૧૯.૩૦

વાવણીયંત્રથી વાહિગુરુ

વાસ્કો-દ-ગામા

વાસ્કો-દ-ગામા (જ. 1460 સાઇનીસ, પૉર્ટુગલ, અ. 24 ડિસેમ્બર 1524, કોચિન, ભારત) : પૂર્વયુરોપથી કેપ ઑવ્ ગુડ હોપ થઈને ભારત સુધીનો દરિયાઈ માર્ગ શોધનાર પોર્ટુગીઝ નાવિક. તેણે ખગોળશાસ્ત્ર અને નૌકાવિદ્યાનો અભ્યાસ કર્યો હતો. 1492માં તે નૌકા-અધિકારી બન્યો અને પૉર્ટુગલના કિનારા પરનાં વહાણો ઉપર હકૂમત ધરાવતો હતો. ઈ. સ. 1488માં બાર્થોલૉમ્યુ ડાયઝ…

વધુ વાંચો >

વાસ્તવવાદ (Realism) (સાહિત્ય-કલાક્ષેત્રે)

વાસ્તવવાદ (Realism) (સાહિત્ય-કલાક્ષેત્રે) : 19મી સદીના ઉત્તરાર્ધમાં કૌતુકવાદ અને આદર્શવાદની પ્રતિક્રિયા રૂપે આવેલા આંદોલનના સંદર્ભ સાથે સંલગ્ન સંજ્ઞા. એ પૂર્વે જોન લૉક અને થૉમસ રીડ જેવા ચિંતકોએ બાહ્યજગત અને મનુષ્ય-ચેતનાનો સંબંધ તપાસતાં આ સંજ્ઞાનો ઉપયોગ કરેલો; અને ચિત્રકલા તેમજ શિલ્પકલાક્ષેત્રે પણ આ સંજ્ઞાને, આકૃતિઓ અને દૃશ્યો રોજિંદા જીવનમાં અનુભવાય છે…

વધુ વાંચો >

વાસ્તવવાદ (તત્વજ્ઞાન)

વાસ્તવવાદ (તત્વજ્ઞાન) : દેશકાળમાં ઉપસ્થિત જગતની ભૌતિક વસ્તુઓ તમામ જ્ઞાતાઓથી સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવે છે એવી માન્યતા ધરાવતો તત્વજ્ઞાનના ક્ષેત્રે પ્રચલિત મત. વાસ્તવવાદ (realism) પ્રમાણે આવી સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતી બાહ્ય વસ્તુઓના ગુણધર્મો કે તેના પરસ્પરના સંબંધો જ્ઞાતાના મનમાં તેને વિશેની વિભાવનાઓથી કે જ્ઞાતા તેને જે રીતે ભાષામાં વ્યક્ત કરે છે…

વધુ વાંચો >

વાસ્તવિક વાયુઓ (real gases)

વાસ્તવિક વાયુઓ (real gases) : પોતાના અણુઓ વચ્ચે અર્થપૂર્ણ (significant) આંતરક્રિયાને કારણે આદર્શ વાયુ સમીકરણ(ideal gas equation)નું પાલન ન કરતા હોય તેવા વાયુઓ. તેમને અનાદર્શ (nonideal) અથવા અપૂર્ણ (imperfect) વાયુઓ પણ કહે છે. જે વાયુની PVT વર્તણૂક (P = દબાણ, V = કદ, T = તાપમાન) નીચેના સમીકરણને અનુસરે તેને…

વધુ વાંચો >

વાસ્તુશાસ્ત્ર (ભારતીય)

વાસ્તુશાસ્ત્ર (ભારતીય) : ભવનનિર્માણકલાનું પ્રતિપાદક સ્થાપત્યશાસ્ત્ર. ‘વાસ્તુ’ શબ્દના મૂળમાં ‘वस्’ ધાતુ છે; જેનો અર્થ થાય છે ‘કોઈ એક સ્થાને નિવાસ કરવો.’ ‘વાસ્તુ’નો અર્થ થાય છે ‘જેમાં મનુષ્ય અથવા દેવતા નિવાસ કરે છે તે ભવન’. ભારતીય સૌંદર્યશાસ્ત્રમાં વાસ્તુકલાની આશ્રિત કલાઓના રૂપમાં મૂર્તિકલા અને ચિત્રકલાના ઉલ્લેખો પણ મળે છે. વાસ્તવમાં વાસ્તુકલા અને…

