૧૭.૨૦

રાજ્યાભિષેકથી રાનડે જી. એચ.

રાધાકૃષ્ણ શર્મા, ચલ્લા

રાધાકૃષ્ણ શર્મા, ચલ્લા (જ. 6 જાન્યુઆરી 1929, સોમવરપ્પડુ, જિ. કૃષ્ણા; અ. 1 નવેમ્બર 1998) : તેલુગુ સાહિત્યકાર. તેમણે મદ્રાસ યુનિવર્સિટીમાંથી એમ.એ., પીએચ.ડી. તથા એમ.લિટ્.ની ડિગ્રીઓ મેળવેલી. તેઓ તેલુગુ, તમિળ તથા અંગ્રેજી  એમ ત્રણ ભાષાઓમાં લખતા હતા અને કાવ્ય, નાટક, નિબંધ, વિવેચન, આત્મકથા જેવાં સાહિત્ય-સ્વરૂપોમાં 100 જેટલાં પુસ્તકો આપ્યાં છે. તેમણે…

વધુ વાંચો >

રાધા, મોહન

રાધા, મોહન (જ. 1907, પટણા, બિહાર) : આધુનિક ભારતીય ચિત્રકાર. તેમણે વિનયન અને કાયદામાં સ્નાતકની પદવી હાંસલ કરી. પછી મોગા ઘરાણાના મહાદેવ તેલી નામના ચિત્રકાર પાસે 14 વરસ ચિત્રકળાની તાલીમ લીધી. ગાંધીજી, સરદાર પટેલ, જવાહરલાલ નહેરુ, મદનમોહન માલવિયા, મૌલાના આઝાદ, મોતીલાલ નહેરુ આદિ દેશનેતાઓનાં ત્વરાલેખનો કર્યાં અને એ પરથી પૂર્ણકદનાં…

વધુ વાંચો >

રાધાવલ્લભીય સંપ્રદાય

રાધાવલ્લભીય સંપ્રદાય : હિંદુ ધર્મનો એક સંપ્રદાય. ઈ. પૂ. 1000થી વૈદિકી હિંસાની સામે પાંચ રાત્ર સંપ્રદાય[બીજાં નામ (1) ઐકાંતિક સંપ્રદાય, (2) સાત્વત સંપ્રદાય અને (3) ભાગવત માર્ગ]નો વિકાસ થયો હતો, જેમાં ઇષ્ટદેવ તરીકે વિષ્ણુ-નારાયણ અને એમના વિવિધ અવતારોની અર્ચના-ભક્તિ વિકસતી રહી. એ સંપ્રદાયમાં વાસુદેવ-સંકર્ષણ-પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ એ ચાર વ્યૂહોનો સમાદર…

વધુ વાંચો >

રાધાસ્વયંવર

રાધાસ્વયંવર : કાશ્મીરી કવિ પરમાનંદ (1791-1879) રચિત મહત્વનું બીજું ‘લીલા’કાવ્ય. પ્રથમ ‘લીલા’કાવ્યની જેમ આ કૃતિનો વિષય પણ ‘ભાગવત’(સર્ગ 10)માંથી લેવાયો છે અને આશરે 1,400 શ્ર્લોકોમાં આધ્યાત્મિક રૂપક ઉપસાવાયું છે. વાસ્તવમાં ધ્રુવપંક્તિ(‘સેત વિમર્શ દીપ્તિમાન ભગવનો’)ના પરિણામે કાશ્મીરની આગામી ‘પ્રત્યભિજ્ઞા’(ઓળખ)નું સર્જનાત્મક રૂપાંતર પ્રયોજાયું છે. દૃષ્ટાંતકથાની મર્યાદામાં રહીને, આ કાવ્યમાં સામાજિક વર્તણૂકના વ્યક્તિગત…

