૧૯.૨૯

વારાંગલથી વાવડિંગ

વારાંગલ

વારાંગલ : આંધ્રપ્રદેશના ઉત્તર વિભાગમાં આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 17° 19´થી 18° 36´ ઉ. અ. અને 78° 49´થી 80° 43´ પૂ. રે. વચ્ચેનો 12,846 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે કરીમનગર, પૂર્વ અને અગ્નિ તરફ ખમ્મામ, દક્ષિણમાં ખમ્મામ અને નાલગોંડા તથા…

વધુ વાંચો >

વારિયર, ઉણ્ણયિ (18મી સદી)

વારિયર, ઉણ્ણયિ (18મી સદી) : મલયાળમ ભાષાના નાટ્યકાર. તેમનો જન્મ ઇરિંગલકુડા ખાતે પુરોહિત પરિવારમાં થયો હતો. તેઓ તિરુવનંતપુરમના રાજાના દરબારી કવિ હતા કે કેમ તે ચર્ચાનો વિષય છે. વળી તેઓ ‘ગિરિજા-કલાણ્યમ્’ના લેખક હતા કે કેમ તે પણ શંકાસ્પદ છે. આધ્યાત્મિક આયામોવાળા તેમના અતિ ગંભીર કાવ્યાત્મક નાટક ‘નળચરિતમ્’થી તેઓ વધુ ખ્યાતિ…

વધુ વાંચો >

વારિયાર રામપુરતુ

વારિયાર, રામપુરતુ (જ. 1703, રામપુરમ્, તા. મીનાવિલ, કેરળ; અ. 1753) : મલયાળમ કવિ અને વિવેચક. તેમનું મૂળ નામ શંકરન્ હતું; પરંતુ મલયાળમમાં સાહિત્યિક ક્ષેત્રે સામાન્ય રીતે તેઓ રામપુરતુ વારિયાર તરીકે ઓળખાતા. તેઓ તેમના પિતા પાસેથી અને જાણીતા કવિ ઉણ્ણયિ વારિયાર પાસેથી સંસ્કૃત શીખ્યા. તેઓ સાહિત્ય ઉપરાંત સંગીતમાં પણ પારંગત હતા…

વધુ વાંચો >

વારીઅ ભરિયો પલાંદ (1968)

વારીઅ ભરિયો પલાંદ (1968) : સિંધી ગઝલસંગ્રહ. સિંધી સાહિત્યના પ્રથમ શ્રેણીના કવિ નારાયણ શ્યામે (1922-1989) કાવ્યની બધી શાખાઓમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. એમણે દોહા-સોરઠા, ગીત, નઝમ, બેત, ચોડસી, રુબાઈ, વાઈ વગેરે કાવ્યપ્રકારો ખેડ્યા છે. જાપાની કાવ્ય ‘હાઈકુ’ને ‘તસ્વીરું’ નામે સિંધી સ્વરૂપ આપીને સિંધીમાં પ્રચલિત કર્યું. ફ્રેન્ચ Trioletના આધારે ‘તરાઇલ’ લખ્યાં.…

વધુ વાંચો >

વાર્કે, પોંકુન્નમ્

વાર્કે, પોંકુન્નમ્ (જ. 1908, પોંકુન્નમ્, કેરળ) : મલયાળમ લેખક. ‘મલયાળમ વિદ્વાન’ની પરીક્ષા પાસ કર્યા પછી તેમણે શિક્ષકની કારકિર્દી સ્વીકારી. તે પછી નોકરી છોડીને કૉંગ્રેસે શરૂ કરેલી આઝાદીની લડતમાં જોડાયા. પોતાની વાર્તાઓ મારફત વર્ગવિગ્રહ ફેલાવવાના આરોપસર તેમને જેલવાસ મળેલો. પછી પ્રોગ્રેસિવ લિટરરી ઍસોસિયેશનના તેઓ મંત્રી બન્યા. 1967-70 દરમિયાન સાહિત્ય-પ્રવર્તક સહકારન્ સંઘમના…

વધુ વાંચો >

વાર્ણેકર, શ્રીધર ભાસ્કર (પ્રજ્ઞાભારતી)

