૧૫.૨૪

માનવનિર્મિત (રાસાયણિક) તત્વોથી માપનસૂત્રો

માન્સાર્ડ રૂફ

માન્સાર્ડ રૂફ : એક પ્રકારની છત-રચના. તેનું નામ તેના શોધક પરથી અપાયેલ છે. તેને ‘કર્બ’ રૂફ તરીકે પણ ઓળખવામાં આવે છે. માન્સાર્ડ રૂફનો પ્રાથમિક ઉપયોગ મકાનની ઊંચાઈ ઘટાડવા તથા ઓરડાની સંખ્યામાં વધારો કરવા થાય છે. તેના પ્રયોગથી એક રીતે ઓછા વિસ્તારમાં વધુ ઓરડાની જરૂરિયાત સંતોષાય છે. આવી છત સામાન્ય રીતે…

વધુ વાંચો >

માપન (measurement)

માપન (measurement) : વિજ્ઞાન અને ટૅકનૉલૉજીનાં વિવિધ ક્ષેત્રોમાં પ્રયોજાતી રાશિઓ(quantities)નાં મૂલ્યો કોઈ ચોક્કસ એકમોમાં શોધવાનું કાર્ય અથવા તેની પ્રક્રિયા. માપનક્રિયાનું મહત્વ તેમાં રહેલ ચોકસાઈ પર આધારિત છે. ખગોળશાસ્ત્રમાં તારાઓનાં અંતર જેવી બાબતો પ્રત્યક્ષ નહિ, પણ પરોક્ષ માપન પર આધાર રાખે છે. ગણિતશાસ્ત્રમાં માપ-સિદ્ધાંત (measure theory) એ વાસ્તવિક રેખા (real line)…

વધુ વાંચો >

માપનસૂત્રો (Mensuration Formulae)

માપનસૂત્રો (Mensuration Formulae) : વક્રોની લંબાઈ, સતમલ પરની વિવિધ આકૃતિઓનાં ક્ષેત્રફળ, વિવિધ ઘન પદાર્થોનાં ઘનફળ અને વક્ર સપાટીઓનાં પૃષ્ઠફળ વગેરે શોધવાનાં સૂત્રો. તેનો ઉપયોગ રોજિંદા વ્યવહારમાં અને ખાસ કરીને ઇજનેરી વિદ્યાશાખામાં કરવામાં આવે છે; જેમ કે, જમીનના સર્વેક્ષણ (survey) માટે, રેલવે એન્જિનિયરિંગ અને ઔદ્યોગિક પ્રકલ્પ (project) વગેરેમાં. આ સૂત્રોનો અભ્યાસ…

વધુ વાંચો >

માનવનિર્મિત (રાસાયણિક) તત્વો

Jan 24, 2002

માનવનિર્મિત (રાસાયણિક) તત્વો : કુદરતમાં સામાન્ય રીતે પ્રાપ્ય ન હોય, પણ માનવી દ્વારા પ્રયોગશાળામાં સંશ્લેષિત કરવામાં આવ્યાં હોય તેવાં રાસાયણિક તત્વો. 1896માં બેકેરલ દ્વારા વિકિરણધર્મિતા(radioactivity)ની શોધ થઈ તે અગાઉ એમ માનવામાં આવતું હતું કે પરમાણુ એ તત્વનો અસ્તિત્વ ધરાવી શકે તેવો નાનામાં નાનો કણ છે અને એક તત્વના પરમાણુનું બીજા…

વધુ વાંચો >

માનવપ્રજાઓ

Jan 24, 2002

માનવપ્રજાઓ (human races) : સરખાં આનુવંશિક તત્વો ધરાવતાં પ્રજાજૂથો. માનવપ્રજાઓમાં શારીરિક દેખાવ–ચામડીનો રંગ, માથાના વાળ અને તેનો આકાર, આંખોની રચના અને તેનો રંગ, નાકની લંબાઈ-પહોળાઈ, હોઠનું જાડાપણું-પાતળાપણું, ચહેરો, ઊંચું-નીચું કદ વગેરે શારીરિક લક્ષણોને કારણે કેટલાક સ્પષ્ટ ભેદ દેખાય છે. આવી શારીરિક ખાસિયતોના–લક્ષણોના અભ્યાસીઓ બે ભેદ પાડે છે : (1) અનિશ્ચિત…

વધુ વાંચો >

માનવ ભૂગોળ

Jan 24, 2002

માનવ ભૂગોળ પૃથ્વીની સપાટી પર જોવા મળતાં વિવિધ લક્ષણોને માનવીય સંદર્ભમાં મૂલવતી ભૂગોળની એક શાખા. ભૂગોળ એ એક એવું વિજ્ઞાન છે, જે પૃથ્વીનાં સપાટી-લક્ષણો તથા ભૂમિશ્યોનો વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરે છે. ભૂપૃષ્ઠ પર બે પ્રકારનાં લક્ષણો જોવા મળે છે : (1) કુદરતી ભૂમિલક્ષણો, (2) સાંસ્કૃતિક (માનવસર્જિત) ભૂમિલક્ષણો. કુદરતી લક્ષણો કુદરતમાં…

