૧૭.૨૨

રામનવમીથી રામ્ફાલ, શ્રીદથ સુરેન્દ્રનાથ (સર)

રામનવમી

રામનવમી : હિંદુ ધર્મનો તહેવાર. રાવણ વગેરે રાક્ષસોનો સંહાર કરવા રઘુવંશના રાજા દશરથ અને તેમની પટરાણી કૌસલ્યાને ત્યાં ભગવાન વિષ્ણુએ મનુષ્ય અવતાર લીધો તે રામની જન્મતિથિ ચૈત્ર સુદ નોમ રામનવમી તરીકે ઓળખાય છે. રામ તે દિવસે બપોરે બાર વાગ્યે જન્મ્યા હતા. રામનો જન્મ પુનર્વસુ નક્ષત્રમાં ચંદ્ર હતો અને સૂર્ય મેષ…

વધુ વાંચો >

રામન સ્પેક્ટ્રમિકી (Raman spectroscopy)

રામન સ્પેક્ટ્રમિકી (Raman spectroscopy) : રામન અસરના ઉપયોગ દ્વારા અણુઓની સંરચના, તેમની ભૂમિતિ, આણ્વિક સમમિતિ (symmetry) નક્કી કરવાની રાસાયણિક પૃથક્કરણની એક પદ્ધતિ. જ્યારે અણુની સંરચનાનું પરિશુદ્ધ (precise) નિર્ધારણ શક્ય ન હોય ત્યારે પણ પરમાણુ-સમૂહોની લાક્ષણિક રામન આવૃત્તિ(Raman frequency)ની આનુભવિક (empirical, પ્રયોગનિર્ણીત) માહિતી પરથી અણુમાં પરમાણુઓની ગોઠવણી સંબંધી જાણકારી મળી શકે…

વધુ વાંચો >

રામનાથન્, કલપતિ રામકૃષ્ણન્

રામનાથન્, કલપતિ રામકૃષ્ણન્ (જ. 1893, કલપતિ, જિ. પાલઘાટ; અ. 1985, અમદાવાદ) : અમદાવાદની ભૌતિક સંશોધન પ્રયોગશાળા-(PRL)ના પ્રથમ નિયામક, મોસમવિજ્ઞાની (meteorologist) અને ઓઝોનસ્તરના આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત અભ્યાસી અને સંશોધક. તેમણે શાળાનું શિક્ષણ પાલઘાટની શાળા અને વિક્ટોરિયા કૉલેજમાંથી લીધું. ત્યારબાદ ઉચ્ચ શિક્ષણ માટે તેઓ મદ્રાસ યુનિવર્સિટીમાં દાખલ થયા અને ત્યાંથી તેમણે ભૌતિકવિજ્ઞાનના વિષય…

વધુ વાંચો >

રામનાથપુરમ્

રામનાથપુરમ્ : તામિલનાડુ રાજ્યના અગ્નિભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 9° 23´ ઉ. અ. અને 78° 50´ પૂ. રે.ની આજુબાજુનો 4,232 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે પસુમ્પન થીવર થિરુમગન (મુથુરામલિંગમ્) અને પુડુકોટ્ટાઈ જિલ્લા, પૂર્વ અને દક્ષિણે અનુક્રમે બંગાળના ઉપસાગરના ફાંટારૂપ…

વધુ વાંચો >

રામનારાયણ

રામનારાયણ (જ. 1927, ઉદેપુર) : ભારતના પ્રખ્યાત સારંગીવાદક. તેમના પિતા નાથુરામજી દિલરુબા વગાડતા હતા. કહેવાય છે કે તેમના ઘરમાં કોઈ સાધુએ આપેલ રાવણહથ્થો હતો. ચારપાંચ વર્ષના બાળક રામનારાયણ એ રાવણહથ્થો લઈ વગાડવાનો પ્રયત્ન કરતા. તેમને ત્રણ-ચાર સૂર વગાડવા જેટલી સફળતા પણ મળી. આમ બાળકની રુચિ જોઈને તેમના પિતાએ તેમને સંગીતની…

