૧.૧૦

અનુભવવાદથી અન્યોક્તિકાવ્ય

અનુભવવાદ

અનુભવવાદ (Empiricism) પાશ્ચાત્ય તત્વચિંતનમાં રજૂ થયેલો જ્ઞાન-મીમાંસા-(epistemology)નો એક સિદ્ધાંત. તેનું મુખ્ય પ્રતિપાદન એ છે કે જ્ઞાનપ્રાપ્તિનાં સાધનોમાં બુદ્ધિનો નહિ, પણ ઇન્દ્રિયાનુભવનો ફાળો મુખ્ય હોય છે. આમ જ્ઞાનમીમાંસાના સિદ્ધાંત તરીકે અનુભવવાદ એ બુદ્ધિવાદ(rationalism)નો વિરોધી સિદ્ધાંત છે. અનુભવ માટે અંગ્રેજીમાં વપરાતો શબ્દ ‘experience’ મૂળ ગ્રીક શબ્દ ‘empeiria’ પરથી ઊતરી આવેલો છે. લૅટિનમાં…

વધુ વાંચો >

અનુમાન (પ્રમાણ)

અનુમાન (પ્રમાણ) : કોઈ જ્ઞાત વસ્તુ ઉપરથી અજ્ઞાત વસ્તુનું જ્ઞાન જે પ્રમાણથી થાય છે તે. આપણે દૂર પર્વત ઉપર ધુમાડો દેખીએ છીએ પણ અગ્નિને દેખતા નથી. ધુમાડો પ્રત્યક્ષથી જ્ઞાત છે. અગ્નિ અજ્ઞાત છે. જ્ઞાત ધુમાડા ઉપરથી આપણને અજ્ઞાત અગ્નિનું જ્ઞાન થાય છે. આ રીતે થયેલું અગ્નિનું જ્ઞાન અનુમાન છે. અહીં…

વધુ વાંચો >

અનુમાપન

અનુમાપન (titration) : રસાયણશાસ્ત્રમાં કદમાપક વિશ્લેષણની એક પદ્ધતિ. તેમાં પદાર્થના નમૂનાના કોઈ એક ઘટકનું પ્રમાણ નક્કી કરવા તે નમૂનાના ચોક્કસ વજન અથવા તેના દ્રાવણના ચોક્કસ કદ સાથે રાસાયણિક પ્રક્રિયા પૂરી થાય ત્યાં સુધી બ્યુરેટમાંથી પ્રમાણિત દ્રાવણ (standard solution) ઉમેરવામાં આવે છે અને તેનું કદ નોંધી લેવામાં આવે છે. પૃથક્કરણમાં અનુમાપનનો…

વધુ વાંચો >

અનુયાજ

અનુયાજ : પ્રધાન યાગની સમાપ્તિ વખતે થતું ગૌણ કે પૂરક યજ્ઞાનુષ્ઠાન. (अनु + यज् + धञ् = अनुयाग). પ્રાચીન વૈદિક દર્શપૌર્ણમાસેષ્ટિ યાગમાં પ્રધાન યાગ કે દેવતાના યાગની પહેલાં વિશિષ્ટ પાંચ દેવતાઓને ઉદ્દેશીને પાંચ વિશિષ્ટ આહુતિઓ અપાય છે તે પ્રયાજયાગ; અને પ્રધાન યાગ થયા પછી બર્હિ:, નરાશંસ અને સ્વિષ્ટકૃત્ અગ્નિ એમ…

વધુ વાંચો >

અનુયુરેનિયમ તત્ત્વો

અનુયુરેનિયમ તત્ત્વો (transuranium અથવા transuranic elements) : યુરેનિયમ (92U) કરતાં વધુ પરમાણુક્રમાંક (93 અને તેથી વધુ) ધરાવતાં રાસાયણિક તત્વો. કુદરતમાં ઠીક ઠીક જથ્થામાં પ્રાપ્ત થતું ભારેમાં ભારે તત્ત્વ યુરેનિયમ છે જેનો પરમાણુક્રમાંક 92 છે. 1940માં યુનિવર્સિટી ઑવ્ કૅલિફૉર્નિયા, બર્કલી ખાતે મેકમિલન અને એબલસને દર્શાવ્યું કે જ્યારે યુરેનિયમ ઉપર ન્યૂટ્રૉનનો મારો…