વધુ વાંચો >

રાધાસ્વામી સંપ્રદાય

રાધાસ્વામી સંપ્રદાય : વૈષ્ણવ ધર્મની એક શાખા. આ સંપ્રદાયનું બીજું નામ ‘સંતમત’ છે. આ સંપ્રદાયના સ્થાપક હુજુર રાધાસ્વામી દયાલ હતા. જેમને આદરાર્થ સ્વામીજી મહારાજ કહે છે. તેમનો જન્મ વિ. સ. 1875(ઈ. સ. 1819)માં થયો હતો. પાંચ-છ વર્ષની નાની ઉંમરથી તેઓ ઉપદેશ આપતા હતા. તે પછી પંદર વર્ષ સુધી પોતાના ઘરની…

વધુ વાંચો >

રાધિકાસાંત્વનમ્

રાધિકાસાંત્વનમ્ : અઢારમી સદીનાં તેલુગુ કવયિત્રી મડ્ડુ પલાની રચિત વિલક્ષણ કાવ્ય. આ કૃતિનું બીજું નામ ‘ઇલાદેવીયમ્’ છે. કૃષ્ણનો પોતાનાં કાકી રાધા પ્રત્યેનો પ્રેમ એ દક્ષિણ ધારા(school)ના કવિઓ માટે સનાતન વિષય બની રહ્યો હતો. રાજ-દરબારનાં આ કવયિત્રી પૂર્વેના અનેક કવિઓએ પોતપોતાની દક્ષતા પ્રમાણે કૃષ્ણ-રાધાના પ્રેમનું કાવ્યગાન કર્યું હતું; પરંતુ મડ્ડુ પલાની…

વધુ વાંચો >

રાધેશ્યામ ‘કથાવાચક’

રાધેશ્યામ ‘કથાવાચક’ (જ. 1890, બરેલી, ઉત્તર પ્રદેશ; અ. 1965) : હિંદીના નાટ્યકાર. નાનપણથી જ તેઓ સંગીત તથા નાટ્ય તરફ આકર્ષાયા હતા. તેમના પિતા સંગીતના શોખીન હતા અને ખાસ કરીને ભક્તિ-સંગીતના કલાકારોને ખૂબ પ્રોત્સાહન આપતા હતા. ભક્તિ-સંગીતના વાતાવરણમાં ઊછરેલા બાળ રાધેશ્યામને ગાતાં આવડી ગયું. 8 વર્ષની ઉંમરે તેમને ન્યૂ આલ્ફ્રેડ કંપનીએ…

વધુ વાંચો >

રાનડે, જી. એચ.

રાનડે, જી. એચ. (જ. 1 ઑક્ટોબર 1897, સાંગલી; અ. 10 માર્ચ 1966) : ભારતીય શાસ્ત્રીય સંગીતના તજજ્ઞ તથા ગાયક કલાકાર. બાળપણથી સંગીતમાં રુચિ હોવાને કારણે શાલેય અભ્યાસની સાથોસાથ સંગીતનો અભ્યાસ પણ તેમણે ખૂબ લગન સાથે કર્યો. તેમની તાલીમ ગ્વાલિયર ગાયકીની હતી. પં. બાલકૃષ્ણબુવા ઈચલકરંજીકરના શિષ્ય પં. ગણપતિબુવા ભિલવડીકર તથા પં.…

વધુ વાંચો >

રાજ્યાભિષેક

Jan 20, 2003

રાજ્યાભિષેક : રાજા તરીકે નિમાયેલ વ્યક્તિને રાજધર્મ સાથે સંકળાયેલા તેના અધિકારો જાહેરમાં પ્રદાન કરવા માટેનો વિધિ. સર્વસામાન્ય રીતે આ વિધિ ધાર્મિક સ્વરૂપ ધારણ કરે છે. અભિષેક એટલે પવિત્ર જળનું સિંચન. તેથી રાજ્યાભિષેકની વિધિમાં અન્ય પ્રચલિત ઔપચારિકતાઓ સાથે રાજગાદી ગ્રહણ કરનાર વ્યક્તિના મસ્તક પર પવિત્ર નદીઓના જળનું સિંચન કરવાની અને તે…