વધુ વાંચો >

રામન્ના, રાજા

રામન્ના, રાજા (જ. 28 જાન્યુઆરી 1925, મૈસૂર, કર્ણાટક) : પ્રથમ પોકરણ પરમાણુ-પરીક્ષણ જેમની નિગાહબાની હેઠળ કરવામાં આવેલ તે ભારતના પરમાણુવિજ્ઞાની. મજબૂત મનોબળ અને સમર્પણની ભાવનાવાળાં માતા રુક્મિણીજીનું જીવન વૃંદાવન-ઉદ્યાન જેવું ભાતીગળ અને સ્ફૂર્તિપ્રેરક હતું. તેમના પિતૃપક્ષેથી સાહિત્ય અને સંસ્કારોની ગંગોત્રી વહેતી હતી. આથી રાજાના ઉછેર અને વિકાસમાં કોઈ કચાશ રહી…

વધુ વાંચો >

રામ પાણિવાદ

રામ પાણિવાદ (જ. 1707 આ., કિળ્ળિકુરિશિ, કેરળ; અ.?) : કેરળના પ્રસિદ્ધ સંસ્કૃત-પ્રાકૃત-મલયાળમ ભાષાઓના કવિ. પાણિવાદ્ય એટલે ઢોલક (હાથથી વગાડવાનું વાદ્ય). તે વગાડનાર જાતિ તે પાણિવાદ કે પાણિઘ કે નમ્બીઆર. એમનો પરમ્પરાગત ધંધો નટો-ચક્કિપોરોને સંસ્કૃત નાટકો ભજવવામાં મદદ કરવાનો. તેમની સ્ત્રીઓ સ્ત્રીપાત્રો ભજવતી. પિતા મધ્ય ત્રાવણકોરમાંના કુમારનલ્લૂરના નમ્પૂદિરિ બ્રાહ્મણ, કિળ્ળિકુરિશિમંગલમ્ મંદિરના…

વધુ વાંચો >

રામપાલ

રામપાલ (શાસનકાળ : ઈ. સ. 1077-1120) : બંગાળ(ગૌડ)ના પાલ વંશનો રાજા અને વિગ્રહપાલ ત્રીજાનો પુત્ર. વિગ્રહપાલ ત્રીજાના અવસાન બાદ મહીપાલ બીજો ગાદીએ બેઠો અને પોતાના ભાઈઓ સુરપાલ અને રામપાલને વિરોધી માની લઈને કેદમાં પૂર્યા; પરંતુ સામંતોનો બળવો દબાવવા ગયેલ મહીપાલ પોતે મરણ પામ્યો. આ તકનો લાભ લઈને બંને ભાઈઓ જેલમાંથી…

વધુ વાંચો >

રામપુર

રામપુર : ઉત્તર પ્રદેશ રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 28° 25´થી 29° 10´ ઉ. અ. અને 78° 51´થી 79° 28´ પૂ. રે. વચ્ચેનો 2,367 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર-દક્ષિણ મહત્તમ લંબાઈ 81 કિમી. અને પૂર્વ-પશ્ચિમ મહત્તમ પહોળાઈ 49 કિમી. જેટલી…

વધુ વાંચો >

રામફળ

રામફળ : દ્વિદળી વર્ગમાં આવેલા એનોનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Annona reticulata Linn. (સં. મ. રામફલ; હિં. લવની, અંતા, નાગ્નેવા, નોના, રામફલ; અં. બુલૉક્સ હાર્ટ, નેટેડ કસ્ટર્ડ ઍપલ) છે. તે નાનું, પર્ણપાતી કે અર્ધ-પર્ણપાતી (semi-deciduous), 10 મી. ઊંચું વૃક્ષ છે અને ઉષ્ણકટિબંધીય અમેરિકાનું, ખાસ કરીને વેસ્ટ ઇંડિઝનું, મૂલનિવાસી…

