૧૭.૨૨

રામનવમીથી રામ્ફાલ, શ્રીદથ સુરેન્દ્રનાથ (સર)

રામનવમી

રામનવમી : હિંદુ ધર્મનો તહેવાર. રાવણ વગેરે રાક્ષસોનો સંહાર કરવા રઘુવંશના રાજા દશરથ અને તેમની પટરાણી કૌસલ્યાને ત્યાં ભગવાન વિષ્ણુએ મનુષ્ય અવતાર લીધો તે રામની જન્મતિથિ ચૈત્ર સુદ નોમ રામનવમી તરીકે ઓળખાય છે. રામ તે દિવસે બપોરે બાર વાગ્યે જન્મ્યા હતા. રામનો જન્મ પુનર્વસુ નક્ષત્રમાં ચંદ્ર હતો અને સૂર્ય મેષ…

વધુ વાંચો >

રામન સ્પેક્ટ્રમિકી (Raman spectroscopy)

રામન સ્પેક્ટ્રમિકી (Raman spectroscopy) : રામન અસરના ઉપયોગ દ્વારા અણુઓની સંરચના, તેમની ભૂમિતિ, આણ્વિક સમમિતિ (symmetry) નક્કી કરવાની રાસાયણિક પૃથક્કરણની એક પદ્ધતિ. જ્યારે અણુની સંરચનાનું પરિશુદ્ધ (precise) નિર્ધારણ શક્ય ન હોય ત્યારે પણ પરમાણુ-સમૂહોની લાક્ષણિક રામન આવૃત્તિ(Raman frequency)ની આનુભવિક (empirical, પ્રયોગનિર્ણીત) માહિતી પરથી અણુમાં પરમાણુઓની ગોઠવણી સંબંધી જાણકારી મળી શકે…

વધુ વાંચો >

રામનાથન્, કલપતિ રામકૃષ્ણન્

રામનાથન્, કલપતિ રામકૃષ્ણન્ (જ. 1893, કલપતિ, જિ. પાલઘાટ; અ. 1985, અમદાવાદ) : અમદાવાદની ભૌતિક સંશોધન પ્રયોગશાળા-(PRL)ના પ્રથમ નિયામક, મોસમવિજ્ઞાની (meteorologist) અને ઓઝોનસ્તરના આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત અભ્યાસી અને સંશોધક. તેમણે શાળાનું શિક્ષણ પાલઘાટની શાળા અને વિક્ટોરિયા કૉલેજમાંથી લીધું. ત્યારબાદ ઉચ્ચ શિક્ષણ માટે તેઓ મદ્રાસ યુનિવર્સિટીમાં દાખલ થયા અને ત્યાંથી તેમણે ભૌતિકવિજ્ઞાનના વિષય…

વધુ વાંચો >

રામનાથપુરમ્

રામનાથપુરમ્ : તામિલનાડુ રાજ્યના અગ્નિભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 9° 23´ ઉ. અ. અને 78° 50´ પૂ. રે.ની આજુબાજુનો 4,232 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે પસુમ્પન થીવર થિરુમગન (મુથુરામલિંગમ્) અને પુડુકોટ્ટાઈ જિલ્લા, પૂર્વ અને દક્ષિણે અનુક્રમે બંગાળના ઉપસાગરના ફાંટારૂપ…

વધુ વાંચો >

રામનારાયણ

રામનારાયણ (જ. 1927, ઉદેપુર) : ભારતના પ્રખ્યાત સારંગીવાદક. તેમના પિતા નાથુરામજી દિલરુબા વગાડતા હતા. કહેવાય છે કે તેમના ઘરમાં કોઈ સાધુએ આપેલ રાવણહથ્થો હતો. ચારપાંચ વર્ષના બાળક રામનારાયણ એ રાવણહથ્થો લઈ વગાડવાનો પ્રયત્ન કરતા. તેમને ત્રણ-ચાર સૂર વગાડવા જેટલી સફળતા પણ મળી. આમ બાળકની રુચિ જોઈને તેમના પિતાએ તેમને સંગીતની…

