૧૯.૩૦

વાવણીયંત્રથી વાહિગુરુ

વાવણીયંત્ર

વાવણીયંત્ર : વાવણી કરવા માટે ઉપયોગમાં લેવાતું યંત્ર. ખેતરમાં વાવણીયંત્ર દ્વારા બીજની થતી વાવણી એ એક કૌશલ્યનો વિષય છે. વ્યવસ્થિત વાવણી કરવાથી એકમ વિસ્તારમાં બીજની સંખ્યા જળવાય છે અને તેમની જરૂરી ઊંડાઈએ વાવણી થાય છે. પાસે-પાસેની હાર વચ્ચેનું અંતર અને પ્રત્યેક હારમાં બે છોડ વચ્ચેનું અંતર જળવાય છે. બીજની વાવણી…

વધુ વાંચો >

વાવાઝોડું

વાવાઝોડું : અતિશય વેગસહિત ફૂંકાતા કેન્દ્રગામી પવનોના ધસારાથી વિનાશ વેરતી ઘટના. વાવાઝોડું એ એક એવી ઘટના છે, જે જ્યાં ત્રાટકે છે ત્યાં તારાજી સર્જે છે. ચક્રાકારે ઘૂમરી ખાતા વાવાઝોડા(ચક્રવાત)માં પવનનો વેગ કલાકે 100થી 200 કિમી.નો હોય છે, તેમાં પવનના પ્રચંડ સુસવાટા અને થપાટો કેટલા સમયગાળા માટે ચાલુ રહે છે, તેના…

વધુ વાંચો >

વાસણ-ઉદ્યોગ

વાસણ-ઉદ્યોગ : વાસણ બનાવવાનો ઉદ્યોગ. માનવ-સંસ્કૃતિની પ્રગતિ સાથે મનુષ્યે ખેતી અને પશુપાલનનો વ્યવસાય અપનાવ્યો હતો. સ્થાયી જીવન માટે આવશ્યક અન્ન, કપડાં તથા મકાનની જરૂરિયાત સ્વીકારી હતી. અનુભવે તેને શીખવ્યું હતું કે કાચા ખોરાક કરતાં પકવેલ ખોરાક પચવામાં સુગમ હોય છે અને મીઠો લાગે છે; પરંતુ અન્ન પકવવા માટેનાં વાસણો બનાવવાનો…

વધુ વાંચો >

વાસન, એસ. એસ.

વાસન, એસ. એસ. (જ. 10 માર્ચ 1903, તિરુતિરાઇપુન્ડી, જિ. તાંજાવુર, તામિલનાડુ; અ. 26 ઑગસ્ટ 1969) : દક્ષિણ ભારતના મહાન ચલચિત્રનિર્માતા-દિગ્દર્શક. તેમનો જન્મ ગરીબ પરિવારમાં થયો હતો. મૂળ નામ તિરુતિરાઇપુન્ડી સુબ્રહ્મણ્ય શ્રીનિવાસન ઐયર. નાનપણમાં પિતાનું મૃત્યુ થતાં માતા સાથે તેઓ ચૈન્નાઈ આવીને વસ્યા હતા. ઇન્ટરમીડિયેટ પાસ કરીને તેમણે વિજ્ઞાપનક્ષેત્રે ઝંપલાવ્યું હતું.…

વધુ વાંચો >

વાસન્તી (વાસન્તી સુંદરમ્) (શ્રીમતી)

વાસન્તી (વાસન્તી સુંદરમ્) (શ્રીમતી) (જ. 26 જુલાઈ 1941, તુમકુર, કર્ણાટક) : તમિળ નવલકથાકાર, વાર્તાકાર. તેમણે બી.એ.ની પદવી મેળવ્યા બાદ ઑસ્લો યુનિવર્સિટીમાંથી ઇન્ટરનૅશનલ ડેવલપમેન્ટ સ્ટડીઝમાં પી. જી. ડિપ્લોમા મેળવ્યો. પછી તમિળ સામયિક ‘ઇન્ડિયા ટુ ડે’નાં સંપાદક બન્યાં. પત્રકારત્વ સાથે તેમણે લેખનકાર્ય કર્યું. તેઓ ઑથર્સ ગિલ્ડ ઑવ્ ઇન્ડિયા; ઑલ ઇન્ડિયા વિમેન્સ કૉન્ફરન્સ…

