૧૯.૩૦

વાવણીયંત્રથી વાહિગુરુ

વાસાદિ ક્વાથ

વાસાદિ ક્વાથ : એક આયુર્વેદિક ઉકાળો. શાર્ઙ્ગધર સંહિતા અનુસાર નિર્માણવિધિ અરડૂસી, સૂંઠ, ગળો, દારૂહળદર, રક્તચંદન, ચિત્રક, કરિયાતું, લીમડાની છાલ, કટુકી (કડુ); પટોલ (પરવળ) પત્ર, હરડે, બહેડાં, આમળાં, નાગરમોથ, જવ, ઇન્દ્રજવ અને કડાછાલ – આ બધું સરખા  ભાગે લઈ તેને અધકચરું ખાંડી આ ક્વાથ (ભૂકો) બનાવાય છે. માત્રા : 2થી 4…

વધુ વાંચો >

વાસી અબ્બાસ અબ્દુલઅલી

વાસી અબ્બાસ અબ્દુલઅલી : જુઓ મરીઝ.

વધુ વાંચો >

વાસુદેવ

વાસુદેવ : જુઓ કૃષ્ણ.

વધુ વાંચો >

વાસુદેવ, એસ. જી.

વાસુદેવ, એસ. જી. (જ. 1941, મૈસૂર, કર્ણાટક, ભારત) : આધુનિક ભારતીય ચિત્રકાર. 1968માં વાસુદેવ ચેન્નાઈની ગવર્નમેન્ટ કૉલેજ ઑવ્ આર્ટ્સ ઍન્ડ ક્રાફ્ટ્સમાંથી ચિત્રકલાના સ્નાતક થયા. એ પછી દેશવિદેશમાં ઘણાં સમૂહ-પ્રદર્શનોમાં તેમણે ભાગ લીધો. 1972 પછી મુંબઈ, દિલ્હી, ચેન્નાઈ અને બૅંગાલુરુમાં પોતાનાં ચિત્રોનાં ઘણાં વૈયક્તિક પ્રદર્શન કર્યાં. વાસુદેવની કલામાં શોભનશૈલીમાં નાગદેવતા, નાગપૂજા,…

વધુ વાંચો >

વાસુદેવ, નિર્મલ

વાસુદેવ, નિર્મલ [જ. 2 જૂન 1936, કરાંચી, સિંધ (હાલ પાકિસ્તાનમાં)] : સિંધી કવિ અને નાટ્યકાર. તેમણે પુણે યુનિવર્સિટીમાંથી બી. ઈ. હિંદીમાં પરિચય અને સંસ્કૃતમાં ઉત્તમાની પદવીઓ મેળવી હતી. તેઓ નાયબ મુખ્ય ઇજનેર તરીકે સેવાનિવૃત્ત થયા છે. તેમણે અત્યાર સુધીમાં 14 ગ્રંથો આપ્યા છે. તેમાં તેમની ઉલ્લેખનીય કૃતિઓ તરીકે ‘મુન્હિંજા સુર…

વધુ વાંચો >

વાસુદેવ રેડ્ડી ટી.

વાસુદેવ રેડ્ડી ટી. (જ. 21 ડિસેમ્બર 1943, મિટ્ટપાલેમ, જિ. ચિત્તુર, આંધ્રપ્રદેશ) : ભારતીય અંગ્રેજી લેખક. તેમણે અંગ્રેજી સાથે એમ.એ.; 1985માં પીએચ.ડી. અને 1988માં પીજીડીટીઈની પદવી પ્રાપ્ત કરી. તેઓ સરકારી કૉલેજ, પુટ્ટુરમાં અંગ્રેજીના રીડર રહ્યા. તેમની માતૃભાષા તેલુગુ હોવા છતાં તેમણે અંગ્રેજી તથા હિંદીમાં કુલ 8 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘વેન…

વધુ વાંચો >

વાસુદેવય્યા, સી.