વધુ વાંચો >

વાસ્તુસાર

વાસ્તુસાર : વાસ્તુશાસ્ત્રને લગતો પ્રાકૃત ગ્રંથ. પ્રાકૃતમાં જેને શાસ્ત્રીય ગ્રંથ કહીએ એવા અનેક ગ્રંથો રચાયા છે. તેમાં આ વાસ્તુસારનો પણ સમાવેશ થાય છે. પૂર્વશાસ્ત્રોનો અભ્યાસ કરીને સંવત 1372(ઈ. સ. 1316)માં ઠક્કુર ફેરૂએ ‘વાસ્તુસાર’ની રચના કરી. તેમાં ગૃહવાસ્તુપ્રકરણમાં 158 ગાથાઓ છે, જેમાં ભૂમિપરીક્ષા, ભૂમિસાધના, ભૂમિલક્ષણ, માસફળ, પાયો નાખવાનું લગ્ન, ગૃહપ્રવેશલગ્ન અને…

વધુ વાંચો >

વાસ્તોષ્પતિ

વાસ્તોષ્પતિ : વેદ અને પુરાણોમાં વર્ણવાયેલા એક દેવતા. પ્રાચીન સમયમાં માનવી ગુફાઓ, નદીકાંઠે કે જંગલમાં રહેતો હતો. વૃક્ષની ડાળીઓને એકબીજા સાથે જોડાતી જોઈ તેને ઘરનો ખ્યાલ પર્ણકુટિ રૂપે આવ્યો. કાળક્રમે તેમાંથી ઘરની કલ્પના સાકાર થઈ. મોહેં-જો-દડોનું ઉત્ખનન ઈ. પૂ. 5000 લગભગ થયું ત્યારે ગૃહરચના અને નગરરચના મૂર્ત થઈ ચૂકી હતી.…

વધુ વાંચો >

વાહક (પરિવહન)

વાહક (પરિવહન) : ખુદ જાતે વહીને એની સાથેના પદાર્થોનું વહન કરે એવું માનવસર્જિત સાધન. વાહક પરિવહન પદ્ધતિ(transportation system)નું એક અંગ છે. વાહક માનવસર્જિત હોવું જોઈએ. ચક્રવાતમાં ફસાયેલ પદાર્થોનું વહન થાય છે, પરંતુ ચક્રવાત માનવસર્જિત નથી, તેથી ચક્રવાત વાહક નથી. નલિકાઓ પદાર્થોનું વહન કરે છે, પરંતુ ખુદ વહન થતી નથી તેથી…

વધુ વાંચો >

વાહકતા (ખગોળીય)

વાહકતા (ખગોળીય) : અવકાશ(space)માં સર્જાતી અનેક ઘટનાઓમાં વીજાણુમય અવસ્થામાં રહેલ વાયુ(plasma)માં, ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ પ્રવર્તતા પ્રવાહો. આ પ્રકારે સર્જાતા વિદ્યુતપ્રવાહોને કંઈ સામાન્ય ધાતુ જેવા પદાર્થમાં સર્જાતા ઓહમ્(ohm)ના નિયમ અનુસાર વર્ણવી ન શકાય; કારણ કે ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા વીજાણુ પર તેની ગતિની દિશા તેમજ ચુંબકીય ક્ષેત્રની દિશા, બંનેને લંબ…

વધુ વાંચો >

વાહકતા-જલ (conductivity water અથવા conductance water)

વાહકતા-જલ (conductivity water અથવા conductance water) : ભૌતિક રસાયણમાં ચોકસાઈવાળાં વાહકતામાપનો માટે ઉપયોગમાં લેવાતું અત્યંત શુદ્ધ પાણી. વિદ્યુતવિભાજ્ય(electrolyte)ના દ્રાવણની વાહકતા તેમાં રહેલી અન્ય વિદ્યુતવિભાજનીય (electrolytic) અશુદ્ધિઓની અલ્પ માત્રા પ્રત્યે પણ ખૂબ સંવેદી (sensitive) હોય છે. આથી આવાં દ્રાવણો બનાવતી વખતે ઉપયોગમાં લેવાતું પાણી અત્યંત શુદ્ધ હોય તે જરૂરી છે. પ્રયોગશાળામાં…

