૧૩.૦૩

બદાયૂંથી બરસાત (1949)

બદાયૂં

બદાયૂં : સ્થાન-સીમા-વિસ્તાર : ઉત્તર પ્રદેશના બરેલી વિભાગનો નૈર્ઋત્ય ભાગ આવરી લેતો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 27° 40´થી 28° 29´ ઉ. અ. અને 78° 16´થી 79° 68´ પૂ. રે. વચ્ચેનો 5,168 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે મોરાદાબાદ, રામપુર અને બરેલી…

વધુ વાંચો >

બદ્ધમણિ

બદ્ધમણિ : જુઓ પ્રજનનતંત્ર (માનવ)

વધુ વાંચો >

બધેકા, ગિજુભાઈ

બધેકા, ગિજુભાઈ (જ. 15 નવેમ્બર 1885, વળા; અ. 1939, મુંબઈ) : ‘બાળકોની મુછાળી મા’નું બિરુદ પામેલા, ગુજરાતના સુપ્રસિદ્ધ બાલકેળવણીકાર અને બાલસાહિત્યકાર. આખું નામ ગિરજાશંકર ભગવાનજી બધેકા. વતન વળામાં શાળાનો અભ્યાસ પૂરો કરી, વધુ અભ્યાસ અર્થે ભાવનગર આવ્યા. ત્યાં મૅટ્રિકની પરીક્ષા પાસ કરી, શામળદાસ કૉલેજમાં દાખલ થયા. કુટુંબની નબળી આર્થિક સ્થિતિને…

વધુ વાંચો >

બનગરવાડી

બનગરવાડી (1955) : મરાઠી નવલકથાલેખક વ્યંકટેશ માડગૂળકરની જાનપદી નવલકથા. મરાઠીમાં આંચલિક નવલકથાનો નવો પ્રકાર આ કૃતિથી શરૂ થયો. એ રીતે તે મરાઠી આંચલિક (જાનપદી) નવલકથાનું સીમાચિહ્ન છે. એમણે આ કૃતિ દ્વારા સિદ્ધ કર્યું કે ગ્રામીણ અને દૂર દૂરના પછાત વિસ્તારના જનજીવનનું ચિત્રણ પણ ઉચ્ચ સાહિત્યિક મૂલ્યવાળું હોય છે. આ નવલકથામાં…

વધુ વાંચો >

બનફૂલ

બનફૂલ (જ. 19 જુલાઈ 1899; અ. 1979) : પ્રસિદ્ધ બંગાળી સાહિત્યકાર. મૂળ નામ બાલાઈચંદ મુખોપાધ્યાય. તેઓ બિહારના ભાગલપુર નગરના વતની. પટણા અને કલકત્તા વિદ્યાપીઠમાં શિક્ષણ લીધું. વ્યવસાયે ડૉક્ટર. ‘બનફૂલ’ નામથી લેખનની શરૂઆત. પ્રથમ તેમણે કવિતા લખવાની શરૂઆત કરી. વિદ્યાર્થીજીવન દરમિયાનના વૈદ્યકીય અનુભવો તેમણે તેમના ‘તૃણખંડ’(1935)માં લખ્યા છે. ‘વૈતરણીતીરે’ (1937) પુસ્તકે…

વધુ વાંચો >

બનવાસી

બનવાસી : હાલના કર્ણાટક રાજ્યમાં ઉત્તર કન્નડ જિલ્લામાં આવેલ પ્રાચીન નગર. તે ‘વનવાસી’ અથવા ‘વૈજયન્તીપુર’ તરીકે પણ ઓળખાતું હતું. મહાભારતમાં આ પ્રદેશનો ‘વનવાસક’ તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પાંડવોએ આ પ્રદેશમાં વનવાસ કર્યો હતો. બનવાસીથી આશરે 20 કિમી. દૂર શિરસી નામનું ગામ છે. તે વિરાટ રાજાની રાજધાની હતું. પુરાણોમાં બનવાસક…

વધુ વાંચો >

બનહટ્ટી, શ્રીનિવાસ નારાયણ

બનહટ્ટી, શ્રીનિવાસ નારાયણ (જ. 1901, પુણે; અ. 1975) : મરાઠીના નામાંકિત લેખક, સંપાદક અને વિદ્વાન. તેમણે ઉચ્ચ શિક્ષણ મુંબઈ યુનિવર્સિટીમાં લીધું હતું. તેમને અતિ ઉજ્જ્વળ અભ્યાસ-કારકિર્દીના પરિણામે અનેક ઇનામો તથા શિષ્યવૃત્તિઓ મળ્યાં. સંસ્કૃતમાં એમ.એ.ની તથા કાયદાશાસ્ત્રમાં એલએલ.બી.ની પદવી મેળવ્યા પછી તેઓ એલ્ફિન્સ્ટન કૉલેજમાં મરાઠીના અધ્યાપક તરીકે જોડાયા. પછી તેઓ નાગપુરની…

