૧.૧૦

અનુભવવાદથી અન્યોક્તિકાવ્ય

અનુવાદ (પૂર્વમીમાંસા)

અનુવાદ (પૂર્વમીમાંસા) : અન્ય પ્રમાણ વડે સિદ્ધ થયેલી બાબતનું કથન. પૂર્વમીમાંસા અનુસાર વેદના પાંચ વિભાગો પાડેલા છે : (1) વિધિ, (2) મંત્ર, (3) નામધેય, (4) નિષેધ અને (5) અર્થવાદ. અર્થવાદમાં નિરૂપિત વિષયવસ્તુને અનુલક્ષીને તેના ત્રણ પ્રકાર પડેલા છે : (1) ગુણાનુવાદ, (2) અનુવાદ અને (3) ભૂતાર્થવાદ. ગૌતમીય ન્યાયદર્શનની વૃત્તિમાં અનુવાદના…

વધુ વાંચો >

અનુવાદ-રૂપાંતર-પ્રવૃત્તિ

અનુવાદ-રૂપાંતર-પ્રવૃત્તિ ભાષાસાહિત્યમાં અનુવાદ એટલે ‘મૂળની પાછળ પાછળ, મૂળને અનુસરીને બોલવું તે.’ (ઉમાશંકર જોશી) ‘ભાષાંતર’ શબ્દ ‘અનુવાદ’ના પર્યાય તરીકે પ્રયોજાય છે, પરંતુ ‘ભાષાંતર’ શબ્દ, ઉમાશંકર જોશી કહે છે તેમ, કૃતિને અંગે ભાષાપલટો થયો છે એ બાહ્ય હકીકત ઉપર ભાર મૂકે છે. દરેક અનુવાદ ભાષાંતર તો હોય જ, પરંતુ દરેક ભાષાંતર અનુવાદ…

વધુ વાંચો >

અનુવૃત્તિ (વ્યાકરણ)

અનુવૃત્તિ (વ્યાકરણ) : અનુવર્તન, અનુસરણ. સંસ્કૃત વ્યાકરણનાં સૂત્રોમાં એક કે તેથી વધારે પદોની પુનરાવૃત્તિ કરવી એ દોષ મનાય છે. તેવું પુનરાવર્તન કરવું ન પડે અને સાથોસાથ સૂત્રની સંક્ષિપ્તતા (સ્વલ્પાક્ષરતા) સાધી શકાય તે હેતુથી આ યુક્તિનો આશ્રય લેવામાં આવે છે. ખાસ કરીને, પાણિનીય વ્યાકરણનાં સૂત્રોમાં આગલા સૂત્રમાં આવતું પદ તે પછીનાં…

વધુ વાંચો >

અનુશાસન

અનુશાસન : અનુશાસન એટલે ઉપદેશ, આજ્ઞા, અનુકૂલન, આદેશ, માર્ગદર્શન. વૈદિક સાહિત્યમાં આ શબ્દ એવા અર્થોમાં પ્રયુક્ત થયેલો છે. ધર્મનિરૂપણ કે ધર્મોપદેશ એવો પણ તેનો અર્થ છે. भावे ल्युद् પ્રત્યયાન્ત અનુશાસન શબ્દના યથાર્થ જ્ઞાપન, નિરૂપણ, કર્તવ્યોપદેશ એવા અર્થો છે. करणे ल्युद् પ્રત્યયાન્ત તે શબ્દનો અર્થ શાસ્ત્રોપદેશ એમ થાય છે. શબ્દાનુશાસન એટલે…

વધુ વાંચો >

અનુશીલન સમિતિ

અનુશીલન સમિતિ : બ્રિટિશ હકૂમતની સામે વિદ્રોહ જગાડનારી ભારતની એક ક્રાંતિકારી સંસ્થા. ઓગણીસમી સદીના અંતભાગમાં, તથા વીસમી સદીની શરૂઆતમાં, ભારતમાં બ્રિટિશ સરકાર સામેના રાષ્ટ્રીય આંદોલનમાં એક બાજુએ કૉંગ્રેસની નેતાગીરી નીચે શાંત, વિનીત અને અહિંસક પ્રવૃત્તિઓ ચાલી રહી હતી, ત્યારે બીજી બાજુએ ભારતના જુદા જુદા ભાગોમાં ગોપનીય રીતે ક્રાંતિકારી સંસ્થાઓ દ્વારા,…

