૧૭.૧૩

રસગંગાધરથી રહીમ

રસગંગાધર

રસગંગાધર : ભારતીય અલંકારશાસ્ત્રનો જગન્નાથે રચેલો ગ્રંથ. શાહજહાંએ જેમને ‘પંડિતરાજ’ની પદવી આપી હતી તે જગન્નાથે આ ગ્રંથને પાંચ આનનોમાં લખવા ધારેલો, પરંતુ આ ગ્રંથનાં બે આનનો જ પ્રાપ્ત થાય છે અને તેમાં પણ બીજું આનન અપૂર્ણ રહ્યું છે. આમ છતાં અધૂરો ગ્રંથ પણ અલંકારશાસ્ત્રનો પ્રતિનિધિ-ગ્રંથ ગણાયો છે. ખાસ કરીને કાવ્યના…

વધુ વાંચો >

રસતરંગિણી

રસતરંગિણી : ભાનુદત્તરચિત કાવ્યશાસ્ત્રનો ગ્રંથ. આ ગ્રંથના લેખક સોળમી સદીમાં થઈ ગયેલા. આ ગ્રંથનું નામ સૂચવે છે તેમ, તેમાં રસની વિવેચના કરવામાં આવી છે. સમગ્ર ગ્રંથ ગદ્ય અને પદ્ય ઉભયરૂપે નિબદ્ધ છે. તે પૈકી સિદ્ધાંત-સ્થાપના માટે ગદ્ય અને તેના સમર્થન માટેનાં ઉદાહરણોમાં પદ્યનો પ્રયોગ કરાયો છે. તેના કુલ આઠ વિભાગો…

વધુ વાંચો >

રસતંત્ર (આયુર્વેદ)

રસતંત્ર (આયુર્વેદ) : આયુર્વેદવિજ્ઞાન અંતર્ગત વિશિષ્ટ ચિકિત્સાનું શાસ્ત્ર. તેને આધુનિક ભાષામાં ‘કેમિસ્ટ્રી’ કહી શકાય. ‘રસતંત્ર’ કે ‘રસશાસ્ત્ર’ શબ્દનો અર્થ છે – ‘માનવચિકિત્સા-કાર્યમાં પારો, સુવર્ણ, ચાંદી, તાંબું, સોમલ, ગંધક, હરતાલ, કલાઈ, અભ્રક જેવી ખનિજ ધાતુઓ તથા અન્ય ખનિજોનો ઔષધિરૂપ ઉપયોગ કરનારી વિશિષ્ટ કીમિયારૂપ વિદ્યા’. આયુર્વેદના ‘રસતંત્ર’માં ‘રસ’ શબ્દ પારા (mercury) માટે…

વધુ વાંચો >

રસમંજરી

રસમંજરી : સંસ્કૃત અલંકારશાસ્ત્રમાં રસ વિશે ભાનુદત્તે રચેલો અત્યંત પ્રસિદ્ધ ગ્રંથ. પ્રસ્તુત ગ્રંથનો આરંભ નાયક-નાયિકાભેદથી થાય છે. નાયિકાના પ્રકારોનું સોદાહરણ વિવેચન આ ગ્રંથનો 2/3 ભાગ રોકે છે. એ પછી નાયિકાની સખી અને દૂતીની ચર્ચા આપવામાં આવી છે. ત્યારબાદ નાયક અને તેના પ્રકારો વર્ણવવામાં આવ્યા છે. એ પછી નાયકના પીઠમર્દ, વિદૂષક,…

વધુ વાંચો >

રસમાણિક્ય

રસમાણિક્ય : એક આયુર્વેદિક ઔષધ. રોગ મુજબ ઔષધોનું નિરૂપણ કરનારા આયુર્વેદના જાણીતા ગ્રંથ ‘ભૈષજ્યરત્નાવલી’ના ‘કુષ્ઠરોગાધિકાર’ નામના પ્રકરણમાં ‘રસમાણિક્ય’ નામનું ઔષધ બનાવવા માટે નીચે જણાવેલાં દ્રવ્યોની જરૂર પડે છે : (1) શુદ્ધ પારદ  8 ભાગ, (2) શુદ્ધ મન:શીલ  8 ભાગ, (3) શુદ્ધ હરતાળ  એક ભાગ, (4) શુદ્ધ ગંધક  8 ભાગ અને…

