૧૬.૧૩

મૂલર યોહાનિસ પીટરથી મૂળા

મૂસ (crucible)

મૂસ (crucible) : ધાતુરસ બનાવવા માટે વપરાતું સાધન. જે ધાતુ કે મિશ્રધાતુને પિગાળવાની હોય તેને મૂસમાં મૂકવામાં આવે છે અને પછી તેને ઊંચા તાપમાન સુધી ગરમ કરવામાં આવે છે. ધાતુના ગલનબિંદુ સુધી તાપમાન થતાં તે પીગળે છે અને તૈયાર થયેલ રસને જરૂરિયાત પ્રમાણે તૈયાર કરેલ બીબામાં ઢાળી દાગીનો તૈયાર કરવામાં…

વધુ વાંચો >

મૂસળી

મૂસળી : એકદળી વર્ગમાં આવેલા ઍમેરિલીડેસી(નાગદમની) કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Curculigo orchoides Gaertn (સં. તાલમૂલી, તાલપત્રી, મૂસલી કંદ, હેમપુષ્પી; હિં. મૂસલી કંદ, કાલી મૂસલી; બં. તાલમૂલી, તલ્લૂર; મ. મૂસલી કંદ, ગુ. મૂસળી, કાળી મૂસળી; ક. નેલતાડી; તા. તિલાપને, તાલતાડ; મલા. નિલપના; તે. નેલતાડીચેટૂ  ગડ્ડા; ફા. મોસલી, અં. બ્લેકમુસેલ)…

વધુ વાંચો >

મૂસા સુહાગ (સોહાગ)

મૂસા સુહાગ (સોહાગ) (ઈ. સ.ની 15મી–16મી સદી) : અમદાવાદમાં સુલતાન મહમૂદશાહ બેગડા(1459–1511)ના સમયમાં થયેલા પીર. જેમ સ્ત્રી પોતાના સ્વામીની સેવા કરે છે, તે રીતે મનુષ્યે અલ્લાહ પર દિલોજાનથી ફિદા રહેવું જોઈએ એમ તેઓ માનતા. તેથી તેઓ હંમેશાં સૌભાગ્યવતી સ્ત્રી પહેરે એવાં કપડાં પહેરતા હતા. અમદાવાદમાં થોડાં વરસ દુકાળ પડ્યો ત્યારે…

વધુ વાંચો >

મૂળ

મૂળ વાહક પેશીધારી વનસ્પતિઓનું સ્થાપન અને શોષણ કરતું ભૂમિગત અંગ. તે પ્રકાશની વિરુદ્ધ અને ગુરુત્વાકર્ષણ અને પાણીની દિશા તરફ વૃદ્ધિ પામતો વનસ્પતિ-અક્ષ છે અને સામાન્યત: ભ્રૂણમૂળ(radicle)માંથી ઉત્પન્ન થાય છે. બીજને અનુકૂળ વાતાવરણ પ્રાપ્ત થતાં સુષુપ્તાવસ્થામાં રહેલો ભ્રૂણ (embryo) સક્રિય બને છે. તેના નીચેના છેડા તરફ આવેલું ભ્રૂણમૂળ જમીનમાં પ્રાથમિક મૂળ…

વધુ વાંચો >

મૂળખાઈ

મૂળખાઈ : જુઓ, મૂળના રોગો.

વધુ વાંચો >

મૂળચંદ આશારામ

મૂળચંદ આશારામ (જ. 24 ઑક્ટોબર 1883, ધોળકા; અ. 24 જૂન 1951, અમદાવાદ) : ગુજરાતના એક અગ્રણી વ્યાપારી અને સમાજસેવક. માતા : ઇચ્છાબાઈ. પ્રાથમિક શિક્ષણની શરૂઆત ગામઠી શાળામાં કરી. બાળપણમાં જ માતાપિતાનું અવસાન થવાથી ફોઈબા વીજળીબહેનની છત્રછાયા નીચે વડોદરા અને અમદાવાદમાં શાળાકીય શિક્ષણ લીધું. કુટુંબની નબળી આર્થિક પરિસ્થિતિને કારણે અભ્યાસ અધૂરો…

વધુ વાંચો >

મૂળચંદ ‘પ્રાણેશ’

