૧૯.૨૪

વાઘેલા, રવુભા નારુભાથી વાતભઠ્ઠી (blast furnace)

વાઘેલા, રવુભા નારુભા

વાઘેલા, રવુભા નારુભા (જ. જુલાઈ 1905, બકરાણા, તા. સાણંદ, જિ. અમદાવાદ, ગુજરાત) : અદ્વિતીય અને અદભુત ગણિતજ્ઞ. પૂર્વજો ભાલપ્રદેશના તાલુકદાર હતા. પછી બકરાણા આવીને ખેતી સ્વીકારી. પિતા નારુભા તદ્દન નિરક્ષર છતાં ઈશ્વરભક્ત. માતા જેઠીબા થોડું લખી વાંચી જાણે. રવુભાએ 12 વર્ષની ઉંમરે શાળાપ્રવેશ લીધો અને ચાર ચોપડીના અભ્યાસ બાદ અધવચ…

વધુ વાંચો >

વાઘેલા, શંકરસિંહજી લક્ષ્મણસિંહજી

વાઘેલા, શંકરસિંહજી લક્ષ્મણસિંહજી (જ. 21 જુલાઈ 1940, વાસન, ગાંધીનગર) : ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી. તેઓ પ્રતિભાશાળી, પ્રભાવી અને ચુંબકીય વ્યક્તિત્વ ધરાવતા રાજપુરુષ, કુશળ સંગઠક, ત્વરિત નિર્ણયશક્તિ અને લોખંડી મનોબળ ધરાવનારા મુત્સદ્દી હોવાની સાથે સરળ સ્વભાવના રાજકારણી છે. કિસાન પરિવારમાં તેમનો જન્મ થયો. પિતા લક્ષ્મણસિંહજી અને માતા નાથુબાની ગોદમાં ઊછરીને ગ્રામ સંસ્કૃતિની…

વધુ વાંચો >

વાઙ્મયસૂચિ

વાઙ્મયસૂચિ : વિદ્વાનો અને સંશોધકો માટે ધોરી માર્ગ પર પહોંચવાનું અતિ મહત્વનું સાધન. ગ્રંથવર્ણનની કળા કે તેના વિજ્ઞાન તરીકે વાઙ્મયસૂચિએ વીસમી સદીમાં એક મહત્વપૂર્ણ સ્થાન અર્જિત કર્યું છે. ગ્રંથ-ઉત્પાદનક્ષેત્રે થયેલી અભૂતપૂર્વ પ્રગતિએ, તેમજ અવિકસિત દેશોમાં વિશ્વની વૈજ્ઞાનિક અને યાંત્રિક માહિતી મેળવવા માટે ઊભી થયેલી નવી જરૂરિયાતે વાઙ્મયસૂચિના સર્જનમાં મહત્વપૂર્ણ ફાળો…

વધુ વાંચો >

વાચસ્પતિ

વાચસ્પતિ : આયુર્વેદ-ટીકાકાર. આયુર્વેદ-વિજ્ઞાનના રોગનિદાન માટે સર્વોત્તમ કહેવાય તેવા સંગ્રહગ્રંથ ‘માધવનિદાન’ ગ્રંથ પર જે વ્યક્તિઓએ ટીકાઓ લખી છે તે છે (1) વિજયરક્ષિત તથા તેમના શિષ્ય શ્રીકંઠ દત્ત અને (2) વાચસ્પતિ. વાચસ્પતિ ટીકાકારે ‘માધવનિદાન’ ગ્રંથ ઉપર ‘આતંકદર્પણી’ નામની સુંદર ટીકા લખી છે. આ ટીકા લખતાં પૂર્વે તેમણે વિજયરક્ષિત તથા શ્રીકંઠ દત્તની…

વધુ વાંચો >

વાચસ્પતિ મિશ્ર

વાચસ્પતિ મિશ્ર : ભારતીય દાર્શનિક લેખક. તેઓ મૈથિલ બ્રાહ્મણ અને ઉત્તર પ્રદેશના વતની હતા. તેમના જીવન વિશે એક અનુશ્રુતિ એવી છે કે પોતાને શાંકરભાષ્ય વગેરે પર ટીકાગ્રંથો લખવા હતા એટલે ગૃહસ્થ ધર્મ બજાવવાના બદલે ઘરનાં કામ પત્નીને સોંપી તેઓ સતત ગ્રંથલેખન કરતા રહ્યા. છેલ્લો શાંકરભાષ્ય પરનો ટીકાગ્રંથ પૂરો કર્યો ત્યારે…

વધુ વાંચો >

વાચ્છા, દીનશા એદલજી (સર)

વાચ્છા, દીનશા એદલજી (સર) (જ. 2 ઑગસ્ટ 1844, મુંબઈ; અ. 1936) : મહાન રાષ્ટ્રવાદી, જાહેર સેવક, કૉંગ્રેસના સ્થાપક-સભ્ય અને પ્રમુખ. દીનશાનો જન્મ મધ્યમવર્ગના પારસી પરિવારમાં થયો હતો. એયરટન સ્કૂલમાં અભ્યાસ કરીને તે 1858માં ઍલ્ફિન્સ્ટન કૉલેજમાં જોડાયા; અને ત્રણ વર્ષ બાદ, પિતાશ્રીના મુંબઈ અને એડનના વેપારમાં મદદ કરવા અભ્યાસ છોડી દીધો.…