વધુ વાંચો >

રામન્ના, રાજા

રામન્ના, રાજા (જ. 28 જાન્યુઆરી 1925, મૈસૂર, કર્ણાટક) : પ્રથમ પોકરણ પરમાણુ-પરીક્ષણ જેમની નિગાહબાની હેઠળ કરવામાં આવેલ તે ભારતના પરમાણુવિજ્ઞાની. મજબૂત મનોબળ અને સમર્પણની ભાવનાવાળાં માતા રુક્મિણીજીનું જીવન વૃંદાવન-ઉદ્યાન જેવું ભાતીગળ અને સ્ફૂર્તિપ્રેરક હતું. તેમના પિતૃપક્ષેથી સાહિત્ય અને સંસ્કારોની ગંગોત્રી વહેતી હતી. આથી રાજાના ઉછેર અને વિકાસમાં કોઈ કચાશ રહી…

વધુ વાંચો >

રામ પાણિવાદ

રામ પાણિવાદ (જ. 1707 આ., કિળ્ળિકુરિશિ, કેરળ; અ.?) : કેરળના પ્રસિદ્ધ સંસ્કૃત-પ્રાકૃત-મલયાળમ ભાષાઓના કવિ. પાણિવાદ્ય એટલે ઢોલક (હાથથી વગાડવાનું વાદ્ય). તે વગાડનાર જાતિ તે પાણિવાદ કે પાણિઘ કે નમ્બીઆર. એમનો પરમ્પરાગત ધંધો નટો-ચક્કિપોરોને સંસ્કૃત નાટકો ભજવવામાં મદદ કરવાનો. તેમની સ્ત્રીઓ સ્ત્રીપાત્રો ભજવતી. પિતા મધ્ય ત્રાવણકોરમાંના કુમારનલ્લૂરના નમ્પૂદિરિ બ્રાહ્મણ, કિળ્ળિકુરિશિમંગલમ્ મંદિરના…

વધુ વાંચો >

રામપાલ

રામપાલ (શાસનકાળ : ઈ. સ. 1077-1120) : બંગાળ(ગૌડ)ના પાલ વંશનો રાજા અને વિગ્રહપાલ ત્રીજાનો પુત્ર. વિગ્રહપાલ ત્રીજાના અવસાન બાદ મહીપાલ બીજો ગાદીએ બેઠો અને પોતાના ભાઈઓ સુરપાલ અને રામપાલને વિરોધી માની લઈને કેદમાં પૂર્યા; પરંતુ સામંતોનો બળવો દબાવવા ગયેલ મહીપાલ પોતે મરણ પામ્યો. આ તકનો લાભ લઈને બંને ભાઈઓ જેલમાંથી…

વધુ વાંચો >

રામપુર

રામપુર : ઉત્તર પ્રદેશ રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 28° 25´થી 29° 10´ ઉ. અ. અને 78° 51´થી 79° 28´ પૂ. રે. વચ્ચેનો 2,367 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર-દક્ષિણ મહત્તમ લંબાઈ 81 કિમી. અને પૂર્વ-પશ્ચિમ મહત્તમ પહોળાઈ 49 કિમી. જેટલી…

વધુ વાંચો >

રામફળ

રામફળ : દ્વિદળી વર્ગમાં આવેલા એનોનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Annona reticulata Linn. (સં. મ. રામફલ; હિં. લવની, અંતા, નાગ્નેવા, નોના, રામફલ; અં. બુલૉક્સ હાર્ટ, નેટેડ કસ્ટર્ડ ઍપલ) છે. તે નાનું, પર્ણપાતી કે અર્ધ-પર્ણપાતી (semi-deciduous), 10 મી. ઊંચું વૃક્ષ છે અને ઉષ્ણકટિબંધીય અમેરિકાનું, ખાસ કરીને વેસ્ટ ઇંડિઝનું, મૂલનિવાસી…

વધુ વાંચો >

રામસે, ઍન્ડ્ર્યુ ક્રૉમ્બી

Jan 22, 2003

રામસે, ઍન્ડ્ર્યુ ક્રૉમ્બી (જ. 1814; અ. 1891) : બ્રિટનના એક આગળ પડતા ક્ષેત્રભૂસ્તરશાસ્ત્રી. તેમણે બ્રિટિશ ટાપુઓમાં પ્રવર્તેલા હિમીભવનના પુરાવાઓ એકત્રિત કરી પ્રસ્થાપિત કરેલા. તેઓ ખડક થાળાંમાં થયેલા હિમનદીજન્ય ઘસારાના સિદ્ધાંત માટે તેમજ નદીજન્ય ધોવાણના સિદ્ધાંતને આગળ ધરવા માટે તેમના જીવનકાળ દરમિયાન ખૂબ જાણીતા થયેલા. તેમણે ઇંગ્લૅન્ડ અને વેલ્સના ભૂસ્તરીય નકશા…