વાસુદેવય્યા, સી. (જ. 1852; અ. 1943) : કન્નડ લેખક. તેઓ મૅટ્રિકની પરીક્ષા પાસ કર્યા બાદ થોડો વખત શિક્ષક બન્યા. પછી શિક્ષણ ખાતામાં મદદનીશ તરીકે જોડાયા. તેમની ભાષા તેલુગુ હોવા છતાં તેઓ કન્નડ, અંગ્રેજી અને સંસ્કૃત તેમજ બંગાળીના નિષ્ણાત હતા. તેમણે અતિ લોકપ્રિય એવા 3 ગ્રંથ આપ્યા છે. ‘આર્યકીર્તિ – ભાગ…

વધુ વાંચો >

વાસુદેવાનંદ સરસ્વતી (ટેમ્બે સ્વામી)

વાસુદેવાનંદ સરસ્વતી (ટેમ્બે સ્વામી) : નારેશ્વર-નિવાસી જાણીતા મહારાષ્ટ્રી સંત. શ્રીમન્નૃસિંહ સરસ્વતી ગુરુ દત્તાત્રેયના અવતાર મનાતા હતા. મહારાષ્ટ્રમાં વાડી, ઔદુમ્બર અને ગાણગાપુર એમનાં સુવિખ્યાત લીલા-સ્થળો છે. ત્યાં ઈ. સ. 1906માં પરમપૂજ્ય બ્રહ્મીભૂત પરમહંસ પરિવ્રાજકાચાર્ય શ્રી વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજ બિરાજતા હતા. ટેમ્બે સ્વામીથી પ્રસિદ્ધ હતા. દત્તાવતાર શ્રીમન્નૃસિંહ સરસ્વતીની લીલાઓને વિષય બનાવીને…

વધુ વાંચો >

વાસુપૂજ્ય

વાસુપૂજ્ય : જૈન ધર્મના ચોવીસ તીર્થંકરોમાં બારમા તીર્થંકર. જૈન પુરાણો તીર્થંકર-ભવ પૂર્વેના તેમના બે ભવની વિગતો આપે છે. પ્રથમ ભવમાં તેઓ પુષ્કરવર દ્વીપાર્ધના પૂર્વ વિદેહક્ષેત્રમાં મંગલાવતી વિજયમાં આવેલી રત્નસંચયા નગરીના પદ્મોત્તર નામે રાજા હતા. તે જન્મમાં વૈરાગ્યબોધ થવાથી વજ્રનાભ નામક ગુરુ પાસે દીક્ષા લઈ સંસારત્યાગ કર્યો હતો. અનેક ઉજ્જ્વળ સ્થાનકો…

વધુ વાંચો >

વાસેકર, વિશ્વાસ પ્રભાકરરાવ

વાસેકર, વિશ્વાસ પ્રભાકરરાવ (જ. 20 ઑગસ્ટ 1952, વાસ્સા, જિ. પરભણી, મહારાષ્ટ્ર) : મરાઠી લેખક. તેમણે નૂતન મહાવિદ્યાલય, સેલુમાં મરાઠીના અધ્યાપક તરીકે કામગીરી કરી. તેઓ 1986માં મરાઠી ગ્રામીણ સાહિત્ય પરિષદના સભ્ય; તથા 1986-89 દરમિયાન મહારાષ્ટ્ર સ્ટેટ લાઇબ્રેરિયન ઍસોસિયેશનના સેક્રેટરી રહ્યા. તેમણે અત્યાર સુધીમાં મરાઠીમાં 10 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘કોરસ’ (1980),…

વધુ વાંચો >

વાવણીયંત્ર

Jan 30, 2005

વાવણીયંત્ર : વાવણી કરવા માટે ઉપયોગમાં લેવાતું યંત્ર. ખેતરમાં વાવણીયંત્ર દ્વારા બીજની થતી વાવણી એ એક કૌશલ્યનો વિષય છે. વ્યવસ્થિત વાવણી કરવાથી એકમ વિસ્તારમાં બીજની સંખ્યા જળવાય છે અને તેમની જરૂરી ઊંડાઈએ વાવણી થાય છે. પાસે-પાસેની હાર વચ્ચેનું અંતર અને પ્રત્યેક હારમાં બે છોડ વચ્ચેનું અંતર જળવાય છે. બીજની વાવણી…