વધુ વાંચો >

વાજદ, સિકંદરઅલી

વાજદ, સિકંદરઅલી (જ. 1914 બિજાપુર; અ. 1983) : ઉર્દૂના કવિ તથા ન્યાયવિદ. પ્રારંભિક શિક્ષણ ઔરંગાબાદમાં. 1935માં ઓસમાનિયા યુનિવર્સિટીમાંથી બી. એ.. 1937માં હૈદરાબાદ સિવિલ સર્વિસ માટે પસંદગી, 1956માં સેશન્સ જજ તરીકે નિમણૂક. 1964માં સ્વૈચ્છિક નિવૃત્તિ અને એ જ વર્ષે અંજુમન તરક્કી ઉર્દૂ(હિંદ)ની મહારાષ્ટ્ર શાખાના પ્રમુખ ચૂંટાયા. 1970માં ‘પદ્મશ્રી’નું સન્માન; 1972માં રાજ્ય…

વધુ વાંચો >

વાજપેય

વાજપેય : જુઓ યજ્ઞ.

વધુ વાંચો >

વાજપેયી, અટલબિહારી

વાજપેયી, અટલબિહારી (જ. 24 ડિસેમ્બર 1924, લશ્કર, ગ્વાલિયર) : ભારતના અગ્રણી રાજપુરુષ, વિચક્ષણ સાંસદ, સાહિત્યપ્રેમી કવિ તથા દેશના પૂર્વ પ્રધાનમંત્રી. પિતા કૃષ્ણવિહારી ગ્વાલિયરમાં શિક્ષક હતા. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ગ્વાલિયરમાં લીધા બાદ વિનયન વિદ્યાશાખાની સ્નાતક પદવી ગ્વાલિયરની લક્ષ્મીબાઈ (મૂળ નામ વિક્ટોરિયા) કૉલેજમાંથી અને અનુસ્નાતક પદવી ડી. એ. વી. કૉલેજ, કાનપુરથી…

વધુ વાંચો >

વાજપેયી, અવધ પ્રસાદ

વાજપેયી, અવધ પ્રસાદ (જ. 4 મે 1925, કન્હીપુર, જિ. બારાબંકી, ઉત્તર પ્રદેશ) : હિંદી લેખક. તેમણે લખનૌ યુનિવર્સિટીમાંથી હિંદી સાથે અને બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી સંસ્કૃત સાથે એમ.એ.ની ડિગ્રીઓ પ્રાપ્ત કરી હતી. શિક્ષક તરીકે નિવૃત્ત થયા બાદ લેખનકાર્ય અને સામાજિક સેવામાં તેઓ પરોવાયા છે. તેમણે અત્યાર સુધીમાં 6 ગ્રંથો આપ્યા છે.…

વધુ વાંચો >

વાડેર, પ્રહલાદ બાપુરાવ

Jan 24, 2005

વાડેર, પ્રહલાદ બાપુરાવ (જ. 4 માર્ચ 1929, નિપાની, જિ. બેલગામ, કર્ણાટક) : મરાઠી લેખક. તેમણે 1959માં મુંબઈ યુનિવર્સિટીમાંથી એમ. એ. અને 1977માં પીએચ.ડી.ની ડિગ્રીઓ મેળવી. તેઓ મરાઠીના પ્રાધ્યાપક તરીકે સેવાનિવૃત્ત થયા. તેઓ 1988થી 1990 સુધી મહારાષ્ટ્ર રાજ્ય સાહિત્ય સંસ્કૃતમંડળના સભ્ય; 1987-91 સુધી ભારતીય જ્ઞાનપીઠની સલાહકાર સમિતિના સભ્ય; અને 1986-90 સુધી…

વધુ વાંચો >

વાણિજ્ય

Jan 24, 2005

વાણિજ્ય : ચીજવસ્તુઓ અને સેવાઓના ક્રય અને વિક્રયની પ્રવૃત્તિ અને તેમાં મદદરૂપ થતી અન્ય પ્રવૃત્તિઓ. વિતરણ અને વિનિમય સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓ કરવા માટે વાણિજ્ય હેઠળ મુખ્યત્વે વેપાર થતો હોય છે. વેપાર એટલે નાણાં કે નાણાં મેળવવાના વચનના બદલામાં માલ અથવા સેવાની તબદીલી – વેપાર યોગ્ય રીતે ચાલે તે માટે એને…

