૧૫.૨૪

માનવનિર્મિત (રાસાયણિક) તત્વોથી માપનસૂત્રો

માનસિક વય

માનસિક વય : માનસિક વય અથવા માનસિક આયુની સંકલ્પના પ્રથમ વાર ફ્રેન્ચ મનોવિજ્ઞાની બિને(Binet)એ પોતાની પ્રથમ બુદ્ધિ-કસોટીઓ રજૂ કરતાં આપી હતી. 1905ની પ્રથમ આવૃત્તિની મૂળ કસોટીઓની 1908માં થયેલી બીજી આવૃત્તિમાં નકામી જણાયેલી કસોટીઓ કાઢી નાખી બાકીની કસોટીઓને તેણે ઉંમરના ક્રમમાં વહેંચી અને એ રીતે પ્રથમ વય-માપદંડ (age scale) તૈયાર કર્યો.…

વધુ વાંચો >

માનસિંગ, સોનલ

માનસિંગ, સોનલ (જ. 30 એપ્રિલ 1944) : સુપ્રસિદ્ધ ભારતીય નૃત્યાંગના. સંસ્કાર અને સંપત્તિ ધરાવતા પરિવારમાં જન્મ. પિતા અરવિંદ પકવાસા અને માતા સમાજસેવિકા પૂર્ણિમા પકવાસાના ઉછેર સાથે સ્વાતંત્ર્ય-સેનાની અને વિવિધ સ્થળે ગર્વનર તરીકે રહી ચૂકેલ દાદા મંગળદાસ પકવાસાનો તેમના વ્યક્તિત્વઘડતરમાં ઠીક ઠીક ફાળો હતો. રૂપ, ગુણ અને બુદ્ધિનો સુમેળ ધરાવતાં સોનલે…

વધુ વાંચો >

માનસિંહ, રાજા

માનસિંહ, રાજા (જ. ? અ. 1614) : અંબર(હાલનું જયપુર)ના રાજા બિહારીમલના દત્તક પુત્ર રાજા ભગવાનદાસનો ભત્રીજો અને દત્તક પુત્ર. રાજા બિહારીમલની પુત્રીનાં લગ્ન અકબર સાથે કર્યા બાદ, માનસિંહને મુઘલ દરબારમાં ઊંચા હોદ્દા પર નીમવામાં આવ્યો હતો. એપ્રિલ 1576માં અકબરે મેવાડના રાણા પ્રતાપ સામે લડવા રાજા માનસિંહ તથા આસફખાનને મોકલ્યા હતા.…

વધુ વાંચો >

માનસી

માનસી : વિજયરાય વૈદ્ય-સંપાદિત સામયિક. વિવેચક, નિબંધકાર અને સાહિત્યિક પત્રકારત્વમાં મહત્વનું પ્રદાન કરનાર શ્રી વિજયરાય વૈદ્યે 1935માં ડેમી કદમાં ‘માનસી’ ત્રૈમાસિકનો પ્રારંભ કર્યો. આ સામયિકને સર્જન અને ચિંતનની ગ્રંથશ્રેણી તરીકે ઓળખાવ્યું. ‘માનસી’ એટલે સકલ મનોવ્યાપારનો આવિર્ભાવ એમ કહ્યું. આ પૂર્વે 1924થી 1935 સુધી તેમના તંત્રીપદ હેઠળ ‘કૌમુદી’ માસિક પ્રગટ થતું…

વધુ વાંચો >

માનાગુઆ

માનાગુઆ : મધ્ય અમેરિકાનો પ્રાદેશિક વિસ્તાર તથા નિકારાગુઆ દેશનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 12° 10´ ઉ. અ. અને 86° 25´ પ. રે. માનાગુઆ પ્રદેશ નૈર્ઋત્ય નિકારાગુઆનો 3,597 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની નૈર્ઋત્યમાં પૅસિફિક મહાસાગર આવેલો છે. આ પ્રદેશનું મહત્વનું ભૂપૃષ્ઠ-લક્ષણ તેની વચ્ચે આવેલું માનાગુઆ સરોવર છે. આ…