વધુ વાંચો >

અનુરૂપતા સામાજિક

અનુરૂપતા, સામાજિક (social conformity) : સામાજિક ધારાધોરણોને માન આપીને વર્તવું તે. સમાજના સભ્ય તરીકે આપણે સૌ એકબીજાં સાથે આંતરક્રિયા કરતાં હોઈએ છીએ. આ આંતરક્રિયાને લીધે સમાજમાં વર્તનનાં ચોક્કસ ધારાધોરણો વિકસ્યાં હોય છે. આ ધારાધોરણોને માન આપીને વ્યક્તિ વર્તે તેને અનુરૂપતા કહેવામાં આવે છે. અનુરૂપતાને કારણે વ્યક્તિ અને જૂથ વચ્ચે સામંજસ્ય…

વધુ વાંચો >

અનુરોપસંવર્ધન

અનુરોપસંવર્ધન (seed-culture) : શુદ્ધ, સક્રિય અને લાંબા સમય સુધી સ્થિર રહી શકે તેવા સૂક્ષ્મજીવોની નિયત સંખ્યા ધરાવતું સંવર્ધન. આથવણ-ઉદ્યોગોમાં અંત્ય નીપજનું ઓછા સમયમાં વધુ ઉત્પાદન મેળવવા માટે તેનો ઉપયોગ થાય છે. સંવર્ધનને પ્રથમ 500 મિલી. જેટલા વૃદ્ધિપોષક માધ્યમમાં અને ત્યારબાદ પાંચ લીટર જેટલા વૃદ્ધિપોષક માધ્યમમાં ઉછેરી અનુરોપન ટાંકીમાં લઈ જવામાં…

વધુ વાંચો >

અનુલંબ તરંગો

અનુલંબ તરંગો (longitudinal waves) : તરંગોના માધ્યમના કણોનાં દોલનો અથવા કોઈ સદિશ રાશિના તરંગના પ્રસરણની દિશાને સમાંતર દોલનો હોય તેવા તરંગો. આવા તરંગો સંગત તરંગો તરીકે પણ ઓળખાય છે. ધ્વનિના તરંગો અનુલંબ તરંગોનું ખૂબ જાણીતું ઉદાહરણ છે. તરંગોનો બીજો પ્રકાર લંબગત (transverse) તરંગો તરીકે ઓળખાય છે. તેમાં થતાં દોલનો તરંગના…

વધુ વાંચો >

અનુવર્તી ઝરણાં અને જળપરિવાહ

અનુવર્તી ઝરણાં અને જળપરિવાહ (consequent streams and drainage) : ભૂમિના ઢાળને અનુસરીને વહેતાં ઝરણાં. કેટલાંક ઝરણાં (કે નદીઓ) જે વિસ્તારમાં થઈને વહે છે તે ત્યાંની ભૂમિસપાટીના ઊંચાણ-નીચાણને અનુસરે છે અને પોતાની જળપરિવાહ રચના તૈયાર કરે છે. આવાં ઝરણાંને અનુવર્તી ઝરણાં અને જળપરિવાહને અનુવર્તી જળપરિવાહ કહે છે. આ પ્રકારનાં ઝરણાં મૂળ…

વધુ વાંચો >

અનુવંશ અને પર્યાવરણ

અનુવંશ અને પર્યાવરણ : મનુષ્યનાં વ્યક્તિત્વ અને વર્તનનાં નિર્ણાયક પરિબળો. મનુષ્યના વર્તનનાં નિર્માણકર્તા પરિબળો તરીકે તેનાં માબાપ તથા પૂર્વજો પાસેથી મળેલાં આનુવંશિક તત્વો અને પર્યાવરણને ગણવામાં આવે છે. મેન્ડેલના વનસ્પતિ પરના પ્રયોગો દ્વારા આનુવંશિકતાના જે નિયમો નક્કી કરવામાં આવ્યા હતા તે નિયમો મનુષ્યને પણ લાગુ પડે છે. પરંતુ મનુષ્યનું વર્તન…