વધુ વાંચો >

રસરત્નપ્રદીપિકા

રસરત્નપ્રદીપિકા : ભારતીય અલંકારશાસ્ત્રનો રસ વિશે ચર્ચા કરતો અલ્લ નામના રાજાએ લખેલો ગ્રંથ. આ ગ્રંથ છ પરિચ્છેદોનો બનેલો છે. ગ્રંથના પ્રથમ પરિચ્છેદના આરંભમાં લેખક પોતાના પિતા હમ્મીર નામના પ્રતાપી રાજાનો અને એ પછી પોતાનો પરિચય આપે છે. ત્યારબાદ રસનો મહિમા, રસના દેવતાઓ, રસનું ફળ 25 જેટલી કારિકાઓમાં બતાવે છે. બીજા…

વધુ વાંચો >

રસસિદ્ધિ (કીમિયાગીરી, alchemy)

રસસિદ્ધિ (કીમિયાગીરી, alchemy) : હલકી (base) ધાતુઓનું સોનામાં રૂપાંતરણ (transmutation) કરવાની તથા બધા રોગો માટે એક જ દવા (cure) અને જીવનને અનંતકાળ સુધી લંબાવવા માટે જીવનામૃત(અમૃતતત્વ, elixir of life)ની શોધ સાથે સંકળાયેલું છદ્મવિજ્ઞાન (pseudoscience). કીમિયાગીરી પૂર્વમાં શરૂ થઈ; પરંતુ તેનાં મૂળ તો કાંસ્યયુગની ઇજિપ્ત તથા મેસોપોટેમિયાની સંસ્કૃતિમાં કે જેમાં ધાતુવિદ્યા,…

વધુ વાંચો >

રસસંકોચ (plasmolysis)

રસસંકોચ (plasmolysis) : કોષમાં થતી જીવરસના સંકોચનની પ્રક્રિયા. જ્યારે જીવંત વનસ્પતિકોષને તેના કોષદ્રવ (cellsap) જેટલો જ પરાસરણ દાબ (osmotic pressure) ધરાવતા (સમપરાસારી = isotonic) દ્રાવણમાં મૂકવામાં આવે ત્યારે કોષનો દેખાવ બધી રીતે સામાન્ય રહે છે. જો કોષને કોષદ્રવ કરતાં ઓછા પરાસરણ દાબવાળા (અલ્પપરાસારી = hypotonic) કે ઓછા ઋણ જલવિભવ (water…

વધુ વાંચો >

રસા

રસા : ઉત્તર ભારતમાં આવેલી વૈદિક યુગની નદી. વૈદિક યુગમાં ઉત્તર ભારતમાં સિંધુ નદીની જે કેટલીક શાખાઓ પશ્ચિમ તરફ વહેતી હતી એમાં રસા નામની નદીનો સમાવેશ થતો હતો. એ વૈદિક પ્રદેશના વાયવ્ય વિભાગમાં છેક અંતિમ છેડે આવેલી હતી. આ રસા નદી પછીથી જક્ષર્ટિસ તરીકે ઓળખાતી હતી. રસાની માફક કુભા (કાબુલ),…

વધુ વાંચો >

રસાકર્ષણ (osmosis)

રસાકર્ષણ (osmosis) : ભિન્ન ભિન્ન સાંદ્રતાવાળાં બે દ્રાવણોને અલગ પાડતા અર્ધપારગમ્ય (semipermeable) પટલ(membrane)માંથી દ્રાવકનું પસાર થવું. અર્ધપારગમ્ય પટલ એવો હોય છે કે જેમાંથી દ્રાવકના અણુઓ પસાર થઈ શકે છે, પણ મોટા ભાગના દ્રાવ્ય પદાર્થોના અણુઓ પસાર થઈ શકતા નથી. આવા પટલો વડે અલગ પાડેલા બે દ્રાવણોની ઉષ્માગતિજ વૃત્તિ એવી હોય…

વધુ વાંચો >

રસાયણ અનુચલન (chemo-taxis)