વધુ વાંચો >

માનાગુઆ સરોવર

માનાગુઆ સરોવર : પશ્ચિમ નિકારાગુઆમાં લિયૉન અને માનાગુઆ વચ્ચે આવેલું સરોવર. સ્થાનિક નામ લાગો દ માનાગુઆ. ભૌગોલિક સ્થાન : 12° 10´ ઉ. અ. અને 86° 25´ પ. રે. આ સરોવર ફાટખીણ સ્વરૂપનું છે. 39 મીટરની ઊંચાઈ પર રહેલું આ સરોવર આશરે 10 મીટરની ઊંડાઈવાળું, 58 કિમી. પૂર્વ-પશ્ચિમ લંબાઈવાળું અને 25…

વધુ વાંચો >

માને, એદુઅર્દ

માને, એદુઅર્દ (Manet, EDOUARD (mah-nay’, ay-dwahr) (જ. 23 જાન્યુઆરી 1832, પૅરિસ; અ. 30 એપ્રિલ 1883) : પ્રસિદ્ધ ફ્રૅન્ચ ચિત્રકાર. પ્રભાવવાદી (impressionist) શૈલીના પ્રણેતા અને ચિત્રની પ્રક્રિયા તરફ દર્શકનું ધ્યાન ખેંચવા માટે થઈને ‘ચિત્ર એ રંગથી આલેખિત સ્પષ્ટ ભૂમિ છે’ એવા ખ્યાલનો પ્રથમ પુરસ્કર્તા. ગર્ભશ્રીમંત કુટુંબમાં જન્મ. પિતા ન્યાય-મંત્રાલયમાં ઉચ્ચ હોદ્દો…

વધુ વાંચો >

માને, લક્ષ્મણ

માને, લક્ષ્મણ (જ. 1949) : મરાઠી લેખક. ‘ઉપરા’ નામની તેમની જીવનકથાને 1981ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેઓ મહારાષ્ટ્ર સરકારના સહકાર વિભાગમાં સતારા ખાતે સેવા આપતા હતા. પુણે ખાતેની કેસરી મરાઠા સંસ્થાના એન. સી. કેલકર પુરસ્કારના પણ તેઓ વિજેતા બન્યા હતા, અને તેમને ફૉર્ડ ફાઉન્ડેશન તરફથી સ્કૉલરશિપ મળી હતી.…

વધુ વાંચો >

માન્ચેસ્ટર

માન્ચેસ્ટર : ઇંગ્લૅન્ડના વાયવ્ય ભાગમાં આવેલું પરગણું (county) અને શહેર. ભૌગોલિક સ્થાન : 53° 30´ ઉ. અ. અને 2° 15´ પ. રે. તે આટલાંટિક મહાસાગરના ફાંટા આયરિશ સમુદ્રથી પૂર્વ તરફ આશરે 55 કિમી. અંતરે અરવેલ નદી પર આવેલું છે. પરગણાનો સમગ્ર વિસ્તાર ઔદ્યોગિક શહેર માન્ચેસ્ટરને કેન્દ્રમાં રાખીને પથરાયેલો છે. આજે…

વધુ વાંચો >

માન્યખેટ

માન્યખેટ : દખ્ખણમાં રાષ્ટ્રકૂટ વંશના સમ્રાટ અમોઘવર્ષે (ઈ. સ. 814–878) બાંધેલી રાજધાની. માન્યખેટ માટે કેટલાક ઇતિહાસકારો ‘માલખેડ’ અથવા ‘માલખેળ’ લખે છે. એ મૂળ શબ્દનું રૂપાંતર થઈ ગયેલું છે. આરબ પ્રવાસીઓએ તેને માટે ‘મોંગીર’ નામ લખ્યું છે. હાલમાં આંધ્રપ્રદેશના ગુલબર્ગ જિલ્લામાં માલખેડ આવેલું છે. માળવાના પરમાર વંશનો રાજા સિયક રાષ્ટ્રકૂટ પ્રદેશો…