વધુ વાંચો >

અનુષંગી ખનિજો અને ખનિજવર્ગો

અનુષંગી ખનિજો અને ખનિજવર્ગો (accessory minerals and mineral families) : અગ્નિકૃત ખડકોમાં જોવા મળતા ત્રણ પૈકીનો એક ખનિજ વર્ગ અને તેમાં સમાવિષ્ટ ખનિજો. બાકીના બે પ્રકાર તે આવશ્યક અને પરિણામી. આવશ્યક અને અનુષંગી ખનિજો મૅગ્માજન્ય સ્ફટિકીકરણની પેદાશો હોઈ તેમને મૂળભૂત અથવા પ્રાથમિક ખનિજો તરીકે પણ ઓળખે છે. પરિણામી ખનિજો ક્વચિત્…

વધુ વાંચો >

અનુષંગી લાભ

અનુષંગી લાભ (fringe benefits) : પગારદાર કર્મચારીઓને મુકરર નિયમિત વેતન ઉપરાંત પ્રસંગોપાત્ત અપાતા વધારાના પરોક્ષ લાભ. આવા લાભ મહદંશે ધારાકીય જોગવાઈઓ મારફત અગર માલિકો તથા કર્મચારીઓ વચ્ચેની સમજૂતીના નિષ્કર્ષ રૂપે અને ક્વચિત્ માલિકોની સ્વેચ્છાએ પ્રાપ્ત થાય છે. આધુનિક ઔદ્યોગિક યુગની શરૂઆતનાં વર્ષોમાં કર્મચારીઓ પરત્વે માલિકોનું ઉત્તરદાયિત્વ જેવું કશું જ ન…

વધુ વાંચો >

અનુષ્ટુપ્

અનુષ્ટુપ્ : જુઓ, છંદ.

વધુ વાંચો >

અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ

અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ : ભારતના બંધારણમાં નિર્દિષ્ટ આદિમ ને પછાત વર્ગો માટે પ્રયોજાયેલી સંજ્ઞા. જનજાતિ અથવા આદિવાસી શબ્દ કોઈ એક પ્રદેશમાં રહેતા અને પોતાની જાતને રાજકીય રીતે સ્વાયત્ત ગણાવતા સુગ્રથિત સામાજિક એકમ માટે વપરાય છે. મોટા ભાગના કિસ્સાઓમાં આદિજાતિને પોતાની સ્વતંત્ર બોલી અને સ્વતંત્ર સંસ્કૃતિનાં લક્ષણો પણ હોય…

વધુ વાંચો >

અનૂપ

અનૂપ : પશ્ચિમ ભારતમાંના કોઈ એક વિસ્તારનો દેશવાચક શબ્દ. પાણિનિના ગણપાઠમાં જણાવ્યા પ્રમાણે ‘અનૂપ’નો નિર્દેશ ‘કચ્છ’, ‘દ્વીપ (દીવ)’ વગેરે દેશનામો સાથે થયેલો હોઈ આ વધુ સંગત જણાય છે. મહાભારત-આદિ પર્વમાં દક્ષિણ દિશામાં એને સાગર નજીક સૂચવાયો છે, જેમાં રમણીય પાંચ તીર્થ હતાં. કાર્તવીર્ય આ અનૂપદેશનો પતિ હતો એવું આરણ્યક પર્વના…