વાર્ણેકર, શ્રીધર ભાસ્કર (પ્રજ્ઞાભારતી) (જ. 31 જુલાઈ 1918, નાગપુર, મહારાષ્ટ્ર) : મરાઠી અને સંસ્કૃત પંડિત. તેમણે નાગપુર યુનિવર્સિટીમાંથી સંસ્કૃતમાં એમ.એ. (1941) તથા ડી.લિટ.ની પદવી મેળવી હતી. તેઓ નાગપુર યુનિવર્સિટીમાંથી સંસ્કૃત વિભાગના વડા તરીકે સેવાનિવૃત્ત થયા પછી કોલકાતા ખાતે સત્યાનંદ મહાપીઠમાં કુલાચાર્ય તરીકે જોડાયેલા. 1952થી 1956 સુધી તેઓ સંસ્કૃત વિશ્વ પરિષદના…

વધુ વાંચો >

વાર્ત્તિક

વાર્ત્તિક : સંસ્કૃત વ્યાકરણશાસ્ત્રમાં પાણિનિનાં સૂત્રો પર મૂળ સૂત્ર જેવું જ પ્રમાણભૂત વિધાન. આચાર્ય પાણિનિએ પોતાની અષ્ટાધ્યાયીમાં સંસ્કૃત વ્યાકરણશાસ્ત્રના નિયમો પ્રસ્તુત કર્યા છે. એના પર કાત્યાયન વગેરેએ પાછળથી વાર્ત્તિકો લખ્યાં છે. જે નિયમ સૂત્રમાં ન કહ્યો હોય (અનુક્ત) અને પોતે ઉમેર્યો હોય તે વિધાન ‘વાર્ત્તિક’ કહેવાય. સૂત્રમાં નિયમ બરાબર ન…

વધુ વાંચો >

વાર્નેર વિલિયમ લૉઇડ

વાર્નેર વિલિયમ લૉઇડ (જ. 26 ઑક્ટોબર 1898, રેડલૅન્ડ્ઝ, કાલિફ; અ. 23 મે 1970, શિકાગો) : અમેરિકાના સામાજિક નૃવંશશાસ્ત્રી. તેમણે ઈ. સ. 1926માં બી.એ.ની પદવી નૃવંશશાસ્ત્રમાં લીધી. તેમણે 1927થી 1929 દરમિયાન ઑસ્ટ્રેલિયામાં રહીને મુર્નજિન લોકોનો અભ્યાસ કર્યો. ઈ. સ. 1929માં તેમણે હાર્વર્ડ યુનિવર્સિટીમાં નૃવંશશાસ્ત્રના મદદનીશ પ્રાધ્યાપક તરીકે અને 1935માં શિકાગો યુનિવર્સિટીમાં…

વધુ વાંચો >

વાર્લામૉવ, ઍલેક્ઝાન્ડર

વાર્લામૉવ, ઍલેક્ઝાન્ડર (જ. 27 નવેમ્બર 1801, મૉસ્કો, રશિયા; અ. 27 ઑક્ટોબર 1848, સેંટ પિટર્સબર્ગ, રશિયા) : રશિયન લોકગીતો અને લોકસંગીતના આધારે મૌલિક સંગીતસર્જન કરનાર રશિયન સંગીતકાર અને સ્વરકાર. પિતા લશ્કરી અફસર હતા. બાળપણથી જ ઍલેક્ઝાન્ડર વાર્લામૉવનો કંઠ સુરીલો અને રણકતો હતો. તેથી તેને સેંટ પિટર્સબર્ગ કોયર સ્કૂલમાં દાખલ કરવામાં આવ્યો.…

વધુ વાંચો >

વાર્વ (varve)

વાર્વ (varve) : હિમજન્ય સરોવરોમાં મોસમ પ્રમાણે જમાવટ પામતું પડ. હિમનદી દ્વારા તૈયાર થયેલાં નાના પરિમાણવાળાં સરોવરોમાં જે નિક્ષેપ તૈયાર થાય છે તેનું દ્રવ્ય ભિન્ન ભિન્ન કણકદનું હોય છે તેમજ તેમાં મોસમ પ્રમાણે જમા થતું દ્રવ્ય જુદાં જુદાં ભૌતિક લક્ષણોવાળું હોય છે. અહીં વારાફરતી આછા અને ઘેરા રંગવાળાં નિક્ષેપોનાં પડ…