વધુ વાંચો >

રાજ્યાશ્રય

Jan 20, 2003

રાજ્યાશ્રય : રાજ તરફથી કવિઓ અને કલાકારોને મળતો આશ્રય. રાજશેખરે પોતાના ‘કવિશિક્ષા’ ગ્રંથમાં રાજાઓ દ્વારા આયોજિત કવિ-સંમેલનો અને સંગીતસમારોહનું વિસ્તૃત વર્ણન કર્યું છે. રાજશેખરનું કહેવું છે કે રાજાઓ કવિઓ અને કાવ્યો તથા સંગીતકારો અને બીજા વિદ્યાકલાના વિદ્વાનોનું ગુણવત્તા અનુસાર પુરસ્કાર કરી બહુમાન કરતા. આવા વિદ્વાનોમાંથી શ્રેષ્ઠને રાજદરબારમાં કાયમી સ્થાન મળતું.…

વધુ વાંચો >

રાજ્યોની ભાષાવાર પુનર્રચના

Jan 20, 2003

રાજ્યોની ભાષાવાર પુનર્રચના : સામાન્ય રીતે સમવાયતંત્ર, સમૂહતંત્ર કે સંઘ રાજ્યોમાં પ્રારંભે ઘટકો યા એકમોની રચના કરવામાં આવે ત્યારબાદ કેન્દ્રીય એકમની રચના થાય છે. વળી આવી રચના લગભગ કાયમી હોય છે; પરંતુ, ભારતમાં કેટલાંક કારણોસર આમ બન્યું નથી. આઝાદી પૂર્વે બ્રિટિશ શાસન દરમિયાન વિસ્તૃત અને મહાકાય પ્રાંતો અસ્તિત્વમાં હતા. તેમને…

વધુ વાંચો >

રાઝદાન, કૃષ્ણ

Jan 20, 2003

રાઝદાન, કૃષ્ણ (જ. 24 ઑગસ્ટ 1850, વનપુહ, જિ. અનંતનાગ, કાશ્મીર; અ. 4 ડિસેમ્બર 1926) : અનન્ય શિવભક્ત કાશ્મીરી કવિ. જમીનદાર અને કાશ્મીરી પંડિત પિતા ગણેશ રૈનાએ તેમને ફારસી, ગણિત, જ્યોતિષશાસ્ત્ર અને અન્ય શાસ્ત્રોમાં ઉત્તમ શિક્ષકો દ્વારા શિક્ષણ અપાવ્યું. તેમના પિતા સાધુસેવી હોઈ તેમને ઘેર ચાલતાં સંતસાધુનાં ભજન-કીર્તન તથા વિદ્વાનોના વાર્તાલાપથી…

વધુ વાંચો >

રાઝી

Jan 20, 2003

રાઝી (864-925) : ઈરાનના નવમા-દસમા સૈકાના જગવિખ્યાત હકીમ. આખું નામ અબૂબક્ર મુહમ્મદ બિન ઝકરિયા બિન યહ્યા. તેમણે તબીબીશાસ્ત્ર (medicine), રસાયણશાસ્ત્ર અને અન્ય વૈજ્ઞાનિક શાખાઓમાં સંશોધન તથા લેખન કર્યું હતું. તેમની ગણના વિશ્વના આગળ પડતા વિચારકોમાં થાય છે. તેમનો જન્મ ઈરાનના વર્તમાન પાટનગર તેહરાન શહેરની નજીક આવેલા પ્રાચીન નગર રૈ(Ray)માં થયો…