વધુ વાંચો >

રામબાવળ

Jan 22, 2003

રામબાવળ : દ્વિદળી વર્ગમાં આવેલા ફેબેસી કુળના ઉપકુળ સીઝાલ્પિનિયોઇડીની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Parkinsonia aculeata Linn. (હિં. વિલાયતી બબૂલ; બં. બલાતી કિકર; મ. અદાન્તી; ગુ. રામબાવળ, વિલાયતી બાવળ, પરદેશી બાવળ) છે. તે મોટો કંટમય (spinous) ક્ષુપ કે નાનું 5-6 મી. ઊંચું વૃક્ષ છે અને ઉષ્ણકટિબંધીય અમેરિકાનું મૂલનિવાસી છે. તે…

વધુ વાંચો >

રામમૂર્તિ

Jan 22, 2003

રામમૂર્તિ (જ. 1878, વીરઘટ્ટમ, આંધ્રપ્રદેશ; અ. 1938) : વિશ્વની મહાન શક્તિશાળી વ્યક્તિઓમાંની એક. રામમૂર્તિ જેટલી શક્તિ ધરાવનાર વ્યક્તિઓ વર્ષોમાં નહિ, પરંતુ યુગોમાં એકાદ જન્મે છે. એમના શરીરમાં અદભુત શક્તિ હતી; દા.ત., તેઓ પોતાની છાતી પર હાથી ઊભો રાખી શકતા હતા; ચાલતી મોટર રોકી શકતા હતા; ઊભી રહેલી ટ્રેન જવા નહોતા…

વધુ વાંચો >

રામરાજા (રામરાય)

Jan 22, 2003

રામરાજા (રામરાય) (1530-65) : કૃષ્ણદેવરાયના અવસાન પછી વિજયનગર સામ્રાજ્યના રાજકારણમાં મહત્વનો ભાગ ભજવનાર શાસક અને કૃષ્ણદેવરાયનો જમાઈ. કૃષ્ણદેવરાયે વારસ તરીકે પોતાના સગીર પુત્રને બદલે, પોતાના સાવકા ભાઈ અચ્યુતને પસંદ કર્યો હતો, અને તે ગાદીએ બેઠો; પરન્તુ રામરાજાએ કૃષ્ણદેવરાયના સગીર પુત્રને સમ્રાટ જાહેર કરીને તેના નામે રાજ્ય કરવા માંડ્યું. તેથી રામરાજાને…

વધુ વાંચો >

રામરાજ્ય

Jan 22, 2003

રામરાજ્ય : ચલચિત્ર. નિર્માણ-વર્ષ : 1943. ભાષા : હિંદી. શ્ર્વેત અને શ્યામ. નિર્માણ-સંસ્થા : પ્રકાશ પિક્ચર્સ. દિગ્દર્શક : વિજય ભટ્ટ, સંવાદ : સંપતલાલ શ્રીવાસ્તવ ‘અનુજ’. ગીતકાર : રમેશ ગુપ્તા. સંગીત : શંકરરાવ વ્યાસ. કલા નિર્દેશન : કનુ દેસાઈ. છબિકલા : પી. જી. કુકડે. મુખ્ય કલાકારો : શોભના સમર્થ, પ્રેમ અદીબ,…

વધુ વાંચો >

રામલાલ

Jan 22, 2003

રામલાલ (જ. 1923) : ઉર્દૂના જાણીતા આધુનિક નવલકથાકાર. કથાલેખનમાં તેઓ પરંપરાગત તત્ત્વો તેમજ લાક્ષણિકતાઓને પ્રશંસે છે અને આવકારે છે, જ્યારે મનોવૈજ્ઞાનિક માવજત અથવા મૌલિક ટૅક્નિકને ટાળે છે. કથાઘટક પરત્વે તેમનું સબળ પ્રભુત્વ છે. પરિણામે તેમનું કથાસાહિત્ય ખૂબ રસપ્રદ બન્યું છે. તેમનું નિરભિમાનીપણું આશ્ર્ચર્યકારક છે. તેઓ પોતાની મર્યાદાઓથી બરાબર માહિતગાર છે…

વધુ વાંચો >

રામલિંગમ્, એમ.