વધુ વાંચો >

અનેકરંગિતા

Jan 10, 1989

અનેકરંગિતા (iridescence) : કેટલાંક ખનિજોમાં જોવા મળતા વિવિધ રંગદર્શનનો ભૌતિક ગુણધર્મ. રંગવૈવિધ્યની આ પ્રકારની ઘટના ઓપલ જેવાં રત્નો, છીપલાં તથા પીંછાંની દાંડી પર વિશિષ્ટપણે જોવા મળે છે. 1,500થી 3,000 Åના વ્યાસવાળા ગોળ કણોની અતિસૂક્ષ્મ પડરચનાને કારણે કીમતી ઓપલમાં આ પ્રકારના રંગવૈવિધ્યની જમાવટ થતી હોય છે. સામાન્ય ઓપલમાં નિયમિત પડરચના થતી…

વધુ વાંચો >

અનેકાન્તવાદ (અથવા સ્યાદ્વાદ)

Jan 10, 1989

અનેકાન્તવાદ (અથવા સ્યાદ્વાદ) : પ્રત્યેક વસ્તુને જુદા જુદા દૃષ્ટિકોણથી વિચારવી, જોવી અને કહેવી તે. જૈનદર્શનની આધારશિલા અનેકાન્તવાદ છે. જૈનધર્મમાં જ્યારે પણ કોઈ વાત કહેવાઈ છે ત્યારે તે અનેકાન્તની કસોટી પર સારી રીતે ચકાસીને કહેવાઈ છે. આથી દાર્શનિક સાહિત્યમાં જૈનદર્શનનું બીજું નામ અનેકાન્તદર્શન પડ્યું છે. જૈનદર્શનમાં પ્રયોજાતા ‘અનેકાન્ત’ શબ્દનો અર્થ છે…

વધુ વાંચો >

અનૈચ્છિક સંચલન

Jan 10, 1989

અનૈચ્છિક સંચલન (involuntary movements) : રોકી ન શકાય તેવું, આપમેળે થતું હલનચલન. શરીરનાં અંગ પોતાની મેળે હાલ્યા જ કરે અને તેને રોકવાનો પ્રયત્ન કરવા છતાં તે સ્થિર ન રહી શકે તેવી પરિસ્થિતિ. તેનાથી સ્વૈચ્છિક ક્રિયાઓમાં નડતર ઊભું થાય છે. દા.ત., હાથની ધ્રુજારીથી ચા પીતાં પ્યાલો હાલવા માંડે અને ચા ઢોળાય.…

વધુ વાંચો >

અનોખા આઝમૂદા

Jan 10, 1989

અનોખા આઝમૂદા (1964) : સિંધી વાર્તાસંગ્રહ. પ્રોફેસર રામ પરતાવરાઈ પંજવાણીએ પોતાના જીવનના વાસ્તવિક અનુભવો અને ઘટનાઓને આધારે રચેલી વાર્તાઓના આ સંગ્રહને 1964માં કેન્દ્રીય સાહિત્ય અકાદમીએ પુરસ્કાર અર્પણ કર્યો હતો. તેના ત્રણ ભાગમાં માનવચિત્તના વિવિધ વ્યાપારો, પ્રકૃતિનાં વિભિન્ન સ્વરૂપો તથા આધ્યાત્મિકતાનું કલાત્મક અને રસાળ નિરૂપણ થયેલું છે. જીવનની વાસ્તવિક કટુતા વચ્ચે…

વધુ વાંચો >

અનૌપચારિક વ્યવસ્થાતંત્ર

Jan 10, 1989

અનૌપચારિક વ્યવસ્થાતંત્ર (informal organisation) : ઉત્પાદન પેઢી જેવાં આર્થિક સાહસોમાં રોકાયેલા કર્મચારીઓ તથા કામદારોના ઘટકો વચ્ચે થતા અવિધિસરના વ્યવહારમાંથી ઊભું થતું વ્યવસ્થાતંત્ર. દરેક પેઢી કે સાહસના હેતુઓ કે લક્ષ્યાંકો હાંસલ કરવા માટે જુદા જુદા સ્તરે અધિકૃત સત્તામંડળો ઊભાં કરવામાં આવે છે, જેમનાં અધિકારો, જવાબદારીઓ અને કાર્યક્ષેત્ર નિયમબદ્ધ હોય છે. આવાં…