વધુ વાંચો >

વાલેન્શિયા (શહેર)-2

Jan 29, 2005

વાલેન્શિયા (શહેર)-2 : સ્પેનનાં મૅડ્રિડ અને બાર્સિલોના પછીના ત્રીજા ક્રમે આવતું મોટું શહેર તથા તે જ નામ ધરાવતો પ્રાંત અને પ્રાંતીય પાટનગર. ભૌગોલિક સ્થાન : 39° 28´ ઉ. અ. અને 0° 22´ પ. રે.. આ શહેર ભૂમધ્ય સમુદ્રના પશ્ચિમ ભાગમાં વાલેન્શિયાના અખાતને કાંઠે માત્ર 5 કિમી. અંતરે અંદરના ભૂમિભાગમાં તુરિયા…

વધુ વાંચો >

વાલેરી પૉલ

Jan 29, 2005

વાલેરી, પૉલ (જ. 30 ઑક્ટોબર 1871, સેતે, ફ્રાન્સ; અ. 20 જુલાઈ 1945, પૅરિસ) : ફ્રેન્ચ કવિ, નિબંધકાર અને વિવેચક. પૂરું નામ ઍમ્બ્રોઇસ-પોલ-તૂસ-સેંત-જુલે વાલેરી. ‘લા ર્જ્યૂં પાર્ક’ (1917, ‘ધ યન્ગ ફેટ’) કાવ્યથી તેઓ ફ્રેન્ચ સાહિત્યમાં અમર થયા છે. ભૂમધ્ય સમુદ્રના એક નાના બંદરમાં તેમના પિતા સરકારી જકાત ખાતામાં ઉચ્ચ હોદ્દા પર…

વધુ વાંચો >

વાલેરી, બ્રૂમેલ

Jan 29, 2005

વાલેરી, બ્રૂમેલ (જ. 14 એપ્રિલ 1942, સાઇબીરિયા) : ઊંચી કૂદના વિશ્વવિખ્યાત રમતવીર. તેમનું આખું નામ વાલેરી નિકોલાએવિચ બ્રૂમેલ હતું. નાનપણથી જ તેમને ઊંચી કૂદમાં ખૂબ જ રસ હતો અને તેથી જ તેમણે 11 વર્ષની વયથી જ ઊંચી કૂદનો અભ્યાસ શરૂ કર્યો હતો. લોકોમાં આ જાતની આમ ધારણા પણ હતી કે…

વધુ વાંચો >

વાલેસ, કાર્લોસ (ફાધર)

Jan 29, 2005

વાલેસ, કાર્લોસ (ફાધર) (જ. 4 નવેમ્બર 1925; લા ગ્રોન્યો, સ્પેન) : મૌલિક ચિંતક અને નિબંધકાર. એમનું પૂરું નામ કાર્લોસ ગોન્ઝાલેઝ વાલેસ. ઈસુસંઘની સાધુસંસ્થામાં ઈ. સ. 1941માં પ્રવેશ કરી, ઈ. સ. 1958માં દીક્ષિત થઈ ફાધર વાલેસ બન્યા. લૅટિન અને ગ્રીક સાહિત્યનો તેમજ તત્વજ્ઞાનનો ઊંડો અભ્યાસ કરી, ઈ. સ. 1949માં તેઓ ભારતમાં…

વધુ વાંચો >

વાલેસ, ગ્રેહામ

Jan 29, 2005

વાલેસ, ગ્રેહામ (જ. 31 મે 1858, બિશપ વેરમાઉથ, સુંદરલેન, બ્રિટન; અ. 9 ઑગસ્ટ 1932, લંડન) : બ્રિટિશ રાજ્યશાસ્ત્રી અને વર્તનલક્ષી રાજ્યશાસ્ત્રના પ્રણેતા. રોસ્બરી શાળામાં 1871થી 1877 સુધી અભ્યાસ કર્યા બાદ ઑક્સફર્ડની કૉર્પસ ક્રિસ્ટી કૉલેજમાં અભ્યાસ કરી તેઓ 1881માં સ્નાતક થયા. ત્યારબાદ 1885 સુધી લંડનની હાઈગેટ સ્કૂલ તથા અન્યત્ર શાળાના શિક્ષક…