વધુ વાંચો >

વાવાઝોડું

Jan 30, 2005

વાવાઝોડું : અતિશય વેગસહિત ફૂંકાતા કેન્દ્રગામી પવનોના ધસારાથી વિનાશ વેરતી ઘટના. વાવાઝોડું એ એક એવી ઘટના છે, જે જ્યાં ત્રાટકે છે ત્યાં તારાજી સર્જે છે. ચક્રાકારે ઘૂમરી ખાતા વાવાઝોડા(ચક્રવાત)માં પવનનો વેગ કલાકે 100થી 200 કિમી.નો હોય છે, તેમાં પવનના પ્રચંડ સુસવાટા અને થપાટો કેટલા સમયગાળા માટે ચાલુ રહે છે, તેના…

વધુ વાંચો >

વાસણ-ઉદ્યોગ

Jan 30, 2005

વાસણ-ઉદ્યોગ : વાસણ બનાવવાનો ઉદ્યોગ. માનવ-સંસ્કૃતિની પ્રગતિ સાથે મનુષ્યે ખેતી અને પશુપાલનનો વ્યવસાય અપનાવ્યો હતો. સ્થાયી જીવન માટે આવશ્યક અન્ન, કપડાં તથા મકાનની જરૂરિયાત સ્વીકારી હતી. અનુભવે તેને શીખવ્યું હતું કે કાચા ખોરાક કરતાં પકવેલ ખોરાક પચવામાં સુગમ હોય છે અને મીઠો લાગે છે; પરંતુ અન્ન પકવવા માટેનાં વાસણો બનાવવાનો…

વધુ વાંચો >

વાસન, એસ. એસ.

Jan 30, 2005

વાસન, એસ. એસ. (જ. 10 માર્ચ 1903, તિરુતિરાઇપુન્ડી, જિ. તાંજાવુર, તામિલનાડુ; અ. 26 ઑગસ્ટ 1969) : દક્ષિણ ભારતના મહાન ચલચિત્રનિર્માતા-દિગ્દર્શક. તેમનો જન્મ ગરીબ પરિવારમાં થયો હતો. મૂળ નામ તિરુતિરાઇપુન્ડી સુબ્રહ્મણ્ય શ્રીનિવાસન ઐયર. નાનપણમાં પિતાનું મૃત્યુ થતાં માતા સાથે તેઓ ચૈન્નાઈ આવીને વસ્યા હતા. ઇન્ટરમીડિયેટ પાસ કરીને તેમણે વિજ્ઞાપનક્ષેત્રે ઝંપલાવ્યું હતું.…

વધુ વાંચો >

વાસન્તી (વાસન્તી સુંદરમ્) (શ્રીમતી)

Jan 30, 2005

વાસન્તી (વાસન્તી સુંદરમ્) (શ્રીમતી) (જ. 26 જુલાઈ 1941, તુમકુર, કર્ણાટક) : તમિળ નવલકથાકાર, વાર્તાકાર. તેમણે બી.એ.ની પદવી મેળવ્યા બાદ ઑસ્લો યુનિવર્સિટીમાંથી ઇન્ટરનૅશનલ ડેવલપમેન્ટ સ્ટડીઝમાં પી. જી. ડિપ્લોમા મેળવ્યો. પછી તમિળ સામયિક ‘ઇન્ડિયા ટુ ડે’નાં સંપાદક બન્યાં. પત્રકારત્વ સાથે તેમણે લેખનકાર્ય કર્યું. તેઓ ઑથર્સ ગિલ્ડ ઑવ્ ઇન્ડિયા; ઑલ ઇન્ડિયા વિમેન્સ કૉન્ફરન્સ…

વધુ વાંચો >

વાસવદત્તા

Jan 30, 2005

વાસવદત્તા : સંસ્કૃત સાહિત્યનું અગ્રગણ્ય ગદ્યકાવ્ય. કથા-પ્રકારના આ ગદ્યકાવ્યના લેખક સુબંધુ છે. પ્રસ્તુત રચનામાં રાજા ચિંતામણિના કુંવર કંદર્પકેતુ અને રાજા શૃંગારશેખરની કુંવરી વાસવદત્તા વચ્ચેના પ્રણયની કથા વર્ણવવામાં આવી છે. પ્રસ્તુત ગદ્યકાવ્યમાં નાયક રાજકુમાર કંદર્પકેતુને સ્વપ્નમાં કોઈક સુંદર યુવતી દેખાય છે અને તે યુવતીથી આકર્ષાઈને તેને શોધવા પોતાના મિત્ર મકરંદ સાથે…