વધુ વાંચો >

અનુભવવાદ

Jan 10, 1989

અનુભવવાદ (Empiricism) પાશ્ચાત્ય તત્વચિંતનમાં રજૂ થયેલો જ્ઞાન-મીમાંસા-(epistemology)નો એક સિદ્ધાંત. તેનું મુખ્ય પ્રતિપાદન એ છે કે જ્ઞાનપ્રાપ્તિનાં સાધનોમાં બુદ્ધિનો નહિ, પણ ઇન્દ્રિયાનુભવનો ફાળો મુખ્ય હોય છે. આમ જ્ઞાનમીમાંસાના સિદ્ધાંત તરીકે અનુભવવાદ એ બુદ્ધિવાદ(rationalism)નો વિરોધી સિદ્ધાંત છે. અનુભવ માટે અંગ્રેજીમાં વપરાતો શબ્દ ‘experience’ મૂળ ગ્રીક શબ્દ ‘empeiria’ પરથી ઊતરી આવેલો છે. લૅટિનમાં…

વધુ વાંચો >

અનુમાન (પ્રમાણ)

Jan 10, 1989

અનુમાન (પ્રમાણ) : કોઈ જ્ઞાત વસ્તુ ઉપરથી અજ્ઞાત વસ્તુનું જ્ઞાન જે પ્રમાણથી થાય છે તે. આપણે દૂર પર્વત ઉપર ધુમાડો દેખીએ છીએ પણ અગ્નિને દેખતા નથી. ધુમાડો પ્રત્યક્ષથી જ્ઞાત છે. અગ્નિ અજ્ઞાત છે. જ્ઞાત ધુમાડા ઉપરથી આપણને અજ્ઞાત અગ્નિનું જ્ઞાન થાય છે. આ રીતે થયેલું અગ્નિનું જ્ઞાન અનુમાન છે. અહીં…

વધુ વાંચો >

અનુમાપન

Jan 10, 1989

અનુમાપન (titration) : રસાયણશાસ્ત્રમાં કદમાપક વિશ્લેષણની એક પદ્ધતિ. તેમાં પદાર્થના નમૂનાના કોઈ એક ઘટકનું પ્રમાણ નક્કી કરવા તે નમૂનાના ચોક્કસ વજન અથવા તેના દ્રાવણના ચોક્કસ કદ સાથે રાસાયણિક પ્રક્રિયા પૂરી થાય ત્યાં સુધી બ્યુરેટમાંથી પ્રમાણિત દ્રાવણ (standard solution) ઉમેરવામાં આવે છે અને તેનું કદ નોંધી લેવામાં આવે છે. પૃથક્કરણમાં અનુમાપનનો…

વધુ વાંચો >

અનુયાજ

Jan 10, 1989

અનુયાજ : પ્રધાન યાગની સમાપ્તિ વખતે થતું ગૌણ કે પૂરક યજ્ઞાનુષ્ઠાન. (अनु + यज् + धञ् = अनुयाग). પ્રાચીન વૈદિક દર્શપૌર્ણમાસેષ્ટિ યાગમાં પ્રધાન યાગ કે દેવતાના યાગની પહેલાં વિશિષ્ટ પાંચ દેવતાઓને ઉદ્દેશીને પાંચ વિશિષ્ટ આહુતિઓ અપાય છે તે પ્રયાજયાગ; અને પ્રધાન યાગ થયા પછી બર્હિ:, નરાશંસ અને સ્વિષ્ટકૃત્ અગ્નિ એમ…

વધુ વાંચો >

અનુયુરેનિયમ તત્ત્વો

Jan 10, 1989

અનુયુરેનિયમ તત્ત્વો (transuranium અથવા transuranic elements) : યુરેનિયમ (92U) કરતાં વધુ પરમાણુક્રમાંક (93 અને તેથી વધુ) ધરાવતાં રાસાયણિક તત્વો. કુદરતમાં ઠીક ઠીક જથ્થામાં પ્રાપ્ત થતું ભારેમાં ભારે તત્ત્વ યુરેનિયમ છે જેનો પરમાણુક્રમાંક 92 છે. 1940માં યુનિવર્સિટી ઑવ્ કૅલિફૉર્નિયા, બર્કલી ખાતે મેકમિલન અને એબલસને દર્શાવ્યું કે જ્યારે યુરેનિયમ ઉપર ન્યૂટ્રૉનનો મારો…

