૧૩.૦૩

બદાયૂંથી બરસાત (1949)

બરદલૈ, નિર્મલપ્રભા

બરદલૈ, નિર્મલપ્રભા (જ. 1933) : પ્રસિદ્ધ અસમિયા કવયિત્રી, સમીક્ષક, ગીતકાર, નાટ્યકાર, બાલસાહિત્યનાં લેખિકા તથા લોકસાહિત્યવિદ. સુસંસ્કૃત અને સુશિક્ષિત પરિવારમાં જન્મેલાં નિર્મલપ્રભાના જીવનની વિચિત્રતા એ છે કે એમને બાળલગ્નની રૂઢિનો ભોગ બનવું પડેલું. 13 વર્ષની વયે પ્રાપ્ત અવાંછિત માતૃત્વે જીવનના આરંભને દુ:સ્વપ્નમાં ફેરવી નાખ્યું હતું. પણ પછી પિતાની જ પ્રેરણાથી તેમણે…

વધુ વાંચો >

બરનાલા, સુરજિતસિંઘ

બરનાલા, સુરજિતસિંઘ (જ. 21 ઑક્ટોબર 1925, અટાલી, બેગપુર, પંજાબ) : ભારતના અગ્રણી શીખ રાજકારણી. પિતા નારસિંગ, માતા જસમેરકૌર. પત્ની સુરજિતકૌર. કાયદાની વિદ્યાશાખાનું શિક્ષણ મેળવ્યા બાદ 1950–51માં તેમણે પબ્લિક પ્રૉસિક્યૂટર તરીકે બરનાલાથી કારકિર્દીની શરૂઆત કરી હતી. 1967માં તેઓ પ્રથમ વાર રાજ્ય વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા. 1969–71નાં વર્ષો દરમિયાન તેઓ રાજ્યના શિક્ષણપ્રધાન…

વધુ વાંચો >

બરની, ઝિયાઉદ્દીન

બરની, ઝિયાઉદ્દીન (જ. 1285, બરન, ઉત્તરપ્રદેશ; અ. આશરે 1357, દિલ્હી) : ભારતના સલ્તનત યુગના ઇતિહાસકાર. તેમનો જન્મ ઉચ્ચ કુટુંબમાં થયો હતો. તેમણે મજહબી ગ્રંથોનો ઊંડો અભ્યાસ કર્યો હતો. સુલતાન મોહમ્મદ બિન તુગલુકના દરબારમાં દિલ્હીમાં તે 17 વરસ રહ્યા હતા. સુલતાન તેમને માન આપતો હતો. ત્યારબાદ સુલતાન ફીરોઝશાહે ઈર્ષાળુ દરબારીઓની ચઢવણીથી…

વધુ વાંચો >

બરફ

બરફ : પ્રવાહી પાણી અથવા પાણીની બાષ્પના થીજી જવાથી બનતો રંગવિહીન ઘન પદાર્થ. તે પાણીનું સ્ફટિકમય અપરરૂપ (allotropic form) છે. સામાન્ય રીતે એક વાતાવરણના દબાણે પ્રવાહી પાણીનું તાપમાન 0° સે.થી નીચું જતાં પ્રવાહી ઘન (બરફ) સ્વરૂપમાં આવે છે. દા.ત., કરા રૂપે પડતો બરફ, નદી કે સમુદ્રમાં જોવા મળતો કે રેફ્રિજરેટરમાં…

વધુ વાંચો >

બરબેરા

બરબેરા : પૂર્વ આફ્રિકામાં આવેલા સોમાલીલૅન્ડના વાયવ્યમાં એડનના અખાત પરનું બંદર. ભૌ. સ્થાન : 10° 25´ ઉ. અ. અને 45° 02´ પૂ. રે. વોકૂઈ ગૅલબીદ વહીવટી પ્રાંતના હર્ગેસા નગર તથા તોગધીર પ્રાંતના બુર્કો નગરથી આવતા મુખ્ય માર્ગોના છેડે તે વસેલું છે. તે આ વિસ્તારનું અગત્યનું શહેર તથા વેપારી મથક છે.…