Jan 22, 2003

રામલિંગમ્, એમ. (જ. 1939, તિરુતુરેઇપુંડી, જિ. તાંજોર, તામિલનાડુ) : તમિળ ભાષાના વિવેચક. તેમના વિવેચનસંગ્રહ ‘પુતિય ઉરૈ નદૈ’ને 1981ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. 1963માં તેમણે મદ્રાસ યુનિવર્સિટીમાંથી સર્વોચ્ચ ક્રમાંક સાથે તમિળ ભાષામાં એમ.એ.ની ડિગ્રી મેળવી. 1975માં તેમને તમિળ સાહિત્યમાં ડૉક્ટરેટ ડિગ્રીનું સન્માન અપાયું. 1964માં તેઓ તમિલનાડુ શિક્ષણ-સેવામાં જોડાયા. ત્યારબાદ…

વધુ વાંચો >

રામલિંગેશ્વર મંદિર (1480)

Jan 22, 2003

રામલિંગેશ્વર મંદિર (1480) : આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લામાં તાડીપત્રી ખાતે આવેલાં બે પ્રખ્યાત મંદિરો પૈકીનું એક. તે બગ્ગા રામલિંગેશ્વર મંદિર તરીકે પણ ઓળખાય છે. બીજું મંદિર ચિન્તાલા વેંકટરામન (1509-42) તરીકે જાણીતું છે. બંને મંદિરો પશુ અને અચેતન વસ્તુઓનાં ચિત્રો-શિલ્પો વડે વિપુલ પ્રમાણમાં સુશોભિત કરવામાં આવ્યાં છે. રામલિંગેશ્વર મંદિરના સંકુલમાં ઉત્તર અને…

વધુ વાંચો >

રામલો રૉબિનહુડ (1962)

Jan 22, 2003

રામલો રૉબિનહુડ (1962) : ચુનીલાલ મડિયા-રચિત પ્રહસન. હાસ્યકાર-કટાક્ષકાર મડિયા ‘રામલો રૉબિનહુડ’ના નાટ્યલેખનમાં સુપેરે ખીલે છે. કટાક્ષયુક્ત, સચોટ સંવાદશૈલીને કારણે આ નાટકે પ્રહસન તરીકે આગવું કાઠું કાઢ્યું છે. મડિયાએ વર્તમાનપત્રમાં કોઈ ગુનેગારને પકડવા ઇનામની જાહેરાત વાંચી. મનમાં તુક્કો સૂઝ્યો અને તેમાંથી નીપજ્યું તે આ નાટક ‘રામલો રૉબિનહુડ’. કેટલાકના અનુમાન મુજબ આ…

વધુ વાંચો >

રામશાસ્ત્રી

Jan 22, 2003

રામશાસ્ત્રી (જ. 1720, માહુલી, જિ. સાતારા; અ. 25 ઑક્ટોબર 1769, પુણે) : મહારાષ્ટ્રમાં પેશવાઓના શાસનકાળ દરમિયાન થઈ ગયેલા નીડર અને બાહોશ ન્યાયાધીશ. બ્રાહ્મણ પરિવારમાં જન્મ. પિતાનું નામ વિશ્વનાથ, માતાનું નામ પાર્વતીબાઈ અને અટક પ્રભુણે. બાળપણમાં જ માતાપિતાની છત્રછાયા ગુમાવી. થોડાક સમય માટે કાકાએ ભરણપોષણ કર્યું, પરંતુ ઉંમર વધવા છતાં દ્રવ્ય-ઉપાર્જન…

વધુ વાંચો >

રામસનેહી સંપ્રદાય

Jan 22, 2003

રામસનેહી સંપ્રદાય : જુઓ રામચરણ

વધુ વાંચો >