વધુ વાંચો >

અનુરૂપતા સામાજિક

Jan 10, 1989

અનુરૂપતા, સામાજિક (social conformity) : સામાજિક ધારાધોરણોને માન આપીને વર્તવું તે. સમાજના સભ્ય તરીકે આપણે સૌ એકબીજાં સાથે આંતરક્રિયા કરતાં હોઈએ છીએ. આ આંતરક્રિયાને લીધે સમાજમાં વર્તનનાં ચોક્કસ ધારાધોરણો વિકસ્યાં હોય છે. આ ધારાધોરણોને માન આપીને વ્યક્તિ વર્તે તેને અનુરૂપતા કહેવામાં આવે છે. અનુરૂપતાને કારણે વ્યક્તિ અને જૂથ વચ્ચે સામંજસ્ય…

વધુ વાંચો >

અનુરોપસંવર્ધન

Jan 10, 1989

અનુરોપસંવર્ધન (seed-culture) : શુદ્ધ, સક્રિય અને લાંબા સમય સુધી સ્થિર રહી શકે તેવા સૂક્ષ્મજીવોની નિયત સંખ્યા ધરાવતું સંવર્ધન. આથવણ-ઉદ્યોગોમાં અંત્ય નીપજનું ઓછા સમયમાં વધુ ઉત્પાદન મેળવવા માટે તેનો ઉપયોગ થાય છે. સંવર્ધનને પ્રથમ 500 મિલી. જેટલા વૃદ્ધિપોષક માધ્યમમાં અને ત્યારબાદ પાંચ લીટર જેટલા વૃદ્ધિપોષક માધ્યમમાં ઉછેરી અનુરોપન ટાંકીમાં લઈ જવામાં…

વધુ વાંચો >

અનુલંબ તરંગો

Jan 10, 1989

અનુલંબ તરંગો (longitudinal waves) : તરંગોના માધ્યમના કણોનાં દોલનો અથવા કોઈ સદિશ રાશિના તરંગના પ્રસરણની દિશાને સમાંતર દોલનો હોય તેવા તરંગો. આવા તરંગો સંગત તરંગો તરીકે પણ ઓળખાય છે. ધ્વનિના તરંગો અનુલંબ તરંગોનું ખૂબ જાણીતું ઉદાહરણ છે. તરંગોનો બીજો પ્રકાર લંબગત (transverse) તરંગો તરીકે ઓળખાય છે. તેમાં થતાં દોલનો તરંગના…

વધુ વાંચો >

અનુવર્તી ઝરણાં અને જળપરિવાહ

Jan 10, 1989

અનુવર્તી ઝરણાં અને જળપરિવાહ (consequent streams and drainage) : ભૂમિના ઢાળને અનુસરીને વહેતાં ઝરણાં. કેટલાંક ઝરણાં (કે નદીઓ) જે વિસ્તારમાં થઈને વહે છે તે ત્યાંની ભૂમિસપાટીના ઊંચાણ-નીચાણને અનુસરે છે અને પોતાની જળપરિવાહ રચના તૈયાર કરે છે. આવાં ઝરણાંને અનુવર્તી ઝરણાં અને જળપરિવાહને અનુવર્તી જળપરિવાહ કહે છે. આ પ્રકારનાં ઝરણાં મૂળ…

વધુ વાંચો >

અનુવંશ અને પર્યાવરણ

Jan 10, 1989

અનુવંશ અને પર્યાવરણ : મનુષ્યનાં વ્યક્તિત્વ અને વર્તનનાં નિર્ણાયક પરિબળો. મનુષ્યના વર્તનનાં નિર્માણકર્તા પરિબળો તરીકે તેનાં માબાપ તથા પૂર્વજો પાસેથી મળેલાં આનુવંશિક તત્વો અને પર્યાવરણને ગણવામાં આવે છે. મેન્ડેલના વનસ્પતિ પરના પ્રયોગો દ્વારા આનુવંશિકતાના જે નિયમો નક્કી કરવામાં આવ્યા હતા તે નિયમો મનુષ્યને પણ લાગુ પડે છે. પરંતુ મનુષ્યનું વર્તન…

વધુ વાંચો >