વધુ વાંચો >

વાવણીયંત્ર

Jan 30, 2005

વાવણીયંત્ર : વાવણી કરવા માટે ઉપયોગમાં લેવાતું યંત્ર. ખેતરમાં વાવણીયંત્ર દ્વારા બીજની થતી વાવણી એ એક કૌશલ્યનો વિષય છે. વ્યવસ્થિત વાવણી કરવાથી એકમ વિસ્તારમાં બીજની સંખ્યા જળવાય છે અને તેમની જરૂરી ઊંડાઈએ વાવણી થાય છે. પાસે-પાસેની હાર વચ્ચેનું અંતર અને પ્રત્યેક હારમાં બે છોડ વચ્ચેનું અંતર જળવાય છે. બીજની વાવણી…

વધુ વાંચો >

વાવાઝોડું

Jan 30, 2005

વાવાઝોડું : અતિશય વેગસહિત ફૂંકાતા કેન્દ્રગામી પવનોના ધસારાથી વિનાશ વેરતી ઘટના. વાવાઝોડું એ એક એવી ઘટના છે, જે જ્યાં ત્રાટકે છે ત્યાં તારાજી સર્જે છે. ચક્રાકારે ઘૂમરી ખાતા વાવાઝોડા(ચક્રવાત)માં પવનનો વેગ કલાકે 100થી 200 કિમી.નો હોય છે, તેમાં પવનના પ્રચંડ સુસવાટા અને થપાટો કેટલા સમયગાળા માટે ચાલુ રહે છે, તેના…

વધુ વાંચો >

વાસણ-ઉદ્યોગ

Jan 30, 2005

વાસણ-ઉદ્યોગ : વાસણ બનાવવાનો ઉદ્યોગ. માનવ-સંસ્કૃતિની પ્રગતિ સાથે મનુષ્યે ખેતી અને પશુપાલનનો વ્યવસાય અપનાવ્યો હતો. સ્થાયી જીવન માટે આવશ્યક અન્ન, કપડાં તથા મકાનની જરૂરિયાત સ્વીકારી હતી. અનુભવે તેને શીખવ્યું હતું કે કાચા ખોરાક કરતાં પકવેલ ખોરાક પચવામાં સુગમ હોય છે અને મીઠો લાગે છે; પરંતુ અન્ન પકવવા માટેનાં વાસણો બનાવવાનો…

વધુ વાંચો >

વાસન, એસ. એસ.

Jan 30, 2005

વાસન, એસ. એસ. (જ. 10 માર્ચ 1903, તિરુતિરાઇપુન્ડી, જિ. તાંજાવુર, તામિલનાડુ; અ. 26 ઑગસ્ટ 1969) : દક્ષિણ ભારતના મહાન ચલચિત્રનિર્માતા-દિગ્દર્શક. તેમનો જન્મ ગરીબ પરિવારમાં થયો હતો. મૂળ નામ તિરુતિરાઇપુન્ડી સુબ્રહ્મણ્ય શ્રીનિવાસન ઐયર. નાનપણમાં પિતાનું મૃત્યુ થતાં માતા સાથે તેઓ ચૈન્નાઈ આવીને વસ્યા હતા. ઇન્ટરમીડિયેટ પાસ કરીને તેમણે વિજ્ઞાપનક્ષેત્રે ઝંપલાવ્યું હતું.…

વધુ વાંચો >

વાસન્તી (વાસન્તી સુંદરમ્) (શ્રીમતી)

Jan 30, 2005

વાસન્તી (વાસન્તી સુંદરમ્) (શ્રીમતી) (જ. 26 જુલાઈ 1941, તુમકુર, કર્ણાટક) : તમિળ નવલકથાકાર, વાર્તાકાર. તેમણે બી.એ.ની પદવી મેળવ્યા બાદ ઑસ્લો યુનિવર્સિટીમાંથી ઇન્ટરનૅશનલ ડેવલપમેન્ટ સ્ટડીઝમાં પી. જી. ડિપ્લોમા મેળવ્યો. પછી તમિળ સામયિક ‘ઇન્ડિયા ટુ ડે’નાં સંપાદક બન્યાં. પત્રકારત્વ સાથે તેમણે લેખનકાર્ય કર્યું. તેઓ ઑથર્સ ગિલ્ડ ઑવ્ ઇન્ડિયા; ઑલ ઇન્ડિયા વિમેન્સ કૉન્ફરન્સ…