મૂળચંદ ‘પ્રાણેશ’ (જ. 1925, ઝાઝૂ, બીકાનેર, રાજસ્થાન) : રાજસ્થાની સાહિત્યના વિદ્વાન અને વાર્તાકાર. તેમને તેમના વાર્તાસંગ્રહ ‘ચશ્મદીઠ ગવાહ’ માટે 1982ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. તેમણે ‘સાહિત્યરત્ન’ અને ‘આયુર્વેદરત્ન’ની ડિગ્રીઓ પ્રાપ્ત કરી છે. તેઓ 1958થી 1981 સુધી ભારતીય વિદ્યા મંદિર સંશોધનસંસ્થા સાથે સંકળાયેલા રહ્યા. તેમણે સાહિત્યિક સંશોધનવિષયક…

વધુ વાંચો >

મૂળચંદ મામા

મૂળચંદ મામા (નાયક મૂળચંદ વલ્લભ) (જ. 1881, કલોલ, ઉત્તર ગુજરાત; અ. 1935) : ગુજરાતી વ્યવસાયી રંગભૂમિના કુશળ કલાકાર, સંગીતકાર, દિગ્દર્શક. જ્ઞાતિએ નાયક હોવાથી નાટ્યકળાના સંસ્કાર મળ્યા હતા. સંગીતકળાનું વિશેષ જ્ઞાન મેળવ્યા પછી કાવસજી ખટાઉની નાટક કંપનીમાં સંગીત-વિભાગમાં હાર્મોનિયમવાદક તરીકે કારકિર્દીનો પ્રારંભ કર્યો. 1913માં પ્યારેલાલ વિઠ્ઠલરાય મહેતાના શ્રીવિદ્યા વિનોદ નાટક સમાજમાં…

વધુ વાંચો >

મૂળદાબ

મૂળદાબ : કોષની ચયાપચયની પ્રક્રિયાઓને પરિણામે વનસ્પતિની જલવાહક પેશીનાં વાહકતત્વોમાં ઉત્પન્ન થતો ઘનાત્મક(positive) દ્રવસ્થૈતિક (hydrostatic) દાબ. મૂળ દ્વારા ક્ષારોનું સક્રિય અભિશોષણ થતાં આસૃતિ વિભવ(osmotic potential)માં ફેરફારો થાય છે અને મૂળદાબ ઉદભવે છે, જેથી પાણી મૂળમાંથી પ્રકાંડમાં ઊંચે ચઢે છે. મૂળદાબ જલવાહિનીમાં દ્રાવ્ય પદાર્થોના સંચયન(accumulation)ને લઈને ઉત્પન્ન થાય છે. આ પ્રક્રિયા…

વધુ વાંચો >

મૂળના રોગો

મૂળના રોગો : વનસ્પતિના મૂળને નુકસાન કરતી ફૂગ, કૃમિ જેવા પરોપજીવી સજીવોના આક્રમણથી ઉદભવતો વ્યાધિ. આ પરોપજીવીઓ પાકોના મૂળના વાહીપુલોના કોષોમાં અને મૂળની છાલના કોષોમાં આક્રમણ કરી તેમાંથી ખોરાક મેળવતા હોવાથી આક્રમિત કોષો અને પેશીઓ મૃત્યુ પામે છે. વળી કેટલીક પરોપજીવી ફૂગો પાકોના મૂળના વાહીપુલોમાં પ્રવેશ કરી કોષોની દેહધાર્મિક ક્રિયામાં,…

વધુ વાંચો >

મૂલર, યોહાનિસ પીટર

Feb 13, 2002

મૂલર, યોહાનિસ પીટર (જ. 14 જુલાઈ 1801, કૉબ્લેન્ઝ, ફ્રાંસ; અ. 28 એપ્રિલ 1858) : એક પ્રખર પ્રાણીશાસ્ત્રજ્ઞ. તેઓ મોચીના પુત્ર હતા. 1819માં તેઓ બૉન યુનિવર્સિટીમાં દાખલ થયા અને ‘પ્રાણીઓના હલનચલનના સિદ્ધાંત’ પર નિબંધ લખી તે 1822માં પ્રસિદ્ધ કર્યો. ત્યારપછીનો અભ્યાસ તેમણે બર્લિન યુનિવર્સિટીમાં કર્યો. ત્યારબાદ તેઓ બૉન યુનિવર્સિટીમાં વ્યાખ્યાતા બન્યા…