વધુ વાંચો >

અનૌરસતા અને અનૌરસ સંતાન

Jan 10, 1989

અનૌરસતા અને અનૌરસ સંતાન : લગ્નેતર સંબંધ દ્વારા સ્ત્રી-પુરુષના દેહસંબંધથી જન્મતાં સંતાન. બધા જ સમાજ/સમુદાયોમાં માન્ય ધોરણો કે કાયદા પ્રમાણે પુરુષ અને સ્ત્રી લગ્ન બાદ સંતાનોને જન્મ આપે તે સંતાનો જ ઔરસતા કે કાયદેસરતા ધરાવે છે. પુરુષ-સ્ત્રીનાં આ સિવાયનાં ગેરકાયદેસર મનાતા દેહસંબંધ દ્વારા પેદા થતાં સંતાનને સમાજ માન્યતા અને કાયદેસરતા…

વધુ વાંચો >

અન્ટુ ધિસ લાસ્ટ

Jan 10, 1989

અન્ટુ ધિસ લાસ્ટ (1860) : અંગ્રેજ સંસ્કૃતિચિંતક અને કળામીમાંસક જૉન રસ્કિન(1819–1900)ની સુપ્રસિદ્ધ ગદ્ય કૃતિ. આર્થિક ઉત્કર્ષ અને સામાજિક નીતિનિયમોનાં ધોરણો વચ્ચે સંવાદ અનિવાર્ય હોવો જોઈએ એમ એ દૃઢપણે માને છે. પ્રચલિત આર્થિક સિદ્ધાંતોમાં રહેલી વિસંગતિઓ પ્રગટ કરતા તેમના ચાર નિબંધો ‘અન્ટુ ધિસ લાસ્ટ’માં સંગ્રહેલા છે. પહેલા નિબંધ ‘ધ રૂટ્સ ઑવ્…

વધુ વાંચો >

અન્તર્જનમ્ લલિતામ્બિકા

Jan 10, 1989

અન્તર્જનમ્ લલિતામ્બિકા (જ. 30 માર્ચ 1909, કોટ્ટાયમ, કેરાલા; અ. 6 ફેબ્રુઆરી 1987, કોટ્ટાયમ, કેરાલા) : મલયાળમ સાહિત્યમાં અભૂતપૂર્વ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરનાર કેરળનાં પ્રથમ નામ્બુદ્રી લેખિકા. એમના જન્મસમયે નામ્બુદ્રી બ્રાહ્મણો અત્યંત રૂઢિચુસ્ત હતા એટલે સ્ત્રીઓને માટે જાતજાતના નિષેધ હતા. સ્ત્રીઓ છૂટથી હરીફરી શકતી નહિ. ઘરમાં બંદિની જેવી એમની દશા હતી. લલિતામ્બિકાએ…

વધુ વાંચો >

અન્ધક

Jan 10, 1989

અન્ધક : પૌરાણિક વૃત્તાંત મુજબ યાદવોની એક શાખા. તેઓ મથુરા પર રાજ કરતા હતા. વૃષ્ણિઓ સાથે સંકળાયેલા હોવાથી મહાભારત તથા અન્ય ગ્રંથોમાં તે બંને યાદવ-શાખાઓનાં નામ સાથે હોય છે. મથુરાના રાજા ઉગ્રસેન તથા કંસ અંધક કુળના હતા. યાદવોના પશ્ચિમી સ્થળાંતર પછી અંધકોનું સત્તા-સ્થાન વૃષ્ણિઓએ લીધું દેખાય છે. ભારતયુદ્ધ પછીની સદીઓમાં…

વધુ વાંચો >

અન્ધ્ર

Jan 10, 1989

અન્ધ્ર : કૃષ્ણા અને ગોદાવરી નદીના અંતરાલ પ્રદેશમાં રહેતી પ્રાચીન પ્રજા. ઐતરેય બ્રાહ્મણમાં ‘પુંડ્ર’, ‘શબર’, ‘પુલિંદ’ અને ‘મૂતિબ’ પ્રજાઓની સાથે એનો ઉલ્લેખ છે. વિશ્વામિત્રે શુન:શેપને દત્તક લીધો તેનો એના 50 મોટેરા પુત્રોએ અસ્વીકાર કરેલો ત્યારે સમાજબહિષ્કૃત કરવામાં આવેલાંઓમાં આ ચાર જાતિઓનો સમાવેશ થયેલો. આ ઉપરથી એમ કહી શકાય કે આ…

વધુ વાંચો >