વધુ વાંચો >

વાલેસા, લેચ

Jan 29, 2005

વાલેસા, લેચ (જ. 8 સપ્ટેમ્બર 1943, પોપોવો, પોલૅન્ડ) : પોલૅન્ડના અગ્રણી મજૂરનેતા, દેશના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ તથા 1983ના નોબેલ શાંતિ પુરસ્કારના વિજેતા. પિતા સુથારનો વ્યવસાય કરતા અને તેમને રાજકીય કારણોસર ફરજિયાત શ્રમશિબિરમાં ધકેલવામાં આવ્યા હતા, જ્યાં થયેલી ગંભીર ઈજાઓને કારણે 1946માં તેમનું અવસાન થયું હતું. માત્ર પ્રાથમિક કક્ષાનું શિક્ષણ લીધા પછી…

વધુ વાંચો >

વાલ્ડ, જ્યૉર્જ (Wald, George)

Jan 29, 2005

વાલ્ડ, જ્યૉર્જ (Wald, George) (જ. 18 નવેમ્બર 1906, ન્યૂયૉર્ક; અ. 12 એપ્રિલ 1997, કેમ્બ્રિજ, મૅસેચૂસેટ્સ, યુ.એસ.) : સન 1967ના તબીબીવિદ્યા અને દેહધર્મવિદ્યા અંગે સ્વીડનના રેગ્નર ગ્રેનિટ (Ragnar Granit), તથા અમેરિકાના હેલ્ડન કેફર હાર્ટલાઇન(Haldan Keffer Hartline)ની સાથેના નોબેલ પારિતોષિકના વિજેતા. આ અમેરિકી જૈવરસાયણવિદને આંખમાંની પ્રાથમિક દેહધાર્મિક અને રાસાયણિક પ્રક્રિયાના અનાવિષ્ટન (discovery)રૂપ…

વધુ વાંચો >

વાલ્ધેમ, કુર્ત

Jan 29, 2005

વાલ્ધેમ, કુર્ત (જ. 21 ડિસેમ્બર 1918, વિયેના) : રાષ્ટ્રસંઘના ચોથા મહામંત્રી, ઑસ્ટ્રિયાના પ્રમુખ (1986-92) અને રાજનીતિજ્ઞ. મધ્યમવર્ગીય કૅથલિક પરિવારમાં તેમનો જન્મ થયો હતો. તે સમયે ઑસ્ટ્રો-હંગેરીનું સામ્રાજ્ય તૂટ્યું અને ઑસ્ટ્રિયા સંકોચાઈને એકમાત્ર નાનું રાજ્ય બની રહ્યું હતું. વિયેના યુનિવર્સિટીમાં કાયદાનો અભ્યાસ કરી 1944માં સ્નાતક બન્યા. 1945માં ઑસ્ટ્રિયાની વિદેશસેવામાં જોડાયા. બીજા…

વધુ વાંચો >

વાલ્પારાઇસો

Jan 29, 2005

વાલ્પારાઇસો : ચીલીનું મોટામાં મોટું શહેર અને મુખ્ય દરિયાઈ બંદર. વાલ્પારાઇસો પ્રદેશનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 33° 00´ દ. અ. અને 71° 30´ પ. રે.. તે પૅસિફિકના કાંઠા પર સાન્ટિયાગોથી વાયવ્યમાં આશરે 110 કિમી.ને અંતરે આવેલું છે. વાલ્પારાઇસો આજે તો ખૂબ જ અદ્યતન અને વિકસિત શહેર બની રહેલું છે. આ…

વધુ વાંચો >

વાલ્મીકિ

Jan 29, 2005

વાલ્મીકિ : સંસ્કૃત ભાષાના આદિકવિ અને ‘રામાયણ’ મહાકાવ્યના રચયિતા મહાકવિ. તેમના જીવન વિશે નિશ્ચિત માહિતી વિરલ છે એટલે તેમના વિશે મળતી અનુશ્રુતિઓ પર આધાર રાખવો પડે તેમ છે. વળી તેમનું ઉપજીવન લેનારા સંસ્કૃત ભાષાના મહાકવિઓ અને નાટ્યકારોએ પણ તેમની ઘણી પ્રશંસા કરી છે. શ્રેષ્ઠ નાટ્યકાર ભવભૂતિ તેમને શબ્દબ્રહ્મના જાણકાર મનીષી…

વધુ વાંચો >