વધુ વાંચો >

રામસ્વામી, ઈ. વેંકટ

Jan 22, 2003

રામસ્વામી, ઈ. વેંકટ (જ. 17 સપ્ટેમ્બર 1879, ઈરોડ, તામિલનાડુ; અ. 24 ડિસેમ્બર 1973) : સ્વાતંત્ર્ય-સૈનિક, દલિતોના ઉદ્ધારક, સમાજ-સેવક તથા પત્રકાર. તેમણે દસ વર્ષની વયે શાળાનો અભ્યાસ છોડી દીધો. તેઓ બાર વર્ષની વયે પિતાની સાથે વેપારમાં જોડાયા. રામસ્વામીમાં દેશભક્તિ જાગી. તેથી તેમણે પોતાનો નફાકારક ધંધો છોડી દીધો અને કૉંગ્રેસે શરૂ કરેલા…

વધુ વાંચો >

રામસ્વામી, પતગુડ્ડી એસ.

Jan 22, 2003

રામસ્વામી, પતગુડ્ડી એસ. (જ. 15 મે 1927, કરૈકલ, તમિલનાડુ) : ભરતનાટ્યમ્ નૃત્યશૈલીના વિખ્યાત નર્તક અને ગુરુ. પુદુચેરી ખાતે ફ્રેન્ચ માધ્યમમાં તેમણે સ્નાતકની પદવી મેળવી. પછી સંગીતની શિક્ષા એસ. જી. કસીઐયર અને ચિદમ્બરમ્ નટરાજ સુન્દરમ્ પિલ્લૈ પાસેથી મેળવી, જ્યારે ભરતનાટ્યમની તાલીમ ચૈયુર એસ. મણિકમ્ પિલ્લૈ પાસેથી 7 વર્ષ સુધી ગુરુકુળમાં રહીને…

વધુ વાંચો >

રામાધીન સોની

Jan 22, 2003

રામાધીન સોની [જ. 1 મે 1929, એસ્પરન્સ વિલેજ, ટ્રિનિડાડ (વેસ્ટ ઇન્ડિઝ)] : ટ્રિનિડાડના ક્રિકેટખેલાડી. પ્રથમ કક્ષાની રમતના અનુભવ પેટે તેઓ માત્ર બે અજમાયશી રમતોમાં રમ્યા હતા. પણ તેઓ વેસ્ટ ઇન્ડિઝના ઇંગ્લૅન્ડના પ્રવાસ માટેની 1950ની ટીમ માટે પસંદ થયા હતા. ત્યાં બીજા એવા જ અપરિચિત ડાબેરી એલ્ફ વૅલેન્ટાઇન (જ. 1930) સાથે…

વધુ વાંચો >

રામાનંદ

Jan 22, 2003

રામાનંદ (જ. આશરે 1299, પ્રયાગ; અ. 1411 બનારસ) : ઉત્તર ભારતમાં ભક્તિ-આંદોલનના પ્રવર્તક સંત. પ્રયાગના કાન્યકુબ્જ બ્રાહ્મણ-પરિવારમાં જન્મ. પિતા પુષ્પસદન શર્મા, માતા સુશીલાદેવી. બચપણથી વિચારશીલ અને ભગવત્-પરાયણ. યુવાવસ્થામાં દક્ષિણ ભારતમાં જઈ શ્રી-સંપ્રદાયના ગુરુ સ્વામી રાઘવાનંદ પાસે દીક્ષા લીધી. થોડા સમયમાં તેઓ શ્રી-સંપ્રદાયના પ્રથમ પંક્તિના વિદ્વાન ગણાવા લાગ્યા. તેમણે ભારતભરમાં પર્યટન…