Jan 13, 2003

રસાયણ અનુચલન (chemo-taxis) : વિશિષ્ટ પ્રકારના પદાર્થોની રાસાયણિક ઉત્તેજના હેઠળ જીવાણુઓ કે રક્તકણોની ગતિ અથવા અનુચલન (taxis). આમ કેટલાક જીવાણુઓની ગતિ જ્યાં પેપ્ટોન અને લૅક્ટોઝ જેવા ખાદ્ય પદાર્થોની સાંદ્રતા વધુ હોય તેવા તેમને ગમતા (આકર્ષક) પદાર્થ તરફની હોય છે. આને વિધેયાત્મક (હકારાત્મક) રાસાયણિક અનુચલન (positive chemo-taxis) કહે છે. જો કોઈ…

વધુ વાંચો >

રસાયણ-ગ્રહણ (chemo-reception)

Jan 13, 2003

રસાયણ-ગ્રહણ (chemo-reception) : રાસાયણિક પર્યાવરણમાં થતા ફેરફારને લઈને પ્રાણીઓના શરીરમાં ઉદભવતી અનુક્રિયા (response). પ્રજીવ (protozoa) જેવાં સાવ નીચલી કક્ષાનાં પ્રાણીઓ માત્ર રસાયણોના સંપર્કથી ચેતતાં હોય છે. બધાં પ્રાણીઓના પોષણમાં રાસાયણિક સંવેદો અગત્યનો ભાગ ભજવે છે. દરિયાઈ તેમજ મીઠાં જળાશયીન અપૃષ્ઠવંશી પ્રાણીઓના પર્યાવરણમાં અત્યંત અલ્પપ્રમાણમાં ભક્ષ્યની પેશી હોય તોપણ તે પ્રત્યે…

વધુ વાંચો >

રસાયણશાસ્ત્ર

Jan 13, 2003

રસાયણશાસ્ત્ર : તત્ત્વો અને સંયોજનો તરીકે ઓળખાતા વિવિધ પદાર્થોના ગુણધર્મો, તેમનું સંઘટન અને તેમની સંરચના તથા તેઓ જે રૂપાંતરો પામે છે તેનો અભ્યાસ કરતી વિજ્ઞાનની એક શાખા. પદાર્થો વચ્ચે પ્રક્રિયા થાય તે દરમિયાન શોષાતી અથવા મુક્ત થતી ઊર્જાના અભ્યાસનો પણ તેમાં સમાવેશ થાય છે. મધ્યયુગમાં કીમિયાગીરીમાંથી તેનો વિકાસ થયો એમ…

વધુ વાંચો >

રસાયણાનુવર્તન (chemotropism)

Jan 13, 2003

રસાયણાનુવર્તન (chemotropism) : રાસાયણિક ઉત્તેજનાને લઈને થતું વાનસ્પતિક રચનાઓનું દિશાત્મક (directive) વૃદ્ધિરૂપ હલનચલન. આ પ્રકારના હલનચલનમાં અનુક્રિયા(response)ની દિશા ઉત્તેજનાની દિશા સાથે સંબંધિત હોય છે. પરાગાસન અને પરાગવાહિનીમાં થઈને પરાગનલિકાની ભ્રૂણપુટ (embryosac) તરફ થતી વૃદ્ધિ રસાયણાનુવર્તનનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે. સ્ત્રીકેસરોમાં રહેલા રાસાયણિક પદાર્થો પરાગનલિકાની વૃદ્ધિ માટે દિશાત્મક બળ…

વધુ વાંચો >

રસાયણોનું પૅકિંગ

Jan 13, 2003

રસાયણોનું પૅકિંગ : ગ્રાહક સુધી ઓછામાં ઓછા ખર્ચે, સારામાં સારી સ્થિતિમાં અને સલામત રીતે એક રાસાયણિક નીપજ જોઈતા જથ્થામાં વિતરિત થાય તેવી વ્યવસ્થા. હાલના હરીફાઈના બજારમાં પૅકેજે ઉત્પાદનની સુરક્ષા ઉપરાંત પણ અનેક જરૂરિયાતો પૂરી પાડવાની હોય છે એટલે પૅકેજિંગની પદ્ધતિએ નીચેના તબક્કે મહત્તમ કાર્યક્ષમતા દાખવવી જરૂરી છે : (i) માલ-રક્ષણ,…

