ણ (જ. 8 એપ્રિલ 1929, ચજવા, જિ. બરન, રાજસ્થાન) : હિંદી કવિ અને લેખક તથા ધારાશાસ્ત્રી. 1957-62 સુધી તેઓ ધારાસભ્ય (રાજસ્થાન); 1980 અને 1990-93 દરમિયાન રાજસ્થાન સાહિત્ય અકાદમીના પ્રમુખ; 1978-83 સુધી રાજસ્થાન યુનિવર્સિટીમાં સેનેટર અને 1996 પછી અખિલ ભારતીય સાહિત્ય પરિષદના પ્રમુખ રહ્યા. અત્યાર સુધીમાં તેમણે 26 ગ્રંથો આપ્યા…

વધુ વાંચો >

વિજયવર્ગીય, પ્રેમચંદ

Feb 4, 2005

વિજયવર્ગીય, પ્રેમચંદ (જ. 30 જૂન 1927, કોટા, રાજસ્થાન) : હિંદી લેખક. તેમણે રાજસ્થાન યુનિવર્સિટીમાંથી એમ.એ. અને પીએચ.ડી.ની ડિગ્રીઓ મેળવી. તેઓ અખિલ ભારતીય સાહિત્ય પરિષદ, કોટાના પ્રમુખ; 198387 દરમિયાન વનસ્થળી વિદ્યાપીઠમાં હિંદી અને મૉડર્ન ઇન્ડિયન લગ્વેજિઝ વિભાગના વડા; ‘વનસ્થળી પત્રિકા’ નામક ત્રિમાસિકના સંપાદક તથા ઇગ્નો યુનિવર્સિટીના ચાન્સેલર રહ્યા હતા. તેઓ વનસ્થળી…

વધુ વાંચો >

વિજયવર્ગીય, રામગોપાલ

Feb 4, 2005

વિજયવર્ગીય, રામગોપાલ (જ. 1905, બલેર, જિ. સવાઈ માધોપુર, રાજસ્થાન) : હિંદી કવિ, લેખક અને ચિત્રકાર. તેમણે ચિત્રકારનો ડિપ્લોમા મેળવ્યા બાદ રાજસ્થાન લલિતકલા અકાદમીના અધ્યક્ષ તરીકે કામગીરી કરી. ત્યારબાદ લેખનકાર્ય અને ચિત્રકામને વર્યા. તે અગાઉ 1960-66 સુધી તેઓ રાજસ્થાન સ્કૂલ ઑવ્ આર્ટ્સ, જયપુરના આચાર્યપદે રહ્યા હતા. તેમણે અત્યાર સુધીમાં 13 ગ્રંથો…

વધુ વાંચો >

વિજયવિલાસમુ

Feb 4, 2005

વિજયવિલાસમુ : હૃદયોલ્લાસ વ્યાખ્યા (17મી સદી) : ચેળકુરા વેંકટ કવિના પ્રખ્યાત પ્રબંધકાવ્ય ‘વિજયવિલાસમ્’ પરનું ઉત્તમ વિદ્વત્તાપૂર્ણ વિવેચન. આ વિવેચન તેલુગુના ખ્યાતનામ લેખક, પત્રકાર અને વિવેચક થાપી ધર્મરાવ (જ. 1887) દ્વારા થયું છે. આ કાવ્યકૃતિ તેલુગુ સાહિત્યમાં એક ઉત્તમ કૃતિ ગણાય છે. દ્રૌપદીના ખંડમાં ઘૂસી જવાના પ્રાયશ્ચિત્ત રૂપે વિશ્વની પરિક્રમામાં પાંડવવીર…

વધુ વાંચો >

વિજયા

Feb 4, 2005

વિજયા (જ. 1942, દેવનગર, કર્ણાટક) : કન્નડ નાટ્યકાર, પત્રકાર અને વિવેચક. તેમણે મૈસૂર યુનિવર્સિટીમાંથી કન્નડમાં એમ.એ.ની પદવી મેળવી (1982). હાલ તેઓ કન્નડ દૈનિકોના ઉદયવાણી જૂથના મદદનીશ સંપાદક તરીકે કાર્યરત છે. વળી તેઓ કર્ણાટક ફિલ્મ જર્નાલિસ્ટ્સ ઍસોસિયેશનના પ્રમુખ છે. વિજયાએ ખાસ કરીને ભારતીય સમાજમાં સ્ત્રીઓની દુર્દશા પ્રત્યેની તેમની ચિંતા વ્યક્ત કરતો…

વધુ વાંચો >