વધુ વાંચો >

વાસવદત્તા

વાસવદત્તા : સંસ્કૃત સાહિત્યનું અગ્રગણ્ય ગદ્યકાવ્ય. કથા-પ્રકારના આ ગદ્યકાવ્યના લેખક સુબંધુ છે. પ્રસ્તુત રચનામાં રાજા ચિંતામણિના કુંવર કંદર્પકેતુ અને રાજા શૃંગારશેખરની કુંવરી વાસવદત્તા વચ્ચેના પ્રણયની કથા વર્ણવવામાં આવી છે. પ્રસ્તુત ગદ્યકાવ્યમાં નાયક રાજકુમાર કંદર્પકેતુને સ્વપ્નમાં કોઈક સુંદર યુવતી દેખાય છે અને તે યુવતીથી આકર્ષાઈને તેને શોધવા પોતાના મિત્ર મકરંદ સાથે…

વધુ વાંચો >

વાસવાણી, કિશોર

વાસવાણી, કિશોર [જ. 11 ઑગસ્ટ 1944, સુખર, સિંધ (હાલ પાકિસ્તાનમાં)] : હિંદી લેખક. તેમણે જીવાજી યુનિવર્સિટીમાંથી હિંદીમાં એમ.એ. અને પુણે યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી મેળવી તથા ફિલ્મ એપ્રિસિયેશન કોર્સ કર્યો. તેઓ વડોદરા ખાતે નૅશનલ કાઉન્સિલ ફૉર પ્રમોશન ઑવ્ સિંધી લૅંગ્વેજના નિયામક; સ્ટેલા મેરીઝ કૉલેજમાં બૉર્ડ ઑવ્ સ્ટડીઝના સભ્ય; પુણે યુનિવર્સિટી, અવિનાશીલિંગમ્…

વધુ વાંચો >

વાસવાણી, ખુશીરામ નેભરાજ

વાસવાણી, ખુશીરામ નેભરાજ (જ. 19 મે 1911, હૈદરાબાદ, સિંધ [હાલ પાકિસ્તાનમાં]) : સિંધી અને ભારતીય અંગ્રેજીના લેખક. તેમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી 1934માં ઇતિહાસ સાથે એમ.એ. અને 1936માં એલએલ.બી.ની પદવી મેળવી. તેઓ નૅશનલ કૉલેજ, હૈદરાબાદમાંથી ઇતિહાસ અને અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે સેવાનિવૃત્ત થયા. તેઓ વિવેકાનંદ રોક મેમૉરિયલના ઉપપ્રમુખ; ગાંધી સોસાયટી, દિલ્હીના નિયામક; 1956-57માં…

વધુ વાંચો >

વાસવાણી, હરીશ

વાસવાણી, હરીશ (જ. 22 નવેમ્બર 1940, લોરાલાઈ, બલૂચિસ્તાન, સિંધ) : સિંધી ભાષાના કવિ, વાર્તાકાર અને સમીક્ષક. 1959થી આદિપુર(કચ્છ)માં સ્થાયી થયા છે. 1961માં બી.એ.ની પરીક્ષા આપી અને યુનિવર્સિટીમાં પ્રથમ આવ્યા. અલીગઢ યુનિવર્સિટીમાંથી ત્રણ વિષયોમાં અનુસ્નાતક થયા – પૉલિટિકલ સાયન્સ (1964), અંગ્રેજી (1968) અને હિન્દી (1970). 1962થી તોલાણી આર્ટ્સઅને સાયન્સ કૉલેજ, આદિપુર…

વધુ વાંચો >

વાસંતન, એસ. કે.

વાસંતન, એસ. કે. (જ. 17 નવેમ્બર 1935, એડપ્પલ્લી, ઍર્નાકુલમ્, કેરળ) : મલયાળમ લેખક. તેમણે કેરળ યુનિવર્સિટીમાંથી અંગ્રેજીમાં અને મલયાળમમાં એમ.એ. અને પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. શ્રી શંકરાચાર્ય યુનિવર્સિટી ઑવ્ સંસ્કૃત, કાલાડીમાં મુલાકાતી પ્રાધ્યાપક તરીકે અધ્યાપનકાર્ય કર્યું. તેઓ કેરળ સાહિત્ય અકાદમી તથા મહાત્મા ગાંધી યુનિવર્સિટી, કોટ્ટયમના સભ્યપદે રહેલા. તેમણે અત્યાર સુધીમાં…

વધુ વાંચો >

વાહકતામિતિ

Jan 30, 2005

વાહકતામિતિ : જુઓ કન્ડક્ટૉમિટ્રી.