વધુ વાંચો >

રસાયન-ચિકિત્સા

Jan 13, 2003

રસાયન-ચિકિત્સા : આયુર્વેદમાંની એક સારવાર-પદ્ધતિ. આયુર્વેદશાસ્ત્રમાં બે પ્રકારની ચિકિત્સા દર્શાવેલ છે : (1) વ્યાધિયુક્ત શરીરમાં એકઠા થયેલા રોગનાં કારણો-દોષોને દૂર કરી, શરીરને નીરોગી બનાવવું તે, દોષ-નિવૃત્તિ; (2) જે માણસ સ્વસ્થ છે, તેના સ્વાસ્થ્યનું રક્ષણ કરવું, જેના દ્વારા ભવિષ્યમાં રોગો થવાની શક્યતા ઓછી જ રહે, તે ચિકિત્સા સ્વાસ્થ્યરક્ષાવૃદ્ધિ. આ બીજા પ્રકારની…

વધુ વાંચો >

રસાયનતંત્ર (આયુર્વેદ)

Jan 13, 2003

રસાયનતંત્ર (આયુર્વેદ) : આયુર્વેદવિજ્ઞાનના આદિ પ્રવર્તક પ્રજાપતિ-સૃદૃષ્ટિકર્તા બ્રહ્માજી છે. આયુર્વેદવિજ્ઞાનને શાશ્વત કહેલું છે. બ્રહ્માજીથી શરૂ કરી દેવાધિદેવ ઇન્દ્ર સુધી મૂળ આયુર્વેદ એક લાખ શ્ર્લોકો અને એક હજાર અધ્યાયોમાં એકધારો પરંપરાથી વારસામાં ઊતરતો રહેલો. પરંતુ પછીથી મનુષ્યોની મેધાશક્તિ તથા આયુષ્ય ઘટવાને કારણે મૂળ આયુર્વેદવિજ્ઞાનને આઠ અંગોમાં વિભક્ત કરી દેવાયું, જેથી જેને…

વધુ વાંચો >

રસારોહણ

Jan 13, 2003

રસારોહણ વનસ્પતિઓના મૂળ દ્વારા શોષાયેલ પાણી અને ખનિજક્ષારોનું પ્રરોહ(shoot)ના વિવિધ ભાગોમાં થતું ઊર્ધ્વ વહન. રસારોહણની પ્રક્રિયા ગુરુત્વાકર્ષણબળની વિરુદ્ધ ઘણી ઊંચાઈ સુધી થતી હોય છે. યુકેલિપ્ટસ અને સિક્વૉયા જેવાં અત્યંત ઊંચાં વૃક્ષોમાં આ પ્રક્રિયા 90 મી.થી 120 મી.ની ઊંચાઈ સુધી થાય છે. પાણીના વહનનો માર્ગ અને સંવહનતંત્ર : મૂલાગ્રના અધિસ્તરીય (epidermal)…

વધુ વાંચો >

રસિકવલ્લભ

Jan 13, 2003

રસિકવલ્લભ (1828) : દયારામે (1777-1853) રચેલી દાર્શનિક પદ્યકૃતિ. દયારામે તેમની 51 વર્ષની વયે તેની રચના કરી હતી. બધાં મળીને, તેમાં 109 પદો છે. આખ્યાનનો કડવાબંધ તેમાં સ્વીકારાયો છે. કેટલાંક પદોમાં ‘ઊથલા’ની પણ યોજના છે. દયારામની નિષ્ઠા પુદૃષ્ટિસંપ્રદાયમાં હતી. એથી એ સંપ્રદાયના સિદ્ધાન્તપક્ષને લોકભોગ્ય બનાવવા માટે જ કદાચ, તેમણે આ ગ્રંથ પદ્યબંધમાં…

વધુ વાંચો >

રસિયા

Jan 13, 2003

રસિયા : વ્રજનાં લોકગીતોમાં ધ્રુપદ-ઘરાનાની વિશિષ્ટ ગાયકી. રસિયા એ ધ્રુપદ શૈલીનો શાસ્ત્રીય સંસ્કાર મનાય છે. હિંદુસ્તાની સંગીતને વ્રજભાષા અને સ્વામી હરિદાસજી તરફથી રસિયાની શાસ્ત્રીય અને લોકગીત બંને સ્વરૂપ પ્રાપ્ત થયાં હોવાનું પ્રતીત થાય છે. ‘આઇન-એ અકબરી’માં દેશી અને માર્ગી એવાં બે પ્રકારનાં ગીતોનો ઉલ્લેખ છે. એમાં દેશી શૈલીમાં મુખ્યત્વે ધ્રુપદનો…

વધુ વાંચો >