વધુ વાંચો >

બરબેરિસ

બરબેરિસ : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા બરબેરિડેસી કુળની એક પ્રજાતિ. તે એશિયા, યુરોપ અને અમેરિકાના સમશીતોષ્ણ અને ઉપોષ્ણ પ્રદેશોમાં ક્ષુપ અથવા નાના વૃક્ષ સ્વરૂપે થાય છે. ભારતમાં તેની લગભગ 77 જેટલી જાતિઓ નોંધાયેલી છે. Berberis angulosa. Wall, ex Hook. f. & Thoms B. aristata DC., B. asiatica Roxb. ex. DC.,…

વધુ વાંચો >

બરસાત (1949)

બરસાત (1949) : બે પ્રેમીઓના ઉત્કટ પ્રેમનું નિરૂપણ કરતું સફળ હિન્દી ચલચિત્ર. ભાષા : હિંદી, શ્વેતશ્યામ. નિર્માણ-સંસ્થા : આર. કે. ફિલ્મ્સ. નિર્માતા-દિગ્દર્શક : રાજ કપૂર. કથા-પટકથા-સંવાદ : રામાનંદ સાગર. ગીત : હસરત જયપુરી, શૈલેન્દ્ર, રમેશ શાસ્ત્રી, જલાલ માહિલાબાદી. છબીકલા ; જાલ મિસ્ત્રી. સંગીત : શંકર-જયકિશન. મુખ્ય કલાકારો : રાજ કપૂર,…

વધુ વાંચો >

બદાયૂં

Jan 3, 2000

બદાયૂં : સ્થાન-સીમા-વિસ્તાર : ઉત્તર પ્રદેશના બરેલી વિભાગનો નૈર્ઋત્ય ભાગ આવરી લેતો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 27° 40´થી 28° 29´ ઉ. અ. અને 78° 16´થી 79° 68´ પૂ. રે. વચ્ચેનો 5,168 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે મોરાદાબાદ, રામપુર અને બરેલી…

વધુ વાંચો >

બદ્ધમણિ

Jan 3, 2000

બદ્ધમણિ : જુઓ પ્રજનનતંત્ર (માનવ)

વધુ વાંચો >

બધેકા, ગિજુભાઈ

Jan 3, 2000

બધેકા, ગિજુભાઈ (જ. 15 નવેમ્બર 1885, વળા; અ. 1939, મુંબઈ) : ‘બાળકોની મુછાળી મા’નું બિરુદ પામેલા, ગુજરાતના સુપ્રસિદ્ધ બાલકેળવણીકાર અને બાલસાહિત્યકાર. આખું નામ ગિરજાશંકર ભગવાનજી બધેકા. વતન વળામાં શાળાનો અભ્યાસ પૂરો કરી, વધુ અભ્યાસ અર્થે ભાવનગર આવ્યા. ત્યાં મૅટ્રિકની પરીક્ષા પાસ કરી, શામળદાસ કૉલેજમાં દાખલ થયા. કુટુંબની નબળી આર્થિક સ્થિતિને…

વધુ વાંચો >

બનગરવાડી

Jan 3, 2000

બનગરવાડી (1955) : મરાઠી નવલકથાલેખક વ્યંકટેશ માડગૂળકરની જાનપદી નવલકથા. મરાઠીમાં આંચલિક નવલકથાનો નવો પ્રકાર આ કૃતિથી શરૂ થયો. એ રીતે તે મરાઠી આંચલિક (જાનપદી) નવલકથાનું સીમાચિહ્ન છે. એમણે આ કૃતિ દ્વારા સિદ્ધ કર્યું કે ગ્રામીણ અને દૂર દૂરના પછાત વિસ્તારના જનજીવનનું ચિત્રણ પણ ઉચ્ચ સાહિત્યિક મૂલ્યવાળું હોય છે. આ નવલકથામાં…