વધુ વાંચો >

બનાખ, સ્ટીફન

બનાખ, સ્ટીફન (જ. 30 માર્ચ 1892, ક્રેકાઉ, પોલૅન્ડ; અ. 31 ઑગસ્ટ 1945) : વીસમી સદીના વિશ્વના ઉચ્ચ કોટિના પોલિશ ગણિતજ્ઞ. બાળપણમાં પિતાનું વાત્સલ્ય ન મળતાં બનાખ રખડુ બની ગયા. પરિણામે નાની ઉંમરે ઘર છોડવાની પરિસ્થિતિ આવી. એક ધોબણ બહેનને ત્યાં તેમનો ઉછેર થયો. ગણિત પ્રત્યે તેમને ખૂબ લગાવ હતો તેથી…

વધુ વાંચો >

બનાદાસ

બનાદાસ (જ. 1821 અશોકપુર, જિ. ગોંડ; અ. 1892 અયોધ્યા) : રામભક્તિના રસિક સંપ્રદાયમાં થયેલા સાકેત નિવાસી સંત કવિ. જાતિએ ક્ષત્રિય. પિતા ગુરુદત્તસિંહ. ઘરની આર્થિક સ્થિતિ સારી નહિ હોવાથી ભિનગા રાજ્ય- (બહરાઇચ)ની સેનામાં સાત વર્ષ સુધી નોકરી કરી. ઘેર પાછા આવ્યા. પોતાના એકના એક પુત્રનું અકાળ અવસાન થતાં પુત્રના શબ સાથે…

વધુ વાંચો >

બનારસ

બનારસ : જુઓ વારાણસી

વધુ વાંચો >

બફેલો

Jan 3, 2000

બફેલો : યુ.એસ.ના ન્યૂયૉર્ક રાજ્યનું શહેર. ભૌગોલિક સ્થાન : 42° 53´ ઉ. અ. અને 78° 52´ પ. રે. તે યુ.એસ.–કૅનેડા સરહદે નાયગરા ધોધથી અગ્નિખૂણે આશરે 32 કિમી. અંતરે ઈરી સરોવરના પૂર્વ છેડે નાયગરા નદી પર આવેલું ઈરી પરગણાનું મુખ્ય મથક બની રહેલું છે. વસ્તી : 11,89,000 (1990). તે નાયગરા નદીખીણનો…

વધુ વાંચો >

બબૂન

Jan 3, 2000

બબૂન : સસ્તન વર્ગની અંગુષ્ઠધારી (primate) શ્રેણીનું એક પ્રાણી. તેનું વર્ગીકરણ ઍન્થ્રોપૉઇડિયા ઉપશ્રેણીના કેટાહ્રિની કુળમાં વર્ગીકૃત કરવામાં આવે છે. જૉન રે (1627–1705) નામના પ્રકૃતિવિદે બબૂનની ઓળખ સૌપ્રથમ આપી હતી. પ્રજાતિ પેપિયો હેઠળ બબૂનની પાંચ જાતિઓ જોવા મળી, જેમાં પ્રચલિત અને વિશાળ ફેલાવો ધરાવતી જાતિનું શાસ્ત્રીય નામ Papio hamadryas છે, જે…

વધુ વાંચો >

બમનશિયા

Jan 3, 2000

બમનશિયા : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા એપોસાયનેસી કુળની એક પ્રજાતિ. ભારતમાં તેની ચાર જાતિઓ થાય છે. તે પૈકી બે જાતિઓ Beaumontia grandiflora (Roxb.) Wall. (ગોતાલી ફૂલ, Herald’s trumpet, Nepal trumpet flower) અને B. jerdoniana wight. ઉદ્યાનોમાં શોભાની વનસ્પતિઓ તરીકે ઉગાડવામાં આવે છે. B. grandiflora પૂર્વ હિમાલય, આસામ અને મેઘાલયમાં સ્થાનિક…

વધુ વાંચો >

બયાના

Jan 3, 2000

બયાના : રાજસ્થાનમાં ભરતપુરની નૈર્ઋત્યે 45 કિમી.ના અંતરે આવેલ નગર. તેનું પ્રાચીન સમયનું નામ શ્રીપથ કે શ્રીપ્રસ્થ હતું. બયાનામાં યદુ વંશના રાજાઓ રાજ્ય કરતા હતા. તેમના રાજ્યમાં જૂનું ભરતપુર રાજ્ય તથા મથુરા જિલ્લાનો સમાવેશ થતો હતો. અગિયારમી સદીના પૂર્વાર્ધમાં આ વંશનો રાજા જૈતપાલ શાસન કરતો હતો. તેનો વારસ વિજયપાલ હતો.…