વધુ વાંચો >

માનવવસાહતો

Jan 24, 2002

માનવવસાહતો : સામૂહિક જીવન ગાળનારાં કુટુંબોનાં નિવાસસ્થાનો. એક કે તેથી વધુ કુટુંબો પોતાની જરૂરિયાત પ્રમાણે રહેઠાણો, અન્ય મકાનો, શેરી-રસ્તાઓ વગેરે બાંધીને, પ્રાથમિક કે ઉચ્ચ કક્ષાની આર્થિક પ્રવૃત્તિઓ દ્વારા પોતાની જીવનજરૂરિયાતો મેળવવાના હેતુથી વસવાટ કરે છે, ત્યારે તેવા ભૌગોલિક એકમને ‘માનવવસાહત’ કહેવામાં આવે છે. ઘરો કે કુટુંબોની (વસ્તીની) સંખ્યાને આધારે નાનું…

વધુ વાંચો >

માનવવાદ

Jan 24, 2002

માનવવાદ : માનવને કેન્દ્રમાં રાખી પ્રચલિત થયેલી વિચારધારા; વિશ્વમાં માનવના સ્થાન, સ્વરૂપ અને મહત્વ પર ભાર મૂકતી ચિંતનપ્રણાલી. માનવીની ગરિમાની–ગૌરવની સ્થાપના અને ઉપાસના; માનવતત્વનાં દ્યોતક વિશિષ્ટ લક્ષણો(દા.ત., બૌદ્ધિકતા)ની રક્ષા, માવજત તથા સંવર્ધન પર માનવવાદનો પાયો રચાયો છે. શીલરે માનવવાદની વ્યાખ્યા કરતાં જણાવ્યું કે, ‘જે લાક્ષણિક રીતે માનવીય હોય અને નિસર્ગાતીત…

વધુ વાંચો >

માનવશાસ્ત્ર (anthropology)

Jan 24, 2002

માનવશાસ્ત્ર (anthropology) માનવને કેન્દ્રમાં રાખીને તેને અનુલક્ષીને થતા વૈજ્ઞાનિક અભ્યાસનું શાસ્ત્ર. વસ્તુત: આ શાસ્ત્ર એક બાજુ પ્રાણી તરીકે માનવની ઉત્પત્તિ, પ્રાચીન તથા આધુનિક માનવપ્રજાતિનાં શારીરિક લક્ષણો, તેની સમાનતાઓ તથા વિભિન્નતાઓનું વિશ્લેષણ કરે છે તો બીજી બાજુ માનવે સર્જેલી ભૌતિક સંસ્કૃતિ, આવાસ, સાધનો, રાચરચીલું, પોશાક, ઘરેણાં, હથિયારો, કલા, શિલ્પ, સંગીત તથા…

વધુ વાંચો >

માનવ શ્રૌતસૂત્ર

Jan 24, 2002

માનવ શ્રૌતસૂત્ર : જુઓ કલ્પ.

વધુ વાંચો >

માનવીની ભવાઈ

Jan 24, 2002

માનવીની ભવાઈ (રચના અને પ્રકાશનવર્ષ 1947) : લેખક પન્નાલાલ નાનાલાલ પટેલની પ્રતિભાનો મહત્તમ તાગ આપતી નવલકથા. પન્નાલાલની અગાઉની નવલકથાઓમાં નાયક-નાયિકાના પ્રણયજીવનમાં આવતી ગૂંચ અને પછી તેનો આવતો ઉકેલ તે તો ‘માનવીની ભવાઈ’માં છે જ, પણ અહીં પ્રથમ વાર લોક અને કાળનું તત્વ ઉમેરાતાં કથાસૃષ્ટિ સંકુલ બને છે. નાયક-નાયિકાની પેટની ભૂખ…

વધુ વાંચો >

માનસરોવર

Jan 24, 2002

માનસરોવર : હિમાલયમાં કૈલાસ હારમાળાની દક્ષિણે આશરે 30 કિમી. અંતરે આવેલું મીઠા પાણીનું સરોવર. ભૌગોલિક સ્થાન : 30° 40´ ઉ. અ. અને 81° 30´ પૂ. રે. તે ચીન હસ્તક રહેલા તિબેટના નૈર્ઋત્ય ભાગમાં અને નેપાળથી વાયવ્ય દિશામાં આવેલું છે. તેની ઉત્તરે કૈલાસ પર્વત, દક્ષિણે ગુર્લા માધાંતા પર્વત તથા પશ્ચિમે રાક્સતાલ…

વધુ વાંચો >

માનસિક યુદ્ધ

Jan 24, 2002

માનસિક યુદ્ધ : પોતાના સૈનિકો તથા આમ પ્રજાનો જુસ્સો વધારવા તથા શત્રુપક્ષના સૈનિકો અને તેના હસ્તકની પ્રજાનો જુસ્સો છિન્નભિન્ન કરવા માટે યોજાતી યુક્તિઓ. તેની પાછળ મુખ્ય ધારણાઓ હોય છે કે જે પ્રજા કે જે લશ્કરની ધૈર્યભાવના કે ચારિત્ર્યબળ ઊંચું હોય તે જ પ્રજા કે લશ્કર વાસ્તવિક યુદ્ધમાં વિજય મેળવવા સમર્થ…

વધુ વાંચો >