વધુ વાંચો >

બનફૂલ

Jan 3, 2000

બનફૂલ (જ. 19 જુલાઈ 1899; અ. 1979) : પ્રસિદ્ધ બંગાળી સાહિત્યકાર. મૂળ નામ બાલાઈચંદ મુખોપાધ્યાય. તેઓ બિહારના ભાગલપુર નગરના વતની. પટણા અને કલકત્તા વિદ્યાપીઠમાં શિક્ષણ લીધું. વ્યવસાયે ડૉક્ટર. ‘બનફૂલ’ નામથી લેખનની શરૂઆત. પ્રથમ તેમણે કવિતા લખવાની શરૂઆત કરી. વિદ્યાર્થીજીવન દરમિયાનના વૈદ્યકીય અનુભવો તેમણે તેમના ‘તૃણખંડ’(1935)માં લખ્યા છે. ‘વૈતરણીતીરે’ (1937) પુસ્તકે…

વધુ વાંચો >

બનવાસી

Jan 3, 2000

બનવાસી : હાલના કર્ણાટક રાજ્યમાં ઉત્તર કન્નડ જિલ્લામાં આવેલ પ્રાચીન નગર. તે ‘વનવાસી’ અથવા ‘વૈજયન્તીપુર’ તરીકે પણ ઓળખાતું હતું. મહાભારતમાં આ પ્રદેશનો ‘વનવાસક’ તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પાંડવોએ આ પ્રદેશમાં વનવાસ કર્યો હતો. બનવાસીથી આશરે 20 કિમી. દૂર શિરસી નામનું ગામ છે. તે વિરાટ રાજાની રાજધાની હતું. પુરાણોમાં બનવાસક…

વધુ વાંચો >

બનહટ્ટી, શ્રીનિવાસ નારાયણ

Jan 3, 2000

બનહટ્ટી, શ્રીનિવાસ નારાયણ (જ. 1901, પુણે; અ. 1975) : મરાઠીના નામાંકિત લેખક, સંપાદક અને વિદ્વાન. તેમણે ઉચ્ચ શિક્ષણ મુંબઈ યુનિવર્સિટીમાં લીધું હતું. તેમને અતિ ઉજ્જ્વળ અભ્યાસ-કારકિર્દીના પરિણામે અનેક ઇનામો તથા શિષ્યવૃત્તિઓ મળ્યાં. સંસ્કૃતમાં એમ.એ.ની તથા કાયદાશાસ્ત્રમાં એલએલ.બી.ની પદવી મેળવ્યા પછી તેઓ એલ્ફિન્સ્ટન કૉલેજમાં મરાઠીના અધ્યાપક તરીકે જોડાયા. પછી તેઓ નાગપુરની…

વધુ વાંચો >

બનાખ, સ્ટીફન

Jan 3, 2000

બનાખ, સ્ટીફન (જ. 30 માર્ચ 1892, ક્રેકાઉ, પોલૅન્ડ; અ. 31 ઑગસ્ટ 1945) : વીસમી સદીના વિશ્વના ઉચ્ચ કોટિના પોલિશ ગણિતજ્ઞ. બાળપણમાં પિતાનું વાત્સલ્ય ન મળતાં બનાખ રખડુ બની ગયા. પરિણામે નાની ઉંમરે ઘર છોડવાની પરિસ્થિતિ આવી. એક ધોબણ બહેનને ત્યાં તેમનો ઉછેર થયો. ગણિત પ્રત્યે તેમને ખૂબ લગાવ હતો તેથી…

વધુ વાંચો >

બનાદાસ

Jan 3, 2000

બનાદાસ (જ. 1821 અશોકપુર, જિ. ગોંડ; અ. 1892 અયોધ્યા) : રામભક્તિના રસિક સંપ્રદાયમાં થયેલા સાકેત નિવાસી સંત કવિ. જાતિએ ક્ષત્રિય. પિતા ગુરુદત્તસિંહ. ઘરની આર્થિક સ્થિતિ સારી નહિ હોવાથી ભિનગા રાજ્ય- (બહરાઇચ)ની સેનામાં સાત વર્ષ સુધી નોકરી કરી. ઘેર પાછા આવ્યા. પોતાના એકના એક પુત્રનું અકાળ અવસાન થતાં પુત્રના શબ સાથે…

વધુ વાંચો >

બનારસ

Jan 3, 2000

બનારસ : જુઓ વારાણસી

વધુ વાંચો >