વધુ વાંચો >

રાઝી, ઇમામ ફખ્રુદ્દીન

Jan 20, 2003

રાઝી, ઇમામ ફખ્રુદ્દીન (જ. 1149; અ. 1209) : પવિત્ર કુરાનના તફસીર-લેખક તથા પ્રસિદ્ધ ધર્મજ્ઞાની. આખું નામ અબૂ અબ્દુલ્લાહ મુહમ્મદ બિન ઉમર ઉર્ફે ઇમામ ફખ્ર રાઝી. મફાતિહુલ ગૈબ અથવા અલ-તફસીર અલ-કબીર નામની તેમની તફસીર (અર્થાત્ પવિત્ર કુરાન ઉપરનું અરબી ભાષામાં વિવરણ) આજે પણ વિશ્વભરમાં પાઠ્યપુસ્તક તરીકે માન્યતા ધરાવે છે. તેમનો જન્મ…

વધુ વાંચો >

રાઠવા

Jan 20, 2003

રાઠવા : ગુજરાતની એક આદિવાસી જાતિ. ગુજરાતમાં વસતી અનેક-વિધ અનુસૂચિત જનજાતિઓમાં રાઠવા જાતિ ઊજળો વાન ધરાવતી સામાજિક તેમજ ધાર્મિક દૃષ્ટિએ ઘણું જ વૈવિધ્ય અને આગવાં સાંસ્કૃતિક લક્ષણો ધરાવતી જાતિ છે. ગુજરાતની કુલ 28 જેટલી અનુસૂચિત જનજાતિઓની 48 લાખ જેટલી વસ્તીમાં રાઠવાઓની વસ્તી લગભગ 4.92 % છે. એ રીતે વસ્તીના ક્રમમાં…

વધુ વાંચો >

રાઠોડ

Jan 20, 2003

રાઠોડ : રાજસ્થાન તથા ગુજરાતમાં એક કાળે શાસન કરનાર રાજવંશ. રાજસ્થાનના જોધપુર (મારવાડ) અને બીકાનેર રાજ્યમાં રાઠોડ રાજવંશનું શાસન હતું. આ રાઠોડ રાજાઓના પૂર્વજો ‘રઠડ’, ‘રઠૌડ’ અથવા ‘રાઠૌડ’ તરીકે ઓળખાતા હતા. મારવાડના રાઠોડ રાજવંશનો પૂર્વજ સીહ પોતાને ‘રઠડ’ તરીકે ઓળખાવતો હતો. એનું મૃત્યુ ઈ. સ. 1273માં થયું. એ પછી એના…

વધુ વાંચો >

રાઠોડ, અરવિંદ

Jan 20, 2003

રાઠોડ, અરવિંદ (જ. 14 ફેબ્રુઆરી 1941) : ગુજરાતી રંગભૂમિ અને ચિત્રપટના અભિનેતા. પિતા દરજીકામના વ્યવસાય સાથે સંકળાયેલા હતા, પરંતુ પિતાનો વ્યવસાય સ્વીકારવાના બદલે શાળા-કૉલેજમાં અભિનય અને અન્ય પ્રવૃત્તિ કરી અનેક ઇનામો મેળવી ચૂકેલા અરવિંદ રાઠોડે ચૂપચાપ નાટકોમાં કામ કરવું શરૂ કરી દીધું હતું. અરુણા ઈરાનીના પિતા એફ. આર. ઈરાનીના નાટક…

વધુ વાંચો >

રાઠોડ, કાનજીભાઈ

Jan 20, 2003

રાઠોડ, કાનજીભાઈ : ભારતીય ફિલ્મોના આરંભના દાયકાઓમાં જે ગુજરાતી ફિલ્મસર્જકોનું પ્રદાન સ્થાપક તરીકે ગણવામાં આવે છે તે પૈકીના એક સ્ટિલ ફોટોગ્રાફર. તેઓ અમેરિકાથી ફિલ્મકલાની ટૅક્નીક શીખીને આવેલા સુચેતસિંહની ઑરિયેન્ટલ ફિલ્મ કંપની સાથે 1918માં જોડાયા. અહીં 1920 સુધીમાં ‘મૃચ્છકટિક’, ‘શકુંતલા’ અને ‘નરસિંહ મહેતા’ ફિલ્મોમાં અભિનય કર્યો અને પ્રસિદ્ધિ પામ્યા. દરમિયાન એક…

વધુ વાંચો >