વધુ વાંચો >

વાસવાણી, કિશોર

Jan 30, 2005

વાસવાણી, કિશોર [જ. 11 ઑગસ્ટ 1944, સુખર, સિંધ (હાલ પાકિસ્તાનમાં)] : હિંદી લેખક. તેમણે જીવાજી યુનિવર્સિટીમાંથી હિંદીમાં એમ.એ. અને પુણે યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી મેળવી તથા ફિલ્મ એપ્રિસિયેશન કોર્સ કર્યો. તેઓ વડોદરા ખાતે નૅશનલ કાઉન્સિલ ફૉર પ્રમોશન ઑવ્ સિંધી લૅંગ્વેજના નિયામક; સ્ટેલા મેરીઝ કૉલેજમાં બૉર્ડ ઑવ્ સ્ટડીઝના સભ્ય; પુણે યુનિવર્સિટી, અવિનાશીલિંગમ્…

વધુ વાંચો >

વાસવાણી, ખુશીરામ નેભરાજ

Jan 30, 2005

વાસવાણી, ખુશીરામ નેભરાજ (જ. 19 મે 1911, હૈદરાબાદ, સિંધ [હાલ પાકિસ્તાનમાં]) : સિંધી અને ભારતીય અંગ્રેજીના લેખક. તેમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી 1934માં ઇતિહાસ સાથે એમ.એ. અને 1936માં એલએલ.બી.ની પદવી મેળવી. તેઓ નૅશનલ કૉલેજ, હૈદરાબાદમાંથી ઇતિહાસ અને અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે સેવાનિવૃત્ત થયા. તેઓ વિવેકાનંદ રોક મેમૉરિયલના ઉપપ્રમુખ; ગાંધી સોસાયટી, દિલ્હીના નિયામક; 1956-57માં…

વધુ વાંચો >

વાસવાણી, હરીશ

Jan 30, 2005

વાસવાણી, હરીશ (જ. 22 નવેમ્બર 1940, લોરાલાઈ, બલૂચિસ્તાન, સિંધ) : સિંધી ભાષાના કવિ, વાર્તાકાર અને સમીક્ષક. 1959થી આદિપુર(કચ્છ)માં સ્થાયી થયા છે. 1961માં બી.એ.ની પરીક્ષા આપી અને યુનિવર્સિટીમાં પ્રથમ આવ્યા. અલીગઢ યુનિવર્સિટીમાંથી ત્રણ વિષયોમાં અનુસ્નાતક થયા – પૉલિટિકલ સાયન્સ (1964), અંગ્રેજી (1968) અને હિન્દી (1970). 1962થી તોલાણી આર્ટ્સઅને સાયન્સ કૉલેજ, આદિપુર…

વધુ વાંચો >

વાસંતન, એસ. કે.

Jan 30, 2005

વાસંતન, એસ. કે. (જ. 17 નવેમ્બર 1935, એડપ્પલ્લી, ઍર્નાકુલમ્, કેરળ) : મલયાળમ લેખક. તેમણે કેરળ યુનિવર્સિટીમાંથી અંગ્રેજીમાં અને મલયાળમમાં એમ.એ. અને પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. શ્રી શંકરાચાર્ય યુનિવર્સિટી ઑવ્ સંસ્કૃત, કાલાડીમાં મુલાકાતી પ્રાધ્યાપક તરીકે અધ્યાપનકાર્ય કર્યું. તેઓ કેરળ સાહિત્ય અકાદમી તથા મહાત્મા ગાંધી યુનિવર્સિટી, કોટ્ટયમના સભ્યપદે રહેલા. તેમણે અત્યાર સુધીમાં…

વધુ વાંચો >