વધુ વાંચો >

માનવનિર્મિત (રાસાયણિક) તત્વો

Jan 24, 2002

માનવનિર્મિત (રાસાયણિક) તત્વો : કુદરતમાં સામાન્ય રીતે પ્રાપ્ય ન હોય, પણ માનવી દ્વારા પ્રયોગશાળામાં સંશ્લેષિત કરવામાં આવ્યાં હોય તેવાં રાસાયણિક તત્વો. 1896માં બેકેરલ દ્વારા વિકિરણધર્મિતા(radioactivity)ની શોધ થઈ તે અગાઉ એમ માનવામાં આવતું હતું કે પરમાણુ એ તત્વનો અસ્તિત્વ ધરાવી શકે તેવો નાનામાં નાનો કણ છે અને એક તત્વના પરમાણુનું બીજા…

વધુ વાંચો >

માનવપ્રજાઓ

Jan 24, 2002

માનવપ્રજાઓ (human races) : સરખાં આનુવંશિક તત્વો ધરાવતાં પ્રજાજૂથો. માનવપ્રજાઓમાં શારીરિક દેખાવ–ચામડીનો રંગ, માથાના વાળ અને તેનો આકાર, આંખોની રચના અને તેનો રંગ, નાકની લંબાઈ-પહોળાઈ, હોઠનું જાડાપણું-પાતળાપણું, ચહેરો, ઊંચું-નીચું કદ વગેરે શારીરિક લક્ષણોને કારણે કેટલાક સ્પષ્ટ ભેદ દેખાય છે. આવી શારીરિક ખાસિયતોના–લક્ષણોના અભ્યાસીઓ બે ભેદ પાડે છે : (1) અનિશ્ચિત…

વધુ વાંચો >

માનવ ભૂગોળ

Jan 24, 2002

માનવ ભૂગોળ પૃથ્વીની સપાટી પર જોવા મળતાં વિવિધ લક્ષણોને માનવીય સંદર્ભમાં મૂલવતી ભૂગોળની એક શાખા. ભૂગોળ એ એક એવું વિજ્ઞાન છે, જે પૃથ્વીનાં સપાટી-લક્ષણો તથા ભૂમિશ્યોનો વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરે છે. ભૂપૃષ્ઠ પર બે પ્રકારનાં લક્ષણો જોવા મળે છે : (1) કુદરતી ભૂમિલક્ષણો, (2) સાંસ્કૃતિક (માનવસર્જિત) ભૂમિલક્ષણો. કુદરતી લક્ષણો કુદરતમાં…

વધુ વાંચો >

માનવવસાહતો

Jan 24, 2002

માનવવસાહતો : સામૂહિક જીવન ગાળનારાં કુટુંબોનાં નિવાસસ્થાનો. એક કે તેથી વધુ કુટુંબો પોતાની જરૂરિયાત પ્રમાણે રહેઠાણો, અન્ય મકાનો, શેરી-રસ્તાઓ વગેરે બાંધીને, પ્રાથમિક કે ઉચ્ચ કક્ષાની આર્થિક પ્રવૃત્તિઓ દ્વારા પોતાની જીવનજરૂરિયાતો મેળવવાના હેતુથી વસવાટ કરે છે, ત્યારે તેવા ભૌગોલિક એકમને ‘માનવવસાહત’ કહેવામાં આવે છે. ઘરો કે કુટુંબોની (વસ્તીની) સંખ્યાને આધારે નાનું…