વધુ વાંચો >

વાસવદત્તા

Jan 30, 2005

વાસવદત્તા : સંસ્કૃત સાહિત્યનું અગ્રગણ્ય ગદ્યકાવ્ય. કથા-પ્રકારના આ ગદ્યકાવ્યના લેખક સુબંધુ છે. પ્રસ્તુત રચનામાં રાજા ચિંતામણિના કુંવર કંદર્પકેતુ અને રાજા શૃંગારશેખરની કુંવરી વાસવદત્તા વચ્ચેના પ્રણયની કથા વર્ણવવામાં આવી છે. પ્રસ્તુત ગદ્યકાવ્યમાં નાયક રાજકુમાર કંદર્પકેતુને સ્વપ્નમાં કોઈક સુંદર યુવતી દેખાય છે અને તે યુવતીથી આકર્ષાઈને તેને શોધવા પોતાના મિત્ર મકરંદ સાથે…

વધુ વાંચો >

વાસવાણી, કિશોર

Jan 30, 2005

વાસવાણી, કિશોર [જ. 11 ઑગસ્ટ 1944, સુખર, સિંધ (હાલ પાકિસ્તાનમાં)] : હિંદી લેખક. તેમણે જીવાજી યુનિવર્સિટીમાંથી હિંદીમાં એમ.એ. અને પુણે યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી મેળવી તથા ફિલ્મ એપ્રિસિયેશન કોર્સ કર્યો. તેઓ વડોદરા ખાતે નૅશનલ કાઉન્સિલ ફૉર પ્રમોશન ઑવ્ સિંધી લૅંગ્વેજના નિયામક; સ્ટેલા મેરીઝ કૉલેજમાં બૉર્ડ ઑવ્ સ્ટડીઝના સભ્ય; પુણે યુનિવર્સિટી, અવિનાશીલિંગમ્…

વધુ વાંચો >

વાસવાણી, ખુશીરામ નેભરાજ

Jan 30, 2005

વાસવાણી, ખુશીરામ નેભરાજ (જ. 19 મે 1911, હૈદરાબાદ, સિંધ [હાલ પાકિસ્તાનમાં]) : સિંધી અને ભારતીય અંગ્રેજીના લેખક. તેમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી 1934માં ઇતિહાસ સાથે એમ.એ. અને 1936માં એલએલ.બી.ની પદવી મેળવી. તેઓ નૅશનલ કૉલેજ, હૈદરાબાદમાંથી ઇતિહાસ અને અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે સેવાનિવૃત્ત થયા. તેઓ વિવેકાનંદ રોક મેમૉરિયલના ઉપપ્રમુખ; ગાંધી સોસાયટી, દિલ્હીના નિયામક; 1956-57માં…

વધુ વાંચો >

વાસવાણી, હરીશ

Jan 30, 2005

વાસવાણી, હરીશ (જ. 22 નવેમ્બર 1940, લોરાલાઈ, બલૂચિસ્તાન, સિંધ) : સિંધી ભાષાના કવિ, વાર્તાકાર અને સમીક્ષક. 1959થી આદિપુર(કચ્છ)માં સ્થાયી થયા છે. 1961માં બી.એ.ની પરીક્ષા આપી અને યુનિવર્સિટીમાં પ્રથમ આવ્યા. અલીગઢ યુનિવર્સિટીમાંથી ત્રણ વિષયોમાં અનુસ્નાતક થયા – પૉલિટિકલ સાયન્સ (1964), અંગ્રેજી (1968) અને હિન્દી (1970). 1962થી તોલાણી આર્ટ્સઅને સાયન્સ કૉલેજ, આદિપુર…

વધુ વાંચો >

વાસંતન, એસ. કે.

Jan 30, 2005

વાસંતન, એસ. કે. (જ. 17 નવેમ્બર 1935, એડપ્પલ્લી, ઍર્નાકુલમ્, કેરળ) : મલયાળમ લેખક. તેમણે કેરળ યુનિવર્સિટીમાંથી અંગ્રેજીમાં અને મલયાળમમાં એમ.એ. અને પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. શ્રી શંકરાચાર્ય યુનિવર્સિટી ઑવ્ સંસ્કૃત, કાલાડીમાં મુલાકાતી પ્રાધ્યાપક તરીકે અધ્યાપનકાર્ય કર્યું. તેઓ કેરળ સાહિત્ય અકાદમી તથા મહાત્મા ગાંધી યુનિવર્સિટી, કોટ્ટયમના સભ્યપદે રહેલા. તેમણે અત્યાર સુધીમાં…

વધુ વાંચો >