વધુ વાંચો >

બરકતુલ્લા, મહંમદ

Jan 3, 2000

બરકતુલ્લા, મહંમદ (જ. 1864, ભોપાલ; અ. 5 જાન્યુઆરી 1928, સાન ફ્રાંસિસ્કો, યુ.એસ.) : વિદેશોમાં ભારતીય ક્રાંતિકાર. મહંમદ બરકતુલ્લાનો જન્મ ઉચ્ચ મુસ્લિમ પરિવારમાં થયો હતો. તેઓ ઉચ્ચ અભ્યાસ માટે લિવરપૂલ (ઇંગ્લૅન્ડ) ગયા. ઇંગ્લૅન્ડમાં તેઓ ભારતીય ક્રાંતિકારીઓના સંપર્કમાં આવીને રાષ્ટ્રવાદી બન્યા. તેઓ ભારત પાછા ફર્યા ત્યારે દેશમાંથી વિદેશી સત્તાને દૂર કરી સ્વાતંત્ર્ય…

વધુ વાંચો >

બરગીત

Jan 3, 2000

બરગીત : એક પ્રકારનાં અસમિયા ભક્તિગીતો. મહાપુરુષ શંકરદેવે (1449–1569) આસામની વૈષ્ણવ પરંપરામાં જે ભક્તિગીતોનું પ્રવર્તન કર્યું તે બરગીત – અર્થાત્ મહત્ ગીત (બર = વર = શ્રેષ્ઠ) તરીકે પ્રસિદ્ધ છે. એક રીતે ગુજરાતના ભજન જેવું તેનું સ્વરૂપ, પણ બરગીતની પુષ્ટિમાર્ગીય હવેલીસંગીતની જેમ સંગીતરચનાની પોતાની એક વિશિષ્ટ પ્રણાલી પણ છે. દરેક…

વધુ વાંચો >

બરગોહાઈ, નિરુપમા

Jan 3, 2000

બરગોહાઈ, નિરુપમા (જ. 1932, ગૌહત્તી) : આસામનાં મહિલા સાહિત્યકાર. તેમને ‘અભિજાત્રી’ નવલકથા બદલ સાહિત્ય અકાદમી. દિલ્હીનો 1996ના વર્ષનો ઍવૉર્ડ મળ્યો છે. તેમણે કલકત્તા યુનિવર્સિટીમાંથી અંગ્રેજીના વિષય સાથે તેમજ ગૌહત્તી યુનિવર્સિટીમાંથી આસામીના વિષય સાથે એમ.એ.ની ડિગ્રી મેળવી. કારકિર્દીનો આરંભ તેમણે અંગ્રેજીનાં અધ્યાપિકા તરીકે કર્યો; પછી પત્રકારત્વ તરફ વળ્યાં અને નામાંકિત સામયિકોનું…

વધુ વાંચો >

બરગોહાઈ, હેમેન

Jan 3, 2000

બરગોહાઈ, હેમેન (જ. 1936, સલીમપુર, આસામ) : સ્વાતંત્ર્યોત્તર કાલના અગ્રગણ્ય અસમિયા નવલકથાકાર, વાર્તાકાર અને નાટકકાર. એમણે ઉચ્ચ શિક્ષણ ગૌહત્તીની હૉટન કૉલેજમાં લીધું હતું. બી.એ. થઈને આસામ સિવિલ સર્વિસમાં જોડાયા, પણ સાહિત્યનો જીવ સરકારી નોકરીમાં રૂંધાવા લાગ્યો. એટલે 1968માં નોકરી છોડી અને નવા શરૂ થયેલા સાપ્તાહિક ‘નીલાંચલ’નું તંત્રીપદ સંભાળ્યું. એમણે નવલકથા,…

વધુ વાંચો >

બરછી

Jan 3, 2000

બરછી : ભાલા જેવું પણ ભાલા કરતા કદમાં અને લંબાઈમાં નાનું પરંપરાગત હથિયાર. તે ધરાવનારને બરછીવાળો અથવા બરછીધારી સૈનિક તરીકે ઓળખવામાં આવે છે. તેનું ફળું મોટું અને લાકડીને છેડે જડેલું હોય છે; શત્રુ પર ઘોંચવાનો તેનો ભાગ તીર જેવો અણીદાર હોય છે અને તે પોલાદનું બનેલું હોય છે. નજીકથી હુમલો…

વધુ વાંચો >

બરડો

Jan 3, 2000

બરડો : સૌરાષ્ટ્રમાં જામનગર અને પોરબંદર જિલ્લાઓમાં ઈશાનથી નૈર્ઋત્ય પથરાયેલી 16 કિમી. ઉત્તર-દક્ષિણ અને 11 કિમી. પૂર્વ-પશ્ચિમ લંબાઈની ડુંગરમાળા. તેનો ઉત્તર છેડો જામનગર જિલ્લા તરફ અને દક્ષિણ છેડો પોરબંદર પંથક તરફ આવેલો છે. આ ડુંગરમાળાનો કુલ વિસ્તાર 181.30 ચોકિમી. જેટલો છે. દાનશાસનમાં બરટક પર્વતનો ઉલ્લેખ મળે છે, જે બરડાનું સંસ્કૃત…

વધુ વાંચો >