વધુ વાંચો >

માનવવાદ

Jan 24, 2002

માનવવાદ : માનવને કેન્દ્રમાં રાખી પ્રચલિત થયેલી વિચારધારા; વિશ્વમાં માનવના સ્થાન, સ્વરૂપ અને મહત્વ પર ભાર મૂકતી ચિંતનપ્રણાલી. માનવીની ગરિમાની–ગૌરવની સ્થાપના અને ઉપાસના; માનવતત્વનાં દ્યોતક વિશિષ્ટ લક્ષણો(દા.ત., બૌદ્ધિકતા)ની રક્ષા, માવજત તથા સંવર્ધન પર માનવવાદનો પાયો રચાયો છે. શીલરે માનવવાદની વ્યાખ્યા કરતાં જણાવ્યું કે, ‘જે લાક્ષણિક રીતે માનવીય હોય અને નિસર્ગાતીત…

વધુ વાંચો >

માનવશાસ્ત્ર (anthropology)

Jan 24, 2002

માનવશાસ્ત્ર (anthropology) માનવને કેન્દ્રમાં રાખીને તેને અનુલક્ષીને થતા વૈજ્ઞાનિક અભ્યાસનું શાસ્ત્ર. વસ્તુત: આ શાસ્ત્ર એક બાજુ પ્રાણી તરીકે માનવની ઉત્પત્તિ, પ્રાચીન તથા આધુનિક માનવપ્રજાતિનાં શારીરિક લક્ષણો, તેની સમાનતાઓ તથા વિભિન્નતાઓનું વિશ્લેષણ કરે છે તો બીજી બાજુ માનવે સર્જેલી ભૌતિક સંસ્કૃતિ, આવાસ, સાધનો, રાચરચીલું, પોશાક, ઘરેણાં, હથિયારો, કલા, શિલ્પ, સંગીત તથા…

વધુ વાંચો >

માનવ શ્રૌતસૂત્ર

Jan 24, 2002

માનવ શ્રૌતસૂત્ર : જુઓ કલ્પ.

વધુ વાંચો >

માનવીની ભવાઈ

Jan 24, 2002

માનવીની ભવાઈ (રચના અને પ્રકાશનવર્ષ 1947) : લેખક પન્નાલાલ નાનાલાલ પટેલની પ્રતિભાનો મહત્તમ તાગ આપતી નવલકથા. પન્નાલાલની અગાઉની નવલકથાઓમાં નાયક-નાયિકાના પ્રણયજીવનમાં આવતી ગૂંચ અને પછી તેનો આવતો ઉકેલ તે તો ‘માનવીની ભવાઈ’માં છે જ, પણ અહીં પ્રથમ વાર લોક અને કાળનું તત્વ ઉમેરાતાં કથાસૃષ્ટિ સંકુલ બને છે. નાયક-નાયિકાની પેટની ભૂખ…

વધુ વાંચો >

માનસરોવર

Jan 24, 2002

માનસરોવર : હિમાલયમાં કૈલાસ હારમાળાની દક્ષિણે આશરે 30 કિમી. અંતરે આવેલું મીઠા પાણીનું સરોવર. ભૌગોલિક સ્થાન : 30° 40´ ઉ. અ. અને 81° 30´ પૂ. રે. તે ચીન હસ્તક રહેલા તિબેટના નૈર્ઋત્ય ભાગમાં અને નેપાળથી વાયવ્ય દિશામાં આવેલું છે. તેની ઉત્તરે કૈલાસ પર્વત, દક્ષિણે ગુર્લા માધાંતા પર્વત તથા પશ્ચિમે રાક્સતાલ…

વધુ વાંચો >

માનસિક યુદ્ધ

Jan 24, 2002

માનસિક યુદ્ધ : પોતાના સૈનિકો તથા આમ પ્રજાનો જુસ્સો વધારવા તથા શત્રુપક્ષના સૈનિકો અને તેના હસ્તકની પ્રજાનો જુસ્સો છિન્નભિન્ન કરવા માટે યોજાતી યુક્તિઓ. તેની પાછળ મુખ્ય ધારણાઓ હોય છે કે જે પ્રજા કે જે લશ્કરની ધૈર્યભાવના કે ચારિત્ર્યબળ ઊંચું હોય તે જ પ્રજા કે લશ્કર વાસ્તવિક યુદ્ધમાં વિજય મેળવવા સમર્થ…

વધુ વાંચો >