વધુ વાંચો >

મૂલરાજ 1લો

Feb 13, 2002

મૂલરાજ 1લો (રાજ્યકાલ : ઈ. સ. 942–997) : ગુજરાતના ચૌલુક્ય (સોલંકી) વંશનો સ્થાપક. મૂલરાજનો પિતા રાજિ પ્રાય: કનોજના પ્રતીહાર રાજ્યમાં ગુર્જરદેશનો સામંત હતો. અણહિલવાડના ચાવડા રાજા સામંતસિંહે પોતાની બહેન લીલાદેવીને રાજિ સાથે પરણાવી હતી. એ મૂલ નક્ષત્રમાં જન્મ્યો હોવાથી, એનું નામ ‘મૂલરાજ’ પડ્યાની અનુશ્રુતિ ‘પ્રબંધચિંતામણિ’માં આપેલી છે. મૂલરાજનો મામો રાજા…

વધુ વાંચો >

મૂલરાજ 2જો

Feb 13, 2002

મૂલરાજ 2જો (રાજ્યકાલ : ઈ. સ. 1176–1178) : ગુજરાતનો સોલંકી વંશનો રાજા. સોલંકી રાજા અજયપાલ પછી એનો મોટો પુત્ર મૂલરાજ 2જો ગાદીએ આવ્યો. ‘પ્રબંધચિંતામણિ’માં એને ‘બાલ મૂલરાજ’ કહી એનો રાજ્યકાલ ઈ. સ. 1177થી 1179નો કહ્યો છે. જ્યારે ‘વિચારશ્રેણી’માં એને ‘લઘુ મૂલરાજ’ કહ્યો છે અને એનો રાજ્યકાલ ઈ. સ. 1176થી 1178નો…

વધુ વાંચો >

મૂલશુદ્ધિ પ્રકરણ

Feb 13, 2002

મૂલશુદ્ધિ પ્રકરણ (ઈ. સ. દસમી સદી) : જૈન ધર્મનો પ્રતિમાની પૂજા વગેરે વિશેનો ગ્રંથ. આનાં ‘સ્થાનકપ્રકરણ’ અને ‘સ્થાનકાનિ’ એવાં નામ પણ મળે છે. આખો ગ્રંથ પ્રાકૃત પદ્યમાં છે. તેના રચયિતા પૂર્ણતલ્લગચ્છના પ્રદ્યુમ્નસૂરિ (ઈ. સ.ની દસમી સદી) છે. આનો વિષય પ્રતિમાઓ, મંદિરો, ગ્રંથો તથા ચતુર્વિધ સંઘ પ્રત્યેની શ્રાવકની ફરજોનો હોઈ તેનું…

વધુ વાંચો >

મૂલાચાર

Feb 13, 2002

મૂલાચાર : જૈન ધર્મનો મુખ્ય આગમ ગ્રંથ. દિગમ્બરોના આગમોના ચાર અનુયોગમાંના ચોથા ‘ચરણાનુયોગ’નો અતિ મહત્વપૂર્ણ ગ્રંથ. તે ‘આચારાંગ’ પણ કહેવાય છે. દિગમ્બર સાધુઓના 28 મૂલ ગુણોનું અર્થાત્ આચારના આદર્શનું સાંગોપાંગ વર્ણન કરનાર પ્રથમ ગ્રંથ. પછીના આચારગ્રંથોના આધારરૂપ. ચારિત્ર્ય ઉપરાંત જ્ઞાન-ધ્યાન-તપમાં મગ્ન સાધુઓની જ્ઞાનવૃદ્ધિ માટે સહાયક વિષયો પણ તે પ્રતિપાદિત કરે…