વધુ વાંચો >

વાહકપેશીધારી વનસ્પતિ

Jan 30, 2005

વાહકપેશીધારી વનસ્પતિ : વાહકપેશીઓ ધરાવતી વનસ્પતિ. વનસ્પતિમાં પાણી અને ખોરાકના વહન માટે ભિન્ન ભિન્ન પ્રકારની પેશીઓ આવેલી હોય છે. જમીનમાં રહેલું પાણી તથા તેમાં દ્રાવ્યક્ષારોનું પ્રકાંડ અને પર્ણ તરફ વહન કરતી પેશી જલવાહક (xylem) તરીકે ઓળખાય છે. જલવાહક પેશીમાં (1) જલવાહિનીકી (tracheids), (2) જલવાહિની (tracheae or vessels), (3) જલવાહક મૃદૂતક…

વધુ વાંચો >

વાહક-સંકલ્પના (carrier concept)

Jan 30, 2005

વાહક-સંકલ્પના (carrier concept) : કોષમાં પટલ (membrane) મારફતે થતી આયનો કે ચયાપચયકો(metabolites)ની વહન-પ્રક્રિયા માટે આપવામાં આવેલી એક સંકલ્પના. કોષમાં આ પદાર્થોની વહન-પ્રક્રિયા મંદ (passive) અથવા સક્રિય વહન (active transport) દ્વારા થાય છે. મંદ વહનની પ્રક્રિયા હંમેશાં સાંદ્રતા-ઢાળ(concentration gradient)ની દિશામાં થાય છે; એટલે કે પદાર્થનું ઊંચી સાંદ્રતા તરફથી ઓછી સાંદ્રતા તરફ…

વધુ વાંચો >

વાહકો (carriers)

Jan 30, 2005

વાહકો (carriers) : રોગકારક ઘટકોનું પ્રસરણ કરનાર તંદુરસ્ત કે રોગગ્રસ્ત માનવી, જીવાણુ (bacteria) અને વિષાણુ જેવા સૂક્ષ્મ જીવો, કીટકો અને/અથવા પર્યાવરણિક પરિબળો જેવા પ્રક્રિયકો (agents). રોગવાહક તરીકે માનવી : માનવના શરીરમાં અસંખ્ય જાતના સૂક્ષ્મજીવો વસતા હોય છે; પરંતુ માનવશરીર પોતાને આવા વ્યાધિજનોથી સુરક્ષિત રાખે તેવું પ્રતિરક્ષાતંત્ર (immunity system) અને અન્ય…

વધુ વાંચો >

વાહનમંડપ

Jan 30, 2005

વાહનમંડપ : હિંદુ મંદિર સ્થાપત્યમાં દેવના વાહન માટેનો સ્વતંત્ર મંડપ. મંદિરમાં મોટેભાગે રંગમંડપ કે સભામંડપ જોવા મળે છે. ક્યારેક રંગમંડપની સાથે ગૂઢ મંડપ પણ હોય છે. ઓરિસાના મંદિર-સ્થાપત્યમાં ભોગમંડપ અને નટમંડપ નામના બીજાના બે વધારાના મંડપ હોય છે. મોટેભાગે દક્ષિણ ભારતનાં હિંદુ મંદિરોમાં દેવના વાહન માટેનો સ્વતંત્ર મંડપ પણ જોવા…

વધુ વાંચો >

વાહિગુરુ

Jan 30, 2005

વાહિગુરુ : શીખ ધર્મમાં પરમાત્માના નામજપ અને સ્મરણ માટેનો ગુરુમંત્ર. ‘વાહિગુરુ’ નામની એક સમજૂતી એ વાસુદેવ, હરિ, ગોવિંદ અને રામ એ ચાર હરિનામોના આદ્યાક્ષરો લઈને બનાવેલું છે એમ આપવામાં આવે છે. ‘વાહિગુરુ’નો શબ્દાર્થ છે, વિસ્મયકારી મહાન પરમાત્મા કે મહાન પરમાત્માને ધન્યવાદ હજો. પ્રભુભક્તિથી નિર્મળ થયેલો શીખ જ્યારે પરમાત્માની લીલાની વિસ્મયકારી…

વધુ વાંચો >