વધુ વાંચો >

રામાનુજન, અટ્ટિપટ કૃષ્ણસ્વામી

Jan 22, 2003

રામાનુજન, અટ્ટિપટ કૃષ્ણસ્વામી (જ. 16 માર્ચ 1929, મૈસૂર; અ. 1993) : કન્નડ તથા અંગ્રેજી ભાષાવિદ અને કવિ. શિક્ષણ મૈસૂર, પુણે તથા અમેરિકાની ઇન્ડિયાના યુનિવર્સિટીમાં. મૈસૂરની મહારાજ કૉલેજમાંથી અંગ્રેજી વિષયમાં એમ.એ.ની અનુસ્નાતક પદવી મેળવ્યા પછી પુણે યુનિવર્સિટીમાં ભાષાશાસ્ત્રનો અભ્યાસ કર્યો. 1958-59માં પુણેની ડેક્કન કૉલેજમાં ફેલો તરીકે સેવાઓ આપી. 1960-62 દરમિયાન અમેરિકાની…

વધુ વાંચો >

રામાનુજન કપ

Jan 22, 2003

રામાનુજન કપ : ટેબલટેનિસ રમતમાં શ્રેષ્ઠ દેખાવ કરવા બદલ એનાયત કરવામાં આવતો કપ. આ કપ ખૂબ જ પ્રતિષ્ઠિત છે. ટેબલટેનિસ બંધ ઓરડામાં રમાતી વિશ્વની ખૂબ જ લોકપ્રિય રમત છે અને અત્યારે તો આ રમતને ઑલિમ્પિક્સમાં પણ સ્થાન પ્રાપ્ત થયું છે. ટેબલટેનિસની રમત ભાઈઓ તથા બહેનો મનોરંજન માટે તેમજ સ્પર્ધા માટે…

વધુ વાંચો >

રામાનુજન શ્રીનિવાસ આયંગર

Jan 22, 2003

રામાનુજન શ્રીનિવાસ આયંગર (જ. 22 ડિસેમ્બર 1887, ઈરોડ, તામિલનાડુ; અ. 26 એપ્રિલ 1920 ચેન્નાઈ) : આધુનિક સમયના ભારતના શ્રેષ્ઠ ગણિતશાસ્ત્રી. તામિલનાડુના કુંભકોણમના અત્યંત ગરીબ પરિવારમાં જન્મેલા રામાનુજન નાનપણથી જ ગણિતમાં ખૂબ તેજસ્વી હતા. તે છઠ્ઠા ધોરણમાં હતા ત્યારે જ દસમા ધોરણ સુધીનાં ગણિતનાં પાઠ્યપુસ્તકો વાંચી અને સમજી ચૂક્યા હતા. તેઓ…

વધુ વાંચો >

રામાનુજાચાર્ય

Jan 22, 2003

રામાનુજાચાર્ય (જ. 1017, પેરુમ્બુદુર અથવા ભૂતપુરી, તમિલનાડુ; અ. 1137) : વેદાંતમાં વિશિષ્ટાદ્વૈતના સ્થાપક આચાર્ય. વૈષ્ણવ સંપ્રદાયમાં યામુનાચાર્ય પછી મહાન આચાર્ય રામાનુજ થયા. તેમનાં માતા કાંતિમતી યામુનાચાર્યનાં પુત્રી હતાં અને તેમના પિતાનું નામ કેશવ યજ્વન્ હતું. યામુનાચાર્યના પુત્ર અને શિષ્ય મહાપૂર્ણ રામાનુજના મામા થતા હતા. રામાનુજનું મૂળ નામ લક્ષ્મણ પાડેલું હતું;…

વધુ વાંચો >

રામાયણ

Jan 22, 2003

રામાયણ : સંસ્કૃત ભાષાના આદિકવિ વાલ્મીકિએ રચેલું મહાકાવ્ય. રામ + અયન = રામનું ચરિત. વેદવિદ્યાના ઉપબૃંહણાર્થે રચાયેલ બે ઇતિહાસકાવ્યોમાંનું પ્રથમ. તેની વિશ્વમાં શ્રેષ્ઠ ગણાયેલી કથા તથા ભાવવાહિતાએ જનહૃદયને હજારો વર્ષોથી જકડી રાખ્યું હોઈ તે સંસ્કૃત અને અન્ય ભારતીય ભાષાઓમાં વિવિધ સ્વરૂપે પ્રકટ થતું રહ્યું છે. માનવહૃદયને વ્યક્ત કરવામાં, માનવના ઉત્કૃષ્ટ…

વધુ વાંચો >