વધુ વાંચો >

મૂલાણી, મૂળશંકર હરિનંદ

Feb 13, 2002

મૂલાણી, મૂળશંકર હરિનંદ (જ. 1 નવેમ્બર 1867, ચાવંડ; અ. 1957) : જૂની ગુજરાતી રંગભૂમિના નાટ્યલેખક. ગુજરાતી વ્યવસાયી રંગભૂમિ પર શિષ્ટ, સંસ્કારી રુચિ અને સાહિત્યિક સૂઝવાળાં નાટકો રચી સારા નટોની અભિનયશૈલી ઘડવામાં પ્રેરકબળ બનનાર મૂળશંકર મૂલાણીની નાટ્યપ્રતિભા રસની જમાવટમાં એમના પુરોગામીઓના મુકાબલે વધુ વિકસિત હતી. નાટ્યકાર તરીકે તેમણે વ્યવસાયી રંગભૂમિ પર…

વધુ વાંચો >

મૂલ્ય

Feb 13, 2002

મૂલ્ય : કોઈ એક વસ્તુના બદલામાં બીજી વસ્તુ કે સેવા પ્રાપ્ત કરવાની શક્તિ દર્શાવતો ખ્યાલ અથવા વિભાવના. અર્થશાસ્ત્રમાં મૂલ્યનો સંદર્ભ ઉપયોગિતા અથવા તુષ્ટિગુણમૂલ્ય સાથે નહિ, પરંતુ વિનિમય-મૂલ્ય સાથે હોય છે. બીજી રીતે કહીએ તો મૂલ્ય એટલે કોઈ એક વસ્તુ કે સેવાની ખરીદશક્તિ. મૂલ્યની વિભાવના હવા, પાણી કે સૂર્યપ્રકાશ જેવી સર્વસુલભ…

વધુ વાંચો >

મૂલ્ય (સાહિત્યમાં)

Feb 13, 2002

મૂલ્ય (સાહિત્યમાં) : વસ્તુ, વ્યક્તિ કે સમષ્ટિની હસ્તીમાં, એના વિકાસ-વિસ્તાર-પરિવર્તનના મૂળમાં રહીને ધારક અને પ્રભાવક બળ રૂપે કામ કરતું અંતસ્તત્વ. તે સત્-તત્વ પર નિર્ભર, સત્વશીલતાનું દ્યોતક એવું પરિબળ છે. આ સૃષ્ટિના સર્વ પદાર્થો આંતર-બાહ્ય, નિમ્ન-ઊર્ધ્વ, સ્થૂળ-સૂક્ષ્મ એવા વિવિધ સ્તરો-સંબંધોથી કોઈ ને કોઈ રીતે સંલગ્ન હોય છે. જ્યારે જ્યારે કોઈ પદાર્થ…

વધુ વાંચો >

મૂલ્ય-નિર્ધારણ

Feb 13, 2002

મૂલ્ય-નિર્ધારણ (Valuation) : મકાન કે અન્ય બાંધકામની યોગ્ય કિંમત નક્કી કરવાના અભિગમો. કિંમત-મૂલ્ય મિલકતના વેચાણભાવ, તેનાથી થતી આવક વગેરે બાબતો ધ્યાનમાં લઈને નિર્ધારિત કરવામાં આવે છે. મકાન અથવા મિલકતના બાંધકામમાં થયેલા ખર્ચને પડતર કિંમત (cost) કહેવામાં આવે છે; પણ આવી પડતર કિંમત અને તેમાં રોકાયેલી મૂડી પરનું વ્યાજ તથા મિલકતમાંથી…

વધુ વાંચો >

મૂલ્ય-વિશ્લેષણ

Feb 13, 2002

મૂલ્ય-વિશ્લેષણ (value analysis) : વસ્તુ કે સેવાનાં કાર્યોને વધારવા અને સુધારવા તેમજ તેની પડતરને ઘટાડવાના પ્રયત્નો. માલ અથવા સેવાના ઉત્પાદનમાં અનાવશ્યક ખર્ચાઓ ઓળખવાનો અને તૈયાર માલની ગુણવત્તામાં ફેરફાર કર્યા વિના અવેજીમાં અન્ય પ્રકારના કાચા માલ તથા પદ્ધતિઓના ઉપયોગ દ્વારા પડતર કિંમત ઘટાડવાનો વ્યવસ્થિત અને વિધાયક અભિગમ. પ્રવર્તમાન તૈયાર માલની પડતર…

વધુ વાંચો >