વધુ વાંચો >

વાણિજ્ય-ભૂગોળ

Jan 24, 2005

વાણિજ્ય-ભૂગોળ : દેશ-વિદેશની ભૌગોલિક સંપત્તિના આર્થિક તેમજ વાણિજ્ય-વ્યવહાર માટે થતા ઉપભોગનો અભ્યાસ કરતી વિશિષ્ટ વિદ્યાશાખા. મનુષ્યે પૃથ્વી પર પગલાં માંડ્યાં ત્યારથી પ્રાકૃતિક પરિબળોના વિદોહન દ્વારા તેની પાયાની જરૂરિયાતો – અન્ન, કપડાં અને મકાન – સંતોષવા માટે તે પ્રયત્નશીલ રહ્યો છે. સમયાંતરે પોતાના બુદ્ધિબળનો ઉપયોગ કરી માણસ કુદરતી પરિબળો પર અંકુશ…

વધુ વાંચો >

વાણિયા, રામજીભાઈ દેશાભાઈ

Jan 24, 2005

વાણિયા, રામજીભાઈ દેશાભાઈ (જ. 1925, ખરેડા, તા. મોરબી, સૌરાષ્ટ્ર) : તખ્તાનાયક, ગુજરાતી નાટકોના લેખક, દિગ્દર્શક અને અભિનેતા. વણકર જ્ઞાતિમાં જન્મ. બાળપણથી નાટ્યક્ષેત્ર પ્રત્યે અભિરુચિ. આસપાસનાં અભાવગ્રસ્ત પીડિત જીવંત પાત્રોનું અધ્યયન કરતા રહ્યા. પછી ભવાઈ, લોકમેળા અને ભજનમંડળીઓ વગેરે જેવાં લોકશિક્ષણનાં માધ્યમો દ્વારા અભિનય તરફ પ્રથમ પગરણ માંડ્યાં. ત્યારબાદ નાટ્યલેખનની શરૂઆત…

વધુ વાંચો >

વાણિયો (dragon fly)

Jan 24, 2005

વાણિયો (dragon fly) : ઝીણી, પારદર્શક અને અત્યંત પાતળી પાંખની બે જોડ ધરાવતો એક સુંદર નિરુપદ્રવી કીટક. લઘુશ્મશ્રુ (Odonata) શ્રેણીના આ કીટકના સ્પર્શકો સાવ નાના અને વાળ જેવા હોય છે. તેનું શરીર પાતળું અને સહેજ લાંબું હોય છે. રંગે તે લાલ, લીલા કે વાદળી હોય છે. મણકા જેવા આકારની તેની…

વધુ વાંચો >

વાણી

Jan 24, 2005

વાણી (જ. 1917; અ. 1988) : કન્નડ મહિલા-નવલકથાકાર, વાર્તાકાર. ‘વાણી’ આ કન્નડ લેખિકા એમ. એન. સુબ્બમ્માનું તખલ્લુસ છે. તેઓ આધુનિક કન્નડ સાહિત્યની આગલી પેઢીનાં લેખિકા હતાં. તેમણે કુલ 25 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘એરાડુ કનાસુ’, ‘શુભ મંગલ’, ‘હોસા બેલાકુ’, ‘હૂવુ મલ્લુ’, ‘બાલેયા તેરાલુ’ અને ‘આલે નેલે’ તેમની લોકપ્રિય નવલકથાઓ છે;…

વધુ વાંચો >

વાતજૈવ ચક્ર

Jan 24, 2005

વાતજૈવ ચક્ર : જુઓ નિવસનતંત્ર.

વધુ વાંચો >

વાતજૈવવિજ્ઞાન

Jan 24, 2005

વાતજૈવવિજ્ઞાન : વાયુવાહિત (air borne) સજીવો અને જૈવિક ઉદભવવાળા વાયુવાહિત કણો સાથે સંકળાયેલું વિજ્ઞાન. આ કણોનું વહન હવાના પ્રવાહ દ્વારા પરોક્ષ રીતે થાય છે. સામાન્ય રીતે હવામાં રહેલાં પરાગરજ અને બીજાણુઓ વાયુવાહિત જૈવિક કણો છે; જ્યારે નાના કીટકો વાયુવાહિત સજીવો છે. મોટા કીટકો અને પક્ષીઓ વાયુવાહિત સજીવો નથી. 2002માં લીલ…

વધુ વાંચો >

વાતનિક્ષેપ

Jan 24, 2005

વાતનિક્ષેપ : જુઓ પવન (ઉત્પત્તિ, પ્રકાર, પ્રવર્તન અને અસરો)

વધુ વાંચો >

વાતભઠ્ઠી (blast furnace)

Jan 24, 2005

વાતભઠ્ઠી (blast furnace) : દબાણ હેઠળ હવાના પ્રવાહ દ્વારા ઝડપી દહનની ક્રિયાને જાળવી રાખી લોખંડ (અથવા અન્ય ધાતુઓ) મેળવવા માટે ઉપયોગમાં લેવાતી ભઠ્ઠી. સામાન્ય રીતે તે ચૂનાપથ્થર (lime stone, CaCO3) જેવા પ્રદ્રાવક(flux)ની હાજરીમાં કોક (coke) રૂપે ઉમેરેલા કાર્બન દ્વારા ઊંચા તાપમાને થતી અપચયન(reduction)ની ક્રિયા વડે કાચું લોખંડ (pig iron) મેળવવા…

વધુ વાંચો >